સ્ત્રી - ઇશ્વરનું અનમોલ સર્જન

સ્ત્રી નું સર્જન ઈશ્વરે કર્યું હશે ત્યારે
એના મનમાં શો ઉદ્દેશ્ય હશે? મને
તો એક જ જવાબ મન માં આવે છે
કે ઈશ્વર ની ઈચ્છા હશે કે પોતે સર્જેલી
દુનિયામાં પોતે સર્જેલા સજીવો જેવા જ
બીજા સજીવો જાતે સર્જાય... અને આ
સર્જન (સર્જન ઈશ્વર નું કામ કહી શકાય)
અને સંસારનું સંચાલન (એ પણ ઈશ્વર નું
કામ કહી શકાય) શરુ રાખવા માટે એણે
સ્ત્રી નું સર્જન કર્યું હશે...

જ્યારે સ્ત્રી સંતાન ને સુવડાવવા માટે
હાલરડા ગાતી હોય છે ત્યારે
સરસ્વતી નું સ્વરૂપ હોય છે.

જ્યારે ભોજન બનાવતી હોય છે ત્યારે
સાક્ષાત અન્નપૂર્ણા નું સ્વરૂપ હોય છે.

જ્યારે મજૂરની ઓછી આવકમાં ઘર
ચલાવતી હોય છે ત્યારે અને
એવી હાલતમાં પણ
સંતાનો ની ઈચ્છા પૂરી કરતી હોય
ત્યારે એ આશાપુરા નું સ્વરૂપ હોય છે.

નાણાકીય રીતે કપરી પરિસ્થિતિ હોય
ત્યારે પણ સંતાનોના યોગ્ય શોખનું
ધ્યાન રાખતી હોય ત્યારે એ
મહા લક્ષ્મી નું સ્વરૂપ હોય છે.

જ્યારે સંતાનોની તરફેણમાં કોઈ પણ
શક્તિશાળી માણસ સાથે લડવા માટે
ઉભી થઇ જતી સ્ત્રી મહા કાળી નું
સ્વરૂપ છે અને સંતાન ને જન્મ આપતી
સ્ત્રી પોતે યોગમાયા સ્વરૂપી માતા પાર્વતી નું
સ્વરૂપ છે.

સ્ત્રીનું સર્જન માટે સક્ષમ હોવું એ જ
એના ઈશ્વરના રૂપ હોવાનું પ્રમાણ છે.
દરેક યુગમાં મા ... નર્મદા (આનંદદાયી),
યશોદા (યશ આપનારી),
અન્નપૂર્ણા (ભોજન આપનારી),
આશાપુરી (આશા પૂરી કરનારી) વગેરે
સ્વરૂપમાં હયાત છે જ.

ઈશ્વરે મારું સર્જન કર્યું છે પણ આ ધરતી પર
મને લઇ આવનાર મારા મા-બાપ પણ
મારા માટે ઈશ્વર થી ઓછા નથી.
ભોજન બનાવતી, પાણી ભરતી, ઘર ને
સુઘડ રાખતી, સંતાન ને ભણાવતી,
ખવડાવતી, રમાડતી, સુવડાવતી દરેક
સ્ત્રી માં ઈશ્વર ના દર્શન થાય છે. જે
વ્યક્તિ ને આમાં ઈશ્વર નું દર્શન નથી
થતું એ વ્યક્તિને માણસ કેમ
કહી શકાય?

માટે જ કહેવાય છે માતૃ દેવો ભવઃ....
આજ નો દિવસ માતા ને અર્પણ છે ...

-હાર્દિક વ્યાસ 'હાર્દ'