♦ સાચો કર્મકાંડી ♦

કોલકાતા રાજમાર્ગ પર એક બ્રાહ્મણ ‘ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય’
બોલતા બોલતા ગંગાસ્નાન કરીને ગંગાના ઘાટ પરથી ચાલ્યા આવતા હતા. નાહીને લાલ રંગનો ગમછો વીંટયો હતો. ખભે જનોઈ, ગળામાં રુદ્રાક્ષની માળા, માથે શિખા અને પગમાં ચાખડી, હાથમાં તાંબાનો લોટો એમ પોતડીધારી એ બ્રહ્મદેવ ભોળાનાથનું સ્મરણ કરતા કરતા આગળ વધતા હતા.

અચાનક બ્રાહ્મણની નજર રસ્તાની એક તરફ બેઠેલા એક ડોશીમાં તરફ પડી. એમનાં વસ્ત્રો પરથી સાધારણ સ્થિતિનાં હોવાનું અનુમાન થતું હતું. માજીના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. પેલા બ્રહ્મદેવે કહ્યું: "મા, આપ કેમ ઉદાસ વદને બેઠાં છો? કંઈ કામ હોય તો કહો."

માજીએ કહ્યું," ભાઈ, મારા પતિનું શ્રાદ્ધ કરાવવાનું છે , પરંતુ બ્રાહ્મણે જે દક્ષિણા
માગી એટલું મારું ગજું નથી. સમય વીતી જાય છે, પણ કોઈ હા પાડતા નથી.કોઈ
કર્મકાંડી બ્રાહ્મણ પાસે વિધિસર શ્રાદ્ધ કરાવાય તો મારા પતિના આત્માને તૃપ્તિ થાય.થોડી ઘણી દક્ષિણા અને સીધું આપી શકું, પરંતુ ધોતી, વસ્ત્રો, પિતળના વાટકા અને મોટી દક્ષિણા આપવાની મારી શક્તિ નથી." આટલું કહેતાં માજીની આંખો આંસુથી છલકાઈ ઉઠી.

"ચાલો, ઉઠો, મા. હું પણ બ્રાહ્મણ છું. કર્મકાંડની વિધિ જાણું છું. આપના પતિની
શ્રાદ્ધ-ક્રિયા કરાવી આપું. આપ દક્ષિણામાં જે આપશો તે સ્વીકારીશ."

બ્રાહ્મણનાં વચનો સાંભળીને પેલાં માજી રાજી રાજી થઈ ગયાં. ઉદાસી દૂર થઈ ગઈ
અને ચહેરા પર ઉજાસ છવાઈ ગયો. માજી પણ ઉતાવળી ચાલે બ્રાહ્મણની પાછળ
ચાલવા લાગ્યાં. સાથે લાવેલ શ્રાદ્ધની સામગ્રી એક થાળમાં ગોઠવીને મુકી.
બ્રાહ્મણે પણ નિયમ અનુસાર અને વિધિપૂર્વક શ્રાદ્ધક્રિયા કરાવી.

માજીની આર્થિક સ્થિતિ સાવ સાધારણ હોવાથી તેમણે દક્ષિણામાં એક પડિયો
ચોખા, ગોળનો કકડો અને માથે એક તાંબાનો પૈસો આપ્યો. બ્રહ્મદેવને તો આટલું મળ્યું તેમ છતાં આનંદ આનંદ થઈ ગયો. વૃદ્ધા આનંદ પામી.

બ્રહ્મદેવ ઘર ભણી જવા નીકળ્યા. ભોળાનાથનું સ્મરણ કરતા ઘર પાસે પહોંચ્યા ત્યારે એને એક ઓળખીતો સામો મળ્યો. દરરોજ તો હાથમાં ગંગાજળનો લોટો લઈને સામે મળતા, પરંતુ અત્યારે બીજા હાથમાં પડિયો, ગોળનો કકડો અને તાંબિયો જોતાં પૂછ્યું: " કેમ? આજે આ બધું શાનું છે? "

પેલા બ્રાહ્મણે હસીને કહ્યું, "તમને નવાઈ લાગે છે, ખરું? હું ન્યાયાધીશ થયો એટલે
બ્રાહ્મણ થોડો મટી ગયો? આજે એક નિ:સહાય માજીને એના પતિનું શ્રાદ્ધકર્મ કરાવીને મારું બ્રાહ્મણ તરીકેનું કર્તવ્ય બજાવ્યું, એની દક્ષિણા છે.’

આ માનવતાવાદી બ્રાહ્મણ હતા: કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આશુતોષ
મુખર્જી.

♦ સાદગી ♦

રશિયન બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા તરીકે પ્રખ્યાત વ્લાદિમીર ઇલીચ લેનિન એક પ્રખર રાજકારણીની સાથે તેની સાદગીથી પણ એટલા જ જાણીતા હતા.

તેમના વહીવટ હેઠળ, રશિયા અને ત્યારબાદ વિશાળ સોવિયત સંઘ પણ  રશિયન સામ્યવાદી પક્ષ દ્વારા નિયંત્રિત એકપક્ષીય સામ્યવાદી રાજ્ય બન્યું.

લેનિન રૂસ જેવા મોટા દેશના વડા હોવા છતાં ખૂબ સાદાઈથી રહેતા. દેશના વડા
માટેના આલિશાન મકાનના માત્ર ચાર જ રૂમમાં પોતાનો વસવાટ ગોઠવીને બાકીના
બધા જ ખંડ તેમણે જુદી જુદી ઓફીસો માટે આપી દીધા હતા.

એકવાર એક કવિ લેનિનને મળવા આવ્યા.તેમને કહેવામાં આવ્યું કે, "લેનિન
તો અગત્યની મીટીંગમા છે. મોડી રાત્રે પાછા આવશે.' કવિ નિરાશ થઈને જતા હતા.

ત્યારે કોઈકે તેમને કહ્યું , "તમારે લેનિનને મળવું જ હોય તો તમે અહીં રાહ જોઈ શકો છો."

કવિ બેઠા.રાત્રે એકાદ વાગે લેનિન થાકયા પાકયા ઘેર આવ્યા ત્યારે મુલાકાતીને
જોયા. લેનિને તેમની સામે મલકીને તેમના ખબર અંતર પૂછયા. પછી પૂછયુ. "કોફી
પીશો ને ?" 

કવિને થયું કે લેનિન થાકીને આવ્યા છે. તે કોફી પીશે તો તેમને સારું લાગશે.
એટલે તેમણે કહયું, "હા."

તરત જ લેનિન ઊભા થયા. ઠંડી દુર કરવા માટે એક ખૂણામાં મુકવામાં આવેલી
સગડીના કોલસા સંકોર્યા. કોફીના સામાન ભેગો કર્યો અને પોતે જ કોફી બનાવી.
મહેમાનને પાઈ અને પોતે પણ પીધી.

કવિરાજ તો દંગ જ થઈ ગયા. કદી કલ્પી ન હોય તેવી સાદાઈ જોઈને લેનિનને
મનોમન વંદન કરી રહ્યા.

જો સમજાય તો સાદગી એ માનવીનું મૂલ્યવાન ઘરેણું છે.સાદગીમાં જ પરમ સુખ રહેલું છે.સાદગી એ સૌંદર્યનો આદર્શ છે.

♦ ચોવીસ કલાકે ♦

એક વૃદ્ધ મરણ પથારી ઉપર હતા.તેમણે પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો. પછી વૃદ્ધે કહ્યું, "બેટા,મારા પુરા જીવન દરમિયાન હું ગરીબ રહ્યો.તારી પાછળ મૂકી જવા માટે મારી પાસે કાંઈ મૂડી નથી પણ તારા દાદાએ મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉ છું. જિંદગીભર તું તેને
સાચવજે. જયારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલા તું તેનો જવાબ વાળતો નહીં.ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી 'મૂડી' હું તને વારસામાં આપતો જાઉ છું." 

પિતાજીએ આપેલી 'મૂડી' દીકરાએ તે જીવ્યો ત્યાં સુધી સાચવી.આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવા પડયા. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઉભા થયા પણ પિતાના વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યકિતને તે શાંતિથી કહેતો કે, "આનો જવાબ હું તમને ચોવીસ કલાક
બાદ આપીશ." 

ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલા રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તો એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યકિત આગળ કદી જતો નહી. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદૃશ્ય થયો. તેનું હૃદય સ્વચ્છ બની ગયું. આ છોકરો મોટો થતા મહાન વિચારક જ્યોર્જ ગુર્જિયેફ નામે ખ્યાતિ પામ્યો.

♦ પેન્સિલ અને રબર ♦

એક ઘર હતું. ઘરના એક ઓરડામાં ટેબલ ઉપર પેન્સિલ અને રબર પડ્યા હતા. પેન્સિલનું ધ્યાન રબર તરફ ગયું. તેણે મોઢું બગાડીને રબરને કહ્યું, "અહીંથી ખસી જા. આ મારું ટેબલ છે."
રબરને એની વાત ગમી નહીં. તેમ છતાં એણે ધીરજથી કહ્યું, "બહેન! આ તું શું કહે છે? આપણી વચ્ચે વર્ષોથી મિત્રતા ચાલતી આવી છે. બાળકોના દફતરમાં તું અને હું સાથે હોઈએ છીએ. તો પછી આજે તને આ શું થયું? હું તો તારો ભાઈ છું."

પેન્સિલને આ સાંભળી ગુસ્સો આવ્યો અને રબરને કહ્યું, "ભાઈ, પહેલાં તારું મોઢું જો! કલર કેવો કાળો થઈ ગયો છે! અસલ કોયલા જેવો! હમણાં જ તને હું મારી અણી મારું તો ચીસો પાડતું ભાગી જઈશ."

આમ કહીને પેન્સિલે પોતાની અણી રબરના
શરીરમાં ઘૂસાડી દીધી પણ રબરે ધીરજ ગુમાવી નહીં. 

એણે કહ્યું, "જો બહેન! હું પણ તારા ઉપર
આ રીતે હુમલો કરી શકું એમ છું પણ મારે તારા જેવું થવું નથી."

"તું મારા પર હુમલો કરીશ? પહેલાં તારું
પોચું-પોચું શરીર તો જો! જો હું મારી અણી તારા શરીરમાં ઘુસાડીશ તો તારા શરીરમાં કાણાં પડી જશે. તું તો સાવ નકામું છે. અક્ષર ભૂંસવા સિવાય તું બીજું શું
કામ કરે છે?"

"એ જ તો મારું મોટું કામ છે." રબરે વળતા કહ્યું.

"અક્ષર ભૂંસવાને તું મોટું કામ કહે છે?", પેન્સિલે કહ્યું.

આ સાંભળી રબરે તેને કહ્યું, "તું જે કંઈ ખોટું લખે છે, તે હું ભૂંસી નાખું છું. હું અત્યારે જેવું દેખાઉં છું, તેવું કાળું નહોતું.હું સફેદ રંગનું હતું, સુંદર હતું. સાચું કહું તો તારા કારણે જ હું સફેદમાંથી કાળું થઈ ગયું."

"મારા કારણે? અલ્યા જૂઠું કેમ બોલે છે? મેં
વળી તને શું કર્યું કે તું સફેદમાંથી કાળું થઈ ગયું?" , પેન્સિલે આશ્ચર્યથી રબરને પૂછ્યું.

રબરે કહ્યું, "તેં કરેલાં કામોથી મારી આ દશા થઈ છે."

પેન્સિલ હવે વધારે ગુસ્સે થઈ. "મારાં કારણે? આ તું શું બકે છે? "

રબરે કહ્યું ,"હું બકતું નથી. સાચું કહું છું. પૂછી જો આ પુસ્તકભાઈને."

ટેબલ પર મૂકેલું પુસ્તક પણ પેન્સિલ અને
રબરની વાતો ક્યારનું સાંભળી રહ્યું હતું.
પુસ્તકે કહ્યું, "બહેન, ગુસ્સે ન થઈશ. રબરની વાત સાચી છે. તું જે ખોટાં કામ કરે છે એટલે કે જે કંઈ ખોટું લખે છે, તેને આ રબર ભૂંસી નાખે છે. તારાથી થયેલી ભૂલો લોકો સુધી પહોંચવા નથી દેતું. તારી ભૂલોને ભૂંસી-ભૂંસીને એ વધારે કાળું થતું ગયું છે. જરા વિચાર કર, જો રબર ન હોત તો તારી ભૂલોને કોણ ભૂંસત? તારે તો આનો આભાર માનવો જોઈએ. કેમ કે, એ તારા કામમાં આવે છે."

પેન્સિલ હવે શું બોલે? એણે રબરની માફી માગી. હવે પોતે કદી રબરને આવું નહીં કહે એવી પુસ્તકને ખાતરી આપી.

- હુંદરાજ બલવાણી
- સાભાર "બાળ ભાસ્કર"

♦ તમે સાગર બનશો કે નદી થશો? ♦

સુખદેવ ઋષિના તેજસ્વી શિષ્ય અનુજમાં ધીરે ધીરે શાસ્ત્ર-જ્ઞાનનો ગર્વ ઉભરાવા લાગ્યો. એ ગર્વપોષક નિમિત્તોની વચ્ચે અહર્નિશ રહેવા લાગ્યો. સમય જતાં એ સુખદેવ ઋષિના અન્ય શિષ્યોને હીન, અજ્ઞાની અને અલ્પ બુદ્ધિમાન સમજવા લાગ્યો.

સુખદેવ ઋષિએ જોયું કે જ્ઞાનનો અહંકાર પોતાના વિદ્વાન શિષ્યને અવળે માર્ગે લઈ જઈ રહ્યો છે. તેથી એક દિવસ એને સાચી સમજણ આપવા માટે સાગરના કિનારે લઈ ગયા. 

ગુરૂએ પોતાના શિષ્ય અનુજને કહ્યું , "કેવો છે આ સાગર ? પ્રિય શિષ્ય, એના જળનું થોડું આચમન કરો."

જ્ઞાની અનુજે સાગરજળને મોંમાં લેતા જ મોઢું બગાડીને એ પાણીનો કોગળો કરી નાખ્યો અને કહ્યું, "અરે ! ગુરૂજી, આ સાગરનું પાણી તો કેટલું બધું ખારું છે ! મારા મુખનો સ્વાદ બગડી ગયો. આવા પાણીનો શો અર્થ ?"

સુખદેવ ઋષિએ હળવું હાસ્ય કરીને શિષ્યને કહ્યું , "ચાલ જરા આગળ
જઈએ." બંને એક નદી પાસે આવ્યા. ગુરૂએ શિષ્ય અનુજને કહ્યું , "જરા નદીના
જળનું તો આચમન કરી લે."

અનુજે નદીનું પાણી લઈને પીધું.તે શીતળ અને મીઠું લાગ્યું.એણે કહ્યું પણ ખરું, "પાણી તો સર્વત્ર છે પણ સાગરનું કેવું અને નદીનું કેવું !"

ગુરૂએ કહયું, "શિષ્ય, સાગર એ અહંકારનું રૂપ છે. એ બધું જ પોતાનામાં ભરી રાખે છે, તેથી એનું જળ કેવું ખારું છે ! એ કોઈના કશાય ઉપયોગમાં આવતું નથી, જયારે નદી એનું પાણી વહેંચે છે, એ ખેડૂતને આપે છે અને પનિહારિઓને પણ આપે છે. એનાથી અનાજ ઉગે છે અને લોકોના પેટ ઠરે
છે. એને કારણે એના જળમાં મીઠાશ છે. વ્યકિતએ અહંકારને પોતાની પાસે
ફરકવા દેવો જોઈએ નહિ,નહિ તો એની હાલત પોતાનામાં જળ સમાવતા
સાગર જેવી થશે. એણે નદીની જેમ વહેતા, હરતાં–ફરતા અને સહુને ઉપયોગી
બનતા રહેવું જોઈએ."

♦ પ્રામાણિકતાનો પુરસ્કાર ♦

પ્રજાપ્રિય રાજવીએ જોયું કે એના રાજ્યમાં સર્વત્ર ભ્રષ્ટાચાર અને  અવ્યવસ્થા વ્યાપી ગયા છે. પોતે પ્રજાને આટલો બધો ચાહતો હોવા છતાં રાજ્યની સ્થિતિ કેમ આવી થઈ ગઈ હશે? કારણની તપાસ કરતાં જાણવા મળ્યું કે એના દરબારીઓ માત્ર ખુશામતખોરો બની ગયા છે. રાજાને રાજ્યની સાચી પરિસ્થિતિથી વાકેફ રાખતા નથી અને તેથી રાજ્યમાં અંધાધુંધી પ્રવર્તે છે.

રાજાએ વિચાર્યું કે આ દરબારીઓમાંથી કોઈ પ્રામાણિક વ્યક્તિને શોધવી જ પડશે. તો જ રાજકાજ બરાબર ચાલશે. 

એની પરખ કરવા માટે રાજાએ એક યુક્તિ અજમાવી. એણે દરબારના ચાર મુખ્ય દરબારીઓને બોલાવીને દરેકને બીજ, ખાતર અને એક-એક કૂંડુ આપ્યું અને તેમને કહ્યું કે, "તમે મારા માટે એક છોડ ઉગાડી લાવો.જેનો છોડ સૌથી સુંદર અને વધુ વિકસિત હશે,તેને હું મો માગ્યું ઇનામ આપીશ."

ચારે દરબારીઓ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે આ તો સાવ આસાન કામ છે. માત્ર ખાતર અને પાણી નાખવાનું છે. વળી, જો બીજમાંથી સરસ મજાનો છોડ ઉગશે તો ઇનામ મળશે. સમગ્ર રાજ્યમાં આ વાત ચર્ચાનો વિષય બની ગઈ. 

ચાર-પાંચ મહિના બાદ આ દરબારીઓ પોતપોતાના કૂંડા લઈને દરબારમાં હાજર થયા.બધાના કૂંડામાં સુંદર છોડ ઉગ્યો હતો. માત્ર એક કૂંડામાં કશું ઉગ્યું ન હતું. રાજાએ કૂંડાના છોડને જોયા અને દરબારીઓની મહેનતની પ્રશંસા કરી. પરંતુ મો માગ્યું ઇનામ તો તેને આપ્યું કે જેના કૂંડામાં કોઈ છોડ ઉગ્યો ન હતો. સૌ આશ્ચર્ય પામ્યા.

રાજાએ હસીને કહ્યું, "મેં આપેલા બીજ પાણીમાં ઉકાળેલા હતા અને એ કોઈ કાળે ઉગી શકે તેવા નહોતા. બીજા બધાએ તો એ બીજની બાજુમાં બીજા બીજ નાખીને છોડ ઉગાડી દીધો પરંતુ એક વ્યક્તિ ઈમાનદાર નીકળી. રાજ્ય ચલાવવા માટે મારે આવા સાચાદિલ પ્રમાણિક માનવીની જ જરૂર હતી.એ રાજ્ય ક્યારેય પ્રગતિ કરી શકે નહીં કે જેના દરબારીઓ માત્ર રાજાની ખુશામત કરવામાં માનતા હોય અને એને ખુશ રાખવા માટે સાચા - ખોટા માર્ગો અપનાવતા હોય. મારે તો પ્રજાની ખુશાલીનો વિચાર કરી શકે તેવા પ્રમાણિક દરબારીની જ જરૂર હતી. જે મને આજે મળી ગયો."


♦ સંસ્કૃતપ્રેમી ડૉ.બાબાસાહેબ આંબેડકર ♦

ડૉ.બાબાસાહેબ આંબેડકરજીને બંધારણની રચના માટે બનાવાયેલ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.જ્યારે બંધારણમાં સુનિશ્ચિત ભાષાઓની યાદી તૈયાર કરવાની વાત ચાલી ત્યારે બાબાસાહેબ ખૂબજ આગ્રહપૂર્વક તમામ ભાષાઓની જનની સંસ્કૃત ભાષાને સ્થાન આપવાની રજૂઆત કરી.જો કે તત્કાલીન વડાપ્રધાન નેહરુ અને કથિત સેક્યુલરવાદીઓના વિરોધને કારણે એ યાદીમાં સંસ્કૃત ભાષાનો સમાવેશ થઈ શક્યો નહિ.આ દરમિયાન એક વખત સંસ્કૃત ભાષાને લઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી અને આંબેડકર વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ડૉ.બાબાસાહેબના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને જોઈ ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.લોકોને શાસ્ત્રીજીના સંસ્કૃત ભાષા અંગેના જ્ઞાન પર તો કોઈ શંકા ન હતી પરંતુ વિદેશમાં ભણેલા ગણેલા બાબાસાહેબની સંસ્કૃત ભાષા પર આટલી સારી પકડની આશા ન હતી.જે લોકોને લાગતું હતું કે બાબાસાહેબ તો માત્ર લાગણીમાં વહી જઈ અને માત્ર દેખાડા ખાતર જ સંસ્કૃતને બંધારણની નિશ્ચિત ભાષાઓની યાદીમાં સ્થાન આપવાની તરફેણ કરી રહ્યા છે તે તમામના મોઢા સિવાઈ ગયા.

♦ ઉપદેશ અને આચરણ ♦

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતા હતા.તે સમયનો એક પ્રસંગ છે. 

એકવાર એક ધનવાન માણસ તેના પુત્રને લઈને ડૉ.રાધાકૃષ્ણન પાસે આવ્યા અને કહ્યું ,"સાહેબ મારો આ પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ હોશિયાર છે પણ તેને ચા પીવાનું એક વ્યસન છે.તેનું ચાનુ વ્યસન આપ છોડાવો. " 

ડૉ.રાધાકૃષ્ણને કહ્યું, " 20-25 દિવસ બાદ આવો ત્યારે તેને ચા નહીં પીવા હું સમજાવીશ."

20-25 દિવસ બાદ પેલા ધનવાન ડૉ. રાધાકૃષ્ણન પાસે આવ્યા. તેનો પુત્ર પણ તેની સાથે જ હતો. ડૉ.રાધાકૃષ્ણને માત્ર એટલું જ કહ્યું , " અતિ સર્વત્ર વર્જયેત." અર્થાત કોઈપણ વસ્તુનો અતિરેક કરવો જોઈએ નહીં. તું ચા પીવાનું છોડી દે. "

તે યુવાને વચન આપ્યું કે, " જીવનમાં ક્યારેય હવે તે ચા પીશે નહીં."

યુવાનના પિતાએ ડોક્ટર રાધાકૃષ્ણનને પૂછ્યું ,"અમે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે જ આપે મારા પુત્રને ચાનું વ્યસન છોડી દેવા માટે શિખામણ કેમ ના આપી ? "

ડૉ. રાધાકૃષ્ણન બોલ્યા, "એ વખતે મને પણ ચાનુ વ્યસન હતું. હું ચા પીઉં અને બીજાને ચા નહીં પીવાનો ઉપદેશ આપું. એ વાત યોગ્ય નથી."

ઉપદેશ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ આચરણ છે.ઉપદેશ આપવો સરળ છે પણ એ ઉપદેશનો અમલ કરવો કઠિન છે.

આપણે વહેલા ઉઠવાનો ઉપદેશ બીજાને આપીએ અને આપણે પોતે જ મોડા ઉઠીએ , આપણે સાચું બોલવાનો ઉપદેશ આપીએ અને આપણે પોતે જ ખોટું બોલીએ તો આવા ઉપદેશની બીજા પર કોઈ અસર થતી નથી.

એમ,આચરણ વિનાનો ઉપદેશ નકામો છે.

♦ દ્રઢ મનોબળ ♦

રવિશંકર મહારાજનું જીવન એક ગૃહસ્થ સંત જેવું હતું. દિવસભર પરિશ્રમ કરનારા રવિશંકર મહારાજ રાત્રે 10 વાગ્યે પથારીમાં પડે અને ઘસઘસાટ ઊંઘી જાય. સવારે ત્રણ વાગ્યે ઉઠી, દીવો કરી શ્રીમદ્ ભગવદ્ ગીતાના બધા અધ્યાયો વાંચીને પાઠ કરવાનો એનો નિયમ. 

એક દિવસ રવિશંકર મહારાજને થયું કે મારે મુસાફરીનો યોગ ઘણો છે. યજમાનો બહુ ભાવુક હોય છે. ત્રણ વાગ્યે દીવો કરવાથી એમને ખલેલ પડે છે. આનો ઉપાય એ જ કે હું આખી 'ગીતા' કંઠસ્થ કરું.દ્રઢ સંકલ્પ સાથે તેમણે આખી ગીતા કંઠસ્થ કરી લીધી. પ્રાણશંકર મહેતાના ઘરે ઈ. સ.1958માં વિસનગર આવ્યા ત્યારે રવિશંકર મહારાજે કહ્યું , "સવારે દીવાની જરૂર નહીં પડે."

'' કેમ દાદા, હવે ગીતાપાઠ નથી કરતા? '' પ્રાણશંકર મહેતાએ પૂછ્યું. 

'' કરું જ છું પરંતુ હવે 'ગીતા' કંઠસ્થ કરી લીધી છે. દીવાની કે પુસ્તકની જરૂર પડતી નથી." રવિશંકર મહારાજે કહ્યું. 

પ્રાણશંકર તો ચમકી ગયા આટલી મોટી ઉંમરે સમગ્ર ભગવદ્ ગીતા કંઠસ્થ કરી લીધી.?? 

♦ બોધ ♦

આપણાથી બીજાને તકલીફ ન પડે એની સતત કાળજી રાખવી એ બહુ ઊંચી વાત છે. દ્રઢ સંકલ્પ સાથે સાતત્યપૂર્વક કરેલ સાધના સિદ્ધિને વરે છે. 

♦ જેવું આપશો તેવું મેળવશો ♦

એક ગોવાળ દરરોજ એક કિલો માખણ દુકાનદારને વેચતો. એક દિવસ પેલા દુકાનદારને વિચાર આવ્યો કે હું હંમેશા આ ગોવાળ પર વિશ્વાસ કરી વજન કર્યા વગર જ માખણ ખરીદી લઉં છું. માટે એક વખત માખણ તોલી ખરાઈ કરી લેવી જોઈએ . દુકાનદારે માખણનું વજન કર્યું તો કિલોમાં સહેજ ઓછું નીકળ્યું.

દુકાનદાર ગુસ્સે થયો અને સમગ્ર મામલો રાજદરબારમાં પહોંચ્યો.

રાજાએ ગોવાળને પૂછ્યું , “ તું માખણનું વજન કરવા માટે કયા તોલનો ઉપયોગ કરે છે? " 

ત્યારે ગોવાળે જવાબ આપ્યો , “મહારાજ મારી પાસે તો વજન કરવા માટે તોલ જ નથી. એ તો હું દુકાનદાર પાસેથી એક કિલો માખણના બદલામાં દરરોજ એક કિલો કોઈની કોઈ વસ્તુ ખરીદી લઉં છું અને તેનું વજન કરી તેના વજનનું જ માખણ દુકાનદારને આપું છું.” 

ગોવાળનો જવાબ સાંભળી પેલો દુકાનદાર ભોંઠો પડી ગયો . 

દુકાનદારની જેમ આપણે પણ આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે જ સામે મેળવીએ છીએ. માટે આપણે વિચારવું જોઈએ કે આપણે બીજાને શું આપીએ છીએ.દુઃખ કે સુખ,પ્રામાણિકતા કે કપટ,જૂઠ કે વફાદારી.



♦ શિક્ષણની સાર્થકતા ♦

ટીલી નામની બાળકી તેના પરિવાર સાથે થાઈલેન્ડના ફ્રુકેતુ ટાપુ ઉપર રજા માણી રહી હતી. 

એક દિવસ તે દરિયા કિનારે ફરતી હતી ત્યારે તેણે દરિયાને અચાનક જ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જોયો . 

ટીલી ફકત દસ વર્ષની જ હતી પણ તેણે જે શાળામાં અભ્યાસ કર્યો હતો ત્યાં તેના શિક્ષકે સમજાવ્યું હતું કે ,''સમુદ્રમાં જયારે આવી તોફાની ભરતી આવે , પછી પાણીમાં પરપોટા થાય અને અચાનક સમુદ્ર શાંત થઈ જાય અને મોટી ઓટ આવે ત્યારે જરૂર કંઈક અઘટિત બને."

ટીલીએ આ બધી જ વાત હોટેલમાં જઈને તેની માતાને કરી. તેની માતા તરત જ સમુદ્ર પરના સત્તાવાળાઓને મળી અને આ બધી વાત તેમને જણાવી.

સતાવાળાઓ સતર્ક થઈ ગયા અને તેમણે કિનારા પરના તથા હોટેલના ગ્રાહકોને જગ્યા ખાલી કરી દૂર ચાલી જવા જણાવ્યું. 

આમ હજારો લોકોના જીવ બચી ગયા . ટીલીના શિક્ષક એન્ટુકીઅર્થીએ આ વાત જાણી ત્યારે ટીલીને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે, ''તેં મારું ભણાવેલું સાર્થક કર્યુ.''

♦ कर्ण की दानवीरता ♦

जब महाराज युधिष्ठिर इंद्रप्रस्थ पर राज्य करते थे , तब वे काफी दान आदि दिया करते थे। पांडवों को इसका अभिमान होने लगा। भीम व अर्जुन ने श्रीकृष्ण के समक्ष युधिष्ठिर की प्रशंसा शुरू की कि वे कितने बड़े दानी हैं। लेकिन कृष्ण ने उन्हें बीच में ही टोककर कहा , " हमने कर्ण जैसा दानवीर कहीं नहीं देखा। " पांडवों को यह बात पसंद नहीं आई। तब कृष्ण ने कहा कि समय आने पर सिद्ध कर दूंगा।
 
कुछ ही दिनों बाद एक याचक युधिष्ठिर के पास आया और बोला, " महाराज ! मैं आपके राज्य में रहने वाला एक ब्राह्मण हूं और मेरा व्रत है कि बिना हवन किए कुछ भी नहीं खाता-पीता। कई दिनों से मेरे पास यज्ञ के लिए चंदन की लकड़ी नहीं है। यदि आपके पास हो तो, मुझ पर कृपा करें, अन्यथा हवन तो पूरा ही नहीं होगा, मैं भी भूखा-प्यासा मर जाऊंगा।"
 
युधिष्ठिर ने तुरंत कोषागार के कर्मचारी को बुलवाया और कोष से चंदन की लकड़ी देने का आदेश दिया। संयोग से कोषागार में सूखी लकड़ी नहीं थी। तब महाराज ने भीम व अर्जुन को चंदन की लकड़ी का प्रबंध करने का आदेश दिया। लेकिन काफी दौड़- धूप के बाद भी सूखी लकड़ी की व्यवस्था नहीं हो पाई। तब ब्राह्मण को हताश होते देख कृष्ण ने कहा, "मेरे अनुमान से एक स्थान पर आपको लकड़ी मिल सकती है, आइए मेरे साथ।"
 
ब्राह्मण यह सुनकर खुश हो गए। बोला कहां पर ? तब भगवान ने अर्जुन व भीम का भी वेष बदलकर ब्राह्मण के संग लेकर चल दिए।। कृष्ण सबको लेकर कर्ण के महल में गए। सभी ब्राह्मणों के वेष में थे, अत: कर्ण ने उन्हें पहचाना नहीं। याचक ब्राह्मण ने जाकर लकड़ी की अपनी वही मांग दोहराई। कर्ण ने भी अपने भंडार के मुखिया को बुलवा कर सूखी लकड़ी देने के लिए कहा, वहां भी सूखी लकड़ी नहीं थी।
 
ऐसे में ब्राह्मण निराश हो गया। अर्जुन और भीम प्रश्न-सूचक निगाहों से भगवान कृष्ण को ताकने लगे। लेकिन श्री कृष्ण अपनी चिर-परिचित मुस्कान लिए चुपचाप बैठे रहे। तभी कर्ण ने कहा, "हे ब्राह्मण देव! आप निराश न हों, एक उपाय है मेरे पास।" उसने अपने महल के खिड़की-दरवाजों में लगी चंदन की लकड़ी काट-काट कर ढेर लगा दी, फिर ब्राह्मण से कहा, "आपको जितनी लकड़ी चाहिए, कृपया ले जाइए।" कर्ण ने लकड़ी ब्राह्मण के घर पहुंचाने का प्रबंध भी कर दिया। ब्राह्मण कर्ण को आशीर्वाद देता हुआ लौट गया। पांडव व श्रीकृष्ण भी लौट आए। 

वापस आकर भगवान ने कहा, "साधारण अवस्था में दान देना कोई विशेषता नहीं है, असाधारण परिस्थिति में किसी के लिए अपने सर्वस्व को त्याग देने का ही नाम दान है। अन्यथा हे युधिष्ठिर! चंदन की लकड़ी के खिड़की-द्वार तो आपके महल में भी थे।"

♦ सलाह ♦

एक व्यक्ति ने अगरबत्ती की दुकान खोली ! नाना प्रकार की अगरबत्तियां थीं ! उसने दुकान के बाहर एक साइन बोर्ड लगाया - "यहाँ सुगन्धित अगरबत्तियां मिलती हैं ! "

दुकान चल निकली ! एक दिन एक ग्राहक उसके दुकान पर आया और कहा - आपने जो बोर्ड लगा रखा है , उसके एक विरोधाभास है ! भला अगरबत्ती सुगंधित नहीं होंगी तो क्या दुर्गन्धित होंगी ? 

उसकी बात को उचित मानते हुए विक्रेता ने बोर्ड से सुगंधित शब्द मिटा दिया ! अब बोर्ड इस प्रकार था - "यहाँ अगरबत्तियां मिलती हैं ! "

इसके कुछ दिनों के पश्चात किसी दूसरे सज्जन ने उससे कहा - आपके बोर्ड पर "यहाँ " क्यों लिखा है ? दुकान जब यहीं है तब यहाँ लिखना निरर्थक है ! 
इस बात को भी अंगीकार कर विक्रेता ने बोर्ड पर यहाँ शब्द मिटा दिया ! अब बोर्ड था - अगरबत्तियां मिलती हैं ! 

पुनः उस व्यक्ति को एक रोचक परामर्श मिला - अगरबत्तियां मिलती हैं का क्या प्रयोजन ? अगरबत्ती लिखना ही पर्याप्त है ! अतः वह बोर्ड केवल एक शब्द के साथ रह गया - "अगरबत्ती "

विडम्बना देखिये ! एक शिक्षक ग्राहक बन कर आये और अपना ज्ञान वमन किया - दुकान जब मात्र अगरबत्तियों की है तो इसका बोर्ड लगाने का क्या लाभ ? लोग तो देखकर ही समझ जायेंगे कि मात्र अगरबत्तियों की दुकान है ! इस प्रकार वह बोर्ड ही वहाँ से हट गया ! 

कालांतर में दुकान की बिक्री मंद पड़ने लगी और विक्रेता चिंतित रहने लगा ! एक दिन में उसका पुराना मित्र उसके पास आया ! अनेक वर्षों के उपरांत वे मिल रहे थे ! मित्र से इसकी स्थापना उसके चिंता ना छिप सकी और उसने इसका कारण पूछा तो व्यवसाय के गिरावट का पता चला ! 

मित्र ने सब कुछ ध्यान से देखा और कहा - तुम बिल्कुल ही मूर्ख हो ! इतनी बड़ी दुकान खोल ली और बाहर एक बोर्ड नहीँ लगा सकते थे - यहाँ सुगंधित अगरबत्तियां मिलती हैं !

♦ शिक्षा ♦

आपको जीवन में प्रत्येक पग पर सुझाव देने वाले मिलेंगे जो उस विषय के विशेषज्ञ नहीं हैं परंतु लगेगा कि सारा विज्ञान, दर्शनशास्त्र , समाजशास्त्र इत्यादि उनमें अंतर्निहित है ! आप ऐसे व्यक्तियों की सुनेंगे या अनुपालन करेंगे तो आपकी स्थिति भी उस विक्रेता की भाँति हो जायेगी ! आप किसी भी विषय या निराकरण के लिये उससे सम्बन्धित विशेषज्ञों की सुने या अपने अन्तह्चेतन की क्योंकि आपको आपसे अधिक कोई नहीं जानता !

सदैव प्रसन्न रहिये।
जो प्राप्त है, पर्याप्त है।

♦ हमेशा अच्छा करो l ♦

एक औरत अपने परिवार के सदस्यों के लिए रोज़ाना भोजन पकाती थी और एक रोटी वह वहाँ से गुजरने वाले किसी भी भूखे के लिए पकाती थी। वह उस रोटी को खिड़की के सहारे रख दिया करती थी, जिसे कोई भी ले सकता था।

एक कुबड़ा व्यक्ति रोज़ उस रोटी को ले जाता और बजाय धन्यवाद देने के अपने रास्ते पर चलता हुआ वह कुछ इस तरह बड़बड़ाता- "जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा और जो तुम अच्छा करोगे वह तुम तक लौट के आएगा।"

दिन गुजरते गए और ये सिलसिला चलता रहा। वो कुबड़ा रोज रोटी लेकर जाता रहा और इन्हीं शब्दों को बड़बड़ाता - "जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा और जो तुम अच्छा करोगे वह तुम तक लौट के आएगा।"

वह औरत उसकी इस हरकत से तंग आ गयी और मन ही मन खुद से कहने लगी की- "कितना अजीब व्यक्ति है, एक शब्द धन्यवाद का तो देता नहीं है, और न जाने क्या-क्या बड़बड़ाता रहता है, मतलब क्या है इसका।"

एक दिन क्रोधित होकर उसने एक निर्णय लिया और बोली- "मैं इस कुबड़े से निजात पाकर रहूंगी।" और उसने क्या किया कि उसने उस रोटी में ज़हर मिला दिया जो वो रोज़ उसके लिए बनाती थी और जैसे ही उसने रोटी को खिड़की पर रखने कि कोशिश की, कि अचानक उसके हाथ कांपने लगे और रुक गये और वह बोली- "हे भगवन, मैं ये क्या करने जा रही थी?" और उसने तुरंत उस रोटी को चूल्हे की आँच में जला दिया। एक ताज़ा रोटी बनायीं और खिड़की के सहारे रख दीं।

हर रोज़ की तरह वह कुबड़ा आया और रोटी ले के: "जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा, और जो तुम अच्छा करोगे वह तुम तक लौट के आएगा" बड़बड़ाता हुआ चला गया। इस बात से बिलकुल बेख़बर कि उस महिला के दिमाग में क्या चल रहा है।

हर रोज़ जब वह महिला खिड़की पर रोटी रखती थी तो वह भगवान से अपने पुत्र की सलामती और अच्छी सेहत और घर वापसी के लिए प्रार्थना करती थी, जो कि अपने सुन्दर भविष्य के निर्माण के लिए कहीं बाहर गया हुआ था। महीनों से उसकी कोई ख़बर नहीं थी।

ठीक उसी शाम को उसके दरवाज़े पर एक दस्तक होती है। वह दरवाजा खोलती है और भोंचक्की रह जाती है, अपने बेटे को अपने सामने खड़ा देखती है। वह पतला और दुबला हो गया था। उसके कपड़े फटे हुए थे और वह भूखा भी था, भूख से वह कमज़ोर हो गया था।

जैसे ही उसने अपनी माँ को देखा, उसने कहा- "माँ, यह एक चमत्कार है कि मैं यहाँ हूँ। आज जब मैं घर से एक मील दूर था, मैं इतना भूखा था कि मैं गिर गया, मैं मर गया होता..!

लेकिन तभी एक कुबड़ा वहां से गुज़र रहा था। उसकी नज़र मुझ पर पड़ी और उसने मुझे अपनी गोद में उठा लिया। भूख के मारे मेरे प्राण निकल रहे थे। मैंने उससे खाने को कुछ माँगा, उसने नि:संकोच अपनी रोटी मुझे यह कह कर दे दी कि- "मैं हर रोज़ यही खाता हूँ, लेकिन आज मुझसे ज़्यादा जरुरत इसकी तुम्हें है, सो ये लो और अपनी भूख को तृप्त करो।"

जैसे ही माँ ने उसकी बात सुनी, माँ का चेहरा पीला पड़ गया और अपने आप को सँभालने के लिए उसने दरवाज़े का सहारा लिया। उसके मस्तिष्क में वह बात घुमने लगी कि कैसे उसने सुबह रोटी में जहर मिलाया था, अगर उसने वह रोटी आग में जला के नष्ट नहीं की होती तो उसका बेटा उस रोटी को खा लेता और अंजाम होता उसकी मौत..?

और इसके बाद उसे उन शब्दों का मतलब बिलकुल स्पष्ट हो चूका था-
" जो तुम बुरा करोगे वह तुम्हारे साथ रहेगा और जो तुम अच्छा करोगे वह तुम तक लौट के आएगा। "

♦ शिक्षा ♦

हमेशा अच्छा करो और अच्छा करने से अपने आप को कभी मत रोको, फिर चाहे उसके लिए उस समय आपकी सराहना या प्रशंसा हो या ना हो।

सदैव प्रसन्न रहिये।
जो प्राप्त है, पर्याप्त है।।

♦ अच्छी आदत का प्रभाव ♦


एक छोटी सी अच्छी आदत आपकी सोच बदल सकती हैं,  और सभी बाधाएं दूर हो सकती हैं।

एक प्रचलित कथा के अनुसार पुराने समय में दो दोस्त थे। बचपन में दोनों साथ पढ़ते और खेलते थे। पढ़ाई पूरी होने के बाद दोनों दोस्त अपने अपने जीवन में व्यस्त हो गए। एक दोस्त ने खूब मेहनत की और बहुत पैसा कमा लिया। जबकि दूसरा दोस्त बहुत आलसी था। वह कुछ भी काम नहीं करता था। उसका जीवन ऐसे ही गरीबी में कट रहा था। एक दिन अमीर व्यक्ति अपने बचपन के दोस्त से मिलने गया। अमीर व्यक्ति ने देखा की उसके दोस्त की हालत बहुत खराब है, उसका घर भी बहुत गंदा था। 

गरीब दोस्त ने बैठने के लिए जो कुर्सी दी, उस पर धूल थी। अमीर व्यक्ति ने कहा कि तुम अपना घर इतना गंदा क्यों रखते हो? गरीब ने जवाब दिया कि घर साफ करने से कोई लाभ नहीं है, कुछ दिनों में ये फिर से गंदा हो जाता है। अमीर ने उसे बहुत समझाया कि घर को साफ रखना चाहिए, लेकिन वह नहीं माना। जाते समय अमीर व्यक्ति ने गरीब दोस्त को एक बहुत ही सुंदर गुलदस्ता उपहार में दिया। गरीब ने वह गुलदस्ता अलमारी के ऊपर रख दिया। इसके बाद जब भी कोई व्यक्ति उस गरीब के घर आता तो उसे सुंदर गुलदस्ता दिखता, वे कहते कि गुलदस्ता तो बहुत सुंदर है, लेकिन घर इतना गंदा है। 

बार-बार एक ही बात सुनकर गरीब ने सोचा कि ये अलमारी साफ कर देता हूं, उसने अलमारी साफ कर दी। अब उसके घर आने वाले लोगों ने कहा कि गुलदस्ता बहुत सुंदर, अलमारी भी साफ है, लेकिन पूरा घर गंदा है। ये बातें सुनकर गरीब व्यक्ति ने अलमारी के साथ वाली दीवार साफ कर दी। अब जो भी लोग उसके घर आते सभी उसी कोने में बैठना पसंद करते थे, क्योंकि वहां साफ-सफाई थी। गरीब व्यक्ति ने एक दिन गुस्से में पूरा घर साफ कर दिया और दीवारों की पुताई भी करवा दी। धीरे-धीरे उसकी सोच बदलने लगी और उसने काम करना शुरू कर दिया।

♦ प्रसंग की सीख ♦

इस प्रसंग की सीख यह है कि हमारी एक छोटी सी अच्छी आदत हमारी सोच बदल सकती है, जिससे हमारा जीवन बदल सकता है। अच्छी आदतों से बड़ी-बड़ी बाधाएं भी दूर की जा सकती हैं।

♦ उत्साह का संचार ♦

एक राजा के पास कई हाथी थे लेकिन एक हाथी बहुत शक्तिशाली था, बहुत आज्ञाकारी,समझदार व युद्ध-कौशल में निपुण था।

बहुत से युद्धों में वह भेजा गया था और वह राजा को विजय दिलाकर ही वापस लौटता था इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।

समय गुजरता गया l और एक समय ऐसा भी आया, जब वह वृद्ध दिखने लगा।अब वह पहले की तरह कार्य नहीं कर पाता था। इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।

एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।

उस हाथी ने बहुत कोशिश की, लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।

उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।

हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।
 
राजा समेत सभी लोग हाथी के आसपास ईकट्ठे हो गए और विभिन्न प्रकार के प्रयत्न उसे निकालने के लिए करने लगे । लेकिन बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला । 

तभी गौतम बुद्ध मार्गभ्रमण कर रहे थे। राजा और सारा मंत्रीमंडल तथागत गौतम बुद्ध के पास गये और अनुरोध किया कि आप हमें इस विकट परिस्थिति में मार्गदर्शन करें । गौतम बुद्ध ने सबसे पहले घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।

सुनने वालों को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा ? जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।

पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।

गौतम बुद्ध ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।

👉🏼 जीवन में उत्साह बनाए रखने के लिए आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखें और निराशा को हावी न होने दें। 

👉🏼 कभी कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तरह कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है । 
 
👉🏼 "सकारात्मक सोच ही आदमी को "आदमी" बनाती है । उसे अपनी मंजिल  तक ले जाती है।

👉🏼 हमारे परिवार मे भी किसी को यदि कोई बिमारी आये और वे डर जाये तो परिवार के दूसरे सदस्यो को भी ये पता होना चाहिये कि वो बिमार व्यक्ति मे उत्साह का संचार कैसे करे । वो कौन सी चीजे है जिसके चलते उसमे उत्साह का संचार हो या उसकी सोच मे सकारात्मक उर्जा आये । जैसे कि उसके साथ टीवी मे मनपसंद खेल देखना । उसके साथ चेस जैसी इनडोर गेम खैलना । उसके साथ शुरवीरता जगानेवाली एवं हंसी के ठहाके से भरपूर फिल्म देखना आदि। 

👉🏼 आप हमेशा सकारात्मक ऊर्जा से परिपूर्ण , स्वस्थ एवं प्रसन्न रहें ।

♦ હકારાત્મક બનો ♦

એક જંગલ હતું.તેંમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા તેણે ત્યાં જઈને બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. 

www.sahityasafar.blogspot.com

તેજ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. 

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાની તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી તે દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. 

www.sahityasafar.blogspot.com

આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે ? કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. 

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી દાવાનળ માં બળી જઈને બધું ભસ્મીભૂત થઈ જશે ? 

www.sahityasafar.blogspot.com

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેની તરફ બાણનું નિશાન તાકી ઊભો હતો. 

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના , ત્યા સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ઘસમસતી નદી તેને તાણી જઈ શકે એમ હતી. 

શું હરણી પાછળ જઈ શકે એમ હતી ? ના ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી શકે તેમ હતો. 

👉🏼 જવાબ :- આ ઘટના " સ્ટોકેઈસ્ટીક પ્રોબેબિલીટી થિયરી " નું એક ઉદાહરણ છે. 

www.sahityasafar.blogspot.com

એ હરણી કંઈ જ કરતી નથી.  તે માત્ર પોતાના બચ્ચાને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત બીજી ક્ષણમાં જ આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે. એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઇ જાય છે. 

www.sahityasafar.blogspot.com

તીર સિંહના શરીરમાં ઘુસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વરસાદ વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. 

એ જ ક્ષણે હરણી એક સુંદર અને તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે. 

www.sahityasafar.blogspot.com

👉🏼 આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે. 

www.sahityasafar.blogspot.com

👉🏼 આ ઘટનાનો સાર માત્ર એટલો જ છે કે જ્યારે આપણને ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય અને હકારાત્મક અભિગમ રાખીએ તો સફળતા અવશ્ય મળે જ છે. 

♦ રાષ્ટ્રપિતાની કરકસર ♦

ઈ. સ. ૧૯૩૦, ૧૨ માર્ચ સમયે ગાંધીબાપુએ દાંડીકૂચ કરી... મીઠાનો સત્યાગ્રહ આરંભ્યો. ગરમીને કારણે તેઓ લીંબુ અને મધવાળું પાણી પીતા હતા. તેમનો કાચનો પ્યાલો એક દિવસ ફૂટી ગયો. 

તેમના અંતેવાસી શ્રી પ્યારેલાલે છ પૈસાની કિંમતવાળા બે પ્યાલા મંગાવ્યા... ગાંધી બાપુ કરકસરીયા હતા. આ જ સમયે સંતરા, લીલી દ્રાક્ષ પણ આવી ગયા. આ બધું જોઈને તેમણે જાહેર કરી દીધું કે, ''આજથી હું લીંબુ સિવાય બધા ફળોનો ત્યાગ કરું છું.'' આવા રાષ્ટ્રપિતા કંજૂસ નહીં પણ કરકસરમાં માનતા હતા.

એક વખત સ્ટીમર માર્ગે લંડન જતા ગાંધીબાપુને ઈજિપ્તની પ્રજાએ મધનું માટલું આપ્યું જેમાંથી તે દરરોજ થોડું થોડું મધ લેતા. એક દિવસ અંતેવાસી મીરાંબહેન મધ લાવવાનું ભૂલી ગયા. બજારમાંથી ચાર આનાની (૨૪ પૈસા)ની મધની શીશી મંગાવી. આ જાણી પ્રજાના પૈસાની બરબાદી શા માટે ? તેમ કહીને સેવાભાવી અંતેવાસીઓને પ્રજા કલ્યાણ માટે કરકસર કરવા કડક રીતે સમજાવ્યું.

બહારગામથી આવેલા પત્રોમાં ખોસેલી ટાંકણીઓ, પત્રોના કાગળોના કોરા ભાગમાંથી પરબીડિયાં બનાવી તેના પણ ઉપયોગ કરવા માટે આગ્રહ અને જાતમહેનતથી ટેવાયેલા હતા. તેઓ રૂમાલ, પેન્સિલ ખોવાઈ જાય ત્યારે શોધવા માટે ખૂણેખૂણો ફંફોસતા... 

પ્રજાધનના સાચા ટ્રસ્ટી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીને નમન.

♦ રાષ્ટ્રનું રત્ન - સુભાષચંદ્ર બોઝ ♦


www.sahityasafar.blogspot.com

સુભાષચંદ્ર બોઝ આઇ.એ.એસ.ની પરીક્ષા આપી રહ્યા હતા.મૌખિક પરીક્ષામાં તેઓ બધા પ્રશ્નોના સહેલાઇથી ઉત્તર આપી રહ્યા હતા.પરિક્ષકને થયુ કે આ તો બધા જવાબ આપી દેશે તો પરીક્ષા બરાબર નહિ ગણાય.

આથી તેમણે એક વીંટી મૂકી અને કહ્યું '' મિસ્ટર બોઝ,આ વીંટીમાંથી પસાર થઇ જાવ.'' બોઝ ક્યાં પાછા પડે તેવા હતાં.તેમણે એક કાગળનો ટુકડો લઇ ઉપર પોતાનું નામ લખ્યું પછી તે કાગળને વાળીને વીંટીમાંથી પસાર કરી દીધો.

મૌખિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં પછી લેખિત પરીક્ષા આપવાની હતી.તેમને પ્રશ્નપત્ર આપવામાં આવ્યું.લખતાં લખતાં એક વાક્ય આગળ તેઓ અટક્યા અને કહ્યું કે આ ખોટું વાક્ય છે તેને રદ કરો તો જ હું પરીક્ષા આપીશ.

પરીક્ષકે કહ્યું, '' વાક્ય સાચું છે કે ખોટુ તે તમારે જોવાનું નથી તમારે તો માત્ર ભાષાંતર કરવાનું છે.''

આથી બોઝે કહ્યું કે, '' આ વાક્ય રદ કરો નહિંતર હું પરિક્ષા નહિ આપું.''

તેમ કરવાની સ્પષ્ટ ના સાંભળી સુભાષચંદ્ર બોઝે કહ્યુ, '' આવી પરિક્ષા આપીને મારે પાસ થવું નથી.''

એમ કહી તેઓએ પ્રશ્નપત્ર  અને જવાબપત્રને ફાડી નાખ્યા અને ત્યાથી નીકળી ગયાં.

→ તેમને જે વાક્યનું ભાષાંતર કરવા આપ્યું હતુ તેનો અર્થ એવો હતો કે ભારતીય સૈનિકો મોટાભાગે અપ્રમાણિક હોય છે.દેશનું આવું અપમાન સુભાષબાબુ કેવી રીતે સહન કરી શકે? રાષ્ટ્રભક્તિ અને દેશદાઝ ધરાવતા આવા યુવાનો જ  રાષ્ટ્રની સાચી સંપત્તિ ગણાય છે.

www.sahityasafar.blogspot.com

♦ સુંદરતા ♦

સુંદરતા શું છે? જે આકર્ષક, આનંદદાયક છે તે? કાં તો તેથી કઈક વધું? જયારે પ્રથમ છાપની વાત આવે ત્યારે, નિ:શંકપણે જ તરત બાહ્ય દેખાવ તેની અસર બતાવે છે. જયારે તમે સુંદર યુવતી કે સોહામણો યુવાન જુઓ છો તો તેને તમે કુદરતી રીતે જ સુંદર ગણો છો. જો મારે કહેવાનું હોય તો, તમે પરણિત હોવ કે અપરણિત, તમારું સામાજિક કે ધાર્મિક સ્તર ગમે તે હોય પરંતુ તમે તેમની બાહ્ય સુંદરતાને નકારી નથી શકતાં. તમારે એમ અનુભવવું જ પડતું હોય છે. એટલું કહ્યાં બાદ, બાહ્ય સુંદરતા જો એટલી લોભામણી જ હોય તો પછી જે મોટા મોટા સ્ટાર, પ્રતિષ્ઠિત કે સુસંપન્ન લોકો છે તેમનાં સંબંધ-વિચ્છેદ શા માટે થતાં હોય છે? ચાલો હું તમને સુંદરતાની ધારણાને, વ્યાખ્યાને, અને ખ્યાલને સમજવામાં મદદ કરું. મેં એક વાર્તા વાંચી હતી જે શબ્દશ: હું અહી રજુ કરીશ:

એક મોટી ઉમરની સ્ત્રી અને તેનો નાનો પૌત્ર કે જેનાં ચહેરા ઉપર ચમકતા ડાઘા પડેલાં હતા, બન્ને એક દિવસ પ્રાણીસંગ્રહાલયમાં ગયાં. ત્યાં ઘણાં બાળકો પોતાનાં ગાલ પર વાઘનો પંજો દોરાવવા માટે સ્થાનિક કલાકાર પાસે એક કતારમાં ઉભા હતાં.

“અરે, તારા ચહેરા ઉપર તો કેટલાં બધા ડાઘા છે, તેનાં ઉપર ચિત્ર દોરવાની કોઈ જગ્યા જ નથી!” કતારમાં ઉભેલી એક છોકરીએ પેલાં છોકરાને કહ્યું.
શરમાયેલા અને કદાચ આ વાતથી દુભાઈ ગયો હોય તેમ પેલાં છોકરાએ પોતાનું માથું નીચે કરી નાખ્યું.
તેની દાદીમાંએ થોડી ઝૂકીને તેનાં ગાલ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, “ મને તો તારા ડાઘા ખુબ ગમે છે. જયારે હું નાની છોકરી હતી ત્યારે હંમેશા ઈચ્છતી હતી કે તારા જેવા ડાઘા મને પણ હોય”
“આ ડાઘા તો ખુબ જ સરસ છે.”
બાળકે ઉપર જોઇને કહ્યું, “શું સાચ્ચે જ?”
“ખરેખર,” દાદીમાંએ કહ્યું. “કેમ, ડાઘ કરતાં પણ સુંદર હોય તેવી એક વસ્તુનું નામ મને આપ”
નાના છોકરાએ થોડીવાર માટે વિચાર્યુ, દાદીમાંના ચહેરા સામે એકદમ તાકી રહ્યો અને ગણગણ્યો: “કરચલીઓ.”

ઓહ..કેટલું સરસ, નહિ? પરંતુ શું તમે આવી કરચલીઓ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરશો કે પછી આ કરચલીઓ વાળા દાદીમાની સારસંભાળ રાખશો? કદાચ નહિ. શું તમે નાના બાળકે જે સુંદરતા તેમની કરચલીઓમાં જોઈ તે જોઈ શકશો? જો તમે તે બાળક હોય તો કદાચ જોઈ શકશો. પરંતુ વાત તે નથી. સુંદરતાને કોઈ શબ્દોની શ્રુંખલામાં કે વ્યાખ્યાથી બાંધી નથી શકાતી. કારણ કે જે કઈ સુંદર છે તે એનાં પોતાનાં માટે નથી પરંતુ તમારા માટે હોય છે. સુંદરતા એ કોઈ સુનિશ્ચિત બાબત નથી, તે એક સાપેક્ષ બાબત છે, તમારી મન:સ્થિતિને સાપેક્ષ, તમારા પોતાનાં ખ્યાલની સાપેક્ષમાં હોય છે. તમે જેની પણ સાથે બંધાયેલાં હશો તે તમને સુંદર જ લાગશે! જે કોઈ વ્યક્તિની સાથે તમે સંપૂર્ણ અને સુરક્ષિત મહેસુસ કરતાં હશો તે તમને સુંદર જ લાગવાની. અને એટલાં માટે જ પેલાં નાના બાળક માટે કરચલીઓ એ સાચ્ચે જ સૌથી સુંદર વસ્તુ છે કારણ કે તે પોતાની દાદીમાં સાથે લાગણીથી બંધાયેલો છે.

જુવાન મુલ્લા નસરુદ્દીન પોતે એક ગરીબ ઘરની સુંદર યુવતીને પરણવા માટે કટિબદ્ધ હોય છે. પણ તેનાં અબ્બા તેને કોઈ અમીર છોકરી સાથે પરણાવવા માંગતા હતાં. “તને થયું છે શું?” તેમને કહ્યું, “જે સુંદરતાએ તને આંધળો કરી નાંખ્યો છે તે ફક્ત ઉપરની ચામડીની જ છે.”
“મારા માટે તે પુરતી છે,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું. “હું કઈ માનવભક્ષી નથી.”

મને આ ટુચકો મનોરંજક લાગ્યો પરંતુ તે એક સચોટ નિર્દેશ પણ કરે છે: તમારા માટે જેનાંથી ફર્ક પડે છે તે તમારા માટે સુંદર છે. એ તમારું પોતાનું પરાવર્તન છે. જેમ જેમ જીવનમાં તમે બૌદ્ધિક અને ભાવનાત્મક પ્રગતિ કરો છો તેમ તેમ તમારી પ્રાથમિકતાઓ બદલાતી જતી હોય છે. જે તમને પંદર વર્ષની ઉંમરે સુંદર લાગતું હતું તે ત્રીસીએ પહોંચતા અડધું સુંદર ય નથી લાગતું. જેમ જેમ તમે તમારી જાતને વધુ સમજવા લાગો છો તેમ તેમ ફક્ત બાહ્ય સુંદરતાને જ અસલી સુંદરતા માનવાનું તમે નકારવા લાગો છો. એનો અર્થ એ નથી કે કોઈ સુંદર વસ્તુ કે સુંદર વ્યક્તિનાં દેખાવનું મહત્વ તમે ઘટાડો છો. એનો અર્થ છે કે તમે હવે બીજા ગુણોની કિંમત વધુ આંકો છો. જો ખલીલ જિબ્રાનના શબ્દોમાં કહેવું હોય તો: “સુંદરતા એક એવી સાશ્વતતા છે કે જે અરીસામાં પોતાની સામે જ તાકી રહી હોય છે.”

સ્વામી વિવેકાનંદ, જે એક ખુબ જ અદ્દભુત અને તેજસ્વી સન્યાસી હતાં, તે એક દિવસ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઇ શિકાગોમાં લટાર મારી રહ્યા હતાં. વર્ષ હતું ૧૮૯૩નું. તેમનાં વસ્ત્રો કઈક વિચિત્ર લાગતા હતાં. ઔપચારિક વસ્ત્રો પહેરલ એક સ્થાનિક યુગલ સ્વામીની પાછળ જ ચાલી રહ્યાં હતાં, સ્ત્રીએ પોતાનાં પતિને કહ્યું, “મને નથી લાગતું કે આ માણસ કોઈ સદ્દગૃહસ્થ હોય.” તેનું આ વાક્ય સ્વામીના કાને પડ્યું. તેઓ તે યુગલ પાસે ગયા અને કહ્યું, “માફ કરશો પણ મેં તમારી ટીકા તમારી જાણ બહાર સાંભળી લીધી છે. તમારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ બનાવવાનું કામ કદાચ એક દરજી કરે છે, જયારે મારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ તેનું પોતાનું ચારિત્ર્ય બનાવે છે.” આ પછી શું બન્યું તેની મને ખબર નથી અને અહિં તે વાત અપ્રસ્તુત છે. પણ શું તે સ્ત્રી તેનાં વિચારોથી સાચી હતી? અને સ્વામી શું તેમની પ્રતિક્રિયામાં સાચા હતાં? ખરેખર તો તે બાબત અહિં મહત્વની નથી. પેલી સ્ત્રીને જે લાગ્યું તે તેને વ્યક્ત કર્યુ તે પણ તેને સીધેસીધું વિવેકાનંદને નથી કહ્યું, પોતાનાં પતિને કહ્યું હતું. જો તમને તમારી જાતને તમને ગમે તે રીતે પ્રસ્તુત કરવાનો હક હોય તો પછી બીજા લોકોને પણ તેમનો મત બાંધવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રચાર માધ્યમો, સમાજ, જાહેરાતો, ધર્મ આ બધાં જ દેખીતી રીતે કે છુપી રીતે તેમનાં મતોનો મારો તમારા ઉપર ચલાવે છે. તમે બીજા લોકોનાં મતને જેટલું વધું મહત્વ આપો તેટલાં જ તમે તમારા સુખના મૂળ સ્રોત કે જે તમારી અંદર રહેલું છે, તેનાંથી દુર જાઓ છો.

“તને શા માટે ડિવોર્સ જોઈએ છે?” ન્યાયાધીશે યુવાન માણસને પૂછ્યું.
“યોર ઓનર,” તેને કહ્યું, “ હું જયારે હું સામાન્ય હોવ છું ત્યારે હું તેને નથી સમજી શકતો અને જયારે હું પીધેલો હોવ છું ત્યારે તે મને નથી સમજી શકતી.”


જયારે કોઈ તમને સુંદર કે સારું ન ગણતું હોય ત્યારે મહેરબાની કરીને સમજજો કે તે સામે વાળી વ્યક્તિ વિશે હોય છે તમારા માટે નહિ. (આશા રાખું કે તમે આ વાક્યને ઉપરોક્ત જોકનાં સાર તરીકે નહિ ગણો.) જો કે તમે તમારામાં થોડો બદલાવ લાવીને બીજી વ્યક્તિને શું પસંદ છે કે નાપસંદ તે જાણી શકો છો, પણ તેનાંથી વધુ તમારાથી બીજું કશું નથી થઇ શકતું. જો તમે સામેની વ્યક્તિની સંમતિ જીતવા ઇચ્છતાં હોવ, અને જો તે બાબત તમારા માટે આગળ વધવા માટે જરૂરી હોય, તો પછી તમે સામેની વ્યક્તિ જેવી રીતનું ઈચ્છતી હોય તેવી રીતનાં જ કપડાં પહેરો, તેની ઈચ્છા મુજબ જ વર્તો, કે પછી તે તમને જેવાં ઈચ્છતી હોય તેવાં તમે બની જાવ. જો તમારે દુનિયાને ખુશ રાખવી હોય તો તમારે તેનાં અયોગ્ય અને બેડોળ હાથની કટપુતળી બનીને જ રહેવું પડશે. તમારે એ કપડાંની કિંમત તો ચૂકવવી જ પડશે પરંતુ તેની સાથે ચોટેલી દોરીઓ તો મફત જ આવશે. જો કે એક ક્ષણ માટે પણ, તમે આ બાહ્ય નિવેદનોને સમીકરણમાંથી દુર કરી શકો, જો તમે બીજા લોકોનાં તમારા, તમારા પોતાનાં વર્તન, તમારા પોતાનાં કર્મો વિશેનાં ખ્યાલોની સ્વીકૃતિને જ જો તમે દુર કરી દઈ શકો તો? મારા મત મુજબ તો તમારે તમારી જાત પ્રત્યે આ રીતે જ જોવું જોઈએ. તમારા માટે જયારે તમે અરીસો જોતા હોવ ત્યારે તમે તમને સુંદર લાગવા એ કોઈ બીજી વ્યક્તિને તમે તમારા ફોટામાં સુંદર દેખાવ તેનાં કરતાં અનેક ગણું મહત્વનું છે. કોઈ તમને ખુલ્લી આંખે નથી જોતું; તમે કોણ છો અને તે શું જુવે છે તે બેની વચ્ચે કોઈ બંધબેસતું હોતું નથી. તેમની દ્રષ્ટી પર તેમની માન્યતાઓ, ખ્યાલો, અને ઈચ્છાઓનાં ચશ્માં ચડેલાં હોય છે – અને અહિં જ સુંદરતા તેની સ્વતંત્રતા ગુમાવી દે છે. તસ્દી નહિ આપવાનું શીખો. એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારી જાત સાથે પ્રામાણિક છો અને તમે સૌથી ઉત્તમોત્તમ પ્રયત્નો કરી રહ્યાં છો ત્યાં સુધી તમે બિલકુલ બરાબર છો. બહુ લાંબી પોસ્ટ થઇ ગયી. અરે! સુંદરતા પણ ક્યારેક ખેંચાઈ જતી હોય છે.


જો તમે તમારી જાત માટે પુરક હોવ તો તમે સંપૂર્ણ બની શકો છો. જયારે તમે પૂર્ણતા અનુભવતાં હોવ, જયારે તમારો કપ ભરલો હોય ત્યારે બધું જ સુંદર લાગતું હોય છે. તમે જેની પણ સાથે જોડાઈ જતા હોવ છો, જે તમારા માટે મહત્વનું હોય છે તે તમને સુંદર લાગતું હોય છે. તમે સુંદર છો.


જાવ! બીજાને જઈને કહો કે તે કેટલાં અદ્દભુત છે અને તેમને તમારી જિંદગી કેટલી સુંદર બનાવી છે! એક વાર એમ થઇ જાય, પછી એ જ વાતને અરીસામાં જોઈને પુનરાવર્તન કરો. મને કહેતાં નહિ કે હજી સુધી તમે તમારા પ્રેમમાં પડ્યાં જ નથી.


- શાંતિ સ્વામી