♠ કાર્ય કરવાની ધગશ ♠

ના નડે કોઈ ઉંમર કે ના આવે એમા બાધ,
ખંતથી કરેલા કામમાં ન આવે કદી ખાધ.

એક વૃદ્ધ શિલ્પી હતો. આખી જીંદગી તેની શિલ્પ તૈયાર કરવામાં વીતાવી હતી. તેમની પાસે અનેક શિષ્યો પણ હતા.

એક દિવસ એક ધનાઢ્ય ઘરમાંથી વિદ્યા શીખવા આવેલા શિષ્યે તેમને ફરીયાદ કરી કે, તમે પેલા એક શિષ્યને વધુ ધ્યાન આપીને શીખવાડો છો. ગુરુને મન તો બધા સરખા હોવા જોઈએ.

ગુરુએ કહ્યું કે, તારી વાત સાચી છે. પરંતુ મારાથી તેના ઉપર ધ્યાન વધુ અપાય જાય છે. ગુરુએ કહ્યું કે, તમે બધા અત્યારે શું કરો છો? હું, તમારી પાસે આવ્યો છું અને બીજા રમતો રમે છે. ગુરુએ કહ્યું કે, તું જેની ફરીયાદ કરે છે તે શિલ્પભવનમાં શું કરે છે?

શ્રીમંત શિષ્યે કહ્યું કે, 'તે તો શિલ્પભવનમાં કોઈક પથ્થરને ઠીક કરે છે. કોણ જાણે ક્યારેય થાકતો નથી.'

ગુરુએ કહ્યું કે, 'જોયું, તારી ફરીયાદ અને પ્રશ્નો જવાબ જ એ છે કે તે આવી રીતે આખો દિવસ વધુ મહેતન કરે છે માટે મારાથી વધારે તેના તરફ ધ્યાન આપોઆપ અપાઈ જાય છે. કારણ કે તે ક્યારેય શિલ્પકળા શીખતાં થાક્યો નથી.'

ગુરુજીએ પેલા શિષ્ય અને શિલ્પભવનમાં ગયા અને ત્યાં જઈને જોયું તો, મીણબત્તીના અજવાળે પેલો શિષ્ય પથ્થરના અમુક ભાગને લિસ્સો કરી રહ્યો હતો.

ગુરુજી બોલ્યા, 'બેટા, હવે રાત પડી તારે આરામ નથી કરવો? કાલે કરજે, થાક નથી લાગ્યો?' પેલો શિષ્ય બોલ્યો કે, 'ના, ના. મારી પાસે કામ ન હોય તો મને થાક લાગે છે.' આવો ધગશથી કામ કરનારો તે શિષ્ય મહાન શિલ્પકાર બન્યો. આજે દુનિયામાં તેને સૌ વિશ્વવિખ્યાત માઈકલ એન્જેલોને નામે ઓળખે છે.

ધ્યેયને પામવાનો જંગ જ્યારે છેડાય છે,
પુરૂષાર્થના બળે બધુ જ મળી જાય છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી

♠ महानता का रहस्य ♠

चीनी दार्शनिक कन्फ्यूशियस अपने ज्ञान और बुद्धिमता के लिए विश्वविख्यात थे। एक दिन चीन के सम्राट ने उन्हें अपने दरबार में आमंत्रित किया। जब कन्फ्यूशियस दरबार में पहुंचे तो सम्राट ने उनका अभिवादन कर उन्हें उपयुक्त आसन प्रदान किया। जब सभी लोग बैठ गए तो सम्राट ने कन्फ्यूशियस से कहा- मै चाहता हूं कि आप मुझे उस व्यक्ति के पास ले चलें, जो महान कहलाता हो।

कन्फ्यूशियस बोले- '' महाराज, आपसे अधिक महान कौन हो सकता है। आप सत्य को जानने की भावना रखते हैं और जो ऐसी उच्च भावना रखे, वही महान है।''

उनकी बात सुनकर सम्राट ने कहा - '' किंतु मै सोचता हूं कि मुझसे भी महान कोई तो होगा। ''

कन्फ्यूशियस बोले- ''आपसे अधिक महान मै हूं क्योकि सत्य के प्रति मेरा अनुराग है। ''

सम्राट ने फिर प्रश्न उठाया - ''आपसे भी अधिक महान कौन है?''

तब कन्फ्यूशियस ने कहा- यह तो ढूढ़ना पड़ेगा। इतना कहकर वे सम्राट को लेकर चल पड़े। कुछ दूर चलने पर एक वृद्ध कुआं खोदता दिखाई दिया।

उसे देखकर कन्फ्यूशियस बोले - ''सम्राट, मुझसे भी अधिक महान यह वृद्ध है। इसकी काफी आयु बीत चुकी है। शरीर से शिथिल भी हो गया है, फिर भी कुआं खोद रहा है। इसमें परोपकार की भावना है और जिसमें यह भावना हो वही सबसे महान है। ''

♠ सत्संग का प्रभाव ♠

एक राजा बड़ा सनकी था। एक बार सूर्यग्रहण हुआ तो उसने राजपंडितों से पूछा, ‘‘सूर्यग्रहण क्यों होता है?’’

पंडित बोले, ‘‘राहू के सूर्य को ग्रसने से।’’

‘राहू क्यों और कैसे ग्रसता है? बाद में सूर्य कैसे छूटता है?’’

जब उसे इन प्रश्नों के संतोषजनक उत्तर नहीं मिले तो उसने आदेश दिया, ‘‘हम खुद सूर्य तक पहुंचकर सच्चाई पता करेंगे। एक हजार घोड़े और घुड़सवार तैयार किए जाएं।’’

राजा की इस बात का विरोध कौन करे? उसका वफादार मंत्री भी चिंतित हुआ। मंत्री का बेटा था वज्रसुमन। उसे छोटी उम्र में ही सारस्वत्य मंत्र मिल गया था, जिसका वह नित्य श्रद्धापूर्वक जप करता था।

गुरुकुल से मिले संस्कारों, मौन व एकांत के अवलंबन से तथा नित्य ईश्वरोपासना से उसकी बुद्धि इतनी सूक्ष्म हो गई थी।

वज्रसुमन को जब पिता की चिंता का कारण पता चला तो उसने कहा, ‘‘पिता जी! मैं भी आपके साथ यात्रा पर चलूंगा।’’

पिता, ‘‘बेटा! राजा की आज्ञा नहीं है। तू अभी छोटा है।’’
नहीं पिता जी! पुरुषार्थ एवं विवेक उम्र के मोहताज नहीं है। मैं राजा को आने वाली विपदा से बचाकर ऐसी सीख दूंगा जिससे वह दोबारा कभी ऐसी आज्ञा नहीं देगा। मंत्री, ‘‘अच्छा ठीक है पर जब सभी आगे निकल जाएं, तब तू धीरे से पीछे-पीछे आना।’’

राजा सैनिकों के साथ निकल पड़ा। चलते-चलते काफिला एक घने जंगल में फंस गया। तीन दिन बीत गए। भूखे-प्यासे सैनिकों और राजा को अब मौत सामने दिखने लगी। हताश होकर राजा ने कहा, ‘‘सौ गुनाह माफ हैं, किसी के पास कोई उपाय हो तो बताओ।’’

मंत्री, ‘‘महाराज! इस काफिले में मेरा बेटा भी है। उसके पास इस समस्या का हल है। आपकी आज्ञा हो तो...’’
‘‘हां-हां, तुरंत बुलाओ उसे।’’

वज्रसुमन बोला, ‘‘महाराज! मुझे पहले से पता था कि हम लोग रास्ता भटक जाएंगे इसीलिए मैं अपनी प्रिय घोड़ी को साथ लाया हूं। इसका दूध-पीता बच्चा घर पर है। जैसे ही मैं इसे लगाम से मुक्त करूंगा, वैसे ही यह सीधे अपने बच्चे से मिलने के लिए भागेगी और हमें रास्ता मिल जाएगा।’’

ऐसा ही हुआ और सब लोग सकुशल राज्य में पहुंच गए।

राजा ने पूछा, ‘‘वज्रसुमन! तुमको कैसे पता था कि हम राह भटक जाएंगे और घोड़ी को रास्ता पता है? यह युक्ति तुम्हें कैसे सूझी?’’

‘‘राजन! सूर्य हमसे करोड़ों कोस दूर है और कोई भी रास्ता सूरज तक नहीं जाता। अत: कहीं न कहीं फंसना स्वाभाविक था।’’

दूसरा, ‘‘पशुओं को परमात्मा ने यह योग्यता दी है कि वे कैसी भी अनजान राह में हों उन्हें अपने घर का रास्ता ज्ञात होता है। यह मैंने सत्संग में सुना था।’’

तीसरा, ‘‘समस्या बाहर होती है, समाधान भीतर होता है। जहां बड़ी-बड़ी बुद्धियां काम करना बंद करती हैं वहां गुरु का ज्ञान, ध्यान और सुमिरन राह दिखाता है। आप बुरा न मानें तो एक बात कहूं?’’

‘‘नि:संकोच कहो।’’

‘‘यदि आप ब्रह्मज्ञानी संतों का सत्संग सुनते, उनके मार्गदर्शन में चलते तो ऐसा कदम कभी नहीं उठाते। अगर राजा सत्संगी होगा तो प्रजा भी उसका अनुसरण करेगी और उन्नत होगी, जिससे राज्य में सुख-शांति और समृद्धि बढ़ेगी।’’

राजा उसकी बातों से बहुत प्रभावित हुआ, बोला, ‘‘मैं तुम्हें एक हजार स्वर्ण मोहरें पुरस्कार में देता हूं और आज से अपना सलाहकार मंत्री नियुक्त करता हूं। अब मैं भी तुम्हारे गुरु जी के सत्संग में जाऊंगा, उनकी शिक्षा को जीवन में लाऊंगा।’’

इस प्रकार एक सत्संगी किशोर की सूझबूझ के कारण पूरे राज्य में अमन-चैन और खुशहाली छा गई।

♠ ક્ષમા ♠

સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તેસંત તુકારામની પ્રશંસા કરવાને બદલે નિંદા જ કરે ! તુકારામની નિંદા કરવાની એક તક પણ જવા દે નહિ. એક દિવસ તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઇ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઇ ગઇ.

પેલો માણસ કૂદીકૂદીને તુકારામને ગાળો બોલવા લાગ્યો, છતાં તુકારામ મૌન જ રહ્યા. તુકારામનું આવું મૌન જોઇને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને જોરજોરથી ગાળો બોલવા લાગ્યો.

છેવટે તે તુકારામ પર એટલે બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ ભોંકી દીધી ! તુકારામે કશું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી પણ એમ કરતાં તેમની પીઠમાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું. સાંજ પડી. ભજનકીર્તનનો સમય થયો.

સંત તુકારામ ભજન ગાવા બેઠા. એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા હાજર હતા, પણ પેલો માણસ હાજર નહોતો. તરત જ તુકારામ ઊભા થઇને પેલાના ઘેર પહોંચ્યા અને બોલ્યા, ''ભાઇ,મારી કંઇ ભૂલ થતી હોય તો હું તારી માફી માગું છું, પણ મારી ભૂલના કારણે તું પ્રભુના ભજન ન સાંભળે એ ક્યાંનો ન્યાય ?

ચાલ, ભજન સાંભળવા ચાલ. મારા પરનો રોષ ઈશ્વર પર શા માટે ઠાલવે છે ભલા ?'' તુકારામના આ શબ્દો સાંભળી પેલો માણસ ખાસ શરમાયો. તે ભજનમાં આવ્યો. ભજન પૂરા થયાં એટલે તેણે તુકારામને કહ્યું, ''મને માફ કરો. આપના જેવા ક્ષમાવાન  પર ક્રોધ કરીને મેં મોટું પાપ કર્યું છે.''

♠ સહનશક્તિ ♠

મહાત્મા ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં હતા તે સમયની વાત છે. એક દિવસ તેમને કોઈક કામ માટે બેનિયા જવાનું થયું ટ્રેન મારફત તેમને ત્યાં પહોંચવાનું હતું.

ગાંધીજી હંમેશા ટ્રેનમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. તેઓ ઘણી વાર કહેતા, 'મારા હજારો દેશ બાંધવો ગરીબીના કારણે ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હોય તો મારાથી બીજા કે પહેલા વર્ગમાં મુસાફરી કેમ થઈ શકે ?'

એવામાં કોઈ એક પ્રવાસી તેમના ડબ્બામાં ચઢ્યો અને ગાંધીજીના પગ બળપૂર્વક આઘા કરી બોલ્યો, 'એય, આમ પહોળા પગ કરીને બેઠો છે, તો તને કશી શરમ આવતી નથી ! ચાલ સીધો બેસ !'

ગાંધીજીએ તરત જ પોતાના પગ જરા ખેંચી લીધા અને પેલા માણસને બેસવાની જગ્યા કરી આપી. પણ પેલો મુસાફર તો ગાંધીજીને ગાળો આપતો જ રહ્યો. છતાં ગાંધીજીએ મૌન રહી એ બધું શાંતિથી સહન કર્યું. જ્યારે બેનિયા આવ્યું ત્યારે પ્લેટફોર્મથી કેટલાક માણસો ગાંધીજીના ડબ્બા પાસે દોડી આવ્યા અને 'ગાંધીજીની જય' એવા નારા લગાવીને તેમણે ગાંધીજીને હાર-તોરા કર્યા. પેલો પ્રવાસી તો આભો જ બની ગયો. તેને હવે સાચો ખ્યાલ આવ્યો કે પોતે જે માણસને ગાળો બોલી રહ્યો હતો, એ તો મહાત્મા ગાંધીજી છે ! તરત જ તે ગાંધીજીના પગમાં પડયો અને બોલ્યો, 'મને માફ કરો. મેં આપને ઓળખ્યાં નહીં અને તમને ગાળો બોલ્યો !'

ગાંધીજીએ હસીને કહ્યું, 'અરે ભાઈ, તેં મારી સતામણી કરી એ તો ઘણું સારું કહેવાય. કેમ કે એ સતામણી તો મારી સહનશક્તિ માટે એક કસોટીરૃપ બની. ઈશ્વરકૃપાએ હું એ કસોટીમાંથી પાર ઊતર્યો. આ  માટે મારે તારો આભાર માનવો જોઈએ !'

♠ અંતિમ ઇચ્છા ♠

ભારતની આઝાદી માટેના ૧૮૫૭ના બળવાના મુખ્ય સૂત્રધારો પૈકીના એક તાત્યા ટોપે હતા. તેમને પકડવા અંગ્રેજોએ આકાશ-પાતાળ એક કર્યાં, પણ બધું જ નાકામિયાબ !

છેવટે એક ભારતીય રાજવીએ દગાપૂર્વક તાત્યા ટોપેને પકડાવી દીધા. તાત્યા ટોપેને ફાંસીની સજા થઈ. પણ સદા હાથમાં મોત લઈ ફરનાર તાત્યા ટોપેને ગભરાટને બદલે પરમ પ્રસન્નતા હતી કે પોતે દેશને ખાતર શહાદત વહોરી રહ્યા છે. ફાંસી આપતા પહેલાં તાત્યા ટોપેને પૂછવામાં આવ્યું, 'તારી કોઈ અંતિમ ઈચ્છા ?'

ખુમારીથી જવામર્દે કહ્યું, ''તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરવાનું સામર્થ્ય ધરાવતા નથી ! એ સામર્થ્ય તો મારા દેશબાંધવો જ ધરાવે છે, જેઓ જરૂર એક દિવસ તમને અંગ્રેજોને ભારતની ધરતી પરથી હાંકી કાઢશે અને મારા દેશને સ્વતંત્ર કરશે. તેઓ જ દેશને સ્વતંત્ર કરવાની મારી અંતિમ ઈચ્છા પૂરી કરશે. મને પૂરી ખાતરી છે કે તમારે અવશ્ય એક દિવસ મારો દેશ છોડી ચાલ્યા જવું પડશે ! ''

અને પછી તેઓને ફાંસી-ટોપી પહેરાવ્યા જલ્લાદ આગળ આવ્યો તો તાત્યા ટોપેએ કહ્યું, 'ભાઈ, એની મને જરૃર નથી. આ ટોપી તો ફાંસીથી ગભરાતા કાયર લોકો માટે છે. લાવ, રસ્સીનો ગાળિયો ! હું જાતે જ, ખુલ્લી આંખે મારા ગળામાં ભેરવી દઈશ.' અને જાતે જ તેમણે ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં નાખ્યો!