♦ સંસ્કૃતપ્રેમી ડૉ.બાબાસાહેબ આંબેડકર ♦
ડૉ.બાબાસાહેબ આંબેડકરજીને બંધારણની રચના માટે બનાવાયેલ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.જ્યારે બંધારણમાં સુનિશ્ચિત ભાષાઓની યાદી તૈયાર કરવાની વાત ચાલી ત્યારે બાબાસાહેબ ખૂબજ આગ્રહપૂર્વક તમામ ભાષાઓની જનની સંસ્કૃત ભાષાને સ્થાન આપવાની રજૂઆત કરી.જો કે તત્કાલીન વડાપ્રધાન નેહરુ અને કથિત સેક્યુલરવાદીઓના વિરોધને કારણે એ યાદીમાં સંસ્કૃત ભાષાનો સમાવેશ થઈ શક્યો નહિ.આ દરમિયાન એક વખત સંસ્કૃત ભાષાને લઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી અને આંબેડકર વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ડૉ.બાબાસાહેબના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને જોઈ ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.લોકોને શાસ્ત્રીજીના સંસ્કૃત ભાષા અંગેના જ્ઞાન પર તો કોઈ શંકા ન હતી પરંતુ વિદેશમાં ભણેલા ગણેલા બાબાસાહેબની સંસ્કૃત ભાષા પર આટલી સારી પકડની આશા ન હતી.જે લોકોને લાગતું હતું કે બાબાસાહેબ તો માત્ર લાગણીમાં વહી જઈ અને માત્ર દેખાડા ખાતર જ સંસ્કૃતને બંધારણની નિશ્ચિત ભાષાઓની યાદીમાં સ્થાન આપવાની તરફેણ કરી રહ્યા છે તે તમામના મોઢા સિવાઈ ગયા.
Subscribe to:
Posts (Atom)