♥ ગોસ્વામી તુલસીદાસ ♥

ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ સંવત ૧૫૮૯
(આ સિવાય પણ તેમના જન્મ અંગે વિવિધ
મત પ્રવર્તે છે.)માં શ્રાવણ સુદ સાતમના રોજ ઉત્તરપ્રદેશના રાજાપુર નામના ગામમાં થયો હતો.

તેમના પિતાનું નામ આત્મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું. તેમના વિવાહ દીનબંધુ
પાઠકની પુત્રી રત્નાવલી સાથે થયા હતા.
પોતાની પત્ની રત્નાવલી પ્રત્યે વધારે
પ્રેમ હોવાને કારણે તેમને રત્નાવલીની તરફથી "લાજ ન આઈ આપકો દૌરે આએહુ નાથ" પણ સાંભળવું પડયું હતું, પરંતુ પોતાની પત્નીના આવા વેણને કારણે જ તેમનું જીવન પરિવર્તન થઈ ગયું.
પત્નીના ઉપદેશથી તુલસીદાસજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમના ગુરુ બાબા નરહરિદાસજીએ તેમનેદીક્ષા આપી. તેમનું મોટાભાગનું જીવન ચિત્રકૂટ, કાશી તથા અયોધ્યામાં વીત્યું હતું. તુલસીદાસજી જ્યારે
કાશીના વિખ્યાત એવા અસીઘાટ પર રહેવા લાગ્યા ત્યારે એક રાત્રીએ કળિયુગ તેમની પાસે આવ્યો અને તેમને પીડા પહોંચાડવા લાગ્યો. તે સમયે તુલસીદાસજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું.
હનુમાનજીએ સાક્ષાત્ પ્રગટ થઈને તેમને
પ્રાર્થનાનાં પદ રચવા માટે કહ્યું. ત્યારબાદ તુલસીદાસજીએ પોતાની છેલ્લી કૃતિ 'વિનયપત્રિકા' લખી અને તેને ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી. શ્રીરામજીએ તેના પર હસ્તાક્ષર કર્યા અને તુલસીદાસજીને નિર્ભય કર્યા.

સંવત ૧૬૮૦માં શ્રાવણ વદ સપ્તમી અને
શનિવારના દિવસે તુલસીદાસજીએ 'રામ-
રામ' કહેતાં પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેમના દેહત્યાગ અંગે એક દોહો બહુ પ્રચલિત છે.

સંવત સોલહ સૌ અસી, અસી ગંગ કે તીર ।
શ્રાવણ શુક્લા સપ્તમી, તુલસી તજ્યો શરીર ।।

શ્રીરામના દર્શન પત્નીની વાત સાંભળીને તેમણે તેને પિતાના ઘરે જ રહેવા કહ્યું અને રાજાપુરમાં પોતાના ઘરે ગયા. ત્યાં તેમને દુઃખદ સમાચાર
સાંભળવા મળ્યા કે તેમની અનુપસ્થિતિમાં તેમના પિતા સંસાર છોડી ચાલ્યા ગયા. આ સાંભળી તેમને
ખૂબ જ દુઃખ થયું. તેમણે વિધિવિધાનપૂર્વક
પોતાના પિતાજીનું શ્રાદ્ધ કર્યું અને ગામમાં જ રહીને લોકોને રામની કથા સંભળાવવા લાગ્યા.
થોડો સમય રાજાપુર રહ્યા પછી તેઓ કાશી ચાલ્યા ગયા અને ત્યાં જનતાને રામકથા સંભળાવવા લાગ્યા.

કથા દરમિયાન તેમને એક દિવસ મનુષ્યના રૂપમાં એક પ્રેત મળ્યું, જેણે તેમને હનુમાનજી ક્યાં મળશે તે જણાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજીનાં દર્શન
કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ
કહ્યું, "તમને ચિત્રકૂટમાં રઘુનાથજીનાં દર્શન થશે." આ સાંભળી તુલસીદાસજી ચિત્રકૂટ જવા રવાના થયા. ચિત્રકૂટ પહોંચીને તેમણે રામઘાટ પર
પોતાનું આસન બનાવ્યું.

એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે
રસ્તામાં તેમણે જોયું કે ખૂબ જ સુંદર બે રાજકુમાર ઘોડા પર સવાર થઈને ધનુષ- બાણ હાથમાં લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી તેમને જોઈને આર્કિષત થયા, પરંતુ તેમને ઓળખી ન શક્યા. ત્યારબાદ હનુમાનજીએ તેમને જણાવ્યું કે તે
રાજકુમારો બીજા કોઈ નહીં, શ્રીરામ- લક્ષ્મણ જ હતા. આ સાંભળી તેમને ખૂબ જ પસ્તાવો થયો. હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરીથી તમને તેમનાં દર્શન થશે.

સંવત ૧૯૦૭ની મૌની અમાવસ્યા અને
બુધવારના દિવસે તેમની સામે ભગવાન
શ્રીરામ ફરીથી આવ્યા. તેમણે બાળક
સ્વરૂપમાં આવીને તુલસીદાસજીને કહ્યું,
"મારે ચંદન જોઈએ છે, શું તમે ચંદન આપશો?"
હનુમાનજીએ વિચાર્યું કે તુલસીદાસજી હજુ પણ શ્રીરામને ઓળખી શક્યા નથી, તેથી તેમણે પોપટનું રૂપ ધારણ કરીને દોહો કહ્યો -

♥ ચિત્રકૂટ કે ઘાટ પર, ભઈ સંતન કી ભીર ।
તુલસીદાસ ચંદન ઘીસે, તિલક દેત રઘુબીર ।।

હવે તુલસીદાસજી પ્રભુને ઓળખી ગયા.
શ્રીરામની અદ્વિતીય છબિને નિહાળવામાં તેઓ જાણે ચેતનહીન બની ગયા. ત્યારે ભગવાન શ્રીરામે
પોતાના હાથથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર તિલક કર્યું અને અંતર્ધાન થઈ ગયા.

♥ તુલસીદાસજીનો વેશ ♥

એક વાર ગોસ્વામી તુલસીદાસજી કાશીમાં વિદ્વાનોની વચ્ચે બેસીને ભગવત્ ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે બે વ્યક્તિ ત્યાં આવી. પહેરવેશ
તેમનો ગામડાની વ્યક્તિ જેવો હતો. વાસ્તવમાં તે બંને ગોસ્વામી તુલસીદાસજીના ગામના જ
હતા અને ગંગાસ્નાન માટે કાશીમાં આવ્યા હતા. બેઉ જણ તુલસીદાસજીને ઓળખી ગયા.

તે બંનેમાંથી એક વ્યક્તિ બોલી, "અરે, આ
તુલસી તો આપણી સાથે રમતો હતો. આજે
કપાળે તિલક લગાવી દીધું તો મહાન બની ગયો છે. તેના રંગઢંગ તો બદલાયેલા લાગે છે. જો તો ખરો, લોકો તેની વાતો કેટલી તન્મયતાથી સાંભળી રહ્યા છે! એવું લાગે છે કે ખરેખર તે બહુ મોટો માણસ બની ગયો છે."

બીજાએ કહ્યું, "હા ભાઈ, મને તો આ પાક્કો બહુરૂપી લાગે છે, કેવો ઢોંગ કરી રહ્યો છે અહીં! પહેલાં તો તે
આવો નહોતો. આપણી સાથે રમતો હતો, પરંતુ અહીં આવીને તો જો કેવો બની ગયો છે!"

જ્યારે તુલસીદાસજીએ તેમને જોયા તો તેમની પાસે જઈને ખબરઅંતર પૂછયાં. ત્યારે બેમાંથી એકે કહ્યું, "તુલસી, તેં આ કેવો વેશ ધારણ કરી રાખ્યો છે? તું બધાને અંધારામાં રાખી શકે, પણ અમને
લોકોને નહીં રાખી શકે. અમે જાણીએ છીએ કે તું એ નથી, જે પ્રર્દિશત કરી રહ્યો છે."

આ સાંભળી તુલસીદાસજી તે બંનેના અજ્ઞાાન પર
મનમાં હસવા લાગ્યા અને તેમના મુખમાંથી દોહો નીકળ્યો-

♥ તુલસી વહાં ન જાઈએ, જન્મભૂમિ કે ઠામ ।
ગુણ-અવગુણ ચિહ્ને નહીં, લેત પુરાનો નામ ।।

તેમણે જ્યારે આ દોહાનો અર્થ બંનેને
સમજાવ્યો ત્યારે તેમને વિશ્વાસ થયો કે
તુલસી વાસ્તવમાં કોઈ
મહાત્મા બની ગયો છે. આ
દોહા દ્વારા તેમણે સમજાવ્યું કે ખરેખર એ
સત્ય છે કે આપણી સૌથી નજીક
રહેનારી વ્યક્તિ જ
આપણા ગુણોથી અજાણ રહે છે.

♠ अपनी अपनी सोच ♠

एक बौद्ध भिक्षुक भोजन बनाने के लिए जंगल से लकड़ियाँ चुन रहा था कि तभी उसने कुछ अनोखा देखा ,
“कितना अजीब है ये !”, उसने बिना पैरों की लोमड़ी को देखते हुए मन ही मन सोचा .
“ आखिर इस हालत में ये जिंदा कैसे है ?”
उसे आशचर्य हुआ , “ और ऊपर से ये बिलकुल
स्वस्थ है ”

वह अपने ख़यालों में खोया हुआ था की अचानक चारो तरफ अफरा – तफरी मचने लगी ; जंगल का राजा शेर उस तरफ आ रहा था !  भिक्षुक भी तेजी दिखाते हुए एक ऊँचे पेड़ पर चढ़ गया , और वहीँ से सब कुछ देखने लगा . शेर ने एक हिरन का शिकार
किया था और उसे अपने जबड़े में दबा कर लोमड़ी की तरफ बढ़ रहा था , पर उसने लोमड़ी पर हमला नहीं किया बल्कि उसे भी खाने के लिए मांस के कुछ टुकड़े डाल दिए .

“ ये तो घोर आश्चर्य है , शेर लोमड़ी को मारने की बजाये उसे भोजन दे रहा है .” , भिक्षुक बुदबुदाया,उसे अपनी आँखों पर भरोसा नहीं हो रहा था इसलिए वह अगले दिन फिर वहीँ आया और छिप कर
शेर का इंतज़ार करने लगा . आज भी वैसा ही हुआ , शेर ने अपने शिकार का कुछ हिस्सा लोमड़ी के सामने डाल दिया .

“यह भगवान् के होने का प्रमाण है !” भिक्षुक ने अपने आप से कहा . “ वह जिसे पैदा करता है उसकी रोटी का भी इंतजाम कर देता है , आज से इस लोमड़ी की तरह मैं भी ऊपर वाले की दया पर जीऊंगा , इश्वर मेरे भी भोजन की व्यवस्था करेगा .” और ऐसा सोचते
हुए वह एक वीरान जगह पर जाकर एक पेड़ के नीचे बैठ गया !

पहला दिन बीता , पर कोई वहां नहीं आया , दूसरे दिन भी कुछ लोग उधर से गुजर गए पर भिक्षुक की तरफ किसी ने ध्यान नहीं दिया . इधर बिना कुछ खाए -पीये वह कमजोर होता जा रहा था . इसी तरह कुछ और दिन बीत गए , अब तो उसकी रही सही ताकत भी खत्म हो गयी …वह चलने -फिरने के लायक
भी नहीं रहा . उसकी हालत बिलकुल मृत व्यक्ति की तरह हो चुकी थी की तभी एक महात्मा उधर से गुजरे और भिक्षुक के पास पहुंचे .

उसने अपनी सारी कहानी महात्मा जी को सुनाई
और बोला , “ अब आप ही बताइए कि भगवान् इतना निर्दयी कैसे हो सकते हैं , क्या किसी व्यक्ति को इस हालत में पहुंचाना पाप नहीं है ?”

“ बिल्कुल है ,”,

महात्मा जी ने कहा , “
लेकिन तुम इतना मूर्ख कैसे हो सकते हो ?

तुमने ये क्यों नहीं समझे की भगवान् तुम्हे उसे शेर की तरह बनते देखना चाहते थे , लोमड़ी की तरह नहीं !”

♥ दोस्तों , हमारे जीवन में भी ऐसा कई बार होता है कि हमें चीजें जिस तरह समझनी चाहिए उसके विपरीत समझ लेते हैं. ईश्वर ने हम सभी के अन्दर कुछ न कुछ ऐसी शक्तियां दी हैं जो हमें महान बना सकती हैं , ज़रुरत हैं कि हम उन्हें पहचाने , उस भिक्षुक का सौभाग्य था की उसे उसकी गलती का अहसास कराने के लिए महात्मा जी मिल गए पर हमें खुद भी चौकन्ना रहना चाहिए की कहीं हम शेर की जगह लोमड़ी तो नहीं बन रहे हैं.?

www.sahityasafar.blogspot.com

♠ આદતોના ગુલામ ♠

લગભગ પચાસ- સાઠ વર્ષ પહેલાંની એક
વાત છે પણ ઘણી સમજવા જેવી છે અને આજે
પણ તે એટલી કામની છે. વાત એક પ્રખર
ધારાશાસ્ત્રીની છે.

તેમની ખ્યાતિ દેશભરમાં પ્રસરેલી હતી.
તેમની કારકિર્દીમાં તેઓ ક્યારેય કોઇ
કેસમાં હાર્યા ન હતા. તેઓ કેસ હાથમાં લે
એટલે અસીલ સમજી જાય કે હવે કેસ
જીતાવાનો પછી તે ભલેને ગમે
તેટલો લૂલો દેખાતો હોય. દેશના ત્રણ
મુખ્ય શહેરોમાં તેમની ઓફિસો હતી અને
ઘણીવાર તો કેટલાક લોકો તેમને
લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી કેસ
લડવા માટે લઇ જતા હતા. આ વકીલ
કાયદાના ઊંડા અભ્યાસી હતા એટલું જ
નહિ પણ સામા પક્ષની નબળી કડીને
પકડી લેવાની તેમનામાં ગજબની સૂઝ
હતી અને તેને લીધે તે ક્યારેય કોઇ કેસ
હારતા નહિ. વકીલની આવી ખ્યાતિને
કારણે તેમની પાસે
ઘણા અટપટા કેસો આવતા હતા અને
લોકો તેમને માગી ફીઝ આપતા હતા.
આવા અભ્યાસી અને ખ્યાતનામ વકીલને
એક નાનકડી અને કંઇ મહત્વની પણ
કહી શકાય નહિ તેવી એક ટેવ હતી. તેઓ કેસ
ચલાવતી વખતે દલીલોના દાવપેચ
લગાવતા હોય ત્યારે તેઓ
તેમના કાળા કોટના વચલા બટનને
ફેરવ્યા કરતા રહે. જ્યારે તેઓ
દલીલમાં ક્યાંક મૂંઝાય ત્યારે તેઓ
ઝડપથી બટન ફેરવવા લાગતા હતા અને
થોડીક વારમાં તો તેઓ એવી સચોટ
દલીલ લઇને આવે કે સામા પક્ષના વકીલને
તેનું ખંડન કરવાનું મુશ્કેલ બની જાય.
આ ટેવ એટલી સામાન્ય અને સહજ હતી કે
તેના ઉપર વકીલનું ક્યારેય ધ્યાન ગયેલું
નહિ અને તેનું તેમને કે અન્યને કંઇ મહત્વ પણ
નહિ લાગેલું કારણ કે દલીલો મગજમાંથી
આવતી હોય અને
કોટના બટનમાંથી તો નીકળતી ન હોય.
એક વખત સાચા પક્ષના એક વિચીક્ષણ
વકીલનું ધ્યાન આ પ્રખર
ધારાશાસ્ત્રીની આ ટેવ તરફ ગયું. તે ટેવનું
નિરીક્ષણ કર્યા પછી તેમણે એક પ્રયોગ
કરવાનું મનોમન નક્કી કર્યું. એક વખત જ્યારે
તે ધારાશાસ્ત્રીની સામે કેસ
લડવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે તે
વકીલે ધારાશાસ્ત્રીના મદદનીશને ગમે તે
રીતે વિશ્વાસમાં લઇને ધારાશાસ્ત્રી કેસ
લડવા માટે અદાલત સમક્ષ આવે ત્યારે
તેમના કાળા કોટનું એ બટન
તોડી નાખવા માટે સંમત કરી લીધો અને
આ કીમિયો ઘણો કારગત નીવડયો. આ કેસ
એટલો અટપટો ન હતો છતાંય હાથ બટન
ઉપર ગયો ત્યારે ત્યાં બટન મળે
નહિ તેથી તેમને કંઇ સમજાય
નહિ એવી બેચેની થઇ અને તે
મહત્વની દલીલો કરવાનું ચૂકી ગયા.
વાતનું વિવરણ કરીએ
તો કાળા કોટના બટનમાં દલીલો ભરેલી રહેતી નહિ પણ
ધારાશાસ્ત્રી બટન
ફેરવવાની આદતથી મજબૂર હતા. એ
આદતનો આધાર તૂટી જતા તેઓ
દલીલોમાં આગળ- પાછળ
થતા ગયા પરિણામે કેસ ગૂમાવ્યો.
વાંધો આદતનો ન હતો પણ
આદતની ગુલામીનો હતો.
આદતો તો સારી હોય અને ખોટીય હોય
પણ આદત એટલે આદત. તેનું આપણા ઉપરનું
વર્ચસ્વ ખોટુ. આદતો ઉપર જો આપમું
આધિપત્ય હોય તો તે આદતો આપણને એટલું
નુકસાન કરી શકતી નથી. આદત એટલે જ
ગુલામી. જે માણસ આદતને અધીન
નથી હોતો તે ગમે ત્યારે આદતને ફગાવીને
એનાથી વિમુકત થઇને પોતાનો પથ
બદલી શકે છે.
આદત માત્ર ખોટી છે. એમ
માની લેવાની જરૃર નથી. માણસ માત્રને
કંઇને કંઇ ટેવ હોય છે. સૌને પોતાની ટેવ ગમે
તે સ્વભાવિક છે અને બીજાની કઠે. કઇ
આદતને સારી કહેવી અને કઇ આદતોને
ખોટી કહેવી એ વાત બહુ સાપેક્ષ છે. આ
વાત સાપેક્ષ છે એટલું જ નહિ પણ ઘણે અંશે
વ્યક્તિગત છે. મોટે ભાગે
લોકો પોતાની આદતોની પ્રશંસા કરતા હોય
છે. બીજાની ટેવોને વખોડતા રહે છે.
સિગરેટ- બીડીની આદતને સૌ વખોડે છે પણ
મનોવિજ્ઞાાનીઓ તો ત્યાં સુધી કહે છે કે
જો ધર્મની ક્રિયાઓ પણ
જીવનમાં જો આદત જેવી બની જાય છે
તો તેમાંથી જે મળવો જોઇએ તેવો લાભ
મળતો નથી.
પ્રશ્ન સારી કે ખોટી ટેવનો કે
આદતનો નથી પણ
આદતોની ગુલામીનો છે. આદતો સામે
જો મોટો વાંધો હોય
તો તેના વર્ચસ્વનો. માણસની ટેવ ગમે તે
હોય પણ જો તે તેનો ગુલામ ન હોય,
તેના વર્ચસ્વ હેઠળ ન હોય તો માણસ માટે
આદત છોડવાનું એટલું મુશ્કેલ નથી બનતું જે
ક્ષણો તેને લાગે કે તેની ટેવ ખોટી છે અને
નુકસાન કરનારી છે ત્યારે તે તેનાથી મુક્ત
થઇને પોતાનો જીવનનો માર્ગ બદલીને
અન્ય પથ પકડીલે છે અને જીવનમાં ક્યારેય
ન ધાર્યું હોય એટલી સિદ્ધિઓ પ્રાપ્ત
કરી લે છે.
ભગવાન બુદ્ધે- હોશપૂર્વક જીવન
જીવવાની વાત કરી. બુદ્ધે કહ્યું જે કંઇ
કરો તે હોશપૂર્વક કરો. કોઇ પણ વસ્તુ
બેહોશીમાં કરવી નહિ. હોશથી જીવનાર
ભાગ્યે જ કંઇ ખોટું કરે છે. હોશપૂર્વક
જીવનારના જીવનમાં જો કંઇ આદત હશે
તો તે તેનો સદુપયોગ કરી લેશે અને તેને
પગથિયું બનાવીને તે ઉપર ચઢી જશે. કારણ
કે તેની આદતની પાછળ
હોશની ધારા વહેતી હોય છે. આદતનું
જીવન એ પ્રમાદનું જીવન છે. ભગવાન
મહાવીરે તેમની અંતિમ દેશમાના ગૌતમ
સ્વામીને વારંવાર કહ્યું કે જીવનની એક
પણ પળ પ્રમાદમાં ન ગુમાવીશ પ્રમાદનું
જીવન એટલે જાગરૃકતા વિનાનું જીવન
આવું જીવન કષાયો પ્રેરિત હોય છે. જે અંતે
નિષ્ફળ જાય છે.

♠ પુસ્તક પ્રેમી - સરદાર પટેલ ♠

સરદાર પટેલ ખૂબ મહેનતથી ભણતાં.તે માટે તેઓ ઘણી મુશ્કેલીઓ વેઠતા.જ્યારે તેઓ ઇંગ્લૅન્ડ ભણવા ગયા ત્યારે તેમને ત્યાંની બેરિસ્ટરીનાં મોંઘા પુસ્તકો પોસાતાં નહોતા.આ માટે તેઓએ એક ઉપાય શોધી કાઢ્યો.આખો દિવસ તેઓ તેમની લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતાં પરંતું આ લાઇબ્રેરી તેઓ રહેતાં હતા ત્યાથી 11 માઇલ દૂર હતી.તેઓ ચાલતા જ લાઇબ્રેરી જતા રહેતા હતા.આમ તેઓ વાંચવા માટે ઇંગ્લૅન્ડમાં રોજના બાવીસ માઇલ જેટલું ચાલી નાંખતા હતાં.આમ આટલી બધી વિકટ પરિસ્થિતિમાં એમનું ઘડતર થયું હતું.એટલે જ ભવિષ્યમાં આ વ્યક્તિત્વએ દેશ માટે પણ આટલાં જ ખંતથી કામ કર્યું હતું.

♠ ગુરુ દ્રોણનું પ્રશિક્ષણ ♠

મહાભારતનો એક અજાણ્યો પ્રસંગ રજુ કરું છું મિત્રો.....જરૂર વાંચજો અને શેર કરજો...

આચાર્ય દ્રોણ કૌરવો અને પાણ્ડવોને એક સમાન રીતે બધી વિદ્યાઓનું પ્રશિક્ષણ આપતા. એમની વાણીમાં ઓજસ્વીપણું હતું. એમના વ્યવહારમાંથી વાત્સલ્ય ટપકતું હતું અને વ્યક્તિત્વથી પ્રભાવશાળીપણું પ્રગટતું હતું. વેદ અને ઉપનિષદ સાથે તે કલા-કૌશલ્ય પણ શીખવતા હતા. આ સાથે સદ્ગુણોની કેળવણી થાય તે માટે જીવન
ટકાવી રાખનાર ધર્મના સંસ્કાર પણ આપતા. આચાર્ય દ્રોણનો એવો પ્રયત્ન રહેતો કે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય.

એક દિવસ બધા જ શિષ્યોની સન્મુખ બેસી તે જ્ઞાાનોપદેશ આપી રહ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું-
''વિદ્યાર્થીએ જિતેન્દ્રિય રહેવું જોઈએ. કામ- ક્રોધ- લોભ જેવા વિકારો પર કાબૂ મેળવતા શીખવું જોઈએ. એણે ક્યારેય પણ ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ માનવીને આંધળો બનાવી દે છે એનાથી એ
વિવેકશૂન્ય બની જાય છે. વિવેકશૂન્ય માનવી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. સમયસર સમ્યક્ નિર્ણય ન લઈ શકે તે પોતાને
હાનિ પહોંચાડે છે. એટલે એને મોટો શત્રુ સમજવો જોઈએ અને એના પર વિજય મેળવવાની શક્તિ કેળવી લેવી જોઈએ. મેં જે કહ્યું છે તેને બરાબર યાદ રાખજો અને જીવનમાં ઉતારજો.''

બીજે દિવસે સવારે નિત્યક્રમ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ એકત્રિત થયા. ગુરુ દ્રોણાચાર્ય પધાર્યા એટલે બધા ઊભા થઈ એમનું સન્માન કર્યું અને
પ્રણામ કર્યા. ગુરુ નવી બાબતનું પ્રશિક્ષણ આપે તે પહેલાં પાછલા દિવસે જે શીખવ્યું હોય તે કેટલું આવડયું અને જે જ્ઞાન આપ્યું હોય તેમાંથી કેટલું યાદ રહ્યું તે પણ પૂછી લેતા. આ રીતે તેમણે
ગઈકાલની વાત કેટલી યાદ રહી તે વિશે પૂછવા માંડયું.

વારાફરતી જુદા જુદા વિદ્યાર્થીઓને તે પૂછતા ગયા અને તે ગુરુએ કહેલો ઉપદેશ બોલી જતા. આમ કરતાં તેમણે યુધિષ્ઠિરને ઊભા કર્યા અને તે વિશે બોલી જવા કહ્યું. યુધિષ્ઠિર કંઈ પણ બોલ્યા વિના મોં નીચું રાખી ઊભા રહ્યા. ગુરુ દ્રોણને નવાઈ
લાગી કેમ કે, યુધિષ્ઠિર તો ભણવામાં બીજા બધા કરતા વધુ હોંશિયાર હતા અને અઘરામાં અઘરી વસ્તુ પણ યાદ કરી લેતા હતા. ગુરુ થોડા નારાજ થયા અને એમને ઠપકો આપી. બીજે દિવસે તે અચૂક યાદ કરી લાવવા કહ્યું.

બીજે દિવસે તેમને બોલવા ઊભા કર્યા તો ય તેનું તે જ ! કંઈ બોલ્યા વિના મોં નીચું રાખી ઊભા રહ્યા. ગુરુએ માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખ્યો અને તેમને
ધમકાવવા લાગ્યા - ''યુધિષ્ઠિર ! તું આવો આળસુ ક્યારથી બની ગયો ? તારી પાસે મેં આવી આશા રાખી નહોતી. ગમે તેમ કરીને આજે યાદ રાખી લે - કાલે તારે બોલ્યા વિના છૂટકો જ નથી !''

ત્રીજા દિવસે ગુરુ દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરને ફરીથી એમને ઉપદેશ વિશે બોલવા કહ્યું, પણ યુધિષ્ઠિરે એવો જ જવાબ આપ્યો, ''મેં એ વાતને યાદ
રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ મને લાગે છે કે એ વાત હજુ બરાબર યાદ રહી નથી.''

આ સાંભળીને ગુરુ દ્રોણાચાર્યનો રોષ જ્વાળામુખીની જેમ ભભૂકી ઊઠયો અને બોલી ઊઠયા- ''યુધિષ્ઠિર ! હવે તો હદ થઈ ગઈ ! તને શરમ આવવી જોઈએ. કદાચ, તારે યાદ જ રાખવું નથી એમ લાગે છે તને
યાદ રખાવવાનો મારી પાસે એક શ્રેષ્ઠ ઉપાય છે.'' તે ઊભા થયા અને યુધિષ્ઠિરને ગાલે એક લાફો મારી દીધો અને તેના કાન આમળીને કહેવા લાગ્યા -

''બોલ, હવે તો યાદ રહી ગયું કે નહીં ?'' યુધિષ્ઠિરે હસીને કહ્યું, ''હા, ગુરુદેવ ! હવે તો બરાબર યાદ રહી ગયું છે.'' ગુરુએ કહ્યું માર પડયો એટલે કેવું યાદ રહી ગયું ?

'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ.'
વાળી કહેવત તે સાચી પાડી !''

યુધિષ્ઠિરે મંદ સ્મિત કરતા કહ્યું, ''ના ગુરુદેવ ! એવું નથી. તમે કહેલ વાત તો મને સાંભળતા વેંત યાદ રહી ગઈ હતી. તમે કહ્યું હતું કે, માનવીએ ક્યારેય ક્રોધ કરવો જોઈએ નહીં. એનાથી શું હાનિ થાય છે તે પણ સમજાવ્યું હતું. પહેલે દિવસે મને શંકા હતી કે અપમાન અને અવમાનની સ્થિતિમાં એ વાત યાદ ન પણ આવે કે ક્રોધ ના કરવો જોઈએ.

બીજા દિવસે પણ મને એ વાતનો વિશ્વાસ નહોતો કે હું એવા સંજોગો આવી પડે ત્યારે ક્રોધ કર્યા વિના રહી શકું. પણ આજે એ અવસર આવી ગયો. તમે મને તમાચો માર્યો અને ઠપકો આપ્યો ત્યારે પણ હું ક્રોધ કર્યા વિના રહી શક્યો ત્યારે મને ખાતરી થઈ ગઈ કે ગમે તે સંજોગોમાં પણ ક્રોધને વશ ન થવું જોઈએ એ વાત મને પૂર્ણપણે યાદ રહી ગઈ છે.''

દ્રોણાચાર્ય ઊભા થઈને યુધિષ્ઠિરને ભેટી પડયા અને તમામ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા,

'' તમારા બધામાં માત્ર યુધિષ્ઠિરે જ વિદ્યાનો ખરો મર્મ જાણ્યો છે. કોઈ બાબતનું માત્ર સ્મરણ કરી લેવું મહત્ત્વનું નથી, એને જીવન વ્યવહારમાં ઉતારવી એ ખાસ મહત્ત્વનું છે વિચાર અને વાણી સાથે વર્તનમાં પણ એ બાબત પ્રગટ થાય ત્યારે
સાચી સિદ્ધિ મળી કહેવાય ! ''

~ વિચાર વિથીકા - દેવેશ મહેતા ~

♠ સોક્રેટિસ ♠


સોક્રેટિસ અત્યંત કદરૃપા હતા. માથા પર
ટાલ, ચપટું નાક, ગોળ ચહેરો, ચાઠાવાળી ત્વચા અને ઘૂંટણ સુધી લટકતું વિલક્ષણ પહેરણ. આ લક્ષણોને આધારે એથેન્સની સડકો પર ફરતા એમને સહેલાઇથી ઓળખી લેવાતા. તે અત્યંત
વિદ્વાન અને તત્વચિંતક હતા.

માનવજીવનની વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવા એમના અનેક શિષ્યો એમની પાછળ ફરતા. એમના શિષ્યોમાં અનેક પ્રતિભાશાળી પણ હતા. એમાંના એક પ્લેટો પણ હતા જે પાછળથી વિશ્વવિખ્યાત પણ થયા. સોક્રેટિસે આત્મજ્ઞાાન પર બહુ ભારમૂક્યો હતો. તે કહેતા હતા- પોતાને જાણો.
સ્વયંની ઓળખ કરો. જો માનવી પોતાનું અને ધર્મનું વાસ્તવિક સ્વરૃપ જાણી લે તો તે ચોક્કસપણે ધર્મનિષ્ઠ બનવાનો પ્રયત્ન કરશે. સત્યનું જ્ઞાાન જ પુણ્ય છે અને એનું જ્ઞાાન ન હોવું તે પાપ છે.

સોક્રેટિસનો જન્મ એથેન્સમાં ઇ.સ. પૂર્વે ૪૭૦/૪૬૯માં થયો હતો. જો કે એમને વાંચવા- લખવાની ખાસ સુવિધા ઉપલબ્ધ ન થઇ શકી તેમ છતાં એમણે પોતાના આત્મજ્ઞાાનના બળે શ્રેષ્ઠ વિદ્વત્તા પ્રાપ્ત કરી લીધી હતી.

સોક્રેટિસ જેટલું કોઇની પાસે ભણ્યા કે શીખ્યા એના કરતાં વિશેષ એમણે જાતે ચિંતન અને મનન કર્યું હતું. તે જગતને જ એક શ્રેષ્ઠ શાળા માનતા હતા અને જીવનના અનુભવોને સાચું શિક્ષણ ! આ
સંસારરૃપી શાળામાં મહાત્મા સોક્રેટિસે જે અનુભવ મેળવ્યા હતા એ જ એમની એક માત્ર સંપત્તિ હતી. એમણે ક્યારેય કોઇ ધનસંચય કર્યો નહોતો. એવી ઇચ્છા જ ધરાવી નહોતી !

તે કહેતા હતા-જ્ઞાાનથી ચડિયાતી બીજી કશી સંપત્તિ હોઇ શકે ? એનો બહુ થોડો અંશ મને પ્રાપ્ત
થયો છે. એનાથી મારા આત્માને સાચું સુખ અને શાંતિ મળે છે. એના સિવાય મારે બીજી કોઇ સંપત્તિ જોઇતી નથી.'

સોક્રેટિસ અત્યંત વિનમ્ર સ્વભાવના હતા.
અહંકાર તો એમને કદી સ્પર્શી શક્યો નહોતો. કોઇ એમને 'તમે અત્યંત જ્ઞાાની છો' એમ કહી એમની પ્રશસ્તિ કરવાનો પ્રયત્ન કરે તો તે કહેતા હતા - 'હું જાણું છું કે હું કંઇ જાણતો નથી.'

ક્યારેક બીજી રીતે કહેતા - મારા અજ્ઞાાની હોવાના જ્ઞાાન સિવાય હું કંઇ જાણતો નથી.'

એમની પત્ની સ્વભાવની કર્કશા અને ભારે
ઝગડાખોર હતી. એમ છતાં એ એની સાથે સારી વર્તતા. એના ઝગડા- કંકાસને હસતે મુખે સહન કરી લેતા.

એકવાર એમની પત્ની જેથિપ્પી ભારે બૂમ- બરાડા સાથે લડવા લાગી. સોક્રેટિસ તો એનાથી ટેવાયેલા હતા. એમણે કોઇ પ્રતિક્રિયા આપી નહી એટલે જેથિપ્પીએ એક વાસણમાં ભરી રાખેલું ગંદુ
પાણી એમના પર રેડી દીધું. એ વખતે સોક્રેટિસના બે-ત્રણ મિત્રો પણ એમની સાથે ઊભેલા હતા. સોક્રેટિસે હસીને એમને કહ્યું- હું તો પહેલેથી જાણતો જ હતો કે જેથિપ્પી આટલું ગર્જ્યા પછી વરસ્યા વિના નહી રહે. આવું તો બને જ ને ? પહેલાં વાદળા ગર્જે છે પછી વરસે છે !'

બીજા એક અવસરે તે એથેન્સના બજારમાં એમના શિષ્યો સાથે ફરી રહ્યા હતા ત્યાં સામેથી એમની પત્ની જેથિપ્પી આવીને એમની સાથે ઝગડવા લાગી અને એમના પહેરણને ખેંચીને ફાડી નાંખ્યું.

આ જોઇને એમના શિષ્યોએ એમને સલાહ
આપી- 'તમારે પણ એની સાથે લડવું જોઇએ.
એને મારો તો સીધી દોર થઇ જાય. તમે એવું કેમ નથી કરતા ?

સોક્રેટિસે તેનો જવાબ આપતા કહ્યું- તમે ઘોડાગાડી તો જોઇ છે ને ? ઘોડાગાડીવાળાની યોગ્યતા એમાં જ છે કે તે ગમે તેવા તોફાની ઘોડાને પણ કાબૂમાં રાખી તેની પાસેથી કામ લઇ શકે. જો તે તોફાની, બેકાબૂ ઘોડાને પણ ઉપયોગ લાયક બનાવી શકે તો સામાન્ય ઘોડાને તો કાબૂમાં રાખવા તેને કોઇ
તકલીફ ના પડે. આ રીતે હું પણ જેથિપ્પી જેવી ઝગડાખોર સ્ત્રી સાથે અનુકૂળ થઇને રહું છું. જો હું એની સાથે નિર્વાહ કરી શકું છું. તો હવે મને
સંસારના બીજા કોઇની સાથે વ્યવહાર કરવામાં તકલીફ પડે એમ નથી !'

ઇ.સ. પૂર્વે ૩૯૯માં સિત્તેર વર્ષની વયના તત્વચિંતક સોક્રેટિસ સામે એના શત્રુઓએ ન્યાયસભામાં બે આરોપ લગાવ્યા.

પહેલો એ કે તે ગણતંત્રના દેવતાઓમાં વિશ્વાસ
નથી કરતા અને બીજો એ કે તે યુવાનોને તર્ક- વિર્તક કરવાનું શીખવાડી દુશચરિત્ર બનાવે છે. આરોપ કરનારાઓએ એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે
આવા માનવીને જીવતો રાખવો ના જોઇએ.

સોક્રેટિસને ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે
એક ન્યાયાધીશે પૂછયું- શું તમને એ વાતનો ડર નથી કે તમને મૃત્યુદંડ મળી શકે છે ?'

સોક્રેટિસે તેમને જવાબ આપતા કહ્યું હતું- 'મૃત્યુ શું છે તે હું જાણતો નથી. પણ હવે જાણી શકીશ. તે વરણ કરવા યોગ્ય તો છે જ. મેં જીવનની બધી અવસ્થાઓનો અનુભવ કરી લીધો છે. એક મૃત્યુ જ બાકી રહ્યું છે. જેનો મને અનુભવ નથી. એટલે હું
જાણવા માગું છું કે મૃત્યુ કેવું હોય ! '

ન્યાયાધીશો ૧૦૦ મીના એટલે કે લગભગ ૫૨૫ રૃપિયા જેટલી રકમનો દંડ ચૂકવીને મુક્ત થઇ શકાય એવો પ્રસ્તાવ મૂક્યો પણ સોક્રેટિસે તે સ્વીકાર્યો નહી. છેવટે તેમણે સ્વસ્થ ઝેરનો કટોરો પીને મૃત્યુને સ્વીકારી લીધું !

વિચાર વીથિકા - દેવેશ મહેતા