♠ પ્રેમ, ગુસ્સો અને સાક્ષીભાવ ♠

"હું જાણું છું કે મુશ્કેલીના સમયમાં તું મારી પડખે હોઈશ જ... અને આ ભરોસો મને ખૂબ રાહત પહોંચાડે છે."
"હું જાણું છું કે તું અત્યારે મુશ્કેલીમાં છે અને
તેથી જ હું તારી પાસે આવ્યો (કે આવી) છું"
"હું ખૂબ તકલીફમાં છું... પ્લીઝ, મને મદદ કર."

જેની સાથે આપણી જિંદગી જોડાયેલી છે એવા લોકોને આ ચાર વાક્યો કહેવામાં આપણો ઈગો શા માટે વચ્ચે આવી જાય છે?

આજકાલ જુદાં જુદાં ક્ષેત્રોમાં અસાધારણ કામ કરી દેખાડનારાઓને નોબેલ પ્રાઇઝ ઘોષિત થઈ રહ્યા છે ત્યારે એક બૌદ્ધ સાધુની વાત કરવી છે. થિચ ન્હાટ હાન્હ એમનું નામ.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ૧૯૬૭માં નોબેલ પીસ પ્રાઇઝ માટે થિચ ન્હાટ હાન્હનું નામ નોમિનેટ કર્યું હતું. આપણે દલાઈ લામાને સારી રીતે ઓળખીએ છીએ, પણ આ વિશ્વવિખ્યાત વિયેતનામી બૌદ્ધ સાધુથી ખાસ પરિચિત નથી. 'લિવિંગ બુદ્ધા, લિવિંગ ક્રાઇસ્ટ', 'એંગરઃ વિઝ્ડમ ફોર કૂલિંગ
ફ્લેમ્સ', 'અવેકનિંગ ઓફ ધ હાર્ટ' અને 'ધ મિરેકલ ઓફ માઇન્ડફુલનેસ' જેવાં ૮૦ જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંથી કેટલાંય બેસ્ટસેલર બન્યાં છે. આ ૮૭ વર્ષીય બૌદ્ધ સાધુના શિષ્યોમાં ખ્રિસ્તી અને યહૂદીઓ પુષ્કળ પ્રમાણમાં છે. થિચ બુદ્ધિઝમના સ્કોલર છે, કવિ છે અને પાછા પીસ એક્ટિવિસ્ટ છે. અમેરિકા અને ફ્રાન્સમાં એમના બિલકુલ નોન- કમર્શિયલ અને લો-પ્રોફાઇલ આશ્રમો છે.

અહીં એક પણ પાઈ ખર્ચ્યા વગર નિયત સમય માટે રહી શકાય છે. જો મુલાકાતીને ઠીક લાગે તો જતી વખતે ડોનેશન આપવાનું. આપણે ત્યાં દેશભરમાં યોજાતી વિપશ્યનાની શિબિરોમાં આ
જ સિસ્ટમ છે. આ શિબિરો નિઃશુલ્ક હોય છે.

વિપશ્યના પણ બૌદ્ધ વિદ્યા છે. જો ભરપૂર સત્ત્વ અને વિત્ત હોય તો જ આજના હાડોહાડ કમર્શિયલ
જમાનામાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે. જીવનના કોઈ ના કોઈ તબક્કે આપણે સૌ તીવ્રતાથી સમજવા માગતા હોઈએ છીએ કે પ્રેમ મહાન લાગણી છે ને એ બધું બરાબર છે, પણ પ્રેમ નામનો પદાર્થ ખરેખર શામાંથી બને છે? એના મુખ્ય ઘટકો કયા? બુદ્ધિઝમ પાસે આનો સરળ જવાબ છેઃ ભલમનસાઈ, અનુકંપા, આનંદ અને મુક્તિ. જો આ ચાર ચીજો ભેગી થાય તો એના સરવાળામાંથી પ્રેમ જન્મે છે!

પરિવારના સભ્યો અને કરીબી મિત્રો જેવી અંતરંગ વ્યક્તિઓ સાથેનો આપણો વ્યવહાર શી રીતે પ્રેમમય બનાવી શકાય? સૌથી આત્મીય સંબંધથી જોડાયેલા લોકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં આપણે ઘણી વાર કાચા પડતા હોઈએ છીએ. પ્રેમ વ્યક્ત
કરવાથી જાણે આપણો ઈગો ઘવાઈ જાય છે!

થિચ ન્હાટ હાન્હ એક બહુ જ પ્રેક્ટિકલ ઉપાય સૂચવે છે.

તેઓ કહે છે કે આ ચાર વાક્યોને દિલપૂર્વક બોલતા શીખી જાઓ, તમારી જિંદગી આસાન થઈ જશે.

પહેલું વાક્યઃ "હું હંમેશાં તારી સાથે રહીશ... મૈં હૂં
ના."

બીજું વાક્યઃ "હું જાણું છું કે મુશ્કેલીના સમયમાં તું મારી પડખે હોઈશ જ... અને આ ભરોસો મને ખૂબ રાહત પહોંચાડે છે."

ત્રીજું વાક્યઃ "હું જાણું છું કે તું અત્યારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે (કે થઈ રહી છે) અને તેથી જ હું તારી પાસે આવ્યો (કે આવી) છું, તારું દુઃખ શેર કરવા."

ચોથું વાક્યઃ "હું ખૂબ તકલીફમાં છું....પ્લીઝ, મને મદદ કર."

ખરેખર, અહમની પરવા કર્યા વિના આ ચાર વાક્યો બોલતા આવડી જાય તો જીવન ઘણું સહ્ય અને સુંદર બની જાય...

પ્રેમની અસર બન્ને પક્ષે થાય છે. જેને પ્રેમ મળે એને તો સારું લાગે જ, પણ પ્રેમ આપનારને પણ ઘણા ફાયદા થાય છે. આપણે કોઈને પ્રેમ કરીએ
તો આપણી ખુદની પીડા, ભય અને નેગેટિવ
લાગણીઓ ઓછાં થતાં જાય છે. ખરેખર તો સાચો પ્રેમ કેવળ એકાદ માણસ પૂરતો સીમિત રહેતો નથી.

થિચ કહે છે કે સાચો પ્રેમ તો દીવા જેવો છે. એનો પ્રકાશ આસપાસ સૌને મળે છે. તે જ પ્રમાણે જો આપણામાં સાચુકલો પ્રેમભાવ હશે તો એના તરંગો આપણા સંપર્કમાં આવનારા સૌ માણસો સુધી પહોંચશે. ફક્ત માણસો જ શું કામ, આપણી આસપાસનાં પશુ-પક્ષી અને ઝાડ- પાનને પણ તમારા તરફથી પોઝિટિવ વાઇબ્સ મળશે.

થિચ કહે છે કે આપણે સૌ માણસ છીએ, આપણા સૌમાં ઈર્ષ્યા, વેરઝેર, બળતરા, માલિકીભાવ, આક્રમકતા, હતાશા, માનસિક ત્રાસ જેવી નેગિટિવ ઇમોશન્સ ક્યારેક ને ક્યારેક તો પેદા થવાની જ.
આમાં કશું ખોટું નથી. નકારાત્મક લાગણીઓ જાગે તો જાગવા દેવાની. એને દબાવી દઈને જાણે એનું અસ્તિત્વ જ નથી એ રીતે વર્તવાનો કશો મતલબ નથી. નેગેટિવ ઇમોશન્સ આપણા જ વ્યક્તિત્વનો હિસ્સો છે. હા, એના પર વેળાસર અંકુશ આવી જવો જોઈએ. આ અંકુશ કેવી રીતે આવે? સાક્ષીભાવ કેળવવાથી.

ક્રોધ એક જોખમી નેગેટિવ ઇમોશન છે. થિચ કહે છે કે ગુસ્સાની લાગણી ઉછાળા મારતી હોય ત્યારે સૌથી પહેલાં તો બન્ને હાથથી ખુદનો ચહેરો હળવેથી પકડવો. ક્રોધની ક્ષણોમાં એકલા પડી ગયા હોઈએ એવી લાગણી જાગતી હોય છે.
હથેળીથી ખુદનો ચહેરો પકડવાથી હૂંફનો અનુભવ
થશે. ગુસ્સો નાના બાળક જેવો હોય છે. નાનું બચ્ચું રડે એટલે મા પ્રેમથી એને બન્ને હાથેથી ઊંચકીને ખોળામાં લઈ લેશે, ધીરજપૂર્વક સમજવાની કોશિશ કરશે કે મારું બાળક શું કામ રડી રહ્યું છે. એને સમજાશે કે બાળકને હળવો તાવ છે યા તો એની ભીની થઈ ગયેલી ચડ્ડી બદલાવવાની જરૂર છે.
મા બાળકને પ્રેમથી ગોદમાં લે એટલે એનું અડધું દુઃખ તો ત્યાં જ ઓછું થઈ જાય. ગુસ્સાનું પણ આવું જ છે. આપણા ક્રોધને આપણે ચહેરા ફરતે હથેળીઓ મૂકીને પ્રેમથી ઝીલીશું એટલે ઇન્સ્ટન્ટ રિલીફની લાગણી થશે. ક્રોધને જાકારો આપવાની જરૂર નથી. નાના બાળકની જેમ એને પણ પ્રેમની જરૂર છે, શ્રોતાની જરૂર છે. જરા ઠંડા પડીશું એટલે આપણને સમજાશે કે આટલો બધો ગુસ્સો ખરેખર કઈ વાતે આવ્યો હતો.

થિચ સૂચવે છે કે ગુસ્સો ઊછળે ત્યારે બિલકુલ
ચૂપ થઈ જાઓ. કશું જ ન કરો. શક્ય હોય તો બહાર નીકળી જાઓ અને ચાલતાં ચાલતાં વોકિંગ મેડિટેશન કરવા માંડો. બહારની ખુલ્લી હવાથી મન અને શરીર બન્નેને સારું લાગશે. ગુસ્સો ઠંડો પડશે. જે- તે સિચ્યુએશન કે માણસનું તટસ્થ મૂલ્યાંકન મન શાંત હોય તો જ થઈ શકે. ક્યારેક એવુંય નથી બનતું કે અમુક માણસ પર ક્રોધ ચડવાનું કારણ એ હોય છે કે એનામાં આપણી કોઈક નબળાઈનું પ્રતિબિંબ આપણને દેખાતું હોય છે? એવી નબળાઈ જેને સ્વીકારવામાં આપણને બહુ કષ્ટ પડતું હોય.

આપણે જેમ જેમ વધારે મેચ્યોર થઈએ અને
ખુદને જેવા હોઈએ એવા પ્રેમપૂર્વક સ્વીકારતા થઈએ ત્યારે આપણામાં બીજાઓને પણ એ જેવા હોય એવા સ્વીકારવાની તાકાત પેદા થતી હોય છે.
ઉપર જે વોકિંગ મેડિટેશનનો ઉલ્લેખ થયો તે
શું છે? ચાલતાં ચાલતાં મેડિટેશન કેવી રીતે થાય? આપણે બેઠા, સૂતા કે ઊભા હોતા નથી ત્યારે કોઈક પ્રકારનું હલનચલન કરતા હોઈએ છીએ. આ હલનચલન આપણે સંપૂર્ણ સાક્ષીભાવ યા તો જાગૃતિ સાથે કરતા શીખી શકીએ. ચાલતા હોઈએ
ત્યારે ફક્ત ચાલો, દોડો નહીં. કમરામાં જ આંટા મારતા હો અથવા ઘરની બહાર લટાર મારતા હો ત્યારે પ્રત્યેક પગલું પૂરેપૂરી સભાનતા સાથે મૂકો. પ્રત્યેક શ્વાસ અને ઉચ્છવાસના સાક્ષી બનો.
શ્વાસ લો ત્યારે મનોમન બોલો, 'ઇન'. શ્વાસ છોડો ત્યારે મનોમન બોલો, 'આઉટ'. આ રીતે આપણને જીવંત હોવાની નક્કર અનુભૂતિ થશે. તમારું સમગ્ર
ધ્યાન ડગલાં માંડવામાં અને ઇન-આઉટ બોલવાની પ્રક્રિયામાં પરોવાઈ જશે, તેથી ક્રોધ
યા તો ઉશ્કેરાટની લાગણી આપોઆપ દૂર
હડસેલાઈ જશે. અલબત્ત, આ આસાન નથી.
થોડી પળો ઇન-આઉટ કર્યા પછી ક્યારે ગુસ્સાના અણુઓ પાછા મનમાં ઘૂમરાવા લાગ્યા એની ખબર
પણ પડતી નથી, પણ જેવું ક્રોધભર્યા વિચારો તરફ ધ્યાન જાય કે તરત થોભી જાઓ. પ્રયત્નપૂર્વક
ફરીથી મનોમન ઇન-આઉટ બોલવા માંડો. આવું વારંવાર કરો. આને વોકિંગ મેડિટેશન કહે છે. તે ક્યાંય પણ થઈ શકે છે. નોર્મલ મૂડમાં વોકિંગ મેડિટેશન કરતી વખતે આસપાસ ઊભેલાં વૃક્ષોને જુઓ, શક્ય હોય તો પંખીઓનો અવાજ સાંભળો, અસીમ આકાશને જુઓ અને આવું સુંદર મનુષ્યજીવન મળ્યું છે તે બદલ ધન્યતા અનુભવો. જીવનના સૌથી મોટાં સત્યો સૌથી સરળ
હોય છે તે વાત સાવ સાચી. ક્યારેક અત્યંત કઠિન લાગતી મુશ્કેલીના ઉપાય સાવ સાદા હોવાના. તેને અપનાવી શકાય છે, જો મુગ્ધતા અકબંધ રહી હોય તો.

♥ ટેક ઓફ ♥

♦ શિશિર રામાવત♦

shishir.ramavat@gmail.com

♠ ઓવરટેક ♠

~~~~~~~ ♥ FROM ♥ ~~~~~~~

~~ ♥ SHAILESH SAGPARIYA ♥ ~~

→ દરેક માતા પિતા આ પ્રસંગ જરૂર વાંચજો.

એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.

થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. પાછળની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે."

હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ , " શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો."

પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા સામાન્ય સ્થિતિની ઘણી કાર છે જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."

છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "

♠ પરસેવાની કમાણી ♠


www.sahityasafar.blogspot.com

એકવાર ટ્રેનની રાહ જોઇ રહેલાં ટોલ્સટોય સાદા વેશમાં સ્ટેશન ઉપર આંટા મારી રહ્યાં હતાં.ટોલ્સટોયને મજૂર સમજી એક શ્રીમંત બાઇએ પાસે બોલાવી કહ્યું,'' લે આ ટપાલ પોસ્ટનાં ડબ્બામાં નાંખી આવ.આ લે તારા મહેનતાણાનો સિક્કો.'' ટોલ્સટોયે કાંઇપણ કહ્યાં વિનાં ટપાલ અને સિક્કો બન્ને લઇ લીધાં અને ટપાલ ડબામાં નાંખી પૂર્વવત આંટા મારવાં લાગ્યાં.

થોડીવારમાં આ શ્રીમંત બાઇનાં પતિ સ્ટેશન ઉપર તેને મૂકવાં આવ્યાં.ટોલ્સટોયને જોઇને તેમને ભેટી પડ્યાં અને તેમનાં ખબર અંતર પૂછ્યાં.એટલામાં ગાડી આવી ગઇ એટલે બધાં ડબામાં ગયાં.

પોતાની પત્નીને ટોલ્સટોયનો પરિચય આપતાં પેલી શ્રીમંત વ્યક્તિએ કહ્યું '' આપણા દેશનાં મહાન વિદ્વાન ટોલ્સટોય છે.તેઓ અત્યંત વિનમ્ર,સરળ અને જ્ઞાની પુરુષ છે.''

તેમની પત્નીનું મો શરમથી ઝુકી ગયું.તેણીએ માફી માંગતા ગળગળાં સાદે કહ્યું, '' ટોલ્સટોયજી, મે આપને ઓળખ્યાં નહીં અને કામ બતાવ્યું.મને માફ કરો,મારી ભૂલ થઇ.મહેનતાણાનાં પૈસા પાછા આપી દો.''

ટોલ્સટોય કહે,'' એ તો મારાં પરસેવાની કમાણી છે.હવે પાછા મળે નહી.''

સાચું જ્ઞાન માણસને અહંકારી નહીં પરંતું વિનમ્ર બનાવે છે.જ્ઞાન અભિમાનથી દૂર રાખે છે અને વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.વિનમ્રતા મનુષ્યનું સાચું આભૂષણ છે.

www.sahityasafar.blogspot.com

♠ પરોપકારી - મધર ટેરેસા ♠

www.sahityasafar.blogspot.com

→ અગ્ને ગોન્હા બોજાશિન કે જેઓ પછીથી મધર ટેરેસા તરીકે જાણીતા થયાં. તેમના બાળપણનો એક શ્રેષ્ઠ પ્રસંગ રજુ કરું છું.આપને ગમે તો લાઇક કરતાં પણ શેર કરશો તો મને વધું ગમશે.

ઍલ્બેનિયન કુળના ખેડૂત કુટુંબમાં જન્મેલી ''અગ્ને
ગોન્હા બોજાશિન'' ( મધર ટેરેસા)  સ્થાનિક પ્રશાસન દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતી હતી. આ નાનકડી અગ્ને ગોન્હા અત્યંત ચંચળ હતી. બીજાઓની નકલ કરવામાં ભારે હોશિયાર.

એક દિવસ પોતાના ભાઈ- બહેનો સાથે ટોળી જમાવીને બેઠી હતી અને ઠઠ્ઠા-મશ્કરી ચાલતી હતી.
આ સમયે અગ્ને ગોન્હા બોજાશિને નાની નાની વાત માટે વિદ્યાર્થીઓને સતત ધમકાવતી વર્ગ-
શિક્ષિકાની મિમિક્રી કરી. એની છટા,ચેષ્ટા અને
એની બોલવાની ઢબની આબાદ નકલ જોઇને સહુ કોઈ હસતાં-હસતાં બેવડ વળી ગયા. પણ એવામાં એકાએક લાઈટ ચાલી ગઈ. બાળમંડળી ગભરાઈ ગઈ. એમણે જોયું તો રસ્તાની સડક પર અને
પડોશમાં લાઇટ ચાલુ હતી. માત્ર એમના રૂમની લાઈટ જ બંધ હતી. આથી આ બાલિકા દોડીને
બાજુમાં કમરામાં બેઠેલી એની માતા પાસે ગઈ. જોયું તો ત્યાં પણ લાઈટ ચાલુ હતી એટલે બાળકોએ પૂછ્યું, 'તારા રૃમની લાઈટ છે અને
અમારા રૃમમાં કેમ નથી? રસ્તા પર પણ
લાઈટ દેખાય છે.'

ત્યારે એની માતાએ કહ્યું, 'લાઇટ ગઇ નથી, પણ મેં બંધ કરી છે.'

આ સાંભળીને બાળકો એક સાથે બોલી ઊઠયા, આવું કેમ કર્યું?'

માતાએ કહ્યું, 'બીજાની ટીકા કરવા માટે કે એની મિમિક્રી કરવા માટે વીજળીનો ખર્ચો હું ઉઠાવી શકું તેમ નથી. આવી નકામી વાતો માટે વીજળી વાપરવી એ મહાદુર્વ્યય કહેવાય.'

આ સાંભળી બાળકો શરમ અનુભવી રહ્યા. એમને એમની ભૂલનો ખ્યાલ આવ્યો. એ જોઇને માતાએ કહ્યું, 'કોઇના વ્યક્તિગત જીવન વિશે વાતો કરવી કે એની ટીકા કરવી, એ સભ્ય લોકોનું કામ નથી. આજથી મનમાં ગાઠ મારી લેજો કે અંતે ટીકા કરનાર જ ટીકાનો ભોગ બનતા હોય છે.'

નાનકડી બાલિકા અગ્ને ગોન્હા બોજાશિન પર
માતાની વાતનો એવો પ્રભાવ પડયો કે એણે એનું સંપૂર્ણ જીવન બીજાઓની મદદ માટે સમર્પી દીધું. એ દીનદુખિયાઓની મસિહા સેવિકા બની અને
૧૯૭૯ની નોબેલ પારિતોષિક મેળવનારી અગ્ને ગોન્હા બોજાશિન જગતમાં મધર ટેરેસા તરીકે જાણીતી થઈ.

www.sahityasafar.blogspot.com

♠ કર્મનિષ્ઠ મેક્સમ ગોર્કી ♠

www.sahityasafar.blogspot.com

રશિયાના વિખ્યાત સર્જક મેક્સિમ ગોર્કી (ઈ.સ.
૧૮૬૮થી ૧૯૩૬)ના માતાપિતા નાની વયે મૃત્યુ પામ્યા અને તેના દાદાએ એનો ઉછેર કર્યો. નવ વર્ષની ઉંમરથી એણે મજૂરી કરવાનું શરૃ કર્યું. વહાણના તૂતક પર વાસણો માંજ્યા હતા અને બેકરીમાં જઇને પાંઉ-રોટી શેકી હતી. એ પછી એને
કબાડીને ત્યાં નોકરી મળી અને અહીં રોજ હજારો પુસ્તકો આવતા હતા. આ પુસ્તકો જોઇને મેક્સિમ ગોર્કીનું મન એને વાંચવા માટે આતુર બની જતું. એ પોતાનું કામ પૂરું થતાં જે કંઇ સમય મળતો, એમાં એ પુસ્તકો વાંચતો હતો. જે દિવસે પુસ્તક
વાંચવાની અનુકૂળતા ન મળે, તે દિવસે એને
એમ થતું કે આજનો દિવસ એળે ગયો. કેટલાંક
પુસ્તકો એવા આવતા કે જેને નાની વયનો ગોર્કી સમજી શકતો નહીં, પરંતુ એને વારંવાર વાંચીને
સમજવાનો પ્રયત્ન કરતો અને એમ કરતાં એણે આ કબાડીની દુકાનમાં રહીને અસંખ્ય પુસ્તકો વાંચ્યા અને મનમાં વિચાર કર્યો કે હવે થોડું લેખન પણ શરૂ કરું.

→ એનું મૂળ નામ એક્સેઈ મેક્સિમોવિત પેશ્કોવ,
પરંતુ એણે ગોર્કી (કડવો)ના નામથી લખવાની શરૃઆત કરી. એક અખબારમાં એની વાર્તા પ્રગટ
થઇ અને થોડા દિવસ પછી એક સુપ્રસિદ્ધ લેખકે આવી સુંદર વાર્તા લખવા માટે એને અભિનંદન આપ્યા. ગોર્કીનો ઉત્સાહ વધ્યો. હવે એણે એનું સઘળું ધ્યાન લેખન અને અધ્યયનમાં ડૂબાડી દીધું. મનમાં એક જ લગની. એને પરિણામે એની વાર્તાઓ તિફલિસનાં અખબારોમાં અને
પીટ્સબર્ગના સામયિકોમાં પ્રગટ થવા લાગી. સ્વાનુભવના આધારે લખાયેલી એમની કૃતિઓની ચોતરફ પ્રશંસા થવા લાગી.

→ ગોર્કીની, આત્મકથાઓ, 'મા' નામની નવલકથા, 'ઊંડા અંધારેથી' જેવાં નાટકોએ એને વિશ્વપ્રસિદ્ધ લેખક બનાવ્યો.

→ લેનિન જેવાં બીજા ક્રાંતિકારીઓ એમ માનતા હતા કે રશિયામાં આવેલા સામાજિક અને રાજકીય પરિવર્તનમાં મેક્સમ ગોર્કીના સર્જનનું ઘણું મોટું યોગદાન છે.

- કુમારપાળ દેસાઇ

www.sahityasafar.blogspot.com

♥ VISIT MY GK BLOG ♥

www.aashishbaleja.blogspot.com

♠ અપાર સ્નેહ ♠

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ (૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઈપ કરીને રૂઝવેલ્ટની પાસે લવાતો, રૂઝવેલ્ટ
કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કસુંક સુધારીને લખતા ક્યારેક તો થોડું નવું લખાણ કરીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતાં.સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતા પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું.

એકવાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક- બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ
ઉઠયો. એણે હિંમત કરીને પૂછી લીધું, ' આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ- લખાણ સારું લાગતું નથી.'

આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા, 'દોસ્ત ! આ માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ- હસ્તાક્ષરમાં કંઈ
લખું તો તે પત્રને બગાડનારી બાબત નથી પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ
લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.'

પ્રમુખના અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ
થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો.

♠ મૂળિયાં ♠

માર્કસ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ- ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમના દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક
બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું.

એમણે માઓને કહ્યું, 'બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારે
જતનથી જાળવજે.'

બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું
સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયા, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે
જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સૂકાઇ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ બની ગયો હતો.

દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં, ત્યારે માઓએ કહ્યું, 'દાદીમા, હું રોજ આ પાંદડાઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સૂકાઇ ગયાં!'

દાદીમાએ કહ્યું, 'બેટા, પાંદડાં લૂછવાથી કે રોટીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઇએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળએની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે, અને વધતા રહે છે.'

માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, 'દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે?'

દાદીમાએ ઉત્તર આપ્યો, 'મનનાં સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.'

માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાના મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને
શક્તિશાળી બનાવશે.

આ માઓ-ત્સે-તુંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.

♠ વ્હીસલ ♠

www.sahityasafar.blogspot.com

અમેરિકાના પ્રસિધ્ધ લેખક, સંશોધક, વિજ્ઞાાની બેન્જામિન ફ્રેન્કલિનનું મૂળ નામ રિચાર્ડ સોન્ડર્સ હતું. સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાના ૧૭
સંતાનોમાં ફ્રેન્કલિન દસમું સંતાન હતા. ગરીબીમાં ઉછરતા આ બેન્જામિન ફ્રેન્કલિન સાત વર્ષના બાળક હતા, ત્યારે રમકડાંની દુકાનમાં વ્હિસલ જોઇને એની પાછળ ગાંડા થઇ ગયા હતા. મનમાં થયું કે કોઈપણ ભોગે, આ વ્હિસલ મેળવવી જ જોઇએ.

એકવાર એમની પાસે જે કંઇ પૈસા એકઠા થયા હતા, એ બધી રકમનો દુકાનદાર આગળ ઢગલો કર્યો અને કહ્યું કે 'મને મારી પેલી મનપસંદ વ્હિસલ આપો.'

વ્હિસલ મેળવવાની તાલાવેલી એટલી કે એમણે ન તો એની કિંમત પૂછી કે ન તો એમણે કેટલી કિંમત ચૂકવી તેની ગણતરી કરી. એ પછી એ
વ્હિસલ વગાડતા-વગાડતા આનંદભેર ઘેર આવ્યા, ત્યારે એમના મોટા ભાઈ- બહેનોએ એની ખરીદીની વાત જાણીને કહ્યું કે બેન્જામિને ઘણી વધુ કિંમત ચૂકવીને વ્હિસલ ખરીદી છે. બધાએ એની ખૂબ
મશ્કરી કરી. સાત વર્ષની વયની ઘટના બેન્જામિન
ફ્રેન્કલિનને છેક સિત્તેર વર્ષ સુધી યાદ રહી ગઇ. વ્હિસલ મળ્યાના આનંદ અને ખુશી કરતાં પોતાની આટલી મોટી ભૂલનું દુઃખ વધુ રહ્યું.

આ ઘટનાને વારંવાર યાદ કરીને તેઓ વિચારતા કે પોતે વ્હિસલની જે કિંમત ચૂકવી, એના કરતાં 'અનેકગણી વધારે કિંમત' લોકો એમની મનપસંદ વ્હિસલ માટે ચૂકવતા હોય છે ! વળી દરેક ચીજની ખોટી કિંમત આંકીને માનવી જીવનભર દુઃખી રહેતો હોય છે. વ્હિસલની નાની શી ઘટનામાંથી બેન્જામિન ફ્રેન્કલિન જીવનભર બોધપાઠ તારવતા રહ્યા.

www.sahityasafar.blogspot.com

♠ शुभ - अशुभ ♠

एक बार एक महिला ने स्वामी विवेकानंद से कहा,

'‘स्वामी जी, कुछ दिनों से मेरी बायीं आंख फड़क
रही है। यह कुछ अशुभ घटने की निशानी है। कृपया मुझे कोई ऐसा तरीका बताएं जिससे कोई बुरी घटना मेरे यहां न घटे।’'

उसकी बात सुन विवेकानंद बोले, ‘देवी, मेरी नजर में तो शुभ और अशुभ कुछ नहीं होता। जब जीवन है
तो इसमें अच्छी और बुरी दोनों ही घटनाएं घटित होती हैं। उन्हें ही लोग शुभ और अशुभ से जोड़ देते हैं।’

महिला बोली,'‘पर स्वामी जी, मैंने अपने पड़ोसियों के यहां देखा है कि उनके घर में हमेशा शुभ घटता है। कभी कोई बीमारी नहीं, चिंता नहीं। जबकि मेरे यहां आए दिन कुछ न कुछ अनहोनी घटती रहती है।’

इस पर स्वामी जी मुस्करा कर बोले, ‘शुभ और अशुभ तो सोच का ही परिणाम है। कोई भी ऐसी वस्तु नहीं है जिसे केवल शुभ ही शुभ या केवल अशुभ कहा जा सके। जो आज शुभ मालूम पड़ती है, वही कल
अशुभ हो सकती है। जैसे एक कुम्हार ने बर्तन बनाकर सुखाने के लिए रखे हैं और वह तेज धूप की कामना कर रहा है ताकि बर्तन अच्छी तरह सूखकर पक जाएं, दूसरी ओर एक किसान वर्षा की कामना कर रहा है ताकि फसल अच्छी हो। ऐसे में धूप और
वर्षा जहां एक के लिए शुभ है, वहीं दूसरे के लिए अशुभ। यदि वर्षा होती है तो कुम्हार के घड़े नहीं सूख
पाएंगे और यदि धूप निकलती है तो किसान की फसल अच्छी तरह नहीं पकेगी।

→ इसलिए व्यक्ति को शुभ और अशुभ का ख्याल छोड़कर केवल अपने नेक कर्मों पर ध्यान लगाना चाहिए। तभी जीवन सुखद हो सकता है।’

♠ માફી ♠

www.sahityasafar.blogspot.com

www.aashishbaleja.blogspot.com

→ માત્ર 2 મિનિટ આ પ્રસંગને આપજો.

રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પાસે હાથીદાંતની એક સુંદર પેન હતી.તેના પર તેમને અનહદ પ્રેમ હતો.લખવામાં તેમને ફાવી ગઇ હતી.

એક દિવસ અચાનક નોકરના હાથમાંથી એ પેન પડી ગઇ અને તૂટી ગઇ.રાજેન્દ્રપ્રસાદને ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયાં.આવી સુંદર પેન સુંદર જ નહિ,પરંતું લખવામાં પણ એટલી જ ફાવી ગયેલ પેન નોકરની બેકાળજીથી તૂટી ગઇ,તેથી નોકરને ધમકાવી નાખ્યો અને તેને તે જગ્યાએથી બદલીને બીજી જગ્યાએ ગોઠવી દીધો.

પરંતું આ ગુસ્સો ક્ષણભર રહ્યો. તે રાત્રે ડૅા.રાજેન્દ્રપ્રસાદને ઊંઘ ન આવી.તેઓ વિચારે ચડી ગયાં,''મારા જેવો માણસ આટલો ગુસ્સે કેમ થઇ ગયો? માણસ માત્ર ભૂલને પાત્ર છે.શું મારાથી ભૂલ થતી નથી? પેન નોકરના હાથમાંથી પડી ગઇ તેને બદલે મારા હાથમાંથી પડી ગઇ હોત અને તૂટી ગઇ હોત તો હું શું કરત? નોકરે જાણીજોઇને ઇરાદાપૂર્વક થોડી પેન પાડી નાંખી હતી ! '' આ વિચારો તેના મનમાં ઘોળાવાં લાગ્યાં.તેઓ બેચેન બની ગયાં.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ અર્ધી રાત્રે તે નોકરને બોલાવ્યો અને તેની માફી માગી.

નોકર મૌન રહ્યો,એટલે રાજેન્દ્રપ્રસાદે કહ્યું,''તારે સંકોચ અનુભવવાની જરૂર નથી.તને મને માફી આપવામાં સંકોચ થતો હશે,પરંતું અત્યારે મે ભૂલ કરી છે એટલે તું માફી આપવાનો અધિકારી છે એટલે તારા તરફથી મને માફી મળી છે - તેવી મને ખાતરી થશે ત્યારે જ મને સંતોષ થશે.''

નોકર ગળગળો થઇ ગયો,''આપ માનવ નથી,દેવ છો.મારા હાથે આપની કીમતી પેન તૂટી ગઇ, એટલે આપને મારા પર ગુસ્સે થવાનો હક્ક છે,તેમાં આપની કોઇ ભૂલ નથી.છતાં આપના સંતોષ ખાતર હું આપને માફી આપું છું.''

આ શબ્દો સાંભળીને ડૅા. રાજેન્દ્રપ્રસાદના મનને શાંતિ થઇ.તેમણે નોકરને તેની મૂળ જગ્યાએ ફરી મૂકી દીધો.પછી બે જ મિનિટમાં તેઓ ઘસઘસાટ ઊંઘવા લાગ્યાં.

→ સત સત નમન આવા મહાત્માઓને....

♥ આશા રાખું છું મિત્રો કે આ પોસ્ટ વાંચીને તમે તમારા મિત્રો, સગાસંબંધીઓ કે તમારા પ્રિય પાત્રને માફી આપશો કે તેમની માફી માંગશો.

www.sahityasafar.blogspot.com

www.aashishbaleja.blogspot.com