♠ કાર્ય કરવાની ધગશ ♠

ના નડે કોઈ ઉંમર કે ના આવે એમા બાધ,
ખંતથી કરેલા કામમાં ન આવે કદી ખાધ.

એક વૃદ્ધ શિલ્પી હતો. આખી જીંદગી તેની શિલ્પ તૈયાર કરવામાં વીતાવી હતી. તેમની પાસે અનેક શિષ્યો પણ હતા.

એક દિવસ એક ધનાઢ્ય ઘરમાંથી વિદ્યા શીખવા આવેલા શિષ્યે તેમને ફરીયાદ કરી કે, તમે પેલા એક શિષ્યને વધુ ધ્યાન આપીને શીખવાડો છો. ગુરુને મન તો બધા સરખા હોવા જોઈએ.

ગુરુએ કહ્યું કે, તારી વાત સાચી છે. પરંતુ મારાથી તેના ઉપર ધ્યાન વધુ અપાય જાય છે. ગુરુએ કહ્યું કે, તમે બધા અત્યારે શું કરો છો? હું, તમારી પાસે આવ્યો છું અને બીજા રમતો રમે છે. ગુરુએ કહ્યું કે, તું જેની ફરીયાદ કરે છે તે શિલ્પભવનમાં શું કરે છે?

શ્રીમંત શિષ્યે કહ્યું કે, 'તે તો શિલ્પભવનમાં કોઈક પથ્થરને ઠીક કરે છે. કોણ જાણે ક્યારેય થાકતો નથી.'

ગુરુએ કહ્યું કે, 'જોયું, તારી ફરીયાદ અને પ્રશ્નો જવાબ જ એ છે કે તે આવી રીતે આખો દિવસ વધુ મહેતન કરે છે માટે મારાથી વધારે તેના તરફ ધ્યાન આપોઆપ અપાઈ જાય છે. કારણ કે તે ક્યારેય શિલ્પકળા શીખતાં થાક્યો નથી.'

ગુરુજીએ પેલા શિષ્ય અને શિલ્પભવનમાં ગયા અને ત્યાં જઈને જોયું તો, મીણબત્તીના અજવાળે પેલો શિષ્ય પથ્થરના અમુક ભાગને લિસ્સો કરી રહ્યો હતો.

ગુરુજી બોલ્યા, 'બેટા, હવે રાત પડી તારે આરામ નથી કરવો? કાલે કરજે, થાક નથી લાગ્યો?' પેલો શિષ્ય બોલ્યો કે, 'ના, ના. મારી પાસે કામ ન હોય તો મને થાક લાગે છે.' આવો ધગશથી કામ કરનારો તે શિષ્ય મહાન શિલ્પકાર બન્યો. આજે દુનિયામાં તેને સૌ વિશ્વવિખ્યાત માઈકલ એન્જેલોને નામે ઓળખે છે.

ધ્યેયને પામવાનો જંગ જ્યારે છેડાય છે,
પુરૂષાર્થના બળે બધુ જ મળી જાય છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી

♠ महानता का रहस्य ♠

चीनी दार्शनिक कन्फ्यूशियस अपने ज्ञान और बुद्धिमता के लिए विश्वविख्यात थे। एक दिन चीन के सम्राट ने उन्हें अपने दरबार में आमंत्रित किया। जब कन्फ्यूशियस दरबार में पहुंचे तो सम्राट ने उनका अभिवादन कर उन्हें उपयुक्त आसन प्रदान किया। जब सभी लोग बैठ गए तो सम्राट ने कन्फ्यूशियस से कहा- मै चाहता हूं कि आप मुझे उस व्यक्ति के पास ले चलें, जो महान कहलाता हो।

कन्फ्यूशियस बोले- '' महाराज, आपसे अधिक महान कौन हो सकता है। आप सत्य को जानने की भावना रखते हैं और जो ऐसी उच्च भावना रखे, वही महान है।''

उनकी बात सुनकर सम्राट ने कहा - '' किंतु मै सोचता हूं कि मुझसे भी महान कोई तो होगा। ''

कन्फ्यूशियस बोले- ''आपसे अधिक महान मै हूं क्योकि सत्य के प्रति मेरा अनुराग है। ''

सम्राट ने फिर प्रश्न उठाया - ''आपसे भी अधिक महान कौन है?''

तब कन्फ्यूशियस ने कहा- यह तो ढूढ़ना पड़ेगा। इतना कहकर वे सम्राट को लेकर चल पड़े। कुछ दूर चलने पर एक वृद्ध कुआं खोदता दिखाई दिया।

उसे देखकर कन्फ्यूशियस बोले - ''सम्राट, मुझसे भी अधिक महान यह वृद्ध है। इसकी काफी आयु बीत चुकी है। शरीर से शिथिल भी हो गया है, फिर भी कुआं खोद रहा है। इसमें परोपकार की भावना है और जिसमें यह भावना हो वही सबसे महान है। ''

♠ सत्संग का प्रभाव ♠

एक राजा बड़ा सनकी था। एक बार सूर्यग्रहण हुआ तो उसने राजपंडितों से पूछा, ‘‘सूर्यग्रहण क्यों होता है?’’

पंडित बोले, ‘‘राहू के सूर्य को ग्रसने से।’’

‘राहू क्यों और कैसे ग्रसता है? बाद में सूर्य कैसे छूटता है?’’

जब उसे इन प्रश्नों के संतोषजनक उत्तर नहीं मिले तो उसने आदेश दिया, ‘‘हम खुद सूर्य तक पहुंचकर सच्चाई पता करेंगे। एक हजार घोड़े और घुड़सवार तैयार किए जाएं।’’

राजा की इस बात का विरोध कौन करे? उसका वफादार मंत्री भी चिंतित हुआ। मंत्री का बेटा था वज्रसुमन। उसे छोटी उम्र में ही सारस्वत्य मंत्र मिल गया था, जिसका वह नित्य श्रद्धापूर्वक जप करता था।

गुरुकुल से मिले संस्कारों, मौन व एकांत के अवलंबन से तथा नित्य ईश्वरोपासना से उसकी बुद्धि इतनी सूक्ष्म हो गई थी।

वज्रसुमन को जब पिता की चिंता का कारण पता चला तो उसने कहा, ‘‘पिता जी! मैं भी आपके साथ यात्रा पर चलूंगा।’’

पिता, ‘‘बेटा! राजा की आज्ञा नहीं है। तू अभी छोटा है।’’
नहीं पिता जी! पुरुषार्थ एवं विवेक उम्र के मोहताज नहीं है। मैं राजा को आने वाली विपदा से बचाकर ऐसी सीख दूंगा जिससे वह दोबारा कभी ऐसी आज्ञा नहीं देगा। मंत्री, ‘‘अच्छा ठीक है पर जब सभी आगे निकल जाएं, तब तू धीरे से पीछे-पीछे आना।’’

राजा सैनिकों के साथ निकल पड़ा। चलते-चलते काफिला एक घने जंगल में फंस गया। तीन दिन बीत गए। भूखे-प्यासे सैनिकों और राजा को अब मौत सामने दिखने लगी। हताश होकर राजा ने कहा, ‘‘सौ गुनाह माफ हैं, किसी के पास कोई उपाय हो तो बताओ।’’

मंत्री, ‘‘महाराज! इस काफिले में मेरा बेटा भी है। उसके पास इस समस्या का हल है। आपकी आज्ञा हो तो...’’
‘‘हां-हां, तुरंत बुलाओ उसे।’’

वज्रसुमन बोला, ‘‘महाराज! मुझे पहले से पता था कि हम लोग रास्ता भटक जाएंगे इसीलिए मैं अपनी प्रिय घोड़ी को साथ लाया हूं। इसका दूध-पीता बच्चा घर पर है। जैसे ही मैं इसे लगाम से मुक्त करूंगा, वैसे ही यह सीधे अपने बच्चे से मिलने के लिए भागेगी और हमें रास्ता मिल जाएगा।’’

ऐसा ही हुआ और सब लोग सकुशल राज्य में पहुंच गए।

राजा ने पूछा, ‘‘वज्रसुमन! तुमको कैसे पता था कि हम राह भटक जाएंगे और घोड़ी को रास्ता पता है? यह युक्ति तुम्हें कैसे सूझी?’’

‘‘राजन! सूर्य हमसे करोड़ों कोस दूर है और कोई भी रास्ता सूरज तक नहीं जाता। अत: कहीं न कहीं फंसना स्वाभाविक था।’’

दूसरा, ‘‘पशुओं को परमात्मा ने यह योग्यता दी है कि वे कैसी भी अनजान राह में हों उन्हें अपने घर का रास्ता ज्ञात होता है। यह मैंने सत्संग में सुना था।’’

तीसरा, ‘‘समस्या बाहर होती है, समाधान भीतर होता है। जहां बड़ी-बड़ी बुद्धियां काम करना बंद करती हैं वहां गुरु का ज्ञान, ध्यान और सुमिरन राह दिखाता है। आप बुरा न मानें तो एक बात कहूं?’’

‘‘नि:संकोच कहो।’’

‘‘यदि आप ब्रह्मज्ञानी संतों का सत्संग सुनते, उनके मार्गदर्शन में चलते तो ऐसा कदम कभी नहीं उठाते। अगर राजा सत्संगी होगा तो प्रजा भी उसका अनुसरण करेगी और उन्नत होगी, जिससे राज्य में सुख-शांति और समृद्धि बढ़ेगी।’’

राजा उसकी बातों से बहुत प्रभावित हुआ, बोला, ‘‘मैं तुम्हें एक हजार स्वर्ण मोहरें पुरस्कार में देता हूं और आज से अपना सलाहकार मंत्री नियुक्त करता हूं। अब मैं भी तुम्हारे गुरु जी के सत्संग में जाऊंगा, उनकी शिक्षा को जीवन में लाऊंगा।’’

इस प्रकार एक सत्संगी किशोर की सूझबूझ के कारण पूरे राज्य में अमन-चैन और खुशहाली छा गई।

♠ ક્ષમા ♠

સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તેસંત તુકારામની પ્રશંસા કરવાને બદલે નિંદા જ કરે ! તુકારામની નિંદા કરવાની એક તક પણ જવા દે નહિ. એક દિવસ તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઇ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઇ ગઇ.

પેલો માણસ કૂદીકૂદીને તુકારામને ગાળો બોલવા લાગ્યો, છતાં તુકારામ મૌન જ રહ્યા. તુકારામનું આવું મૌન જોઇને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને જોરજોરથી ગાળો બોલવા લાગ્યો.

છેવટે તે તુકારામ પર એટલે બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ ભોંકી દીધી ! તુકારામે કશું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી પણ એમ કરતાં તેમની પીઠમાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું. સાંજ પડી. ભજનકીર્તનનો સમય થયો.

સંત તુકારામ ભજન ગાવા બેઠા. એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા હાજર હતા, પણ પેલો માણસ હાજર નહોતો. તરત જ તુકારામ ઊભા થઇને પેલાના ઘેર પહોંચ્યા અને બોલ્યા, ''ભાઇ,મારી કંઇ ભૂલ થતી હોય તો હું તારી માફી માગું છું, પણ મારી ભૂલના કારણે તું પ્રભુના ભજન ન સાંભળે એ ક્યાંનો ન્યાય ?

ચાલ, ભજન સાંભળવા ચાલ. મારા પરનો રોષ ઈશ્વર પર શા માટે ઠાલવે છે ભલા ?'' તુકારામના આ શબ્દો સાંભળી પેલો માણસ ખાસ શરમાયો. તે ભજનમાં આવ્યો. ભજન પૂરા થયાં એટલે તેણે તુકારામને કહ્યું, ''મને માફ કરો. આપના જેવા ક્ષમાવાન  પર ક્રોધ કરીને મેં મોટું પાપ કર્યું છે.''

♠ સહનશક્તિ ♠

મહાત્મા ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં હતા તે સમયની વાત છે. એક દિવસ તેમને કોઈક કામ માટે બેનિયા જવાનું થયું ટ્રેન મારફત તેમને ત્યાં પહોંચવાનું હતું.

ગાંધીજી હંમેશા ટ્રેનમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. તેઓ ઘણી વાર કહેતા, 'મારા હજારો દેશ બાંધવો ગરીબીના કારણે ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હોય તો મારાથી બીજા કે પહેલા વર્ગમાં મુસાફરી કેમ થઈ શકે ?'

એવામાં કોઈ એક પ્રવાસી તેમના ડબ્બામાં ચઢ્યો અને ગાંધીજીના પગ બળપૂર્વક આઘા કરી બોલ્યો, 'એય, આમ પહોળા પગ કરીને બેઠો છે, તો તને કશી શરમ આવતી નથી ! ચાલ સીધો બેસ !'

ગાંધીજીએ તરત જ પોતાના પગ જરા ખેંચી લીધા અને પેલા માણસને બેસવાની જગ્યા કરી આપી. પણ પેલો મુસાફર તો ગાંધીજીને ગાળો આપતો જ રહ્યો. છતાં ગાંધીજીએ મૌન રહી એ બધું શાંતિથી સહન કર્યું. જ્યારે બેનિયા આવ્યું ત્યારે પ્લેટફોર્મથી કેટલાક માણસો ગાંધીજીના ડબ્બા પાસે દોડી આવ્યા અને 'ગાંધીજીની જય' એવા નારા લગાવીને તેમણે ગાંધીજીને હાર-તોરા કર્યા. પેલો પ્રવાસી તો આભો જ બની ગયો. તેને હવે સાચો ખ્યાલ આવ્યો કે પોતે જે માણસને ગાળો બોલી રહ્યો હતો, એ તો મહાત્મા ગાંધીજી છે ! તરત જ તે ગાંધીજીના પગમાં પડયો અને બોલ્યો, 'મને માફ કરો. મેં આપને ઓળખ્યાં નહીં અને તમને ગાળો બોલ્યો !'

ગાંધીજીએ હસીને કહ્યું, 'અરે ભાઈ, તેં મારી સતામણી કરી એ તો ઘણું સારું કહેવાય. કેમ કે એ સતામણી તો મારી સહનશક્તિ માટે એક કસોટીરૃપ બની. ઈશ્વરકૃપાએ હું એ કસોટીમાંથી પાર ઊતર્યો. આ  માટે મારે તારો આભાર માનવો જોઈએ !'

♠ અંતિમ ઇચ્છા ♠

ભારતની આઝાદી માટેના ૧૮૫૭ના બળવાના મુખ્ય સૂત્રધારો પૈકીના એક તાત્યા ટોપે હતા. તેમને પકડવા અંગ્રેજોએ આકાશ-પાતાળ એક કર્યાં, પણ બધું જ નાકામિયાબ !

છેવટે એક ભારતીય રાજવીએ દગાપૂર્વક તાત્યા ટોપેને પકડાવી દીધા. તાત્યા ટોપેને ફાંસીની સજા થઈ. પણ સદા હાથમાં મોત લઈ ફરનાર તાત્યા ટોપેને ગભરાટને બદલે પરમ પ્રસન્નતા હતી કે પોતે દેશને ખાતર શહાદત વહોરી રહ્યા છે. ફાંસી આપતા પહેલાં તાત્યા ટોપેને પૂછવામાં આવ્યું, 'તારી કોઈ અંતિમ ઈચ્છા ?'

ખુમારીથી જવામર્દે કહ્યું, ''તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરવાનું સામર્થ્ય ધરાવતા નથી ! એ સામર્થ્ય તો મારા દેશબાંધવો જ ધરાવે છે, જેઓ જરૂર એક દિવસ તમને અંગ્રેજોને ભારતની ધરતી પરથી હાંકી કાઢશે અને મારા દેશને સ્વતંત્ર કરશે. તેઓ જ દેશને સ્વતંત્ર કરવાની મારી અંતિમ ઈચ્છા પૂરી કરશે. મને પૂરી ખાતરી છે કે તમારે અવશ્ય એક દિવસ મારો દેશ છોડી ચાલ્યા જવું પડશે ! ''

અને પછી તેઓને ફાંસી-ટોપી પહેરાવ્યા જલ્લાદ આગળ આવ્યો તો તાત્યા ટોપેએ કહ્યું, 'ભાઈ, એની મને જરૃર નથી. આ ટોપી તો ફાંસીથી ગભરાતા કાયર લોકો માટે છે. લાવ, રસ્સીનો ગાળિયો ! હું જાતે જ, ખુલ્લી આંખે મારા ગળામાં ભેરવી દઈશ.' અને જાતે જ તેમણે ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં નાખ્યો!

♠ वस्तु का सही मूल्य ♠


भगवान् बुद्ध के एक अनुयायी ने कहा, ” प्रभु ! मुझे आपसे एक निवेदन करना है” बुद्ध: बताओ क्या कहना है ?

अनुयायी: मेरे वस्त्र पुराने हो चुके हैं . अब ये पहनने लायक नहीं रहे . कृपया मुझे नए वस्त्र देने का कष्ट करें !

बुद्ध ने अनुयायी के वस्त्र देखे , वे सचमुच बिलकुल जीर्ण हो चुके थे और जगह जगह से घिस चुके थे। इसलिए उन्होंने एक अन्य अनुयायी को नए वस्त्र देने का आदेश दे दिए।

कुछ दिनों बाद बुद्ध अनुयायी के घर पहुंचे।

बुद्ध : क्या तुम अपने नए वस्त्रों में आराम से हो ? तुम्हे और कुछ तो नहीं चाहिए ?

अनुयायी: धन्यवाद प्रभु . मैं इन वस्त्रों में बिल्कुल आराम से हूँ और मुझे और कुछ नहीं चाहिए।

बुद्ध: अब जबकि तुम्हारे पास नए वस्त्र हैं तो तुमने पुराने वस्त्रों का क्या किया ? अनुयायी: मैं अब उसे ओढने के लिए प्रयोग कर रहा हूँ ?

बुद्ध: तो तुमने अपनी पुरानी ओढ़नी का क्या किया ?

अनुयायी: जी मैंने उसे खिड़की पर परदे की जगह लगा दिया है l

बुद्ध: तो क्या तुमने पुराने परदे फ़ेंक दिए ?

अनुयायी: जी नहीं , मैंने उसके चार टुकड़े किये और उनका प्रयोग रसोई में गरम पतीलों को आग से उतारने के लिए कर रहा हूँ l

बुद्ध: तो फिर रसॊइ के पुराने कपड़ों का क्या किया ?
अनुयायी: अब मैं उन्हें पोछा लगाने के लिए प्रयोग करूँगा l

बुद्ध: तो तुम्हारा पुराना पोछा क्या हुआ ?

अनुयायी: प्रभु वो अब इतना तार -तार हो चुका था कि उसका कुछ नहीं किया जा सकता था , इसलिए मैंने उसका एक -एक धागा अलग कर दिए की बातियाँ तैयार कर लीं। उन्ही में से एक कल रात आपके कक्ष में प्रकाशित था।

बुद्ध अनुयायी से संतुष्ट हो गए। वो प्रसन्न थे कि उनका शिष्य वस्तुओं को बर्बाद नहीं करता और उसमे समझ है कि उनका उपयोग किस तरह से किया जा सकता है।

♠ श्रेष्ठ जल ♠

एक दिन बादशाह ने अपने सभी दरबारियों से प्रश्न किया - 'बता सकते हो कि किस नदी का जल श्रेष्ठ है?'
अधिकांश लोगों ने गंगा के जल को श्रेष्ठ बताया। कुछ ने गोदावरी के जल को।

जब बीरबल से पूछा गया तो वह बाले - 'यमुना का जल श्रेष्ठ है।'

बादशाह ने कहा 'क्या बात करते हो? दुनिया जानती है कि गंगाजल श्रेष्ठ है, तुम्हारे धर्मग्रन्थ भी यही कहते हैं।'

बीरबल बोले - 'जहांपनाह! मैं गंगाजल को अमृत मानता हूं। इसलिए आप उससे किसी जल की तुलना मत कीजिए। वह तो अमृत है। रही बात नदियों के जल की, उनमें तो आपके राज्य की यमुना ही है, जिसका जल सबसे अच्छा है।'

बादशाह मुस्करा कर रह गए। बीरबल के तर्क भी लाजवाब थे।

♠ सच्चा धन - पुरूषार्थ ♠


विक्रमादित्य उज्जैन के अनुश्रुत राजा थे, जो अपने ज्ञान, वीरता और उदारशीलता के लिए प्रसिद्ध थे। एक बार की बात है उनके पास सामुद्रिक लक्षण जानने वाला एक ज्योतिषी पहुँचा। विक्रमादित्य का हाथ देखकर वह चिंतामग्न हो गया। उसके शास्त्र के अनुसार तो राजा दीन, दुर्बल और कंगाल होना चाहिए था, लेकिन वह तो सम्राट थे, स्वस्थ थे। लक्षणों में ऐसी विपरीत स्थिति संभवतः उसने पहली बार देखी थी।

ज्योतिषी की दशा देखकर विक्रमादित्य उसकी मनोदशा समझ गए और बोले कि 'बाहरी लक्षणों से यदि आपको संतुष्टि न मिली हो तो छाती चीरकर दिखाता हूँ, भीतर के लक्षण भी देख लीजिए।'

इस पर ज्योतिषी बोला - 'नहीं, महाराज! मैं समझ गया कि आप निर्भय हैं, पुरूषार्थी हैं, आपमें पूरी क्षमता है। इसीलिए आपने परिस्थितियों को अनुकूल बना लिया है और भाग्य पर विजय प्राप्त कर ली है।

यह बात आज मेरी भी समझ में आ गई है कि 'युग मनुष्य को नहीं बनाता, बल्कि मनुष्य युग का निर्माण करने की क्षमता रखता है यदि उसमें पुरूषार्थ हो, क्योंकि एक पुरूषार्थी मनुष्य में ही हाथ की लकीरों को बदलने की सामर्थ्य होता है l

सौजन्य :-

'' SANSKAR '' Fb page

♠ स्वाभिमान ♠

बहुत समय पहले की बात है, किसी गाँव में एक किसान रहता था। वह रोज सुबह उठकर दूर झरने से स्वच्छ पानी लेने जाया करता था। इस काम के लिए वह अपने साथ दो बड़े घड़े ले जाता था, जिन्हें वो डंडे में बाँध कर अपने कंधे पर दोनों ओर लटका लेता था।

उनमे से एक घड़ा कहीं से फूटा हुआ था और दूसरा एक दम सही था। इस वजह से रोज घर पहुंचते -पहुंचते किसान के पास डेढ़ घड़ा पानी ही बच पाता था। ऐसा दो सालों से चल रहा था।

सही घड़े को इस बात का घमंड था कि वो पूरा का पूरा पानी घर पहुंचता है और उसके अन्दर कोई कमी नहीं है, वहीँ दूसरी तरफ फूटा घड़ा इस बात से शर्मिंदा रहता था कि वो आधा पानी ही घर तक पंहुचा पाता है और किसान की मेहनत बेकार चली जाती है। फूटा घड़ा ये सब सोच कर बहुत परेशान रहने लगा और एक दिन उससे रहा नहीं गया, उसने किसान से कहा, “ मैं खुद पर शर्मिंदा हूँ और आपसे क्षमा मांगना चाहता हूँ ?”

क्यों- किसान ने पूछा, “तुम किस बात से शर्मिंदा हो ?”
“शायद आप नहीं जानते पर मैं एक जगह से फूटा हुआ हूँ , और पिछले दो सालों से मुझे जितना पानी घर पहुँचाना चाहिए था बस उसका आधा ही पहुंचा पाया हूँ , मेरे अन्दर ये बहुत बड़ी कमी है, और इस वजह से आपकी मेहनत बेकार होती रही है। फूटे घड़े ने दुखी होते हुए कहा।

किसान को घड़े की बात सुनकर थोडा दुःख हुआ और वह बोला , “ कोई बात नहीं , मैं चाहता हूँ कि आज लौटते वक़्त तुम रास्ते में पड़ने वाले सुन्दर फूलों को देखो।”

घड़े ने वैसा ही किया, वह रास्ते भर सुन्दर फूलों को देखता आया , ऐसा करने से उसकी उदासी कुछ दूर हुई पर घर पहुँचते – पहुँचते फिर उसके अन्दर से आधा पानी गिर चुका था, वो मायूस हो गया और किसान से क्षमा मांगने लगा।

किसान बोला, "शायद तुमने ध्यान नहीं दिया पूरे रास्ते में जितने भी फूल थे वो बस तुम्हारी तरफ ही थे , सही घड़े की तरफ एक भी फूल नहीं था। ऐसा इसलिए क्योंकि मैं हमेशा से तुम्हारे अन्दर की कमी को जानता था , और मैंने उसका लाभ उठाया. मैंने तुम्हारे तरफ वाले रास्ते पर रंग -बिरंगे फूलों के बीज बो दिए थे , तुम रोज़ थोडा-थोडा कर के उन्हें सींचते रहे और पूरे रास्ते को इतना खूबसूरत बना दिया। आज तुम्हारी वजह से ही मैं इन फूलों को भगवान को अर्पित कर पाता हूँ और अपना घर सुन्दर बना पाता हूँ। तुम्ही सोचो अगर तुम जैसे हो वैसे नहीं होते तो भला क्या मैं ये सब कुछ कर पाता ?”

तो दोस्तो, कभी भी अपनी कमी का पछतावा ना करे l हम सब मे कोई ना कोई कमी और कौशल्य है ही l उसको सही दिशा दे और मनुष्य जन्म को सार्थक बनाये एवं अपना स्वाभिमान जगाये l

♠ अहंकार का परिणाम ♠

एक बार एक किसान की फसल चौपट हो गई। हारकर वह मेहनत-मजदूरी की तलाश में शहर चला गया। शहर से कुछ कमाई करने के बाद जब वह गांव लौट रहा था तो उसे रास्ते में एक ऊंटनी और उसका छोटा बच्चा नजर आया। किसान उन्हें अपने घर ले आया।

कुछ दिन बाद एक कलाकार ग्रामीण जीवन के चित्रण हेतु उसी गांव में आया। पेंटिंग के ब्रश बनाने के लिए वह किसान के घर आकर ऊंट के बच्चे की दुम के बाल ले जाता। इधर ऊंटनी खूब दूध देने लगी तो किसान उसका दूध बेचने लगा।

एक दिन कलाकार गांव लौटा और किसान को काफी सारे पैसे दे गया क्योंकि उसके चित्र अच्छी कीमतों पर बिके थे। किसान ने एक सुंदर-सी घंटी लाकर ऊंट के बच्चे के गले में पहना दी। अब उसने कुछ और ऊंट पाल लिए। किसान इन ऊंटों को चरने के लिए दिन में छोड़ देता और वे शाम तक लौट आते। ऊंट का बच्चा कुछ बड़ा हुआ तो वह भी चरने जाने लगा। लेकिन गले में बंधी घंटी की वजह से वह खुद को दूसरों से विशिष्ट मानने लगा। अहंकार वश वह खुद को खास समझता और ऊंटों की टोली से प्राय: दूर-दूर ही चलता। कोई साथ चलने को कहता तो उसकी ओर ध्यान नहीं देता। वह मुंह फेरकर चल देता। उधर वन का एक शेर ऊंटों की टोली को आते-जाते देखता रहता था। वह ऊंटों के झुंड पर तो आक्रमण नहीं कर सकता था। लेकिन जब उसने घंटीधारी ऊंट को अकेले चरते हुए देखा तो वो खुश हो गया।

एक दिन जब ऊंटों का दल डेरे की तरफ लौट रहा था। तो घात लगाए बैठा शेर उस घंटीधारी ऊंट को जंगल में खींच ले गया। इस तरह उस घंटीधारी ऊंट को अपने अहंकार की वजह से जान से हाथ धोना पड़ा।

♥ शिख  ♥

जो स्वयं को श्रेष्ठ और दूसरों को हीन समझता है। उसका अहंकार शीघ्र ही उसे ले डूबता है। हम सबमे तरह तरह के कौशल्य है उसका हमे गर्व होना चाहिए लेकिन अहंकार नहि l

♠ કરકસર ♠

પંડિત શ્રી મદનમોહન માલવિયાએ હિંદુ વિશ્વવિદ્યાલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઠેરઠેર ફાળો એકત્ર કરવા ફરતા. આ રીતે કોલકતાના એક ધનાઢ્ય શેઠના આંગણે પહોંચ્યા. આંગણામાં શેઠનો નાનો બાળક દિવાસળીની પેટી સાથે રમતો હતો. છોકરાએ એક સળી સળગાવી. ઠપકો આપતા શેઠ તેને બોલ્યા, 'કેમ દિવાસળી વગર કારણે બરબાદ કરી ?'

માલવિયાજીને લાગ્યું કે આપણે ખોટા ઠેકાણે આવી ગયા છીએ. આવો કંજૂસ માણસ શું દાન આપવાનો હતો !

મદનમોહનજી પાછા ફરવા લાગ્યા ત્યાં શેઠની નજર પડી એટલે શેઠ બોલ્યા, 'અરે ભાઈ ! પધારો, આંગણે આવીને કેમ પાછા ફરો છો ?' મદનમોહન પાછા ફર્યા અને કહ્યું, 'હિંદુ વિશ્વવિદ્યાલય માટે ફાળો લેવા આવેલો !!'

'મારા તરફથી પચાસ હજાર રૂપિયા સ્વીકારો.' - ચેક ફાડીને માલવિયાજીના હાથમાં મૂકતાં શેઠે કહ્યું, 'માલવિયાજી વિચારવા લાગ્યા કે આ શેઠનું કયું સ્વરૃપ સાચું ? દિવાસળીની એક સળી માટે વહાલા દીકરાને ઠપકો આપનાર કરકસરિયા કંજૂસનું કે આવડી મોટી રકમનું દાન આપનાર દાનવીરનું ?'

માલવિયાજીની મૂંઝવણ શેઠ પામી ગયા. એમણે સમજાવ્યું કે ઉદારતા સમય આવ્યે કરવાની હોય છે. સંયમ, કરકસર, મિતવ્યતિતા એ ગુણો માનવીની શોભા વધારે છે. સારા ઠેકાણે લાખો ખર્ચાય, પણ ખોટી એક કોડી પણ ન ખર્ચાય.

- મિતેશભાઇ શાહ

''  સૌજન્ય  ''

- ગુજરાત સમાચાર

♠ સમજદાર માટે સ્મશાન પણ સાધના ભૂમિ બની શકે છે. ♠

સ્પાર્ક - વત્સલ વસાણી

- ગુજરાત સમાચાર ( રવિપૂર્તિ ) 

 

જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો છોડતી નથી,જગત એક મમતાનો ખેલ છે

બુદ્ધની પાસે કોઈ સત્યની શોધ માટે આવે તો એને એક અનેરી સાધના પદ્ધતિમાંથી પસાર થવું પડતું. પહેલા ત્રણ મહિના માટે બુદ્ધ એને સ્મશાનમાં મોકલી દેતા. આખો દિવસ અને રાત ત્યાં જ રહેવાનું અને જે કાંઈ બને તે જોયા કરવાનું.

લોકો સાધના માટે મંદિરમાં જાય, કોઈ તીર્થભૂમિ કે આશ્રમમાં જઈને રહે એ તો સમજી શકાય એવી વાત છે પણ સ્મશાનમાં જઈને રહેવું અને એને જ સાધના ભૂમિ બનાવવી એ એક કપરું કામ છે. વર્ષો સુધી આશ્રમમાં રહેવાથી જે નથી મળતું તે માત્ર ત્રણ જ મહિના સ્મશાનમાં રહેવાથી મળે છે. જિંદગીભર તમે મંદિર, મસ્જિદ, ચર્ચ કે દેરાસરના - પગથિયા ઘસતા રહો તો પણ વૈરાગ્યનો ઉદય નહીં થાય, અને એ જ કામ માત્ર ચોવીસ કલાક માટે સ્મશાનમાં જઈ બળતી ચિતાઓને જોયા કરો તો આપમેળે થઈ જશે.

ચાંડાલ લોકો ચોવીસ કલાક તો શું, જિંદગીભર સ્મશાનમાં જ રહે છે પણ એનું મૃત્યુ એટલે શું ? જીવન કેવું ક્ષણભંગુર છે !... એનો ખ્યાલ જ નથી આવતો. સ્મશાનમાં રહીને પણ એ લોકો વધારે જડ થતા જાય છે. શબ પર ઓઢાડેલી ચાદર લેવામાં, સાડી, ધોતી કે કફન જેવી કઈ વસ્તુ ઉઠાવી લેવામાં જ એને રસ હોય. રોજે રોજ મડદા બાળવા છતાં એમના મનમાં જીવનની ક્ષણભંગુરતાનો કોઈ ખ્યાલ નથી જાગતો.

એકની એક ઘટના, એક વ્યક્તિ માટે જાગરણનું નિમિત્ત બને તો બીજીને સોડ તાણીને સૂઈ રહેવામાં ય મદદ કરી શકે. તમારી સંવેદનશીલતા કેટલી ગહન છે, તમારી પાસે સમજ અને પ્રજ્ઞાા છે કે નહીં તેનો ખ્યાલ જીવનમાં બનતી ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો અને એમાથી શું શીખો છો તેના પરથી આવે છે.

લીઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતા હતા... એવામાં ઉપરથી એક પાકું- પીળું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલું હતું. ત્યાં સુધી ઝાડની ડાળી સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ એ છૂટું પડવા તૈયાર ન હતું અને જોર કરીને તોડી લો તો એમાંથી ક્ષીર નીકળશે, એ એક પ્રકારનો રક્તપાત છે. જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો, મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમિની જે હાલત થાય, એ જ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની, મૃત્યુ વખતે થાય છે..


લાઓત્સે જેવી વ્યક્તિ એક ખરતા પાનને જોઈને જાગી શકે છે. એ ઘટના પરથી જ એમને ગુરુમંત્ર મળી જાય છે. જે લોકો સંસારને છોડીને ભાગે છે તે મહાપરાણે ઝાડ પરથી પાન તોડવાની કોશિષ કરે છે. મનમાં ક્યાંક એનો ઘા અને સંસાર પ્રત્યેની આસક્તિનો ભાવ સલામત રહે છે.

જ્યારે મનમાંથી આસક્તિ છોડીને સંસારની વચ્ચોવચ્ચ રહેવા છતાં, પૂર્ણ વિરક્તિનો અનુભવ થઈ શકે છે. આટલી એક નાનકડી ઘટના પરથી લાઓત્સે જેવી વ્યક્તિને સમજાઈ જાય છે કે છોડવાની ચીજ સંસાર નહિ પણ સંસાર પ્રત્યેની આસક્તિ છે. આસક્તિ છોડો એટલે પાકા (પીળા) પર્ણની જેમ તમે સરળતાથી છૂટા પડી શકો છો. સંસારની કોઈ ચીજ તમને બાંધી શકતી નથી.

લાઓત્સેએ જોયું કે, આ સૂકા પર્ણ પાસેથી પણ જીવનની ગહનત્તમ વાત શીખવા મળી શકે તેમ છે. એની પાસે પોતાની કોઈ ઇચ્છા નથી હવે એને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે ઉડાડે તો હવામાં ઉપર ઉઠે છે અને ક્ષણમાં નીચે પાડે તો પણ એના મનમાં કોઈ વ્યથા કે વેદના નથી એણે સંપૂર્ણપણે પોતાની જાત હવાને સોંપી દીધી છે.

જીવન પણ શું આ રીતે જીવી ન શકાય ? પરમાત્મા જ્યાં લઈ જાય ત્યાં જવું, જે કરાવે તે કરવું, જીવાડે તો જીવવું અને મારે તો મરવું. સંપૂર્ણ સમર્પણ અને સ્વીકૃતિ સાથે જીવવામાં આવે તો મનમાં ક્યાંય કોઈ પીડા કે ફરિયાદની ભાવના બચતી નથી. લાઓત્સેએ બસ, સૂકા પાંદડાની જેમ જીવવાનું શરુ કર્યું અને તથાતા, તાઓ કે ધર્મની પરમ અનુભૂતિ આપમેળે જ એમના જીવનમાં ઉતરી આવી.

બુદ્ધનો સમય જુદો હતો, આજનો સમય જુદો છે પણ સ્મશાનને સાધના ભૂમિ તો આજે પણ બનાવી શકાય તેમ છે. ત્રણ મહિના તો શું માત્ર ત્રણ દિવસ પણ સ્મશાનમાં બેસીને જુઓ તો આસક્તિની સાંકળ ઢીલી પડીને તૂટવા લાગશે. જે સમજે એને માટે જગત એક મમતાનો ખેલ છે. દુઃખનું કારણ કોઈ ઘટના નહી પણ અંદર પડેલી મમતા છે જેની સાથે મમતાનો સંબંધ છે એ વ્યક્તિનું મૃત્યુ જ વ્યક્તિને હચમચાવી શકે છે. મમતાના તાર તૂટવાથી જ દુઃખ થાય છે.

જેને તમે ઓળખતા નથી, જેની સાથે તમારો મમતાનો કોઈ નાતો નથી તેનું મૃત્યુ તમને રડાવી કે હચમચાવી શકે નહીં. મમતા છૂટી જાય તો જગતની એક પણ ઘટના તમને સુખ કે દુઃખની અનુભૂતિ નહીં આપે. તમે નિષ્કંપ રહીને જીવનની ઘટનાને જોઈ શકશો અને સાક્ષીની જેમજ અનાસક્ત ભાવે જીવી શકશો. સાક્ષીને સુખ કે દુઃખ બેમાંથી એક પણ ભાવ સ્પર્શી શકતો નથી. સાક્ષી ભાવની સાધના છેવટે વ્યક્તિને દ્વન્દ્વથી પાર લઈ જાય છે સુખ કે દુઃખ, વિજય કે પરાજય, માન કે અપમાન બેમાંથી કશું જ એમને સ્પર્શતું નથી. આવી વ્યક્તિ જલકમલવત્ બની જાય છે. જળમાં રહેવા છતાં જળનો જરા પણ સ્પર્શ ન થવો એ સૌથી મોટી સિદ્ધિ છે.

સંસારમાં રહેવા છતાં સંસારનો સહેજે ય સ્પર્શ ન થવો એ જીવનની સૌથી મોટી સાધના અને સૌથી મોટી સિદ્ધિ છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો. પત્ની, બાળકો, બહેન, ભાઈ, સગા- સંબંધી તમારા નિર્જીવ શરીરને જોઈને રડી રહ્યા છે. હવે એમના જીવનમાં કોઈ, આનંદ કોઈ ઉલ્લાસ નહિ આવે એવું ક્ષણભર તમને લાગી શકે છે. તમે જ એમના માટે સુખનું કારણ અને ઉત્સવનું નિમિત્ત હતા એવું થોડા સમય માટે જરૃર જોવા મળશે. તમારી સાથેનો એમનો ઊંડો સંબંધ ક્ષણભર તમને અચંબામાં મૂકી દેશે.

જીવતે જીવ જે તમને જોવા કે અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછીની પળોમાં જોવા અને જાણવા મળશે. બસ, થોડીક સબૂરી અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો પણ તમને જોવા મળશે. આજે જે મીઠાઈ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો સવાલ છે. આજે રંગીન કપડા થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ ફરી તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આ જ ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે.

અહીં કોઈ વિના કશું અટકતું નથી. કોઈના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી. પત્ની પણ રુટિન જિંદગીમાં ગોઠવાઈ જશે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે, થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદો વધી જશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિ ચિન્હ જેવી લાગે છે જે જતા દિવસે કોઈ ખૂણામાં ચાલી જશે. અથવા જગા રોકી રહી હોય એવું લાગશે. આજે તમારા માટે બધું જ કરવાની લાગણી દેખાઈ રહી છે તેના સ્થાને ક્યારેક બેંક બેલેન્સ, વીમો, સંપત્તિની વહેંચણી અને વસિયતનામાની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવું જ થતું આવ્યું છે અને થતું રહેશે.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલુ ગુમાન ઘટી જશે. પછી જે જવાનું છે તે આજે જ ભલેને થઈ જતું. જે નામ પછી ભૂંસાવાનું છે, જે સંબંધો પછીથી શમી થવાના છે, જે ધન સંપત્તિ પર પછીથી તમારો કોઈ અધિકાર નથી રહેવાનો, જે અહંકારના કારણે આજે માથુ ઉંચુ કરીને જીવવાનું મન થાય છે કાલે તે ચિતામાં લાંબા વાંસથી અંગારા વચ્ચે ધકેલાતું હશે આ વિચાર વ્યક્તિમાં હતાશા અને ઉદાસીનતા લાવે તો એમાં સમજનો અભાવ છે. પણ જો આવી સમજ હળવાશ, નમ્રતા, પ્રેમ અને શેષ જીવનને ઉત્સવભર્યું બનાવે તો જ એની સાર્થકતા...

ક્રાન્તિ બીજ
માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે,
જરૃરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે.


- બૈજુ જાની

♠ સાચું દાન ♠


છેક નાની વયથી વ્યાપાર ખેડનારો વેપારી હવે વૃદ્ધ બની ગયો હતો. આખી જિંદગી એણે કમાણી કરવા પાછળ ગાળી હતી. દ્રવ્યઉપાર્જન સિવાય એનું બીજું કોઈ લક્ષ્ય નહોતું. હવે બૂઢાપો દેખાવા લાગ્યો ત્યારે એ વિચાર કરવા લાગ્યો કે આજ સુધી સતત સંપત્તિ એકઠી કરી રહ્યો છું, પણ ક્યારેય એનો સરવાળો કરવાનો સમય મળ્યો નથી. લાવ, જરા ગણતરી કરી લઉં. વેપારી પોતાની સંપત્તિની ગણતરી કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે એની પાસે તો કરોડો રૃપિયા એકઠા થયા છે.

એને થયું કે હવે દાન-પુણ્ય કરવાનો અવસર આવી ગયો છે. ગણતરીબાજ વેપારી વિચારવા લાગ્યો કે કોઈ એવી જગાએ દાન કરું, કે જેથી ધનનો સદુપયોગ થાય અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય. લાંબા સમય પછી એણે વિચાર્યું કે એક વિરાટ મંદિર બાંધું કે જેથી લોકોને પુણ્ય કરવાનું સ્થાન મળે. વળી એમ પણ વિચાર્યું કે કે કશાય કામધંધા વિનાના લોકોને આર્થિક સહાય આપું. ત્રીજો એવો પણ વિચાર આવ્યો કે કોઈ સદાવ્રત શરૃ કરું કે જેથી ભૂખ્યાને અન્ન મળે.

શુભકાર્યનો પ્રારંભ કરવા માટે શુભમુહૂર્ત કઢાવવા એ વેપારી સંત પાસે ગયો અને સંતને પોતાની મંદિર, બેકારોને સહાય અને સદાવ્રતની યોજનાની વાત કરી.

એની આ યોજનાઓ સાંભળીને સંત નિરાશ થઈ ગયા. વેપારીને તો એમ હતું કે સંત એને શાબાશી આપશે, એને બદલે સંત ગંભીર બનીને ઊંડા વિચારમાં ડૂબી ગયા.

થોડા સમય પછી એમણે વેપારીને કહ્યું, ''ભાઈ, તારી પાસે જેટલી સંપત્તિ છે એટલા તો આ દેશમાં સદાવ્રત પર નભનારા લોકો છે. કશોય કામધંધો ન કરતા કેટલા પ્રમાદીઓને તું સહાય કરીશ ? વળી આ બધા મહેનત કરવાને બદલે મફતનું ખાવા લાગશે અને થોડાક સમયમાં તારી સઘળી સંપત્તિ ખર્ચાઈ જતાં તને કોઈ પુણ્યલાભ પ્રાપ્ત થશે નહીં.''

સંતની વાત સાંભળીને વેપારી દ્વિધામાં પડી ગયો. એણે હાથ જોડીને સંતને કહ્યું, ''મહારાજ, આપ જ કોઈ માર્ગ સૂઝાડો. મારે શું કરવું જોઈએ ?''

સંતે કહ્યું, ''તમારી ભાવનાનું પરિવર્તન કરવું જોઈએ, તો જરૃર તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકશો.''
''એ કઈ રીતે થઈ શકે ?''

સંતે કહ્યું, ''વિરાટ મંદિર, કામ વિનાના માણસોને સહાય કે સદાવ્રતને બદલે વિદ્યાલય, ઉદ્યોગશાળા અને ચિકિત્સાલયોની સ્થાપના કરો. જેથી લોકો સ્વસ્થ બનશે. શિક્ષિત થશે અને ખરેખર ઉદ્યમી બની રહેશે. જો તેઓ ઉદ્યમ કરે તો એમને ભિક્ષાવૃત્તિ કરવાનું, સદાવ્રત પર નભવાનું કે ચોરી કરવાનું મન નહીં થાય. આવી રીતે દયા-દાન કરવાથી લોકો વધુ ઉદ્યમી અને મહેનતું બનશે. એ જ સાચું દાન છે કે જે દાન વ્યક્તિને લાચાર કે યાચક બનાવે નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવન જીવતાં શીખવે.''