માં - બાપ

જીવતા માબાપ ને સ્નેહ
થી સાંભળશો ,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું
અર્થ ?

સાથે બેસી જમવા ની ઈચ્છા એમની
પ્રેમથી પુરી કરો ,
પછી ગામ આખા ને
લાડવા જમાડવા નો શું અર્થ .?

વહાલ ની વર્ષા કરનારા ને વહાલ
થી ભીજવી દેજો ,
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું
અર્થ ?

ઘર માં બેઠેલા માબાપ
રૂપી ભગવાન ને ઓળખી લેજો ,
પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?

સમય કાઢી વૃદ્ધ વડલા પડખે
બેસી લેજો ,
પછી બેસણા માં ફોટા સામે બેસવા –
બેસાડવા નો શું અર્થ ?

લાડકોડ પૂરનારા માબાપ ને સદાય
હૈયે રાખજો ,
પછી દીવાન ખંડ માં તસ્વીર
રાખવા નો શું અર્થ ?

હયાતી માં જ હૈયું એમનું
ઠારી સેવા નું સુખ આપજો ,
પછી ગંગાજળ
માં અસ્થી પધરાવવા નો શું અર્થ ?

‘માવતર એ જ મંદિર’ એ સનાતન
સમજી રાખજો ,
પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું
અર્થ ...?...