♠ बुद्धि का बल ♠

विश्व के महानतम दार्शनिकों में से एक सुकरात एक बार अपने शिष्यों के साथ बैठे कुछ चर्चा कर रहे थे। तभी वहां अजीबो-गरीब वस्त्र पहने एक ज्योतिषी आ पहुंचा।

वह सबका ध्यान अपनी ओर आकर्षित करते हुए बोला ,” मैं ज्ञानी हूँ ,मैं किसी का चेहरा देखकर उसका चरित्र बता सकता हूँ। बताओ तुममें से कौन मेरी इस विद्या को परखना चाहेगा?”

शिष्य सुकरात की तरफ देखने लगे।

सुकरात ने उस ज्योतिषी से अपने बारे में बताने के लिए कहा।

अब वह ज्योतिषी उन्हें ध्यान से देखने लगा।

सुकरात बहुत बड़े ज्ञानी तो थे लेकिन देखने में बड़े सामान्य थे , बल्कि उन्हें कुरूप कहना कोई अतिश्योक्ति न होगी।

ज्योतिषी उन्हें कुछ देर निहारने के बाद बोला, ” तुम्हारे चेहरे की बनावट बताती है कि तुम सत्ता के विरोधी हो , तुम्हारे अंदर द्रोह करने की भावना प्रबल है। तुम्हारी आँखों के बीच पड़ी सिकुड़न तुम्हारे अत्यंत क्रोधी होने का प्रमाण देती है ….”

ज्योतिषी ने अभी इतना ही कहा था कि वहां बैठे शिष्य अपने गुरु के बारे में ये बातें सुनकर गुस्से में आ गए और उस ज्योतिषी को तुरंत वहां से जाने के लिए कहा।

पर सुकरात ने उन्हें शांत करते हुए ज्योतिषी को अपनी बात पूर्ण करने के लिए कहा।

ज्योतिषी बोला , ” तुम्हारा बेडौल सिर और माथे से पता चलता है कि तुम एक लालची ज्योतिषी हो , और तुम्हारी ठुड्डी की बनावट तुम्हारे सनकी होने के तरफ इशारा करती है।”

इतना सुनकर शिष्य और भी क्रोधित हो गए पर इसके उलट सुकरात प्रसन्न हो गए और ज्योतिषी को इनाम देकर विदा किया। शिष्य सुकरात के इस व्यवहार से आश्चर्य में पड़ गए और उनसे पूछा , ” गुरूजी , आपने उस ज्योतिषी को इनाम क्यों दिया, जबकि उसने जो कुछ भी कहाँ वो सब गलत है ?”

” नहीं पुत्रों, ज्योतिषी ने जो कुछ भी कहा वो सब सच है , उसके बताये सारे दोष मुझमें हैं, मुझे लालच है , क्रोध है , और उसने जो कुछ भी कहा वो सब है , पर वह एक बहुत ज़रूरी बात बताना भूल गया , उसने सिर्फ बाहरी चीजें देखीं पर मेरे अंदर के विवेक को नही आंक पाया, जिसके बल पर मैं इन सारी बुराइयों को अपने वष में किये रहता हूँ , बस वह यहीं चूक गया, वह मेरे बुद्धि के बल को नहीं समझ पाया !” , सुकरात ने अपनी बात पूर्ण की।

मित्रों , यह प्रेरक प्रसंग बताता है कि बड़े से बड़े इंसान में भी कमियां हो सकती हैं, पर यदि हम अपनी बुद्धि का प्रयोग करें तो सुकरात की तरह ही उन कमियों से पार पा सकते हैं।

♠ બિરબલનું બુદ્ધિચાતુર્ય ♠

એક સવારે અકબર અને બિરબલ બગીચામાં ફરવા માટે નિકળ્યા.ફરતાં ફરતાં બંને વચ્ચે અનેક વિષયો પર ચર્ચા થતી હતી.

અચાનક અકબરે બિરબલને પૂછ્યું,''બિરબલ,સ્વર્ગનો રાજા ઇન્દ્ર કેવો હશે? એ મારાથી મોટો રાજા હશે કે નાનો?''

બિરબલે પહેલાં તો સ્મિત આપીને ટાળ્યું,પણ અકબરે ફરીથી સવાલ કર્યો.બિરબલ ગુંચવાઇ ગયા કે,જો ઇન્દ્રને મોટા કહીશ તો બાદશાહ નારાજ થશે અને જો તેમને મોટા કહીશ તો એ પૂરાવો માંગશે.આ પૂરાવો ક્યાંથી લાવીશ?

અકબરના આગ્રહથી બિરબલે કહ્યું કે,જહાપનાહ તમે ઇન્દ્રથી મોટા છો.

પછી બિરબલે કારણ સમજાવ્યું કે,''બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે બે પૂતળા બનાવ્યા અને ત્રાજવામાં મૂક્યાં.તમે વજનદાર હતા એટલે તમારું પલડું નમી ગયું.તમને પૃથ્વીનું રાજ્ય આપ્યું અને ઇન્દ્ર હલકા હતા એટલે તેને સ્વર્ગનું રાજ્ય આપ્યું.આ રીતે બ્રહ્માજીએ એજ સમયે પ્રમાણિત કરી દીધું કે તમે ઇન્દ્રથી મોટા છો.''

બિરબલનું બુદ્ધિચાતુર્ય જોઇને અકબર ખુશ થઇ ગયો.

♠ અદભુત  સહનશક્તિ ♠

શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હતી.વહેલી સવારે પથારી છોડીને બહાર નિકળવાનું ગમે જ નહિ એવો ઠંડીનો પ્રભાવ હતો.

ગંગા નદીના કિનારે પેન્ટ-સૂટ-બૂટ અને હેટ પહેરીને કેટલાક અંગ્રેજો ''મોર્નિગ વોક'' કરવા માટે નિકળ્યા હતાં.તેઓ ઘાટ પાસે આવ્યા અને તેમને એક  દ્રશ્ય જોઇને અચરજ થયું.આટલી તીવ્ર ઠંડીમાં એક વ્યક્તિ માત્ર લંગોટી લગાવીને ધ્યાન અવસ્થામાં બેઠો હતો.

એક અંગ્રેજથી રહેવાયું નહી એટલે તેણે બેઠેલી વ્યક્તિને પૂછ્યું '' એ મિસ્ટર તમને ઠંડી લાગતી નથી? આમ ખુલ્લા શરીરે કેમ બેઠા છો? ''

'' બિલકુલ ઠંડી લાગતી નથી.'' તે વ્યક્તિએ કહ્યું.

'' એવું કેવી રીતે બની શકે ? તે અંગ્રેજે સામો પ્રશ્ન પૂછ્યો.

'' જૂઓ તમને સમજાવું, તમે આટલા બધા કપડાં પહેર્યા છે અને માથું, હાથ વગેરે ઢાંકી દીધું છે પરંતું નાક કેમ ખુલ્લું રાખ્યું છે.નાકે ઠંડી લાગતી નથી ? ''

અંગ્રેજે જવાબ આપ્યો, ''નાક તો ખુલ્લું રાખવું જ પડે ને ! નહીં તો શ્વાસ કેવી રીતે લઇએ.નાક તો રોજ ખુલ્લું રહે એટલે ટેવ પડી ગઇ છે.તેટલા ભાગમાં ઠંડી લાગતી નથી ? ''

''તમે ખાલી નાક ખુલ્લું રાખવાની ટેવ પાડી છે.હું આખા શરીરે ઠંડી સહન કરી શકું છું.ટેવ પડે તો કંઇ અઘરું નથી.'' સ્વામી દયાનંદ સરસ્વતીએ મસ્તીથી જવાબ આપ્યો.

♠ સાચા સંત ♠

www.sahityasafar.blogspot.com

સમર્થ ગુરુ રામદાસ આકરું તપ કરતા હતાં.તેઓ માત્ર ત્રણ ઘરે જ ભિક્ષા માંગતા હતાં અને તેટલા ભોજનથી ચલાવી લેતાં હતાં.એકાદ ઘરેથી ખાલી હાથ જવું પડે તો પણ ચલાવી લેતાં.એકવાર સવારમાં એક ઘર આગળ ભિક્ષા માટે ઊભા રહ્યાં.
ભિક્ષા માંગી તે ઘરની સ્ત્રી કારણવશ ગુસ્સામાં હતી.સાધુની બૂમ સાંભળી તેનો ગુસ્સો વધારે ભભક્યો,  તે પોતું કરી રહી હતી તે કપડું સમર્થના મો ઉપર ફેંક્યું.

સમર્થ કોને કહેવાય.તેઓ સહેજ પણ ગુસ્સે થયાં નહી અને પોતું કરવાનું કપડું લઇ ચાલવા માંડ્યું.નદીએ ગયાં.પોતે સ્નાન કર્યું અને કપડાને પણ સારી રીતે સાફ કરી ધોઇ નાંખ્યું.સાંજે એ કપડામાંથી દીવા માટેની વાટો બનાવી ભગવાનને પ્રાર્થના કરી કે, '' હે ભગવાન જેવી રીતે આ દીવો પ્રકાશ આપી રહ્યો છે,તેવી રીતે જે માતાએ દીવા માટે આ કાપડ આપ્યું છે તેના હ્રદયમાં પણ જ્ઞાનનો પ્રકાશ પાથરજો.''

સાચા સંત એને કહેવાય જે પોતાના પ્રત્યે દુર્વ્યવહાર કરનાર પ્રત્યે પણ મનમાં નફરતનો ભાવ લાવ્યા વગર સહેજ પણ વિચલિત થયા સિવાય પરોપકારમાં જોડાયેલા રહે.આ સંતે પણ આવો રાહ અપનાવ્યો અને કેટલાય લોકોને હકારાત્મક ચિંતન કરાવ્યું.

www.sahityasafar.blogspot.com

♠ શહીદોનું લોહી ♠

www.sahityasafar.blogspot.com

→ ભગતસિંહના બાળપણનો એક તદ્દન અજાણ્યો પ્રસંગ રજુ કરું છું.આપે કદાચ એ ક્યાંય વાંચ્યો નહિ હોય.

આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો.વર્ષ ૧૯૧૯ માં પંજાબના જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે હજારો નિર્દોષ ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી.ત્યાંનું દ્રશ્ય અત્યંત હ્રદયદ્રાવક હતું. જલિયાવાલા બાગમાં ચારે તરફ લાશો પડેલી હતી અને સમગ્ર ધરતી લોહીથી ખરડાયેલી હતી.આખો દેશ આ ઘટનાથી હચમચી ગયો હતો અને ઠેરઠેર અંગ્રેજો પ્રત્યે ફિટકાર અને આક્રોશ વરસી રહ્યો હતો.

આ ઘટના બની ત્યારે ભગતસિંહ માત્ર ૧૨ વર્ષના હતાં.

ઘટનાના બીજા દિવસે ભગતસિંહ ઘરેથી શાળાએ જવા નિકળ્યાં,પરંતુ તે જલિયાવાલા બાગમાં પહોંચી ગયાં.ત્યાંની ધરતી લાલ હતી.ભગતસિંહ ત્યાં બેસી ગયા અને એક લોહીથી ખરડાયેલી માટી ભરવા લાગ્યાં.માટી ભરીને તેમણે શીશી ખિસ્સામાં મુકી દીધી અને ત્યાંજ બેસીને આ ઘટના પર શોક કરવાં લાગ્યાં.જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે સાંજ પડી ગઇ હતી.શાળા તો ક્યારનીયે છૂટી ગઇ હતી.તે જ્યારે ઘરે પહોંચ્યાં તો તેમને ઘરે મોડા આવવાનું કારણ પૂછવામાં આવ્યું.જવાબમાં તેમણે શીશી બતાવીને કહ્યું કે જલિયાવાલાં બાગ ગયો હતો.

તેમની બહેને પૂછ્યું કે ''આમાં શું છે? ''

ભગતસિંહ બોલ્યાં ''શહીદોનું લોહી.''

બહેન ફરીથી બોલી ''તેનાથી શું થશે? ''

ભગતસિંહ બોલ્યાં ''મને પ્રેરણા મળશે.''

ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રેરણાને કારણે જ ભગતસિંહનું જીવન અને તેમની શહીદી અનુકરણીય થઇ ગઇ.

→ મિત્રો, આટલી નાની ઉંમરે પણ આવા ક્રાંતિકારી વિચારો ધરાવતા ભગતસિંહ વિશે બીજું તો શું કહું? પરંતું ક્રાંતિકારીઓમાં જેના પરિવારે સૌથી વધુ દુ:ખોનો સામનો કર્યો એ ભગતસિંહનો પરિવાર હતો.

→ લક્ષ્ય એવું નક્કી કરો કે જેનું પરિણામ આખા સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય.

www.sahityasafar.blogspot.com

♥ માનસિક બિમારી ♥

માણસની મોટા ભાગની બીમારી 'માની લીધેલી'
અને માનસિક હોય છે.દુનિયામાં એવા પણ પ્રસંગો બનેલા છે કે ઘરમાં આગ લાગી હોય તો પક્ષાઘાતનો રોગી જાતે જ ચાલીને બહાર આવી ગયો હોય અને કોઈ આશ્ચર્ય સાથે એને પેલા પક્ષાઘાતની યાદ અપાવે તો પાછો એ ધબ દઇને પડી જતો હોય છે.

★ બર્નાર્ડ શોના જીવનનો આ એક રસપ્રદ પ્રસંગ છે. એમણે પોતે જ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એકવાર અચાનક એમને છાતીમાં દુખાવો શરૃ થયો. મધ્યરાત્રિનો સમય હતો. ફેમિલી ડોક્ટરને એમણે ફોન કર્યો કે મને હૃદયમાં દુખાવો શરૃ થયો છે. 'એટેક' જેવું તો કંઇ નહીં હોય ને ?

ડોક્ટર બર્નાર્ડ શૉના કુટુંબ સાથે વર્ષોથી સંબંધિત હતા. વૃધ્ધ થઇ ગયેલા છતાં આવી કોઈપણ જરૃરત ઊભી થાય તો બર્નાર્ડ શો એમને જ
બોલાવતા. મધરાત પછીનો સમય એટલે માંડ માંડ ઊંઘમાંથી ઊઠી ડોક્ટર મિ. શૉને ત્યાં વિઝિટમાં ગયા. બર્નાર્ડ શો ત્યારે ત્રીજા માળે રહેલા એટલે આ બુઢ્ઢા ડોક્ટર માંડ માંડ સીડીઓ ચઢી મિ.
શૉના ઘરમાં ગયા. શ્વાસ ચઢી ગયેલો. છાતી ધમણની જેમ ચાલતી હતી. ઘરમાં દાખલ થતાં જ ડોક્ટર ત્યાં પડેલી ખુરશીમાં ફસડાઈ પડયા.

બર્નાર્ડશોને નવાઈ લાગી. એ પોતે જ હૃદયની બીમારીના કારણે પથારીવશ હતા. એમાં આવતાની સાથે જ ડોક્ટર પણ બેભાન જેવા થઇ ગયા. એટલે મિસ્ટર શૉ ચિંતામાં પડી ગયા. પથારી છોડી એ પોતે ઊભા થયા. ડોક્ટરની પાસે બેઠા. એમને પાણી આપ્યું. પંખો નાખ્યો. પીઠ પંપાળી અને પૂરા અડધા કલાક સુધી એમની સેવાચાકરી કરી અને પોતે એ ભૂલી જ ગયા કે ખુદને આવેલા હાર્ટ એટેકના અનુસંધાનમાં જ આ ડોક્ટર એમની સારવાર માટે આવ્યા છે.

બન્યું એવું કે મિ. શૉએ જ સામેથી આ ડોક્ટરની સારવાર કરવી પડી. પંદર વીસ મિનિટ પછી ડોક્ટરે આંખ ખોલી અને કહ્યું કે હવે મને થોડી રાહત જેવું લાગે છે. એ પછી પંદરેક મિનિટ બન્નેની વાતો ચાલ્યા કરી. ઊઠતી વખતે ડોક્ટરે મિ. શો પાસે
વિઝિટના પૈસા માગ્યા. એટલે બર્નાર્ડ શોએ કહ્યું - 'ફી શેની ? ઊલટાની મારે જ તમારી સેવાચાકરી કરવી પડી છે ! મારો તો કોઈ ઇલાજ તમે કર્યો નથી.'

ડૉક્ટરે પૂછ્યું - 'તમને હવે કેવું લાગે છે ?'

બર્નાર્ડ શો એ કહ્યું - 'હું તો બરાબર છું. મને અત્યારે ખાસ કોઈ તકલીફ નથી.'

ડોક્ટરે કહ્યું - 'તમને ભલે ખ્યાલ ન હોય. પણ
મેં તમારો ઇલાજ કર્યો છે. અચાનક આ રીતે તમારી સામે છેલ્લા શ્વાસ ખેંચતો હોઉં એવું 'નાટક' કરીને મેં તમારી ટ્રીટમેન્ટ કરી છે. હું તમને વર્ષોથી જાણું છું અને મને એ ખ્યાલ છે કે નાની સમસ્યા સામે કોઈ મોટી સમસ્યા ઊભી કરવામાં આવે તો આપોઆપ પહેલી સમસ્યા ગૌણ બની જાય છે. કહો, તમારા ઘરમાં કોઈ માણસની જાન જતી હોય તો તમને માથાનો દુખાવો કે સાંધાની તકલીફ
યાદ આવે ખરી ? અનેક કિસ્સામાં એવું બનતું
હોય છે કે પત્ની ઘરમાં બીમાર પડી હોય, ઊઠીને ઊભા થવાની પણ તાકાત ન હોય. રસોઈ પાણી કે બીજું ઘરકામ તો બાજુ પર રહ્યું, ઊલટાની પત્નીની જ સેવા ચાકરી કરવી પડે એવી પરિસ્થિતિ હોય. એવામાં અચાનક ફોન આવે કે ક્યાંકથી સંદેશો મળે કે પત્નીના પિતાજી સખત બીમાર છે અને
એમને હાર્ટએટેક આવ્યો છે. કેસ સિરિયસ થતો જાય છે તો શું પત્ની અચાનક ઊભી થઇને સખત ઉતાવળ સાથે પિતાને મળવા નહીં જાય ? એ વખતે એની બધી જ તકલીફ ચાલી જશે. પિતા જો સિરિયસ હશે તો પૂરા જોમ સાથે એમની સેવા ચાકરી ને અન્ય દોડાદોડી પણ કરશે. એ વખતે એને યાદ પણ નહીં આવે કે પોતાને કશીક તકલીફ છે !'

→ માણસની મોટા ભાગની બીમારી 'માની લીધેલી' અને માનસિક હોય છે. દુનિયામાં એવા પણ પ્રસંગો બનેલા છે કે ઘરમાં આગ લાગી હોય
તો પક્ષાઘાતનો રોગી જાતે જ ચાલીને બહાર આવી ગયો હોય અને કોઈ આશ્ચર્ય સાથે એને પેલા પક્ષાઘાતની યાદ અપાવે તો પાછો એ ધબ દઇને પડી જતો હોય છે. ચિકિત્સક જો દરદીના મનમાં દ્રઢ થયેલી ગ્રંથિને પૂરા આત્મવિશ્વાસ સાથે તોડી શકે તો મોટા ભાગના કેસમાં સફળ થવાની શક્યતા વધી જાય છે. ભારતીય પરંપરા પ્રમાણે ચિકિત્સા એ માત્ર વ્યવસાય નહીં પણ એક કલા છે. જે ચિકિત્સક આ કળાને સમજી એમાં નિપુણ
થઇ શકે તે ભલભલા રોગ સામે ઝીંક ઝીલી,
દરદીને એમાંથી બહાર લાવી શકે છે.

★ ક્રાન્તિબીજ ★

→ જે દિવસથી તમારી નજીકની વ્યક્તિ તમારા પર ગુસ્સો કરવાનું છોડી દે, ત્યારે તમારે સમજી લેવું કે તમે એ વ્યક્તિને ગુમાવી દીધી છે.

♥ સ્પાર્ક - વત્સલ વસાણી ♥

♠ સિકંદરની મહાનતા ♠

www.sahityasafar.blogspot.com

→ સમ્રાટ સિકંદરના જીવનનો એક શ્રેષ્ઠ પ્રસંગ છે.જરૂર વાંચજો અને શેર કરવાનું ભૂલતા નહિ.

એક સમયની વાત છે જ્યારે સિકંદર અને તેમના ગુરુ અરસ્તુ ( એરિસ્ટોટલ)  જંગલમાંથી પસાર થઇ રહ્યાં હતાં.જંગલનો રસ્તો અજાણ્યો હતો અને તેમને જંગલની પેલે પાર આવેલી એક નગરીમાં જવાનું હતું.

થોડે દૂર તેઓ ચાલ્યાં હશે ત્યાં માર્ગમાં એક નાળું આવ્યું.વરસાદનું પાણી નાળામાં જોશભેર વહેતું હતું.એની સાથે ઝાડી - ઝાંખરા અને બીજી અનેક વસ્તુઓ તણાતી જતી હતી.આ નાળું જોઇને ગુરુ શિષ્ય વચ્ચે ચર્ચા શરૂ થઇ.ગુરૂ કહે 'હું પહેલા જાઉં'
સિકંદર કહે 'હું પહેલો જાઉં.'

સિકંદર પોતાની વાત પર મક્કમ રહ્યો.તેણે કહ્યું 'હું જ આગળ જઇશ જેથી તમને માર્ગ શોધવામાં સરળતા પડે.' થોડાક વિવાદ પછી આખરે ગુરૂએ સિકંદરની વાત કબૂલી લીધી.સિકંદરે નાળું પાર કર્યું.ત્યાર બાદ એ જ રસ્તે ચાલીને અવસ્તું પણ નાળું પસાર કરી ગયાં.

બહાર આવીને અવસ્તુએ આવેશમાં આવીને કહ્યું કે 'તું મારી આગળ ગયો,એથી મારું અપમાન નથી થયું?'

સિકંદરે હાથ જોડી વિનયપૂર્વક જવાબ આપ્યો,'અપરાધ ક્ષમા કરો ગુરૂદેવ,પરંતુ એમ કરવાની મારી ફરજ હતી,કારણ કે નાળાની ઊંચાઇનો કોઇને ખ્યાલ નહોતો.અવસ્તું હશે તો હજારો સિકંદર તૈયાર થઇ શકે છે,પરંતું સિકંદર ક્યારેય એક અવસ્તું નહી સર્જી શકે.'

सेवा विनतभावेन, गुरोराज्ञानुं पालनम्
य: करोति बीनाव्यजम् शिशष्य प्रवरस्मृ:

નમ્ર ભાવે અને અપેક્ષા રાખ્યાં વગર જે સેવા કરે અને ગુરુની આજ્ઞાનું પાલન કરે તે ઉત્તમ શિષ્ય મનાય છે.

www.sahityasafar.blogspot.com

♠ समय महा बलवान ♠

एक बार जंगल में एक बहुत बड़े से गड्ढे में एक शेर
गिर गया ।

परेशान होकर शेर यहाँ वहां देखने लगा पर उसे कोई रास्ता नजर नहीं आ रहा था ।

तभी वहां एक पेड़ में एक बन्दर आ गया , शेर को इस हाल में फंसा देखकर बन्दर , शेर का मजाक उडाने लगा , " क्यों शेर तू तो राजा बना फिरता है , अब
तो तेरी अकल ठिकाने आ गयी न, अब शिकारी तुझे मारेंगे , तेरी खाल निकालकर दीवार पर सजायेंगे, तेरे नाखून और दांत निकाल कर दवाई बनायेंगे । हँसमुखी चैनल पर तेरी न्यूज़ दिखाई जाएगी ?

तभी वो डाल जिसमें बन्दर बैठा था ,टूट गयी और बन्दर सीधे शेर के सामने आ गिरा ।

गिरते ही बोला " माँ कसम दादा माफ़ी मांगने के लिए कूदा हूँ !

हा हा हा ! :-) :-P :-)

वक़्त किसी का नहीं होता अगर आज आपका वक़्त है तो कल हमारा भी होगा है..

♠ માં બાપને એક ટકોર ♠

મારે આ દુનિયાનાં બધાં માબાપોને ફરીથી શાળાએ મોકલવાં છે, જ્યાં એમને માબાપ બનવાનું શિક્ષણ મળે,જ્યાં એમનું બાળપણ હું યાદ કરાવું.

એમને રોજ એમની પાસે પચાસ વખત લખાવું કે વરસાદમાં નાહવાથી શરદી થતી નથી, ને તડકે રમવાથી લૂ નથી લાગતી,

ધૂળમાં રમવાથી કોઇ ઈન્ફેકશન થતું નથી.
મહોલ્લાના નાકે ઊભા રહેવાની મજા ઓર છે,
હોળીને તાપણે, ઉત્તરાણની અગાસીએ, કૃષ્ણજન્મની રાતે, દિવાળીના દીવડામાં તો બાળપણ પાંગરે છે.

મારે માબાપ પાસે મારું દફતર ઊંચકાવવું છે,
રિક્ષામાં બેસીને માબાપને શહેરમાં ફેરવવાં છે,
એમને શી શિક્ષા કરું ?

એમની પાસે ખુતામણીની રમત રમાડું,
બાકસનાં ખાલી ખોખાં ભેગાં કરાવું,
ઉત્તરાણે આખી રાત દોરો પવડાવું,
હોળીનાં લાકડાં ને ઘાસની ચોરી કરાવું,
અનહાઇઝીનિક બરફ-ગોળો ખવડાવું,
વારે-ઘડીએ ડોકટર, પોલીસ કે બાવાની બીક બતાવનાર માબાપને, ઈન્કમટેક્સ ઓફિસરની બીક બતાવું? કે મરી રહેલા મારા બાળપણની!

– ડૉ. રાજન શેઠજી

♠ ટીખળનો જવાબ♠

→ બાળકોને કહેવાલાયક એક સરસ વાર્તા.

એક વખત ગધેડાએ વાંદરાની ટીખળ કરતાં કહ્યું,'વાંદરાભાઇ,તમારા પૂર્વજોએ એવું તે કયું કાળું કામ કર્યું હશે કે તમે બધા કાળું મો લઇને જન્મો છો? કોઇને પોતાના પૂર્વજોની ટીખળ ગમે?

વાંદરાએ જવાબ આપ્યો,'વર્ષો પહેલાં તમારા પૂર્વજ વનરાજનાં દરબારી હતા અને અમારા પૂર્વજ પ્રધાન હતાં.એક વખત વનરાજાએ જંગલના પ્રાણીઓને પથ્થર ઊંચકી  લાવીને રસ્તો બનાવવાનું કામ સોંપ્યું અને તમારા પૂર્વજને તેની દેખરેખ રાખવાનું કામ સોંપ્યું પણ તમારા પૂર્વજ ગધેડાએ તે પથ્થરોમાંથી પોતાનું ઘર બનાવી લીધું અને પથ્થરને બદલે રસ્તે કાદવ પથરાવી દીધો.અમારા પ્રધાન પૂર્વજ રસ્તાનું ઉદઘાટન કરવા ગયા પણ કાદવમાં લપસ્યા અને તે કાદવ તેના મોં પર ઉડ્યો તે દિવસથી અમે કાળું મોં લઇને જન્મીએ છીએ,પણ તે દિવસથી વનરાજે તમારા પૂર્વજ ગધેડાને માલસામાન ઊંચકવાની સજા કરી તેથી તમારે આટલું વજન ઊંચકવું પડે છે.'

♠ ઍન્ડ્રોક્લિઝ અને સિંહ ♠

ઍન્ડ્રોક્લિઝ નામે એક હબસી ગુલામ હતો.ગુલામી કોને ગમે? એ તો એક દહાડો છાનોમાનો નાસી ગયો જંગલમાં.ભોગ જોગે ત્યાં એક સિંહ તેને મળ્યો.એને થયું, આતો મૂઆ બાપલિયા!પણ સિંહ તો ન મારે કે ન પાછો જાય-તે તો તેની પાસે જ આવ્યા કરે!તે લંગડાતો હતો.કેમ કે તેના પગની પોચી ગાદીમાં કાંટો ભોંકાયો હતો. ઍન્ડ્રોક્લિઝ તેની વેદના સમજી.હિંમત કરીને તે દબાતા પગે સિંહની નજીક ગયો.સિંહની આંખો સાથે આંખો મિલાવી.તેને હળવા હાથે પંપાળ્યો અને હિંમત કરીને હળવા હાથે તે સિંહનો કાંટો કાઢ્યો.સિંહ દર્દભરી ચીસ પાડી ઉઠ્યો.તેણે પછી સિંહના ઘા પર વનસ્પતિના પાન વાટીને મલમપટ્ટી કરી.સિંહ પછી એને માર્યા વગર ચાલ્યો ગયો.

હવે ગામમાં ઍન્ડ્રોક્લિઝની શોધાશોધ ચાલી.શેઠે એ ગુલામને ખોળવા માણસો દોડાવ્યાં. ઍન્ડ્રોક્લિઝ પકડાયો.રાજ્યનો કાયદો એવો હતો કે,ગુલામ જો નાસી જાય તો તેને મરણની સજા કરવી. ઍન્ડ્રોક્લિઝને સિંહના પીંજરામાં પૂરીને મોત આપવાનું નક્કી કરાયું.

માણસ અને સિંહની આ ક્રૂર સાઠમારી જોવા સૌ લોક ભેગું થયું. ઍન્ડ્રોક્લિઝને સિંહના પીંજરામાં પૂરી દેવામાં આવ્યો.ઘૂરકતો અને ગર્જતો સિંહ તેની પાસે તો આવ્યો.પણ આ શું? ઍન્ડ્રોક્લિઝને જોઇને એ તો ધીમે ધીમે તેના પગ આગળ આવી,જાણે પાળેલો હોય, એમ તેને ચાટવા લાગ્યો અને વહાલ કરવા લાગ્યો !

એ સિંહ એ જ હતો જેનો તેમણે પગમાંથી કાંટો કાઢ્યો હતો અને તેના ઘા પર મલમપટ્ટી કરી હતી.

→ મિત્રો,ભલાઈ એવી ચીજ  છે કે તે સિંહ જેવાને પણ અસર કર્યા વગર રહે નહિં.કરેલો ઉપકાર તો પશુઓ પણ ભૂલતાં નથી જ્યારે માનવી.....માનવી તો ઘણીવાર ઉપકાર કરનાર સામે મળે તો પણ તેને નજરઅંદાજ કરી દે છે.