♠ अपना - अपना मूल्य ♠

एक बार एक शिष्य ने विनम्रतापूर्वक अपने गुरु जी से पूछा, ‘‘गुरु जी, कुछ लोग कहते हैं कि जीवन एक संघर्ष है, कुछ कहते हैं कि जीवन एक खेल है और कुछ जीवन को एक उत्सव की संज्ञा देते हैं। इनमें कौन सही है?’’

गुरु जी ने तत्काल बड़े ही धैर्यपूर्वक उत्तर दिया, ‘‘पुत्र, जिन्हें गुरु नहीं मिला उनके लिए जीवन एक संघर्ष है, जिन्हें गुरु मिल गया उनका जीवन एक खेल है और जो लोग गुरु द्वारा बताए गए मार्ग पर चलने लगते हैं, मात्र वे ही जीवन को एक उत्सव का नाम देने का साहस जुटा पाते हैं।’’

यह उत्तर सुनने के बाद भी शिष्य पूरी तरह से संतुष्ट न था। गुरु जी को इसका आभास हो गया। वह कहने लगे,‘‘लो, तुम्हें इसी संदर्भ में एक कहानी सुनाता हूं। ध्यान से सुनोगे तो स्वयं ही अपने प्रश्न का उत्तर पा सकोगे।’’

उन्होंने जो कहानी सुनाई, वह इस प्रकार थी- किसी गुरुकुल में 3 शिष्यों ने अपना अध्ययन सम्पूर्ण करने पर अपने गुरु जी से यह बताने के लिए विनती की कि उन्हें गुरु दक्षिणा में उनसे क्या चाहिए। गुरु जी कहने लगे, ‘‘मुझे तुमसे गुरु दक्षिणा में एक थैला भर के सूखी पत्तियां चाहिएं, ला सकोगे?’’

वे तीनों मन ही मन बहुत प्रसन्न हुए क्योंकि उन्हें लगा कि वे बड़ी आसानी से अपने गुरु जी की इच्छा पूरी कर सकेंगे। वे उत्साहपूर्वक बोले, ‘‘जी गुरु जी, जैसी आपकी आज्ञा।’’

तीनों शिष्य चलते-चलते एक जंगल में पहुंचे लेकिन यह देखकर कि वहां पर तो सूखी पत्तियां केवल एक मुट्ठी भर ही थीं, उनके आश्चर्य का ठिकाना न रहा। वे सोच में पड़ गए कि आखिर जंगल से कौन सूखी पत्तियां उठाकर ले गया होगा? इतने में ही उन्हें दूर से आता हुआ एक किसान दिखाई दिया। वे उससे विनम्रतापूर्वक याचना करने लगे कि वह उन्हें केवल एक थैला भर सूखी पत्तियां दे दे लेकिन किसान ने उनसे क्षमा याचना करते हुए उन्हें बताया कि वह उनकी मदद नहीं कर सकता क्योंकि उसने सूखी पत्तियों का ईंधन के रूप में पहले ही उपयोग कर लिया था।

अब वे तीनों पास ही बसे एक गांव की ओर इस आशा से बढऩे लगे कि हो सकता है वहां उनकी कोई सहायता कर सके। वहां पहुंच कर उन्होंने जब एक व्यापारी को देखा तो बड़ी उम्मीद से उससे एक थैला भर सूखी पत्तियां देने के लिए प्रार्थना करने लगे लेकिन उन्हें फिर से निराशा ही हाथ आई क्योंकि व्यापारी ने तो पहले ही कुछ पैसे कमाने के लिए सूखी पत्तियों के दोने बनाकर बेच दिए थे। अब निराश होकर वे तीनों खाली हाथ ही गुरुकुल लौट गए।

गुरु जी प्रेमपूर्वक बोले, ‘‘निराश क्यों होते हो ? प्रसन्न हो जाओ और यही ज्ञान देने के लिए कि सूखी पत्तियां भी व्यर्थ नहीं हुआ करतीं बल्कि उनके भी अनेक उपयोग हुआ करते हैं, मैंने गुरु दक्षिणा के रूप में देने को कहा था।’’

तीनों शिष्य गुरु जी को प्रणाम करके खुशी-खुशी अपने-अपने घर की ओर चले गए। वह शिष्य जो गुरु जी की कहानी एकाग्रचित होकर सुन रहा था, अचानक बड़े उत्साह से बोला, ‘‘गुरु जी, अब मुझे अच्छी तरह से ज्ञात हो गया है कि आप क्या कहना चाहते हैं। आपका संकेत इसी ओर है न कि जब सर्वत्र सुलभ सूखी पत्तियां भी बेकार नहीं होती हैं तो फिर हम कैसे किसी वस्तु या व्यक्ति को छोटा मान कर उसका तिरस्कार कर सकते हैं?’’

अब शिष्य पूरी तरह से संतुष्ट था।

♠ बादशाह का अहंकार ♠

एक सम्राट के दरबार में एक अजनबी यात्री घूमता हुआ पहुंचा। उसने सुंदर-सी एक पगड़ी अपने सिर पर बांध रखी थी और एक खूबसूरत पगड़ी हाथ में लिए हुए था। देखने में वह युवक काफी खूबसूरत और आकर्षक व्यक्तित्व का था। उसकी पगड़ी देखते ही राजा ने कहा, ‘‘ऐसी पगड़ी तो बहुत मुश्किल से दिखाई पड़ती है। यह सुंदर पगड़ी आपको कहां से मिली?’’

अजनबी ने कहा, ‘‘मैं तो यह पगड़ी बेचने के लिए ही इस राज दरबार में आया हूं। मैं कई राज दरबारों से वापस आ चुका हूं, यह पगड़ी कोई बादशाह खरीद ही नहीं पाया। मुझे बताया गया कि आप ही यह पगड़ी खरीद सकते हैं।’’

बादशाह ने पूछा, ‘‘आपकी इस पगड़ी की क्या कीमत है?’’

उस युवक ने कहा, ‘‘एक हजार स्वर्ण मुद्राएं।’’
वजीर ने राजा के कान में फुसफुसाते हुए कहा कि, ‘‘महाराज यह तो ठगने का काम कर रहा है। यह साधारण-सी पगड़ी बीस-पच्चीस रुपए से ज्यादा की नहीं है। यह तो लूट रहा है।’’

यह बात वजीर ने कान में ही कही थी लेकिन वह युवक होशियार था। उसने अंदाजा लगा लिया कि वजीर ने राजा से क्या कहा होगा। वहीं खड़े-खड़े उसने बादशाह से कहा, ‘‘हुजूर इसका मतलब मैं यह समझूं कि यह पगड़ी आप नहीं खरीद पाएंगे।’’

बादशाह ने वजीर को बुलाया और कहा, ‘‘वजीर! इस युवक को दो हजार स्वर्ण मुद्राएं दी जाएं और यह पगड़ी खरीद लें।’’

बादशाह के स्वाभिमान की बात थी। एक हजार स्वर्ण मुद्राएं युवक द्वारा मांगी जा रही थीं लेकिन युवक की बातें सुनकर बादशाह का अहं भड़क उठा और उन्होंने कहा, ‘‘जब मेरे नाम पर पगड़ी बेचने आया है तो इसे दो हजार मुद्राएं देकर पगड़ी खरीदी जाए।’’

फिर क्या था, पगड़ी खरीद ली गई। वह अनजान यात्री वजीर से धीरे से बोला, ‘‘महोदय, आपको पगड़ी की कीमत मालूम होगी लेकिन मुझे बादशाहों की कमजोरियां भी मालूम हैं।’’

बादशाहों की कमजोरी उस युवक को मालूम थी। बस, इसीलिए वजीर की सारी सलाह बेकार गई और पच्चीस रुपए की पगड़ी दो हजार स्वर्ण मुद्राओं में खरीद ली गई।

🌹 शिख 🌹

- अहंकार ही मनुष्य की सबसे बडी कमजोरी है l

♠ वेतन पर वतन की महत्ता ♠

एक विघालय के छात्रों ने जब सुना कि उनके प्रिय शिक्षक विद्यालय छोड़कर जा रहे हैं तो उनके बीच खलबली मच गई। छात्र उन्हे बहुत चाहते थे। कारण यह कि वे छात्रों को न केवल अपने विषय का समुचित ज्ञान देते, बल्कि अन्य विषयों में भी कोई परेशानी आने पर उसे तुरंत हल कर देते थे। निर्धन छात्रों के तो वे मसीहा थे। उनकी फीस नियत समय पर जमा कर उन्हें स्कूल से निकाले जाने से वे बचा लिया करते थे। साथ ही उपयोगी पुस्तकों को जरुरतमंद छात्रों के मध्य वितरित कर उनके ज्ञान में वृद्धि भी करते थे। ऐसे शिक्षक का विद्यालय छोड़ना छात्रों के लिए बहुत कष्टदायी था।

छात्र यह जानने के लिए उनके कमरे में गए कि वे क्यो जा रहे हैं?

छात्रो ने पूछा- सर , हमने सुना है कि आप किसी दूसरे विद्यालय में जा रहे हैं।क्या यह सच है? गुरु के हां कहने पर छात्रों ने प्रश्न उठाया-क्या आपको वहां अधिक वेतन मिलेगा?

शिक्षक ने कहा-नहीं, यहां मुझे 710 रुपये मासिक मिलते हैं और वहाँ 350 रुपये मासिक मिलेंगे। चकित छात्रों ने पुनः पूछा-इतना कम वेतन मिलने पर भी आप वहां क्यों जा रहे हैं?

शिक्षक ने उत्तर दिया-वहां मुझे वतन का काम करना हे। वेतन का मेरे लिए कोई आकर्षण नहीं हैं। तभी एक व्यक्ति कमरे में आया। शिक्षक ने बिना कोई सवाल-जवाब किए दराज खोलकर उसे दो हजार रुपए दिए और वह चला गया।

छात्रो ने फिर पूछा-सर , आपने इसे दो हजार रुपय क्यो दिए?

शिक्षक का जवाब था-यह धन देश के लिए दिया गया हैं और यह धन देश का ही हैं। छात्र अपने शिक्षक की देशभक्ति देखकर उनके प्रति श्रद्धानवत हो गए। यह शिक्षक और कोई नहीं, प्रसिद्ध क्रांतिकारी,लेखक,कवि और बाद में महान योगी बने श्री अरविंद घोष थे।

अरविंद घोष का यह देश प्रेम हमें सिखाता है कि राष्ट्र सर्वोपरि होता है और इसीलिए राष्ट्र के लिए किसी भी तरह के बलिदान हेतु तत्पर रहना ताहिए।

‎शिक्षा‬

लोग ऊंचे वेतन के चक्कर में उलझकर वतन के प्रति अपने दायित्व को भूल जाते हैं। यह गाथा वेतन पर वतन की महत्ता को इंगित करती हैं।

♠ યુદ્ધ એ માનવજાતનું પાશવી પાગલપન છે ! ♠

🌹  કુમારપાળ દેસાઇ 🌹

- ઇંટ અને ઇમારત

- સૌજન્ય :- ગુજરાત સમાચાર

જિંદગીમેં કોઈ પ્રચંડ પ્રતિભાનો વિચાર કરીએ તો મોનાલિસા ચિત્રના સર્જક લિઓનાર્દો-દ-વિન્ચીનું સ્મરણ થાય. લિઓનાર્દો કુશળ શિલ્પી હતા, વાસ્તુકાર હતા, સંગીતકાર અને ગણિતશાસ્ત્રી હતા, વૈજ્ઞાાનિક અને ભૂસ્તરશાસ્ત્રી હતા, નકશો દોરવાની કળામાં નિપુણ એન્જિનિયર હતા. વનસ્પતિશાસ્ત્રી અને સાહિત્યકાર તરીકે પણ એમની આગવી પ્રતિભા હતી. બાલ્યાવસ્થાથી જ લિઓનાર્દો અનેક વિષયોમાં આગવું સર્જન કરતા હતા.

આ લિયોનાર્દો પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રસંગોને સૌથી વધુ યાદ કરતો હતો. એક તો એ પારણામાં સૂતો હતો, ત્યારે બહાર ઘૂમતા એક પતંગની પૂંછડીએ એના ચહેરાનો સ્પર્શ કર્યો હતો, જેને એ પોતાના જીવનની શુકનવંતી ક્ષણ માનતો હતો અને બીજો પર્વતામાળામાં ઘૂમતો હતો, ત્યારે એક ભેદી ગુફામાં ગયો હતો. બાળક લિયોનાર્દોને ભય હતો કે આ ગુફામાં મોટા રાક્ષસો સંતાઈ રહ્યા છે અને તેથી જિજ્ઞાાસાવૃત્તિથી એ ગુફા જોવા ગયો હતો, પણ એનો ભય દૂર થયો. લિઓનાર્દો ડાબોડી કલાકાર હતા. ડાબા હાથે લખતાં, જો કે આથી એમના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ પોતાનું લખાણ ગુપ્ત રાખવા માટે આ રીતે લખતા હતા.

આ લિઓનાર્દો સ્વભાવનો એટલો બધો પ્રેમાળ હતો કે સૌની સમાન ચાહના મેળવી શકતો. એના પ્રભાવશાળી અને સોહામણા દેખાવને કારણે એની ઉપસ્થિતિમાં સહુ કોઈ ઉલ્લાસ અનુભવતા હતા. ઇટાલીના શરુઆતના કલામર્મજ્ઞાોએ નોંધ્યું છે કે લિઓનાર્દો ભલે ડાબા હાથે લખતા હોય, પરંતુ એમણે પ્રારંભમાં જમણા હાથે ચિત્રો દોરવાનું શરુ કર્યું હતું. આ લિઓનાર્દોએ બોધકથાની શ્રેણી લખી છે અને શ્રેણીમાં એની ફિલસૂફી જોવા મળે છે એનો ચરિત્રકાર જ્યોર્જિયો વસારીના કહેવા પ્રમાણે બાળપણથી જ લિઓનાર્દોને એક સાથે બધું શીખી લેવું હતું. એણે અંકગણિત શીખવાનું શરૃ કર્યું અને માત્ર થોડાં જ મહિનામાં એ એના શિક્ષકને અંકગણિતના પ્રશ્નોથી નવાઈ પમાડતો હતો.

લિઓનાર્દો પ્રથમ કક્ષાનો ભૂમિતિવિદ્ હતો. તેને વિવિધ બાબતોમાં રસ હતો. પ્રકૃતિનાં તેના વૈજ્ઞાાનિક નિરીક્ષણો શરીર રચનાને સમજવા માટે મહત્વનાં છે, તો માનવ-મૃતદેહના લાશના ઝીણવટભર્યા પૃથક્કરણો અને ઉડ્ડયન સ્થાપત્યના નકશાઓ એટલા જ અગત્યના છે. જે શહેરની આસપાસ દુશ્મનોએ ઘેરો ઘાલ્યો હોય, ત્યાં પાણીની ઊર્જા મેળવવા એણે પ્રયોગો કર્યા. એના સ્થાપત્યના નકશાઓ, ભૂમિતિનો અભ્યાસ, અંગત સ્મરણપત્રો- એ બધું સમયના જર્નલમાં નોંધાયેલું છે. માનવ શરીરની જટિલ રચના સમજવા માટે લિઓનાર્દો સતત ઉત્સુક રહેતો અને એ રાતના ઘોર અંધારામાં સ્મશાનમાં જઈને લાશ ખોદીને પોતાના સ્ટુડિયોમાં લાવતો હતો અને પછી ચીરીને માનવ શરીરનાં અંગોના જુદા જુદા ચિત્રો બનાવતો અને એના પર પોતાની નોંધ લખતો હતો.

લિઓનાર્દોએ બનાવેલી ડિઝાઇનમાં આજના વિમાનની ડિઝાઇન, ટેન્કની ડિઝાઇન, ડ્રાઇવિંગ સૂટની ડિઝાઇન, મશીનગનની ડિઝાઇન અને રોબોટીક ડિઝાઇન જોવા મળે છે. આ દ્રષ્ટિએ લિઓનાર્દો ઘણી આગવી પ્રતિભા ધરાવતો વિજ્ઞાાની હતો. એણે ૧૪૮૨માં મિલાનના શાસનકર્તા લુદોવિકો સ્પોર્ઝાને આ પ્રમાણે પત્ર લખ્યો હતો :

''સૌથી નામાંકિત એવા લોર્ડ, યુદ્ધનાં સાધનોનાં શોધકો અને નિષ્ણાતોના પુરાવાઓને પૂરતા પ્રમાણમાં નિહાળીને અને તેમની શોધોને સામાન્ય પ્રૅક્ટિસમાં તેનો ઉપયોગ જુદો પડતો ન લાગવાથી કેટલાક રહસ્યોથી આપને વાકેફ કરવાના હેતુથી હું આપ નામદારની સાથે વાર્તાલાપ કરવા પ્રોત્સાહિત થયો છું. હું હલકો અને મજબૂત હોય તેવા સહેલાઈથી હેરવી ફેરવી શકાય તેવો પૂલ બાંધી શકું છું, જેના વડે આપણે દુશ્મનોનો પીછો કરી શકીએ છીએ અને હરાવી શકીએ છીએ. હું એવા પ્રકારની તોપ બનાવી શકું છું જે હલકી હોય અને તેનું સહેલાઈથી સ્થળાંતર કરી શકાય તેમજ નાનાં નાનાં પથ્થરોની ઘા સ્વરૃપે વૃષ્ટિ કરી શકાય. હું સહેજ પણ અવાજ કર્યા વગર કોઈ પણ નક્કી કરેલ જગ્યાએ ભૂગર્ભમાં માર્ગો બનાવી શકું છું. પછી તે સીધા હોય કે વળાંકવાળા, જરૃર જણાય તો નદી કે ખાઈઓની હેઠળ. હું આયુધો માટેના વેગન પણ બનાવી શકું છું, જે લશ્કરના તોપખાનાને લઈ જઈ શકે, જે દુશ્મનોની ગીચ હરોળને વીંધી શકે.
                    
''શાંતિના સમયમાં હું માનું છું કે ઇમારતોના બાંધકામમાં આપને પૂર્ણ સંતોષ આપી શકું, જાહેર અને અંગત બાંધકામમાં તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં. હું કાંસાના, આરસના કે માટીના શિલ્પો બનાવી શકું છું. પેઇન્ટિંગમાં હું કોઈ પણ વ્યક્તિ જેવી જ કળાકૃતિ બનાવી શકું છું. ઉપર જણાવેલી બાબતો કોઈને અશક્ય કે અવાસ્તવિક લાગે, તો હું મારી જાતને આપના પાર્કમાં અથવા આપ જણાવો તે જગ્યાએ તે વસ્તુ કરી બતાવવાનો નમ્રતાથી પ્રસ્તાવ મૂકું છું. આપ નામદાર, હું આપની સમક્ષ નમ્રતાપૂર્વક આપને અરજ કરું છું.     

બાલ્યાવસ્થામાં લિઓનાર્દો પોતાની જાતે જ લાયર (એક પ્રકારનું તંતુવાદ્ય વગાડતા) શીખ્યો હતો એ પછી એણે ઘોડાના મસ્તકના આકારનું લાયર બનાવ્યું. એ લાયર મુખ્યત્વે ચાંદીમાં તૈયાર થયું. એ બુલંદ રણકારવાળું અને પ્રતિધ્વનિ પાડતું વાજિંત્ર હતું. લિઓનાર્દોએ આ લાયર પર સંગીતમય રજૂઆત કરીને મિલાનના ડયૂકને પ્રસન્ન કર્યા હતા. લિઓનાર્દો ચુસ્ત શાકાહારી હતો અને એને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. એ એટલો બળવાન હતો કે એકલે હાથે હિંસાનો સામનો કરી શકતો. ડાબા હાથથી લોખંડના દરવાજાના આંગળીયાને વાળી શકતો હતો. એ ઘણીવાર અરિસા સામે લખતો જોવા મળતો અને આ રીતે ઉંઘા અક્ષરોમાં પોતાની ખાનગી વાત લખવાનું કૌશલ એણે પ્રાપ્ત કર્યું હતું એના પ્રારંભના જીવનચરિત્રમાં સમકાલીન નોંધરૃપે એનો પ્રાણીઓ પ્રત્યે ઉભરાતા પ્રેમનો સંકેત સાંપડે છે. એણે કહ્યું કે,

'માંસાહાર કરવો તે સ્વાસ્થ્યને માટે સહેજે એ જરૃરી નથી. એ ઉપરાંત એ સમયે ઇટાલીમાં એણે એ પ્રશ્ન ઉઠાવ્યો કે પ્રાણીઓનું માંસ ખાવામાં કેટલી નીતિમત્તા રહેલી છે ? એ એમ માનતો કે કોઈને બિનજરૃરી પીડા પહોંચાડવી, તે એક જીવને હણવા સમાન છે એના જીવનચરિત્ર લેખક વસારીએ નોંધ્યું છે કે, લિઓનાર્દો ફ્રાંસમાં રસ્તા પરથી પસાર થતો, ત્યારે વેચવા માટે રખાયેલા પાંજરામાં પુરાયેલા પક્ષીઓને જોતો. તે વેચનાર પાસે જઈને પક્ષીઓની કિંમત ચૂકવી દેતો ને પોતાના હાથે જ એ પક્ષીઓને હવામાં ઉડાડી દઈને મુક્તિ બક્ષતો હતો. એ સમયે એક પત્રમાં એડ્રેકોસારીએ ભારતમાં વસતી ગુજરાતી કોમનો ઉલ્લેખ કર્યો હતો અને તેમાં નોંધ્યું હતું કે, આપણા લિઓનાર્દોની જેમ ગુજરાતમાં પણ લોકો જેમાં રક્ત સમાવિષ્ટ હોય અથવા તો જેને માટે કોઈ જીવની હાનિ થઈ હોય એવો આહાર લેતા નથી. લિઓનાર્દોએ પોતાની નોટબુકમાં એક જલદ શબ્દોમાં નોંધ કરી છે. જો કે એની આ નોંધ ૧૯મી સદી સુધી લોકોને ક્ષુલભ કરવામાં આવી નહોતી. એણે લખ્યું છે કે -'

'માણસ પોતાની જાતને પ્રાણીઓના રાજા તરીકે વર્ણવે છે, પણ હકીકતમાં એણે પોતાની જાતને જંગલી અને હિંસક પ્રાણીઓના રાજા તરીકે ઓળખાણ આપવી જોઈએ. બધા પ્રાણીઓમાં સૌથી શ્રેષ્ઠ છે માટે માણસ મહાન છે અને પ્રાણીઓ તેમને માત્ર મદદ જ કરતા નથી પરંતુ તમારી શ્વેદેન્દ્રિય સંતોષવા માટે તેમના બચ્ચાંઓ મોકલી આપે છે. શું માણસે પોતાની જાતને પ્રાણીઓ માટેની કબર બનાવવાનો પ્રયત્ન કર્યો નથી ? જો મને સંપૂર્ણ સત્ય કહેવાની મંજૂરી મળે તો હું નિખાલસતાથી આ વાત કરીશ.'

આવી જ રીતે લિઓનાર્દોએ યુદ્ધ વિશે પણ વાત કરી છે. લિઓનાર્દોએ હથિયારોની ડિઝાઇન શોધી આપી તેની પાછળ તેનો હેતુ શો હતો ? શું એ યુદ્ધનો બચાવ કરતો હતો ? તો એનો જવાબ એ છે કે એના હથિયારોની ડિઝાઇન ક્યારેય આક્રમક નહોતી બનતી, પરંતુ સંરક્ષક હતી. કિલ્લેબંધી દ્વારા લશ્કરી મથકને સુદ્રઢ અને મજબૂત બનાવવા એ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા ચાહતો હતો. એના જ શબ્દો જોઈએ તો,
'મહત્ત્વકાંક્ષી આતતાયી જ્યારે ઘેરો ઘાલે ત્યારે પ્રકૃતિએ આપેલી મુખ્ય બક્ષિસનું રક્ષણ કરવાના હેતુથી હું હુમલા અને બચાવ માટેનાં સાધનો શોધવાં પ્રયત્ન કરું છું. સૌ પ્રથમ તો દીવાલોની સ્થિતિ કેવી છે તે વિશે કહું છું અને તે પછી કેવી રીતે જુદા જુદા લોકો પોતાની ભલાઈ જાળવી શકે તેનો વિચાર કરું છું.'

યુદ્ધને તો એ પાશવી પાગલપન માને છે અને કહે છે કે જે માનવી પોતાની મહેનતથી કુદરતના અપૂર્વ સર્જનને નિહાળે છે, તે જ માનવી તેનો વિનાશ કરવા માટે ઘાતકી કાર્યોને ન્યાયી ઠેરવે છે, તે કેવું ? એ દર્શાવે છે કે માનવીની જિંદગી લઈ લેવી તે એક અધમમાં અધમ ઘાતકી કાર્ય છે. લિઓનાર્દોના વિચારો આજે પણ એટલા જ પ્રભાવક છે એ વિશે પુસ્તકોના પુસ્તકો લખી શકાય.
બાળપણમાં જ લિયોનાર્દોના પિતાને એના પુત્રમાં રહેલા અસાધારણ કૌશલ્યનો ખ્યાલ આવ્યો હતો. બાળક લિયોનાર્ડોએ દોરેલા ચિત્રો તેના મિત્ર એવા એન્ડ્રે ડેલ વિરોસિઓને બતાવવા માટે લઈ ગયા હતા. એમણે લિયોનાર્દોને પોતાના સાથી તરીકે રાખ્યા.

આ સમયે લિયોનાર્ડો ભૂમિતિશાસ્ત્રમાં પ્રથમ કક્ષાનો નિષ્ણાત સાબિત થયો. લિયોનાર્ડોએ આ સમયે સ્મિત કરતી મહિલાઓ અને નિર્દોષ બાળકોના મસ્તકનાં માટીના શિલ્પો બનાવ્યા હતા. કેટલાક વર્ષ પછી એ શિલ્પોનું વેચાણ પણ થયું.
ઇ.સ. ૧૫૧૯માં ૬૭ વર્ષની વયે લિયોનાર્દોનું અવસાન થયું. આ સમયે આશ્ચર્યની હકીકત એ છે કે પોતાની પાછળ પોતાની જર્નલમાં ૬૦૦૦ પાનાનું લખાણ મૂકી ગયો હતો અને છ હજાર પાનાઓમાં વ્યક્તિગત ચિંતન ધરાવતા લેખો હતા, હળવી રમૂજો હતી, કરિયાણાની યાદીઓ હતી અને સવિશેષ તો આમાંથી લિયોનાર્દોના જીવનની ઝાંખી થાય છે. આ જર્નલમાં એણે પોતાના પ્રેરણાસ્તોત્ર વિષે લખ્યું છે. પોતાની કાયમી ઝંખનાઓ કઈ કઈ છે એની વાત કરી છે અને પોતાના હૃદયને સ્પર્શી ગયેલી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

લિયોનાર્દોને સેઇન્ફલોરેન્ટિન પેલેસ ચર્ચ પાસે દફનાવાયો હતો, પણ ફ્રેન્ચ ક્રાંતિએ તે સ્થળનું નામોનિશાન કાઢી નાખ્યું હતું અને તેના અવશેષો પણ અઢારમી સદીની શરૃઆતમાં નાશ પામ્યા હતા, તેથી તેની કબરનું ચોક્કસ સ્થાન ઓળખવું અશક્ય હતું. લિઓનાર્દોને અપૂર્વ ઈશ્વરીય વરદાન પ્રાપ્ત થયેલું હતું. તે એવી બાબતોને જોઇ શક્તો અને અનુભવી શક્તો હતો જેના વિશે ધીમી ગતિની ફોટોગ્રાફીના પ્રચાર પહેલા કોઈ જાણી શક્તું ન હતું.
તેણે પડછાયાના રંગો વિશે જે વાત લખી હતી તે અંગે ૧૯મી સદી સુધી કોઈએ તેમાં પ્રગતિ કરી ન હતી. તેમના ધાર્મિક અને નૈતિક બાબતો વિશેના વિચારો વિશે ઘણું કહેવાય છે, પણ અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિની તુલના સામાન્ય માનવીની પ્રતિભા સાથે ન થઈ શકે. વિવિધ કૌશલ્યમાં નિપૂણ એવો આ માનવી ફક્ત પેઇન્ટર જ ન હતો, પણ ફળપ્રદ શોધક પણ હતો કે જેની કલ્પનાઓ સમયથી એટલી બધી આગળ હતી કે જે હજી આપણા યુગમાં પણ સાકાર થઈ શકી હતી.