~•~° સાભાર °~•~
🌹 માનવ થાઉં તો ઘણું.
🌹 બહાદુરશાહ પંડિત
પ્રખ્યાત સિતારવાદક રૂબેન્સ્ટાઇન સંગીતનો કાર્યક્રમ આપ્યા બાદ એટલા બધા થાકી જતા હતાં કે એ કોઇને પણ પોતાના હસ્તાક્ષર આપતા નહોતાં.
એ રીતે એકવાર કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું કે પિયાનો વગાડ્યા બાદ રૂબેન્સ્ટાઇનના હાથ દુ:ખી જતા હોવાથી કોઇએ પણ એમની પાસે હસ્તાક્ષર માંગવા નહિ.
આમ છતાં જેવા તેઓ પિયાનો વગાડીને બહાર નિકળ્યા કે એક નાની સુંદર કન્યાએ તેમની પાસે પોતાની હસ્તાક્ષરપોથી ધરી. રૂબેન્સ્ટાઇને નારાજ થઇને એ કન્યા સામે જોયું , એટલે એ બોલી,''મને ખબર છે કે પિયાનો વગાડીને તમારા હાથ દુ:ખે છે પણ એમ તો અમારા હાથ પણ દુ:ખે છે - તાળીઓ પાડીને.''
રૂબેન્સ્ટાઇને એ બાળકીની હસ્તાક્ષરપોથીમાં તરત જ પોતાના હસ્તાક્ષર પાડી આપ્યા એ વાતની સ્પષ્ટતા કરવાની ભાગ્યે જ જરૂર રહે છે.
કદરદાની એ ''માસ્ટર કી'' - ગુરુચાવી છે.ગમે તેવા કઠોર હ્રદયના તાળાને પણ આ ચાવીથી ખોલી શકાય છે. નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ પોતાના કાર્યની કદર થાય એમ ઇચ્છતા હોય છે.કદરનો એકાદ શબ્દ કે કોઇવાર તો નાનો સરખો ઇશારો માત્ર માણસના ચિત્તને પ્રફુલ્લિત બનાવી દે છે.
અબ્રાહમ લિંકનની માતાએ મરતી વખતે એમને પાસે બોલાવી કહ્યુ હતું કે, ''બેટા,તું હજી બાળક છે પણ તારી શક્તિઓ જોતા લાગે છે કે તું મહાન બનીશ.'' કદરદાનીના આ શબ્દોએ અબ્રાહમ લિંકનને પ્રેરણા આપી હશે એવું ચોક્કસપણે કહી શકાય.