♥ માથું ઝૂકે,પાઘડી નહિ ♥

તમે ચારણ જાતિના થઇને સભાની રીતિ - નીતિ નથી જાણતા.મને તો એ જાણકારી હતી કે રાજપૂતાના ચારણ ખૂબ જ વિદ્વાન તથા કવિ પણ હોય છે.

''તમે અહીં આવીને દરબારના નિયમ અનુસાર અભિવાદન ન કરીને શિષ્ટાચારનું પાલન નથી કર્યું.એવું માલૂમ થાય છે કે તમે એક અભણ,અશિષ્ટ વ્યક્તિ છો,જે મારા દરબારમાં ઉપસ્થિત થયાં છો.'' અકબરે આ શબ્દો શીતલ નામના ચારણને કહ્યાં.

શીતલે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો,''જહાંપનાહ,ધૃષ્ટતા માટે ક્ષમા કરો.મારી શું હેસિયત છે કે હું આપને સલામ ન કરું ! વાત એ છે હજૂર કે મારા માથા પર જે પાઘડી બાંધેલી છે તે મહારાણા પ્રતાપથી મને ભેટમાં મળેલી મળેલી છે અને રાણા પ્રતાપ આજ દિન સુધી દુશ્મનની સામે ઝૂક્યાં નથી.આપ જ બતાવો સરકાર,શું મને રાણાની પાઘડીને આ પ્રકારે ઝૂકાવવાનો અધિકાર છે? મેં એટલા માટે આપનું અભિવાદન નથી કર્યું.''

આમ કહીને તેણે પાઘડી પોતાના હાથમાં લઇ લીધી અને માથું ઝૂકાવી દીધું.રાજસ્થાનની પાઘડી ઝૂકતી નથી.શીતલનું માથું તો ઝૂક્યું,પરંતુ મન નહિં.

→ વાઘની ગુફામાં જઇને તેને પડકારવો સરળ કામ નથી.શીતલે એ જ કામ કર્યું જે એક દેશભક્તે કરવું જોઇએ.

♥ અસીમ ધૈર્ય ♥

ગ્રીષ્મની બળબળતી બપોરનો સૂર્ય આકાશમાંથી અગનગોળા વરસાવતો હતો. ભગવાન બુદ્ધ એમના શિષ્ય ભિખ્ખું આનંદ સાથે વિહાર કરતા હતા. કાળઝાળ ગરમી અને દીર્ઘ વિહારને કારણે ભગવાન બુદ્ધને તૃષા લાગી.

એમણે પ્રિય શિષ્ય આનંદને કહ્યું, ''આપણે વિહાર કરતા હતા, ત્યારે માર્ગમાં કલકલનાદે વહેતું નાનકડું ઝરણું જોયું હતું. એ ઝરણું જોઇને મારા ચિત્તે અપાર પ્રસન્નતા અનુભવી હતી. તો આનંદ,
એ ઝરણા પાસે જઇને પાણી લઇ આવ, અતિ તૃષા લાગી છે.''

ભિખ્ખુ આનંદ એ ઝરણા પાસે ગયા. આસપાસની પ્રકૃતિ અને વહેતા ઝરણાંનો મધુર તાલબદ્ધ ધ્વનિ આનંદના અંતરને પુલકિત કરી રહ્યા. એમણે ઝરણામાંથી પાણી લેવા માટે પાત્ર નીચું વાળ્યું, પણ પાણી લેતા થંભી ગયા. બન્યું હતું એવું કે આ
ઝરણાના માર્ગમાં કેટલાક રથો પસાર થયા હતા. એ રથને કારણે આ ઝરણાનું જળ મલિન બની ગયું હતું. આવું ધૂળવાળું કાદવ- કીચડવાળું જળ કઇ રીતે લઇ જાય ? આથી ભિખ્ખું આનંદ પાછાં ફર્યા.

એમણે આવીને ગૌતમ બુદ્ધને કહ્યું, ''ઝરણાંનું
પાણી અત્યંત મલિન હતું. આ નાના ઝરણાં વચ્ચેથી કોઇ રથ પસાર થયા હોવાથી એનું પાણી ધૂળથી મેલું થઇ ગયું અને કાદવ- કીચડ ઉપર આવી ગયા, આથી હું પણ લાવ્યો નથી. જો તમે
આજ્ઞાા આપો તો થોડે દૂર આવેલી નદીમાંથી પાણી લઇ આવું.''

ગૌતમ બુદ્ધે કહ્યું, ''ના, એટલે લાંબે અંતરે જવાની જરૂર નથી. થોડીવાર પછી પુનઃ જઇને ઝરણાનું પાણી લઇ આવું.''

થોડીવાર થઇ. બુદ્ધના આદેશ પ્રમાણે ભિખ્ખુ આનંદ પુનઃ ઝરણાં પાસે ગયા, પરંતુ મલિન જળ જોઇને પાછા આવ્યા.

ફરી ભગવાન બુદ્ધને કહ્યું, 'હજી ઝરણાનું પાણી અશુદ્ધ જ છે. આપ કહો તો નદી પરથી પાણી લઇ આવું.'

ભગવાન બુદ્ધે કહ્યું, ''આનંદ, થોડીવાર પછી પુનઃ ઝરણા પાસે જજે, ત્યાંથી શુદ્ધ પાણી મળી રહેશે.''

ભિખ્ખુ આનંદ ત્રીજી વાર એ ઝરણા પાસે પહોંચ્યા. એમણે જોયું તો પહેલા પાણીમાં જે કાદવ-કીચડ હતાં, તે તળિયે બેસી ગયા હતા. મલીન પાણી વહી ગયું હતું. જલપાત્રમાં નિર્મળ જળ લઇને આનંદ પાછા આવ્યા. તે બુદ્ધના ચરણોમાં નમ્યા અને બોલ્યા.

''ઓહ, આજે આપે મને કેવો મહાન ઉપદેશ
સમજાવ્યો. આનાથી મને ખ્યાલ કે જીવનમાં કશું જ સ્થાયી નથી. માત્ર ધૈર્ય જોઇએ.''

♥ બોધ ♥

હકીકતમાં માનવી દુઃખ આવતા માની લે છે કે આ દુઃખ હંમેશા રહેવાનું છે અને સુખ આવતા એમ સમજવા લાગે છે કે હવે જીવનમાં સુખ સિવાય બીજું કશું નથી. દુઃખની વેળાએ એ ધૈર્ય ગુમાવે છે અને સુખને સમયે એ સમજ ખોઇ બેસે છે.પરિણામ
એ પરિસ્થિતિની કે જીવનની અનિત્યતાને જોઇ
શકતો નથી અને સઘળું નિત્ય માનીને જીવે છે. જે જીવનની પરિસ્થિતિની અનિત્યતાને જુએ છે તે જીવનના નિત્ય આનંદને માણી શકે છે. આને માટે ભિખ્ખું આનંદ સમજ્યો તેમ ધૈર્ય જોઇએ. આ ધૈર્ય જ માણસને બધી સ્થિતિમાં આનંદિત અને
પ્રફુલ્લિત રાખે છે.

★ ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ ★

♠ रामकृष्ण परमहंस - विवेकानंद संवाद ♠

स्वामी विवेकानंद     :  मैं समय नहीं निकाल पाता. जीवन आप-धापी से भर गया है.

रामकृष्ण परमहंस   :  गतिविधियां तुम्हें घेरे रखती हैं. लेकिन उत्पादकता आजाद करती है.

स्वामी विवेकानंद     :  आज जीवन इतना जटिल क्यों हो गया है?   
     
रामकृष्ण परमहंस   :  जीवन का विश्लेषण करना बंद कर दो. यह इसे जटिल बना देता है. जीवन को सिर्फ जिओ.

स्वामी विवेकानंद     :  फिर हम हमेशा दुखी क्यों रहते हैं?   
   
रामकृष्ण परमहंस   :  परेशान होना तुम्हारी आदत बन गयी है. इसी वजह से तुम खुश नहीं रह पाते.

स्वामी विवेकानंद     :  अच्छे लोग हमेशा दुःख क्यों पाते हैं?

रामकृष्ण परमहंस   :  हीरा रगड़े जाने पर ही चमकता है. सोने को शुद्ध होने के लिए आग में तपना पड़ता है. अच्छे लोग दुःख नहीं पाते बल्कि परीक्षाओं से गुजरते हैं. इस अनुभव से उनका जीवन बेहतर होता है, बेकार नहीं होता.

स्वामी विवेकानंद     :  आपका मतलब है कि ऐसा अनुभव उपयोगी होता है?

रामकृष्ण परमहंस   :  हां. हर लिहाज से अनुभव एक कठोर शिक्षक की तरह है. पहले वह परीक्षा लेता है और फिर सीख देता है.

स्वामी विवेकानंद     :  समस्याओं से घिरे रहने के कारण, हम जान ही नहीं पाते कि किधर जा रहे हैं...

रामकृष्ण परमहंस   :  अगर तुम अपने बाहर झांकोगे तो जान नहीं पाओगे कि कहां जा रहे हो. अपने भीतर झांको. आखें दृष्टि देती हैं. हृदय राह दिखाता है.

स्वामी विवेकानंद     :  क्या असफलता सही राह पर चलने से ज्यादा कष्टकारी है?

रामकृष्ण परमहंस   :  सफलता वह पैमाना है जो दूसरे लोग तय करते हैं. संतुष्टि का पैमाना तुम खुद तय करते हो.

स्वामी विवेकानंद     :  कठिन समय में कोई अपना उत्साह कैसे बनाए रख सकता है?

रामकृष्ण परमहंस   :  हमेशा इस बात पर ध्यान दो कि तुम अब तक कितना चल पाए, बजाय इसके कि अभी और कितना चलना बाकी है. जो कुछ पाया है, हमेशा उसे गिनो; जो हासिल न हो सका उसे नहीं.

स्वामी विवेकानंद     :  लोगों की कौन सी बात आपको हैरान करती है?

रामकृष्ण परमहंस   :  जब भी वे कष्ट में होते हैं तो पूछते हैं, "मैं ही क्यों?" जब वे खुशियों में डूबे रहते हैं तो कभी नहीं सोचते, "मैं ही क्यों?"

स्वामी विवेकानंद     :  मैं अपने जीवन से सर्वोत्तम कैसे हासिल कर सकता हूँ?

रामकृष्ण परमहंस   :  बिना किसी अफ़सोस के अपने अतीत का सामना करो. पूरे आत्मविश्वास के साथ अपने वर्तमान को संभालो. निडर होकर अपने भविष्य की तैयारी करो.

स्वामी विवेकानंद     :  एक आखिरी सवाल. कभी-कभी मुझे  लगता है कि मेरी प्रार्थनाएं बेकार जा रही हैं.

रामकृष्ण परमहंस   :  कोई भी प्रार्थना बेकार नहीं जाती. अपनी आस्था बनाए रखो और डर को परे रखो. जीवन एक रहस्य है जिसे तुम्हें खोजना है. यह कोई समस्या नहीं जिसे तुम्हें सुलझाना है. मेरा विश्वास करो- अगर तुम यह जान जाओ कि जीना कैसे है तो जीवन सचमुच बेहद आश्चर्यजनक है.

♠ સંતનું સંતત્વ ♠

આજથી ૧૮૪ વર્ષ પહેલાંની આ વાત છે.એ વખતે આપણાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું.મુંબઇ ઇલાકાના ગવર્નર સર જ્હોન માલ્કમ ભારતિય સંસ્કૃતિથી પ્રભાવિત હતાં.એ વખતે સહજાનંદ સ્વામીનો ગુજરાત - સૌરાષ્ટ્રમાં ભારે પ્રભાવ હતો.
સર જ્હોન માલ્કમે સ્વામીજીને રાજકોટ પધારવા આમંત્રણ આપ્યું અને ભગવાન રાજકોટ પધાર્યાં.ફેબ્રુઆરી મહીનાની 26 મી તારીખે 1830માં રાજકોટમાં મુલાકાત થઇ.ગવર્નર ખૂૂબ ખુશ થયાં અને ભાવપૂર્વક વંદન કર્યાં.

સ્વામીજીએ રાજકોટમાં હરિભક્તોની સભા કરી.ત્યાં બોરડીનું ઝાડ હતું.બોરડીની છાયામાંજ સ્વામીજીનું આસન હતું.આ સમયે યોગીરાજ મહાન તપસ્વી સંત ગોપાળાનંદજી તે બોરડી નીચેથી પસાર થયાં અને બોરડીના કાંટા તેમણે માથે પહેરેલી પાઘડીમાં ભરાયાં.અચાનક જ ગોપાળાનંદ સ્વામી બોલી ઉઠ્યાં, '' હે બોરડી ! પૂર્ણ પુરૂષોત્તમ સ્વામી સહજાનંદનો સાક્ષાત સંબંધ થયો છતાં તારો સ્વભાવ છોડ્યો નહિ? ''

આ બોલતાં જ બોરડીનાં તમામ કાંટા ખરી પડ્યાં અને આ બોરડી જે ''બદરીવૃક્ષ'' તરીકે ઓળખાય છે તે કાંટા વગરની થઇ ગઇ.સંતના શબ્દોનો આ તે કેવો ચમત્કાર !

રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પરનાં શ્રીજી મહારાજનાં સંસર્ગવાળી પ્રસાદીભૂત આ બોરડી આજે પણ આ સ્થળે ત્યાં ભવ્ય નિર્માણ પામેલ સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં અડીખમ ઊભી છે.હરિભક્તો અને ભાવિકો તેની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે.આશરે ૨૦૦ વર્ષ પૂરાણી આ બોરડીને ગુજરાતના હેરીટેજ વૃક્ષોમાંના એક વૃક્ષ તરીકે સ્થાન મળ્યું છે.

સંત સમાગમથી એક નિર્જીવ વૃક્ષના સ્વભાવમાં પરિવર્તન થતું હોય તો માનવ સ્વભાવમાં પરિવર્તન થાય તેમાં શી નવાઇ?

♠ ઉત્તરાધિકારી કોણ? ♠

www.sahityasafar.blogspot.com

ઘણાં સમય પહેલાંની વાત છે.એક રાજા વૃદ્ધ થઇ ગયો ત્યારે તેને પોતાના ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી.આથી એક દિવસ તેણે રાજ્યના નવયુવકોને મહેલમાં બોલાવ્યા અને એક એક બી આપીને કહ્યું કે ''હું ઇચ્છું છું કે આ બધાં નવયુવકો તેને વાવે અને એક વર્ષ પછી આ બીમાંથી ઊગેલાં છોડ લઇને આવશે ત્યારે તે પોતાનાં ઉત્તરાધિકારીની ઘોષણા કરશે.''

બધાંજ યુવકો બી લઇને ઘરે આવી ગયાં અને પૂરી મહેનતથી તેની સારસંભાળ કરવાં લાગ્યાં.એમાં કલિંગ નામનો એક નવયુવક પણ હતો.તે પણ હોંશે-હોંશે બીને ખાતર-પાણી આપતો.આમને આમ 3 અઠવાડિયાં પસાર થઇ ગયાં.બધાંજ યુવકો પોતાનાં નાના-નાના છોડને જોઇને ખુશ થઇ રહ્યાં હતાં.પણ કલિંગના બીમાંથી અંકુર ફૂટ્યું નહોતું.3 અઠવાડિયાં, 4 અઠવાડિયાં.....આવી જ રીતે 6 અઠવાડિયાં પસાર થઇ ગયાં.કલિંગ નિરાશ થઇ ગયો.છેવટે એ દિવસ આવી ગયો જ્યારે બધાએ રાજાની સામે હાજર થવાનું હતું.બધાંના કૂંડામાં રંગબેરંગી ફૂલો લહેરાઇ રહ્યાં હતાં,પણ કલિંગનું કૂંડૂ ખાલી હતું.તેને ડર લાગ્યો કે તેણે બી બરબાદ કરી દીધું છે અને હવે રાજા તેને મોતની સજા સંભળાવશે.પરંતુ બન્યુ ઊલટું.રાજએ કલિંગને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

રાજાએ કહ્યું કે એક વર્ષ પહેલાં તેણે બધાંને ઉકાળેલાં બી આપ્યાં હતાં એટલે કે તેમાંથી છોડ ઊગી શકે તેમજ નહોતો.

♥ બોધ ♥
ઇમાનદારી સામે ચાલાકી પણ હારી જાય છે.

www.sahityasafar.blogspot.com

♥ YOU CAN VISIT MY ''GK BLOG'' ♥

www.aashishbaleja.blogspot.com

♠ ચતુર ડ્રાઇવર ♠

www.sahityasafar.blogspot.com

એક સામાન્ય માણસની પણ કોઠાસૂઝ ઘણીવાર કોઇ અદભુત કામ કરી જાય છે તેની સાબિતી આપતો આ પ્રસંગ જરૂર વાંચજો અને શેર કરવાનું ભૂલતાં નહિ....

એક પ્રસિદ્ધ વક્તા હતો.એક દિવસ વક્તાની તબિયત ખરાબ થતાં ડ્રાઇવરે તેની જગ્યાએ ભાષણ આપવાની ઇચ્છા જાહેર કરી.અગાઉના ભાષણો તેના ડ્રાઇવરે સાંભળ્યાં હતાં.જે જગ્યાએ ભાષણ આપવાનું હતું ત્યાં વક્તાને કોઇ ચહેરાથી ઓળખતું નહોતું એટલે બીજો તો કોઇ વાંધો આવે તેમ નહોતો,છતાં કંઇ ગરબડ ન થાય તે માટે વક્તા પોતે ડ્રાઇવરના વેશમાં તેની સાથે ગયો.અસલી ડ્રાઇવરે પૂરા આત્મવિશ્વાસ સાથે બહેતરીન ભાષણ આપ્યું.ત્યાં સુધી કે તેની બોડી લેંગ્વેજ અને હાવભાવ પણ એકદમ વક્તા જેવા હતાં.લોકો 'વક્તા'પર આફરીન થઇ ગયાં અને જોરદાર તાડીઓ વગાડીને તેનું અભિવાદન કર્યું. ત્યાર પછી શરૂ થયા સવાલ - જવાબ.એક શ્રોતાએ ખૂબ જ અઘરો સવાલ કર્યો.ડ્રાઇવર સમજી ગયો કે તે આ સવાલનો જવાબ નહી આપી શકે.એ તરત હસી પડ્યો : 'ઓહ! આ સવાલ તો એટલો સહેલો છે કે એનો જવાબ મારો ડ્રાઇવર પણ આપી શકે એમ છે.'

♥ બોધ ♥
વિદ્વાનની અસલી નિશાની કોઠાસૂઝ હોય છે.

www.sahityasafar.blogspot.com