ધર્મનિરપેક્ષતા

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ
રામાયણમાં રહિમ અને કુરાનમાં ક્રિષ્ન
લખી જોઇએ

ફર્ક શું પડશે એમાં એમની મહાનતાને ?
અદલાબદલી થોડી ઉપરવાળાની કરી જોઇએ

આઝાન પછી મંદિરના ભૂંગળે દેવાય
મસ્જીદે આરતી અલ્લાહની કરી જોઇએ

મૂર્તિ આગળ મહોમ્મદની પ્રેમથી
ચાલીસા પયગંબરની કરી જોઇએ

કોઈ મુબારક રમઝાનના દિવસે
નમાઝ કૃષ્ણ નામની પઢી જોઈએ

જયાં ન હોય કોઈ બંધન ને ફતવા
ચાલ ને એવો ધર્મ જીવી જોઈએ

ડૉ.હાર્દિક યાજ્ઞિક