♠ ભૂલનો સ્વીકાર ♠

સર આઇઝેક ન્યુટને અનેક શોધ કરી હતી તેને ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યો.પાંચ દાયકાની સફરમાં તેને થયેલા અનુભવોને પુસ્તકમાં રજુ કરવા તેમણે કાચી નોંધ તૈયાર કરી હતી.ટેબલની એક તરફ આ કાચી નોંધ પડી હતી.એટલામાં પ્રાર્થનાનો સમય થતાં તેઓ દેવળમાં ગયાં.તે સમયે ભૂલથી સળગતી મિણબત્તી રહી ગઇ હતી.એટલામાં એક ઉંદર ટેબલ ઉપર ચડી કાગળ ખાવા લાગ્યો એટલે ન્યુટનનો પાળેલો કૂતરો ઉંદરને ભગાડવા ટેબલ તરફ ધસી ગયો.ઉંદર કૂદકો મારીને ભાગ્યો પરંતુ તે દરમિયાન ટેબલ ઉપર સળગતી મિણબત્તી આડી પડી ગઇ અને કાચી નોંધ સળગવા લાગી.

ન્યુટન પાછા આવ્યા ત્યારે કાચી નોંધના કાગળ બળી ગયાં હતાં.પરંતું તેણે કોઇનો વાંક જોવાને બદલે પોતાનો વાંક જોયો.સળગતી
મિણબત્તી મુકી જવાની ભૂલ બદલ તેમણે પ્રાયશ્ચિતરૂપે ફરીથી બધી નોંધ તૈયાર કરી પુસ્તક છપાવ્યું.દોષનો ટોપલો અન્ય ઉપર ઢોળી દેવાની વૃત્તિને બદલે ભૂલ સુધારી પુન: આગળ વધવાથી જ પ્રગતિ સાધી શકાય છે.

♠ मन की आवाज ♠

एक बार कुछ scientists ने एक बड़ा ही interesting experiment किया..

उन्होंने 5 बंदरों को एक बड़े से cage में बंद कर दिया और बीचों -बीच एक  सीढ़ी लगा दी जिसके ऊपर केले लटक रहे थे..

जैसा की expected था, जैसे ही एक बन्दर की नज़र केलों पर पड़ी वो उन्हें खाने के लिए दौड़ा..

पर जैसे ही उसने कुछ सीढ़ियां चढ़ीं उस पर ठण्डे पानी की तेज धार डाल दी गयी और उसे उतर कर भागना पड़ा..

पर experimenters यहीं नहीं रुके,
उन्होंने एक बन्दर के किये गए की सजा बाकी बंदरों को भी दे डाली और सभी को ठन्डे पानी से भिगो दिया..

बेचारे बन्दर हक्के-बक्के एक कोने में दुबक कर बैठ गए..

पर वे कब तक बैठे रहते,
कुछ समय बाद एक दूसरे बन्दर को केले खाने का मन किया..
और वो उछलता कूदता सीढ़ी की तरफ दौड़ा..

अभी उसने चढ़ना शुरू ही किया था कि पानी की तेज धार से उसे नीचे गिरा दिया गया..

और इस बार भी इस बन्दर के गुस्ताखी की सज़ा बाकी बंदरों को भी दी गयी..

एक बार फिर बेचारे बन्दर सहमे हुए एक जगह बैठ गए...

थोड़ी देर बाद जब तीसरा बन्दर केलों के लिए लपका तो एक अजीब वाक्य हुआ..

बाकी के बन्दर उस पर टूट पड़े और उसे केले खाने से रोक दिया,
ताकि एक बार फिर उन्हें ठन्डे पानी की सज़ा ना भुगतनी पड़े..

अब experimenters ने एक और interesting चीज़ की..

अंदर बंद बंदरों में से एक को बाहर निकाल दिया और एक नया बन्दर अंदर डाल दिया..

नया बन्दर वहां के rules क्या जाने..

वो तुरंत ही केलों की तरफ लपका..

पर बाकी बंदरों ने झट से उसकी पिटाई कर दी..

उसे समझ नहीं आया कि आख़िर क्यों ये बन्दर ख़ुद भी केले नहीं खा रहे और उसे भी नहीं खाने दे रहे..

ख़ैर उसे भी समझ आ गया कि केले सिर्फ देखने के लिए हैं खाने के लिए नहीं..

इसके बाद experimenters ने एक और पुराने बन्दर को निकाला और नया अंदर कर दिया..

इस बार भी वही हुआ नया बन्दर केलों की तरफ लपका पर बाकी के बंदरों ने उसकी धुनाई कर दी और मज़ेदार बात ये है कि पिछली बार आया नया बन्दर भी धुनाई करने में शामिल था..
जबकि उसके ऊपर एक बार भी ठंडा पानी नहीं डाला गया था!

experiment के अंत में सभी पुराने बन्दर बाहर जा चुके थे और नए बन्दर अंदर थे जिनके ऊपर एक बार भी ठंडा पानी नहीं डाला गया था..

पर उनका behaviour भी पुराने बंदरों की तरह ही था..

वे भी किसी नए बन्दर को केलों को नहीं छूने देते..

Friends, हमारी society में भी ये behaviour देखा जा सकता है..

जब भी कोई नया काम शुरू करने की कोशिश करता है,
चाहे वो पढ़ाई , खेल , एंटरटेनमेंट, business, राजनीती, समाजसेवा या किसी और field से related हो, उसके आस पास के लोग उसे ऐसा करने से रोकते हैं..

उसे failure का डर दिखाया जाता है..

और interesting बात ये है कि उसे रोकने वाले maximum log वो होते हैं जिन्होंने ख़ुद उस field में कभी हाथ भी नहीं आज़माया होता..

इसलिए यदि आप भी कुछ नया करने की सोच रहे हैं और आपको भी समाज या आस पास के लोगों का opposition face करना पड़ रहा है तो थोड़ा संभल कर रहिये..

अपने logic और guts की सुनिए..
ख़ुद पर और अपने लक्ष्य पर विश्वास क़ायम रखिये..
और बढ़ते रहिये...

कुछ बंदरों की ज़िद्द के आगे आप भी बन्दर मत बनिये l

♠ દીકરી ♠


�� લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
�� કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે.

�� દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે,

�� હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે,

હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે,

�� સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.

�� ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

�� સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!!

�� પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે!

�� પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...

�� દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે

પણ,

દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?

�� દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે...

પણ,

દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે... !!

�� દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!

�� દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન..

�� એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી.

♠ ગૃહલક્ષ્મી ♠

♥ આભાર સહ....શૈલેષભાઇ સગપરિયા ♥

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.

યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, " હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ? "
પત્નિએ કહ્યુ, " તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.

બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું"
પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, " તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? " છોકરાની મમ્મી બોલી, " ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."

છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ,

" ગાંડી કોઇ બીજાની દિકરી
"પુરેપુરી આપણી થઇ જતી હોય" તો પછી "આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો" થાય
એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"

મિત્રો,
એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.

♠ પરીક્ષા ♠

→ અંત સુધી વાંચજો. ઇશ્વર આપણી ડગલે ને પગલે પરીક્ષા કરતો હોય છે.પણ આપણનેજ એનો ખ્યાલ રહેતો નથી.

એક નવા પાદરી ચર્ચમાં આવેલા. એક દિવસ તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતાં.તેમણે ભાડાના પૈસા આપ્યા અને સીટ પર બેસી ગયાં.કંડકટરે ભાડા ઉપરનાં પૈસા પાછા આપ્યા,તેમાં ભૂલથી દસ સેન્ટ વધારે આવી ગયાં.તે ચૂપચાપ પોતાની જગ્યાએ બેસી રહ્યા અને વિચાર્યું કે વધારાના પૈસા થોડી વાર પછી પાછા આપી દઉં.થોડી વાર પછી તેમને વિચાર આવ્યો કે દસ સેન્ટ જેટલી નાની રકમ માટે હું શા-માટે હેરાન થાઉં છું.બહેતર છે કે આ પૈસા હું મારી પાસે જ રાખું.આ બસકંપનીઓ આમ પણ ઘણો નફો કરે જ છે.આ દસ સેન્ટ હું ભગવાનની ભેટ સમજીને રાખી લઉં અને તેને કોઇ સારા કામમાં વાપરીશ.તેમના મનમાં વિચાર આવી રહ્યા હતાં અને તેનું સ્ટેશન આવી ગયું.તે બસમાંથી ઉતરતાં હતાં કે તેનું મન અચકાયું.તેમણે ખિસ્સામાંથી દસ સેન્ટ કાઢ્યાં અને પાછા આપતાં કહ્યું કે તમે ભૂલથી વધારે આપી દીધાં હતાં.

કંડક્ટર હસ્યો અને બોલ્યો, '' શું અહીનાં ચર્ચમાં નવા પાદરી આવ્યાં છો એ તમે જ છો ? ''

પાદરીએ હકારમાં ડોકું ધુણાવ્યું.

કંડક્ટર બોલ્યો, '' હું ઘણાં સમયથી તમારા પ્રવચન સાંભળવા આવવાનું વિચારતો હતો.તમને જોઇને મને થયું કે ચાલો તમને થોડા વધારે પૈસા આપી દઉં અને જોઉં કે તમે શું કરો છો? ''

પાદરીએ બસમાંથી ઊતરી આકાશ તરફ જોઇને કહ્યું, ''ભગવાન તે આજ મારી લાજ રાખી લીધી.''

→ મિત્રો,આ બોધકથાનો સાર એટલો જ છે કે ધર્મપંથ નિરંતર સભાનતા - સ્વજાગૃતિથી સફર કરવાનો માર્ગ છે.વર્ષોથી સંયમિત મન પર ક્યારે કયો કુસંસ્કાર ફૂટી નિકળે કંઇ કહેવાય નહીં.આ માર્ગે પોતાની મર્યાદા જાણી સરળ મનથી ઇશ્વરને સમર્પિત વ્યક્તિ જ જીવે છે.

♠ અલૌકિક પ્રેમ ♠

દ્વારિકામાં એકવાર કૃષ્ણ બિમાર થઇ ગયાં.નગર આખામાં હાહાકાર મચી ગયો.તમામ ઇલાજ નિષ્ફળ ગયાં.

આખરે વૈદે કહ્યું, કોઇ વ્યક્તિની ચરણરજ જોઇએ,તેનાથી ઉપચાર કરીએ પછીજ કૃષ્ણની તબિયત સુધરશે.ચરણરજ લાવવાની જવાબદારી નારદને સોંપવામાં આવી.તે રુક્મિણી,સત્યભામાં સહિત ઋષિમુનિઓ પાસે ગયાં,પરંતુ કોઇએ ચરણરજ ન લેવા દીધી.દરેકને બીક હતી કે પોતાની ચરણરજ આપીને નર્કમાં કોણ જાય.અંતે થાકીને નારદ કૃષ્ણ પાસે આવ્યા અને પોતાની આપવીતી સુણાવી.

કૃષ્ણ હસ્યાં અને કહ્યું,એકવાર વ્રજ જઇ આવો,ત્યાં કોઇ પણની ચરણરજ મળી જશે.નારદ તો વ્રજ પહોંચ્યાં.,ત્યાં જઇને વાત કરી તો સૌ ચિંતામાં પડી ગયાં, પરંતુ ચરણરજથી કૃષ્ણ સાજા થઇ શકે એ સાંભળ્યું તો બધાં પોતાની ચરણરજ આપવા ઉતાવળા થયાં.

નારદે કહ્યું,તમને નર્કનો ડર નથી ?

ગોપીઓએ કહ્યું , '' અમને તો કૃષ્ણ સિવાય બીજા કશામાં ગતાગમ જ પડતી નથી , તમે ઝડપથી ધૂળ લઇ જાઓ.તે વધુ પિડાય એ સહેવાતું નથી.'' નારદનાં આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો.

♥~~»»  કૃષ્ણ તો પછી સાજા થઇ ગયાં પરંતુ આ ઘટનાનો સંદેશ એવો છે કે પ્રિયપાત્રના સુખમાંજ સૌથી વધું આનંદ હોય છે.પ્રેમીને તેની આગળ બીજા વિચારો મહત્વના લાગતા નથી.
પ્રેમ એ અવસ્થા છે,જ્યાં વ્યક્તિ પ્રિયપાત્ર માટે જીવનનો સૌથી મોટો ત્યાગ કરવા પણ તત્પર રહે છે અને આ અવસ્થામાં તે સ્વત્વને ભૂલી જાય છે,પછી ભલે તેને નર્કનો ડર બતાવવામાં આવે.

♠ પરનિંદા ♠

♦ અંત સુધી વાંચજો.એક અત્યંત ચિંતનાત્મક વાર્તા છે. ♦

www.sahityasafar.blogspot.com

શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે નિંદક જેની નિંદા કરે છે, તેના ખાતામાં નિંદકનું જે કંઇ પુણ્ય હોય છે, તેમાંથી તેટલું જમા થઇ જાય છે.એટલે કંઇપણ પુણ્યકાર્ય કર્યા વગર ફક્ત નિંદા સહન કરી લેવાથી નિંદા કરનારનું પુણ્ય મળી જાય છે અથવા તો જેની નિંદા કરે છે, તેના ખાતામાં જો પાપકર્મ જમા થયેલા હોય તો તે નિંદકના ખાતામાં જતાં રહે છે.

એક રાજાના મનમાં જન્મમરણના ફેરામાંથી કેવી રીતે મુક્તિ મળે, એ પ્રશ્ન ઉઠ્યો.તેણે ઘણાંને આ પ્રશ્ન પૂછ્યો  પણ કોઇએ સંતોષકારક જવાબ આપ્યો નહિં.

એક દિવસ તેને એક સાધું મળ્યાં.તેમને પૂછતાં તેમણે કહ્યું કે, ''હાં,મારી પાસે એનો જવાબ છે.એક તો આપ આપનાં પાપકર્મોમાંથી મુક્ત થાઓ.સારા કાર્યો કરો,પ્રાયશ્ચિત કરો.અને બીજો માર્ગ છે કે કોઇ આપનાં પાપકર્મોનું ફળ પોતાનાં ખાતામાં લઇ લે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે તે આપની નિંદા કરે.''

ત્યારે રાજાએ સાધુને પૂછ્યું કે ''એ તો કહો કે મારા પાપકર્મોનું ફળ કેટલુંક છે?''

સાધુએ રાજાને કહ્યું ''આંખો બંધ કરી ઊંચુ જુઓ અને કહો શું દેખાય છે?''

''અરે,આ તો છાણનો મોટો ડુંગર દેખાય છે!'' રાજાએ કહ્યું.

''હાં,તો એ જ છે આપનાં પાપકર્મોનું ફળ.'' સાધુએ કહ્યું.

આંખ ખોલીને રાજા ઉદાસ થઇ ગયાં અને તેમને થયું કે આટલાં બધાં પાપકર્મોમાંથી મુક્તિ મેળવવી તો લગભગ અશક્ય છે.પણ પછી થયું કે મહાત્માજીએ કહ્યું છે તો લોકો મારી નિંદા કરે એ રસ્તો અજમાવી જોઉં.પણ રાજા તો અત્યંત લોકપ્રિય હતો.પ્રજાવત્સલ હતો.પ્રજા રાજાની ક્યારેય ટીકા કરતી નહી.પણ હવે રાજાએ એક બ્રાહ્મણ કન્યાનું અપહરણ કરાવ્યું.અલબત્ત,તેને મહેલમાં રાણીની પાસે પોતાની પુત્રીની જેમ રાખી પણ આ વાત અત્યંત ગુપ્ત હતી.બ્રાહ્મણ કન્યાના અપહરણને લઇને હવે લોકો રાજાની ફાવે તેવી વાતો કરવા લાગ્યા.રાજાની ખૂબ નિંદા થવા લાગી.થોડા સમય પછી સાધુ પાછા આવ્યા ત્યારે રાજાએ કહ્યુ,''હવે તો મારા પાપકર્મો ધોવાઇ ગયા ને?''

ત્યારે ફરી સાધુએ રાજાને હવે કેટલા પાપકર્મો છે, તે બતાવ્યાં.રાજાએ જોયું તો છાણનો ડુંગર ગાયબ થઇ ગયો હતો !  પણ હજી એક નાનકડી ઢગલી બાકી રહી ગઇ હતી !

''આમ કેમ? હજું આટલું પાપકર્મ કેમ બાકી રહી ગયું ? '' રાજાએ સાધુને પૂછ્યું.ધ્યાનમાં સાધુએ જોયું.પછી કહ્યું, '' રાજન,આપના રાજ્યમાં એક કુંભાર છે,તેણે આપની નિંદા નથી કરી.જો તે આપની નિંદા કરે તો આપનું આ પાપ એના ખાતામાં ચાલ્યું જતા આપ તુરત જ મુક્ત થઇ જશો.''

રાજા વેશપલટો કરીને કુંભારના ઘરે ગયાં.વાતચીત કરતાં કહ્યું,''તમારો રાજા તે કેવો પાપી કહેવાય?''પુત્રી જેવી કન્યાનું અપહરણ કર્યું ! '' તેઓ કંઇ આગળ બોલવાં જતાં હતાં ત્યાજ ધીમું હસીને કુંભારે કહ્યું,'' મહારાજ,મને માફ કરો.આપે કરેલું આપે જ ભોગવવું પડશે.આપની નિંદા કરીને હું એ પાપકર્મફળને મારા ખાતામાં ઉમેરવા માંગતો નથી અને એટલે જ હું નિંદાથી દૂર રહ્યો છું !

આત્મજ્ઞાની કુંભારના ચરણોમાં પડ્યાં અને કહ્યું,''તમે જ્ઞાની છો.મારી આંખો ખોલી છે.હવે હું પોતે તો નિંદા નહીં કરું પણ કોઇનેય નિંદા કરવા પ્રેરીશ પણ નહીં.હું મારા પાપકર્મફળને હવે ભોગવીને મુક્ત થઇ જાઉં એવા આશીર્વાદ આપો.''

www.sahityasafar.blogspot.com

♥ ભલે આ વાર્તા છે, પણ એ દ્વારા એ પ્રતિપાદીત થાય છે કે નુકસાન તો નિંદા કરનારને બે રીતે છે.એક તો એનું પુણ્યકર્મ જેની નિંદા કરે છે,તેને મળે છે,અને બીજું જેની નિંદા કરે છે,તેનું પાપકર્મફળ પણ તેને મળે છે,આથી નિંદા કરનાર પ્રત્યે તો મનુષ્યે વધારે કૃતજ્ઞ રહેવું જોઇએ.

★ પુસ્તક ''આધુનિક માનવ શાંતિની શોધમાં''થી સાભાર ★

♠ વિવેકાનંદનો વિવેક ♠

→ વિવેકાનંદના જીવનનો  એક તદ્દન અજાણ્યો પ્રસંગ રજુ કરુ છું.અંત સુધી વાંચજો.

www.sahityasafar.blogspot.com.

→ સ્વામી વિવેકાનંદ અમેરિકા જવાના હતાં.જતાં પહેલાં તે પોતાની માતા શારદાદેવી પાસે આશીર્વાદ લેવા માટે ગયાં.જઇને કહ્યું કે, '' હું અમેરિકા જઇ રહ્યો છું.મને આશીર્વાદ આપો.'' માતાના ચરણોમાં મસ્તક નમાવ્યું,પરંતું માતાએ આશીર્વાદ ન આપ્યાં અને ચૂપચાપ ઊભા રહ્યાં.સ્વામીજીએ ફરીથી આશીર્વાદ માગ્યાં,છતાં તેઓ મૌન રહ્યાં.ઘણાં સમય પછી માતાએ સ્વામીજીને રૂમમાં રાખેલી છરી લાવવાનું કહ્યું.સ્વામીજીએ છરી લાવી આપી પણ આશીર્વાદ સાથે તેનો શો સંબંધ છે તેના વિશે તેમને ખ્યાલ આવ્યો નહિં.જો કે છરી મળતાંની સાથે જ માતાએ આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો.

સ્વામીજીએ ચકિત થઇને તેના વિશે પૂછ્યું તો માતાએ તેના વિશે જણાવ્યું. '' બેટા મે જ્યારે છરી માંગી તો તે તેની ટોચ તારા હાથમાં પકડીને તેની બીજી બાજુ મારા હાથમાં આપી.તેનાથી હું સમજી ગઇ કે તું તમામ ખોટી બાબતો પોતાની પાસે રાખીને લોકોનું ભલું જ કરીશ.પોતે ભલે ઝેર ગ્રહણ કરવું પડે પણ લોકોને તો અમૃત જ વહેંચીશ.તેથી હું તને આત્માથી આશીર્વાદ આપું છું.''

આ સાંભળીને સ્વામીજીએ કહ્યું,''પણ હું આવું નથી વિચારતો.મે તો એ વિચારીને છરીની ટોચ મારી તરફ રાખી કે તમને ઇજા ન થાય.''

ત્યારે માતા વધારે પ્રસન્ન થઇને બોલી, '' તે તો વધારે સારી વાત છે.તારા સ્વભાવમાં જ ભલાઇ છે.તું ક્યારેય કોઇનું ખોટું કરીશ નહિં.જા મારા આશીર્વાદ સતત તારી સાથે છે.''

તે સર્વવિદિત છે તે સ્વામી વિવેકાનંદજીનું સમગ્રજીવન બીજાની ભલાઇમાં જ પસાર થયું.

www.sahityasafar.blogspot.com.

♠ झील बन जाओ ! ♠

एक बार एक नवयुवक किसी जेन साधू के पास पहुंचा. “बोला, मैं अपनी ज़िन्दगी से बहुत परेशान हूँ, कृपया इस परेशानी से निकलने का उपाय बताएं !”, 
साधु बोले, “पानी के ग्लास में एक मुट्ठी नमक डालो और उसे पीयो.” युवक ने ऐसा ही किया. “इसका स्वाद कैसा लगा ?”, झेन साधु ने पुछा ।

“बहुत ही खराब….. एकदम खारा.” – युवक थूकते हुए बोला. वो मुस्कुराते हुए बोले, 

“एक बार फिर अपने हाथ में एक मुट्ठी नमक ले लो और मेरे पीछे पीछे आओ.“

दोनों धीरे-धीरे आगे बढ़ने लगे और थोड़ी दूर जाकर स्वच्छ पानी से बनी एक झील के सामने रुक गए. “चलो, अब इस नमक को पानी में डाल दो.”, उन्होने निर्देश दिया । युवक ने ऐसा ही किया.

“अब इस झील का पानी पियो.”, मास्टर बोले. युवक पानी पीने लगा…,

एक बार फिर साधु ने पूछा,: “बताओ इसका स्वाद कैसा है, क्या अभी भी तुम्हे ये खरा लग रहा है ?” “नहीं, ये तो मीठा है, बहुत अच्छा है”, युवक बोला.

वो युवक के बगल में बैठ गए और उसका हाथ थामते हुए बोले,

→ “जीवन के दुःख बिलकुल नमक की तरह हैं ; न इससे कम ना ज्यादा. जीवन में दुःख की मात्रा वही रहती है, बिलकुल वही. लेकिन हम कितने दुःख का स्वाद लेते हैं ये इस पर निर्भर करता है कि हम उसे किस पात्र में डाल रहे हैं . 

इसलिए जब तुम दुखी हो तो सिर्फ इतना कर सकते हो कि खुद को बड़ा कर लो… 

ग़्लास मत बने रहो झील बन जाओ.”

♠ चतुर खरगोश ♠

एक था शेर l उसकी दोस्ती थी एक लोमडी से ! शेर शिकार करता,खुद खाता और लोमडी को भी खिलाता! लेकिन अब शेर बूढा हो चला था ! शिकार करना कठिन हो रहा था !

कई दिनो से लोमडी और शेर भूखे थे ! तभी उन्हे दूर से एक खरगोश आता दिखाई दिया ! लोमडी ने कहा  - शेर साहब,झट मरने का बहाना कीजिए !

शेर लेट गया ! लोमडी ने झट उसे सूखे पत्तो से ढकना शुरू किया !  अब शेर की केवल पूंछ बाहर दिख रही थी ! फिर लोमडी लगी रोने,जोर - जोर से !

'' अरे, क्या हुआ ! '' खरगोश ने पूछा ! उवां...उवां.. - देखते नही,मर गए शेर साहब, उवां...उवां...! आओ,आओ ! ढकवा दो शेर साहब को, पत्तो से ढकवा दो उवां...उवां... !

खरगोश रूका !  उसने थोडा सोचा, फिर कहा  - अरे मौसी,मरने के बाद तो शेर की पूंछ हिलती है ! शेर साहब की पूंछ तो हिल ही नही रही !

खरगोश की बात सुनते ही शेर पूंछ हिलाने लगा !

पूंछ का हिलना था कि खरगोश पलभर मे भाग गया !

♠ घमंडी कौवा ♠

हंसों का एक झुण्ड समुद्र तट के ऊपर से गुज़र रहा था , उसी जगह एक कौवा भी मौज मस्ती कर रहा था . उसने हंसों को उपेक्षा भरी नज़रों से देखा और काहा “तुम लोग कितनी अच्छी उड़ान भर लेते हो !” फिर कौवा मज़ाक के लहजे में बोला, “तुम लोग और कर ही क्या सकते हो बस अपना पंख फड़फड़ा कर उड़ान भर सकते हो !!!  क्या तुम मेरी तरह फूर्ती से उड़ सकते हो ??? मेरी तरह हवा में कलाबाजियां दिखा सकते हो ???…नहीं , तुम तो ठीक से जानते भी नहीं कि उड़ना किसे कहते हैं !”

कौवे की बात सुनकर एक वृद्ध हंस बोला ,” ये अच्छी बात है कि  तुम ये सब कर लेते हो , लेकिन तुम्हे इस बात पर घमंड नहीं करना चाहिए .”

” मैं घमंड – वमंड नहीं जानता , अगर तुम में से कोई भी मेरा मुकाबला कर सकता है तो सामने आये और मुझे हरा कर दिखाए .”

एक युवा नर हंस ने कौवे की चुनौती स्वीकार कर ली . यह तय हुआ कि प्रतियोगिता दो चरणों में होगी , पहले चरण में कौवा अपने करतब दिखायेगा और हंस को भी वही करके दिखाना होगा और दूसरे चरण में कौवे को हंस के करतब दोहराने होंगे .

प्रतियोगिता शुरू हुई , पहले चरण की शुरुआत  कौवे ने की और एक से बढ़कर एक कलाबजिया दिखाने लगा ,  वह कभी गोल-गोल चक्कर खाता तो कभी ज़मीन छूते  हुए ऊपर उड़ जाता . वहीँ हंस उसके मुकाबले कुछ ख़ास नहीं कर पाया . कौवा अब और भी बढ़-चढ़ कर बोलने लगा ,” मैं तो पहले ही कह रहा था कि तुम लोगों को और कुछ भी नहीं आता …ही ही ही …”

फिर दूसरा चरण शुरू हुआ , हंस ने उड़ान भरी और समुद्र की तरफ उड़ने लगा . कौवा भी उसके पीछे हो लिया ,” ये कौन सा कमाल दिखा रहे हो , भला सीधे -सीधे उड़ना भी कोई चुनौती है ??? सच में तुम मूर्ख हो !”, कौवा बोला .

पर हंस ने कोई ज़वाब नही दिया और चुप-चाप उड़ता रहा, धीरे-धीरे  वे ज़मीन से बहुत दूर होते  गए और कौवे का बडबडाना भी कम होता गया , और कुछ देर में बिलकुल ही बंद हो गया . कौवा अब बुरी तरह थक चुका था , इतना कि  अब उसके लिए खुद को हवा में रखना भी मुश्किल हो रहा था और वो बार -बार पानी के करीब पहुच जा रहा था . हंस कौवे की स्थिति समझ रहा था , पर उसने अनजान बनते हुए कहा ,” तुम बार-बार पानी क्यों छू रहे हो , क्या ये भी तुम्हारा कोई करतब है ?””नहीं ” कौवा बोला ,” मुझे माफ़ कर दो , मैं अब बिलकुल थक चूका हूँ और यदि तुमने मेरी मदद नहीं की तो मैं यहीं दम तोड़ दूंगा ….मुझे बचा लो मैं कभी घमंड नहीं दिखाऊंगा …”

हंस को कौवे पर दया आ गयी, उसने सोचा कि चलो कौवा सबक तो सीख ही चुका है , अब उसकी जान बचाना ही ठीक होगा ,और वह कौवे को अपने पीठ पर बैठा कर वापस तट  की और उड़ चला .

दोस्तों,हमे इस बात को समझना चाहिए कि भले हमें पता ना हो पर हर  किसी में कुछ न कुछ अच्छाई होती है जो उसे विशेष बनाती है. और भले ही हमारे अन्दर हज़ारों अच्छाईयां हों , पर यदि हम उसपे घमंड करते हैं तो देर-सबेर हमें भी कौवे की तरह शर्मिंदा होना पड़ता है। एक पुरानी कहावत भी है ,”घमंडी का सर हमेशा नीचा होता है।” , इसलिए ध्यान रखिये कि कहीं जाने -अनजाने आप भी कौवे वाली गलती तो नहीं कर रहे ?