♠ પરસેવાની કમાણી ♠

એક મજૂરને કામ કરતાં ખૂબ કંટાળો આવવા લાગ્યો એટલે બીજે નોકરી શોધવા લાગ્યો.ત્યાં એકાદ મહિનો કામ કર્યા પછી ત્યાં પણ ન ફાવ્યું.તે દરમિયાન તેને એક સંશોધક મળી ગયાં.

તેમણે કહ્યું, ''તારે કંઇ કામ  નહીં કરવાનું તેના તને પૈસા મળશે,બોલ તું કામ વગર રહી શકીશ?''

મજૂર તો ખૂબ ખુશ થઇ ગયો.કંઇ કામ નહીં કરવાનું છતાં પૈસા મળશે.

સંશોધકે કહ્યું,''તારે મારી સાથે ''કોન્ટ્રાક્ટ (કરાર) કરવો પડશે.તારે બીજું કંઇ કામ કરવું નથી.માત્ર હોટલનાં સુંદર રૂમમાં રહેવાનું જ છે. મજૂરે હા પાડી દીધી.

સંશોધકે પૂછયું, '' અત્યારે તને કેટલો પગાર મળે છે? ''

મજૂરે કહ્યુ,''બે હજાર.''

સંશોધકે પૂછયું, ''તને મહિને બે હજાર મળે છે,હું તને દરરોજ બે હજાર આપીશ,બોલ તારે રહેવું છે? ''

મજૂર તો આ સાંભળી અવાક બની ગયો અને તેણે તરત જ હા પાડી દીધી  અને કહ્યુ, ''મારે શું કરવાનું તે મને સમજાવી દો.''

સંશોધકે કહ્યું, ''તારે હોટેલના એક રૂમમાં રહેવાનું,બે ટાઇમ જમવાનું મળી જશે,માત્ર નિરાંતે જમવાનું.''

મજૂરે કહ્યું, ''માત્ર એટલા કામના રૂ.બે હજાર મળે તો મજા પડી જાય.''

પરંતુ સંશોધકે કહ્યું, ''તેમાં એક શરત છે.ત્રણ મહિના પહેલાં તુ જતો રહે તો આ રકમ તને નહીં મળે.''

મજૂરે કહ્યું,''એમાં શું છ મહિના પણ રહી શકીશ.

પહેલાં દિવસે તેણે સંપૂર્ણ આરામ કર્યો.બીજા દિવસે સોફા ઉપર ૨૦૦ કૂદકા મારી દિવસ પસાર કર્યો.ત્રીજા દિવસે કામ વગર કંટાળી ચપ્પા વડે ટાઇલ્સ ખોદવા માંડ્યો ને પાંચમાં દિવસે તો ઘરનું બારણું તોડી ભાગી ગયો અને એ રૂમમાં પોતાના હાથે લખેલી એક ચિટ્ઠી મૂકતો ગયો જેમાં લખ્યું હતુ,  " આવા પૈસા મારે નથી જોઈતા સાહેબ...આમ બેઠા બેઠા મોજશોખથી પૈસા તો મળે પણ જે અંતરનો આનંદ ના મળે. આના કરતા તો કોઈ જગ્યાએ સખત વૈતરું કરીને સાંજે ટંક ખાવાના પૈસા મળે ને તો પણ શાતા મળે...મને માફ કરજો સાહેબ..મારે બેઠા - બેઠા કમાઈને પાગલ થવું નથી.."

આપણે પણ આ મજૂરની જેમ જો કોઈ કામ વગર જ બેસી રહીએ તો ક્યાંય મન લાગે નહિં..પછી ભલે બેસવાના પણ પૈસા આપે..પણ, કહેવત છે કે 'નવરો બેઠો નખ્ખોદ વાળે' એમ કામ વિનાનો માણસ નકામો જ લાગે છે.

કામ ભલે ગમે તેવું હોય પણ તે કરવાનો આનંદ હોવો જોઈએ..આ મજૂરની જેમ બેસી રહેવાથી પહેલાં તો થોડી મજા આવે પણ પછી એ ખાલીપો આપણને ખાવા દોડે છે...એટલે જ સંશોધકે સમજી વિચારીને તેને બેસવા માટે પૈસાની ઓફર કરેલી..કારણ કે, તેને ખબર જ હતી કે કોઈપણ માણસ વગર કામનો લાંબો સમય રહી શકે નહિં...!!

માણસ આળસુ બની જાય તો તેનામાં જીવંતતા રહેતી નથી.સતત ક્રિયાશીલ રહેવું એ સહજ પ્રક્રિયા છે.કહેવાય છે ને કે, ''ખાલી દીમાગ, શેતાનનું કારખાનું.'' કર્મનો મહિમા અપાર છે.દરેકે કર્મ કરવું જોઇએ.

♠ लालच का परिणाम ♠

लालच बुरी बला हैं  इस मुहावरे को इंग्लिश में No Vice Like Avarice कहा जाता हैं | जिसका अर्थ हैं जो लालच करता हैं उसे नुकसान भुगतना पड़ता हैं | किसी भी वस्तु की चाह होने और उसकी लालच होने में बहुत फर्क होता हैं | चाह में व्यक्ति उस वस्तु के लिए मेहनत करता हैं लेकिन जिसे लालच होता हैं वो उस वस्तु को पाने के लिए प्रपंच करता हैं जिसमे वो दूसरा का अहित करने से भी नहीं चुकता |

एक शहर में एक आदमी रहता था। वह बहुत ही लालची था। उसने सुन रखा था की अगर संतो और साधुओं की सेवा करे तो बहुत ज्यादा धन प्राप्त होता है। यह सोच कर उसने साधू-संतो की सेवा करनी प्रारम्भ कर दी। एक बार उसके घर बड़े ही चमत्कारी संत आये।

उन्होंने उसकी सेवा से प्रसन्न होकर उसे चार दीये दिए और कहा,”इनमे से एक दीया जला लेना और पूरब दिशा की ओर चले जाना जहाँ यह दीया बुझ जाये, वहा की जमीन को खोद लेना, वहा तुम्हे काफी धन मिल जायेगा। अगर फिर तुम्हे धन की आवश्यकता पड़े तो दूसरा दीया जला लेना और पक्षिम दिशा की ओर चले जाना, जहाँ यह दीया बुझ जाये, वहा की जमीन खोद लेना तुम्हे मन चाही माया मिलेगी। फिर भी संतुष्टि ना हो तो तीसरा दीया जला लेना और दक्षिण दिशा की ओर चले जाना। उसी प्रकार दीया बुझने पर जब तुम वहाँ की जमीन खोदोगे तो तुम्हे बेअन्त धन मिलेगा। तब तुम्हारे पास केवल एक दीया बच जायेगा और एक ही दिशा रह जायेगी। तुमने यह दीया ना ही जलाना है और ना ही इसे उत्तर दिशा की ओर ले जाना है।”

यह कह कर संत चले गए।  लालची आदमी उसी वक्त पहला दीया जला कर पूरब दिशा की ओर चला गया। दूर जंगल में जाकर दीया बुझ गया। उस आदमी ने उस जगह को खोदा तो उसे पैसो से भरी एक गागर मिली। वह बहुत खुश हुआ। उसने सोचा की इस गागर को फिलहाल यही रहने देता हूँ, फिर कभी ले जाऊंगा। पहले मुझे जल्दी ही पक्षिम दिशा वाला धन देख लेना चाहिए। यह सोच कर उसने दुसरे दिन दूसरा दीया जलाया और पक्षिम दिशा की ओर चल पड़ा। दूर एक उजाड़ स्थान में जाकर दीया बुझ गया। वहा उस आदमी ने जब जमीन खोदी तो उसे सोने की मोहरों से भरा एक घड़ा मिला। उसने घड़े को भी यही सोचकर वही रहने दिया की पहले दक्षिण दिशा में जाकर देख लेना चाहिए। जल्दी से जल्दी ज्यादा से ज्यादा धन प्राप्त करने के लिए वह बेचैन हो गया।

अगले दिन वह दक्षिण दिशा की ओर चल पड़ा। दीया एक मैदान में जाकर बुझ गया। उसने वहा की जमीन खोदी तो उसे हीरे-मोतियों से भरी दो पेटिया मिली। वह आदमी अब बहुत खुश था।

तब वह सोचने लगा अगर इन तीनो दिशाओ में इतना धन पड़ा है तो चौथी दिशा में इनसे भी ज्यादा धन होगा। फिर उसके मन में ख्याल आया की संत ने उसे चौथी दिशा की ओर जाने के लिए मन किया है। दुसरे ही पल उसके मन ने कहा,” हो सकता है उत्तर दिशा की दौलत संत अपने लिए रखना चाहते हो। मुझे जल्दी से जल्दी उस पर भी कब्ज़ा कर लेना चाहिए।” ज्यादा से ज्यादा धन प्राप्त करने की लालच ने उसे संतो के वचनों को दुबारा सोचने ही नहीं दिया।

अगले दिन उसने चौथा दीया जलाया और जल्दी-जल्दी उत्तर दिशा की ओर चल पड़ा। दूर आगे एक महल के पास जाकर दीया बुझ गया। महल का दरवाज़ा बंद था। उसने दरवाज़े को धकेला तो दरवाज़ा खुल गया। वह बहुत खुश हुआ। उसने मन ही मन में सोचा की यह महल उसके लिए ही है। वह अब तीनो दिशाओ की दौलत को भी यही ले आकर रखेगा और ऐश करेगा।

वह आदमी महल के एक-एक कमरे में गया। कोई कमरा हीरे-मोतियों से भरा हुआ था। किसी कमरे में सोने के किमती से किमती आभूषण भरे पड़े थे। इसी प्रकार अन्य कमरे भी बेअन्त धन से भरे हुए थे। वह आदमी चकाचौंध होता जाता और अपने भाग्य को शाबासी देता। वह जरा और आगे बढ़ा तो उसे एक कमरे में चक्की चलने की आवाज़ सुनाई दी। वह उस कमरे में दाखिल हुआ तो उसने देखा की एक बूढ़ा आदमी चक्की चला रहा है। लालची आदमी ने बूढ़े से कहा की तू यहाँ कैसे पंहुचा। बूढ़े ने कहा,”ऐसा कर यह जरा चक्की चला, मैं सांस लेकर तुझे बताता हूँ।”

लालची आदमी ने चक्की चलानी प्रारम्भ कर दी। बूढ़ा चक्की से हट जाने  पर  ऊँची-ऊँची हँसने लगा। लालची आदमी उसकी ओर हैरानी से देखने लगा। वह चक्की बंद ही करने लगा था की बूढ़े ने खबरदार करते हुए कहा, “ना ना चक्की चलानी बंद ना कर।” फिर बूढ़े ने कहा,”यह महल अब तेरा है। परन्तु यह उतनी देर तक खड़ा रहेगा जितनी देर तक तू चक्की चलाता रहेगा। अगर चक्की चक्की चलनी बंद हो गयी तो महल गिर जायेगा और तू भी इसके निचे दब कर मर जायेगा।” कुछ समय रुक कर बूढ़ा फिर कहने लगा,”मैंने भी तेरी ही तरह लालच करके संतो की बात नहीं मानी थी और मेरी सारी जवानी इस चक्की को चलाते हुए बीत गयी।”

वह लालची आदमी बूढ़े की बात सुन कर रोने लग पड़ा। फिर कहने लगा,”अब मेरा  इस चक्की से छुटकारा कैसे होगा?”

बूढ़े ने कहा,”जब तक मेरे और तेरे जैसा कोई आदमी लालच में अंधा होकर यहाँ  नही आयेगा। तब तक तू इस चक्की से छुटकारा नहीं पा सकेगा।” तब उस लालची आदमी ने बूढ़े से आखरी सवाल पूछा,”तू अब बाहर जाकर क्या करेगा?”

बूढ़े ने कहा,”मैं सब लोगो से ऊँची-ऊँची कहूँगा, लालच बुरी बला है।”

÷÷÷ ♠ सीख‬ ♠ ÷÷÷

जो मिले, जितना मिले उतने में ही संतोष करना चाहिए। अधिक प्राप्त करने के लोभ में हाथ में आई वस्तु भी चली जाती है।

कहते हैं लालच बुरी बला हैं  कहावते अपने छोटे स्वरूप में भी अथाह ज्ञान के लिए होती हैं | इस तरह कहावतो पर बनी कहानी पढ़कर या सुनाकर आप अपने बच्चो को सही गलत का ज्ञान दे सकते हैं | ऐसी कहानियाँ सदैव यादों में जगह बना लेती हैं और मनुष्य को मार्गदर्शन देती हैं |

इसलिए तो एक पंक्ति मे कहाँ है कि.....

लालच खाए दीन-धरम को
लालच खाए किए करम को
लालच नाम डुबाय रे भैया जग में हँसी कराय।

♠ કર્તવ્યનિષ્ઠા એજ ધર્મ ♠


મનુષ્યની કર્તવ્યનિષ્ઠાને લગતો એક શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગ

જે કાર્યથી આપણી ગતિ ઇશ્વર ભણી થાય તે શુભ,એ આપણું કર્તવ્ય;જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ અને તે અકર્તવ્ય.જે સમાજમાં આપણે જન્મયા છીએ તે સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખી આપણને ઉચ્ચ બનાવે,અભિજાત બનાવે એવા કાર્યો કરવાં તે આપણું કર્તવ્ય છે.

આશરે બે હજાર વર્ષ પૂર્વે રોમ પાસે એક જ્વાળામુખી ફાટતા આ વિસ્તારમાં હાહાકાર થઇ ગયો હતો.પુરાતત્વ વિભાગના ખોદકામમાં  નગરના અવશેષો ઉપરાંત આ દુર્ઘટના સાથે સંકળાયેલા કેટલાંક સંસ્મરણો મળ્યાં.રાજદ્વારના દરવાજેથી એક રાજસેવકનું સાવધાન મુદ્રામાં ઉભેલું અસ્થિર હાડપિંજર મળ્યું છે.રાજસેવકની મુદ્રાવાળો બિલ્લો તેમજ તલવાર આ હાડપિંજર સાથે જોડાયેલી મળી છે.આ દ્રશ્ય ઉપરથી આ રાજસેવકની નિષ્ઠાનો પરિચય મળે છે.કુદરતી પ્રકોપ સમયે લોકો જીવ બચાવવા દોડતા હતા ત્યારે રાજદ્વારનો આ સંત્રી પોતાની ફરજ બજાવતાં નિષ્ઠાપૂર્વક ઊભો રહ્યો અને મોતની પરવા કર્યા વગર જે બહાદૂરીપૂર્વક ફરજ બજાવી તે દાદ માંગી લે તેવી છે.તે પણ પોતાની ફરજ છોડીને ભાગી શક્યો હોત,પરંતુ તેણે કર્તવ્યને મહાન ગણ્યું.તેના પરિણામરૂપે સેંકડો વર્ષ પછી જ્યારે તેનું હાડપિંજર મળ્યું અને લોકોએ આ વાત જાણતાં દેશવાસીઓએ તેને શ્રદ્ધાંજલિ આપવા તે હાડપિંજરને સન્માનપૂર્વક સચવાયું છે.એક હાડપિંજર પણ લોકોને ફરજનિષ્ઠાનો સંદેશો અને પ્રેરણા આપી શકે છે.

દોસ્તો,કર્તવ્યની પાછળ જ્યારે કોઇ સ્વાર્થી હેતુ નથી હોતો ત્યારે જ એ મહાન બને છે.જ્યારે કોઇ કાર્ય કેવળ કર્તવ્યની ભાવનાથી થાય છે ત્યારે એ ઉપાસના બને છે અને જ્યારે તે નીતિના સ્વરૂપમાં કે પ્રેમના સ્વરૂપમાં હોય ત્યારે એથી પણ ઉચ્ચતર ભૂમિકાએ પહોંચે છે.

♠ સાચી ગુરૂદક્ષિણા ♠

દીર્ઘ વિદ્યાભ્યાસ અને ઊંડી અધ્યાત્મસાધના પછી ગુરુ પાસેથી શિષ્યે વિદાય માગી. ગુરુએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારી વિદ્યા અને સાધનાનો નિસ્વાર્થભાવે ઉપયોગ કરીને જીવનને સફળ બનાવજે.

વિદાય લેતી વખતે ભાવનાવિભોર શિષ્યનું ગળું રૃંધાઈ ગયું. એણે કહ્યું, ''ગુરુદેવ, મારે આપને ગુરુદક્ષિણા આપવી છે. કઈ વસ્તુ હું આપને ચરણે ધરું ?''

ગુરુએ કહ્યું, ''વત્સ, જગતમાં જે સૌથી વધુ વ્યર્થ અને તુચ્છ હોય, તે મને દક્ષિણારૃપે આપ.''

શિષ્ય વિચારમાં પડયો. આવી તે કંઈ ગુરુદક્ષિણા આપી શકાય ? પરંતુ ગુરુની આજ્ઞા શિરોધાર્ય છે એમ માનીને એ સૌથી વ્યર્થ વસ્તુની શોધમાં નીકળ્યો. એણે વિચાર્યું કે આ ધરતીની માટી કશાય કામની નથી. એ ઊડે તો વસ્ત્રો મલીન થાય, કોઈ આંધીમાં ઊડે તો આખું આકાશ ધૂળિયું બને. લોકો પણ એના પર પગ મૂકીને ચાલતા હોય છે. આવી નકામી, ઠેબે આવતી માટીથી બીજી કઈ વસ્તુ તુચ્છ હોઈ શકે ?

શિષ્ય માટી લેવા માટે નીચે વળ્યો, ત્યારે માટી બોલી, ''અરે, તું મને તુચ્છ સમજે છે ? તને ખ્યાલ છે કે આ જગતની સર્વ સમૃદ્ધિ મારામાંથી પ્રગટ થાય છે. મારા વિના વૃક્ષ તો સું, નાનો છોડ પણ ન ઊગે ! તને ખ્યાલ હશે કે પ્રકૃતિ વિના માનવીનું અસ્તિત્વ ટકે તેમ નથી. મારા વિના મોટી-મોટી ઇમારતો ન રચી શકાય. આ જગતમાં જે કંઈ રૃપ, રસ અને સુગંધ છે, એ બધું મારે કારણે છે. સમજ્યો !''

શિષ્યને પોતાની ક્ષતિ સમજાઈ. એ આગળ વધ્યો. એના પગે પથ્થર અથડાયો. તત્કાળ ચિત્તમાં વિચાર સ્ફૂર્યો કે આ પથ્થરનો કશો ઉપોયગ નથી. એ ધરતી પર એમને એમ પડયો રહે છે અને માણસના પગમાં નકામો, આડો આવીને અથડાય છે. લાવ, આ તદ્દન નકામા, બિનજરૃરી અને તુચ્છ એવા પથ્થરને લઈ જાઉં.

શિષ્ય પથ્થર લેવા માટે જરા નીચો નમ્યો, ત્યારે પથ્થરમાંથી અવાજ આવ્યો, ''ઓહ, તમે આટલા સમર્થ જ્ઞાની થઈને મને સાવ નકામો માનો છો ? જરા કહેશો ખરા કે તમારાં મંદિરોમાં પ્રભુની પ્રતિમા શેમાંથી બનેલી હોય છે ? તમારી ઊંચી ઊંચી ઈમારતો અને નિવાસનાં સ્થાનો પથ્થર વિના બને ખરાં ! અરે, જ્યાં તમે વિદ્યાભ્યાસ કર્યો એ આશ્રમની દિવાલો શેની બનેલી છે ? અને તમે મને તુચ્છ માનો છો !''

શિષ્યને આ વાત સાચી લાગી. પથ્થર લેવા લંબાવેલો હાથ અટકી ગયો, પણ સાથોસાથ એના મનમાં વિચારોનો વંટોળ જાગ્યો. જો માટી અને પથ્થર પણ આટલા બધા ઉપયોગી છે, તો જગતમાં બીજી કઈ ચીજ વ્યર્થ અને તુચ્છ હોય ? હકીકતે તો આ સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતપોતાની રીતે ઉપયોગી છે, તો પછી તુચ્છ શું ? ખરેખર તો વ્યર્થ અને તુચ્છ એ છે કે જે બીજાને વ્યર્થ અને તુચ્છ માને છે !

બાહ્ય જગતને જોતાં શિષ્યને પોતાના ભીતરમાં નજર ફેરવી અને જોયું તો ખ્યાલ આવ્યો કે મારી અંદર રહેલું અહંકારનું તત્ત્વ જ એવું છે કે જેનો કોઈ ઉપયોગ નથી. એ તુચ્છ છે અને વ્યર્થ પણ છે.

શિષ્ય પાછો ફર્યો અને ગુરુના ચરણમાં પડીને કહ્યું, ''આપને ગુરુદક્ષિણા રૃપે હું વ્યર્થ અને તુચ્છ એવો મારો અહંકાર સમર્પિત કરું છું.''