♦ सच्ची माता ♦

एक सौदागर राजा के महल में दो गायों को लेकर आया।दोनों ही स्वस्थ, सुंदर व दिखने में लगभग एक जैसी थीं।सौदागर ने राजा से कहा "महाराज - ये गायें माँ - बेटी हैं परन्तु मुझे यह नहीं पता कि माँ कौन है व बेटी कौन - क्योंकि दोनों में खास अंतर नहीं है।
.
.
मैंने अनेक जगह पर लोगों से यह पूछा किंतु कोई भी इन दोनों में माँ - बेटी की पहचान नहीं कर पाया - बाद में मुझे किसी ने यह कहा कि आपका बुजुर्ग मंत्री बेहद कुशाग्रबुद्धि का है और यहाँ पर मुझे अवश्य मेरे प्रश्न का उत्तर मिल जाएगा इसलिए मैं यहाँ पर चला आया -कृपया मेरी समस्या का समाधान किया जाए।"
.
.
यह सुनकर सभी दरबारी मंत्री की ओर देखने लगे -मंत्री अपने स्थान से उठकर गायों की तरफ गया। उसने दोनों का बारीकी से निरीक्षण किया किंतु वह भी नहीं पहचान पाया कि वास्तव में कौन मां है और कौन बेटी ... ?
.
.
अब मंत्री बड़ी दुविधा में फंस गया, उसने सौदागर से एक दिन की मोहलत मांगी। घर आने पर वह बेहद परेशान रहा - उसकी पत्नी इस बात को समझ गई।उसने जब मंत्री से परेशानी का कारण पूछा तो उसने सौदागर की बात बता दी।यह सुनकर पत्नी मुस्कराते हुए बोली 'अरे ! बस इतनी सी बात है - यह तो मैं भी बता सकती हूँ ।'
.
अगले दिन मंत्री अपनी पत्नी को वहाँ ले गया जहाँ गायें बंधी थीं।मंत्री की पत्नी ने दोनों गायों के आगे अच्छा भोजन रखा - कुछ ही देर बाद उसने माँ व बेटी में अंतर बता दिया - लोग चकित रह गए।
.
मंत्री की पत्नी बोली "पहली गाय जल्दी -जल्दी खाने के बाद दूसरी गाय के भोजन में मुंह मारने लगी और दूसरी वाली ने पहली वाली के लिए अपना भोजन छोड़ दिया, ऐसा केवल एक मां ही कर सकती है - यानि दूसरी वाली माँ है। माँ ही बच्चे के लिए भूखी रह सकती है - माँ में ही त्याग, करुणा,वात्सल्य,ममत्व के गुण विद्यमान होते है। बोलो राधे राधे।

*** जय श्री राधे ***

♦ बीरबल की चतुराई ♦

एक बार बीरबल बादशाह अकबर के दरबार में देरी से पहुंचे तो क्या उसने देखा कि बादशाह समेत सभी दरबारी उन पर हंस रहे है।

उन्होंने  बादशाह से पूछा कि ” बादशाह सलामत आप सभी हंस क्यों रहे है ?”

इस पर बादशाह को मसखरी सूझी और वो बीरबल से कहने लगे बीरबल असल में हम सभी लोग रंगों के बारे में बात कर रहे थे जैसे कि सभी दरबारी गोरे हैं मैं स्वयं भी गोरा हूं जबकि हम सब में केवल तुम हो जो काले हो इसलिए जब तुम आये तो हम सभी लोगो की हंसी छूट गयी।

बीरबल ने हमेशा की तरह तपाक से जवाब दिया कि बादशाह सलामत आप मेरे रंग का राज नहीं जानते इसलिए ये बात कह रहे है। बादशाह अकबर ने उत्सुकता से पूछा कैसा राज बीरबल?

तो बीरबल ने बादशाह को जवाब दिया कि हजूर माफ़ करें। जब भगवान ने संसार को बनाया तो वो पेड़-पौधे और पशु-पक्षी बनाकर संतुष्ट नहीं हुए। फिर उन्होंने मानव बनाया। वे उसे देखकर बहुत प्रसन्न हुए कि उन्होंने एक बहुत अच्छी कृति बनाई है तो उन्होंने सभी मनुष्यों को पांच मिनट का समय देते हुए उनसे कहा कि वो बुद्धि बल और धन में से कुछ भी ले सकते है।

इस पर मैंने अपनी रूचि से सारा समय बुद्धि लेने में लगा दिया और बाकि चीजों को लेने का समय ही नहीं बचा था। आप सभी ने रूप और धन इक्कठा करने में अपना सारा समय लगा दिया। अब बाकि के लिए मैं क्या कहूं आप खुद ही समझ लीजिये।

बीरबल की बात सुनकर हंस रहे दरबारी सन्न रह गये और उनके चेहरे से हंसी गायब हो गयी सब नीचे देखने लगे। इस पर बादशाह बीरबल की हाजिरजवाबी देखकर कर खिलखिलाकर हंस पड़े।

♦ પક્ષીની ઉદ્દાત ભાવના ♦

વિશાળ ખેતરમાં ઊગેલા પાકને જોઈને ખેડૂતની આંખો આનંદથી નાચી ઊઠી; પરંતુ એને પરેશાની એ વાતની હતી કે પક્ષીઓ આવીને એના ઊગેલા પાકના ડૂંડામાંથી અનાજના દાણા ચણી જતા હતા. વિશાળ ખેતરની ચારેબાજુ  માચડા બાંધીને એણે પક્ષીઓ ઉડાડવા માટે વ્યવસ્થા કરી હતી. રાત-દિવસ ચોકી કરવા માટે ચોકીદારો રાખ્યા, તો પણ પક્ષીઓ આવીને ઉગાડેલું અનાજ ખાઈ જતા હતા.અતિ પરેશાન ખેડૂતે એક જાળ બિછાવી.

સંજોગવસાત્ એમાં એક સુંદર પક્ષી ફસાઈ ગયું. નોકરોએ એ પક્ષીને પકડયું અને ખેડૂતની પાસે લાવીને કહ્યું ,'' માલિક, આ પક્ષી રોજ આપણા ખેતરમાં આવે છે. ભરપેટ ધાન ખાય છે અને હજી ઓછું હોય તેમ એની ડૂંડાવાળી ડાળીઓ મોંમા દબાવીને ઊડી જાય છે. આજે ઘણી મુશ્કેલીથી એ પકડાયું છે. હવે તમે કહો તેવી સજા એને કરીએ.''

ખેડૂતે કહ્યું, ''સાચી વાત છે. એને બરાબર પાઠ ભણાવવો પડશે.''

ખેડૂતની વાત સાંભળીને પક્ષી બોલી ઊઠયું કે તમે મને જે કંઈ સજા કરવા ઇચ્છતા હો; તે જરૂર કરજો, પણ તે પહેલાં તમે મારી વાત સાંભળો.

ખેડૂતે કહ્યું, ''તારી વાત શું સાંભળે? એક તો તું ખેતરમાંથી ભરપેટ દાણા ખાય છે અને વળી બીજા ડૂંડા મોંમા દબાવીને લઈ જાય છે. આ તો કેટલો મોટો બગાડ કહેવાય?''

પક્ષીએ કહ્યું, '' હું દાણા ખાઈ લીધા પછી માત્ર દાણાના છ જ ડૂંડા ચાંચમાં પકડીને મારી સાથે લઈ જાઉં છું.જાણો છો શા માટે? ''

બે ઋણ ચૂકવવા માટે, બે કર્તવ્ય બજાવવા કાજે અને બે પરમાર્થ અર્થે. ખેડૂત આશ્ચર્ય પામ્યો. પક્ષીનું ગણિત એ સમજી શક્યો નહીં એટલે એણે ગુસ્સામાં કહ્યું, ''પણ આ બધું મારા જ ખેતરમાંથી કેમ લઈ જાય છે?''

પક્ષીએ કહ્યું, ''આપના આ વિશાળ ખેતરમાંથી થોડાં ડૂંડા લઈ જાઉં, તેનાથી આપને કોઈ વિશેષ નુકસાન થવાનું નથી.

→ હવે રહી વાત છ ડૂંડાઓની. એમાંથી બે દાણાના ડૂંડા મારા વૃદ્ધ માતા-પિતાને આપું છું. એમને આંખે અંધાપો છે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ હતા, ત્યાં સુધી એમણે મને ક્યારેય ભૂખ્યો રાખ્યો નથી. આજે એ અસ્વસ્થ અને વૃદ્ધ થયા છે, ત્યારે મારું કર્તવ્ય છે કે હું પણ એમને ભૂખ્યા રાખું નહીં અને એ રીતે મારું ઋણ ચૂકવું છું.

→ બે ડાળી મારા નાનાં બાળકોને આપું છું જે પિતા તરીકે મારું કર્તવ્ય છે અને બીજા બે ડૂંડા મારા બિમાર પડોશીઓને આપી આવું છું. આ મારું પરમાર્થનું કામ છે. જીવનમાં જો આટલો ય પરમાર્થ ન કરીએ, તો જીવનનો શો અર્થ?''

ખેડૂત પક્ષીની ભાવનાથી પ્રસન્ન થયો અને એને મુક્ત કરી દીધું.

🌹 સૌજન્ય 🌹

🌻 કુમારપાળ દેસાઈ  🌻

♦ કોનું સન્માન કરીએ? ♦

એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે".

બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે".

ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે".

ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી.

રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા.

રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા, આ અમારા શિક્ષિકાબેન છે. અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ તે આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું, "મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે. માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

→ મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડવાનું કામ કરે છે*

♦ આશીર્વાદ કે અપમાન? ♦

વનમાં વિહાર કરતાં મસ્ત યોગીના દર્શનાર્થે રાજા એની સેના સાથે આવી પહોંચ્યો.એણે યોગીને પ્રણામ કર્યા અને શુભાશીર્વાદ આપવા કહ્યું.

યોગીએ કહ્યું, ''રાજન્! તમે સિપાઈ બની જાવ.''

યોગીની વિચિત્ર વાત રાજાને અપમાનજનક લાગી. એની પાસે સૈનિકોની વિરાટ સેના હતી અને છતાં એને સૈનિક બનવાનું કહે તે કેવું? રાજા તે કાંઈ સૈનિક બને ખરો ?

રાજાએ વિચાર્યું કે આ યોગી અતિ વિચિત્ર લાગે છે, આથી એની પરીક્ષા માટે એણે રાજ્યના સૌથી પ્રખર વિદ્વાનને મોકલ્યા અને એમને યોગી પાસે આશીર્વાદ માગવા કહ્યું. જ્ઞાનના સાગર સમા આ વિદ્વાન યોગીરાજ પાસે ગયા, ત્યારે સંતે તેમને આશીર્વાદ આપતા કહ્યું, ''તમે અજ્ઞાની બનો.''એ જ રીતે નગરશેઠ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યા, ત્યારે યોગીએ કહ્યું, ''નગરના શેઠ છો, હવે સેવક બની જાવ.''

નગરશેઠના મનમાં ક્રોધ જાગ્યો. ધૂંવાપૂંવા થતાં પાછા આવ્યા. એ પછી રાજદરબારમાં આ સંતના આશીર્વાદ વિશે ચર્ચા ચાલી. કોઈએ કહ્યું કે આ તો સંત નથી, પણ ધૂર્ત છે. કશું જાણ્યા, જોયા કે સમજ્યા વિના આશીર્વાદ આપે છે. કેટલાકને તો શંકા ગઈ કે આ યોગીએ જરૃર માનસિક સંતુલન ગુમાવી દીધું લાગે છે.

આથી એક દિવસ રાજા પુન: એમની પાસે ગયા અને ગર્વભેર બોલ્યા,''તમે આશીર્વાદ આપો છો કે લોકોનું અપમાન કરો છો? આવું અપમાન સહન કરવા માટે હું તૈયાર નથી.''

આ સાંભળીને યોગી ખડખડાટ હસી પડયા અને બોલ્યા, ''રાજન્! આશીર્વાદ યોગ્યતા પામવા માટે અપાય છે અને મેં કહ્યું હતું કે તમે સિપાઈ બનો, કારણ કે સિપાઈ રાજ્યની રક્ષા કરે છે અને એ રીતે રાજાનું કામ રાજ્યની સુરક્ષા કરવાનું છે.

વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું, એનું તાત્પર્ય જ એ કે જ્ઞાન સાથે ઘમંડ આવે તો જ્ઞાન અવગુણ બની જાય છે. માટે મેં વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું અને શેઠને સેવક બનવાના આશીર્વાદ એ માટે આપ્યા કે નગરશેઠનું કર્તવ્ય તો પોતાના ધનથી નગરજનોની સેવા કરવાનું છે.''

સંતની વાત સાંભળીને રાજાને પોતાની જાત માટે ક્ષોભ થયો.

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

♦ આર્થર એશની અદભુત વાકછટા ♦

જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર ૧૯૮૩માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઈડ્સ નો રોગ લાગુ પડ્યો.

એની અંતિમ અવસ્થામાં કોઈકે પૂછ્યું, ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી ?’

આર્થર એશનો જવાબ કોઈ મહાત્માને શોભે તેવો હતો.

એણે કહ્યું, ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી બે જણ ફાઈનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું, ‘આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?’

♦ શુદ્ધ ભાવનાનું ફળ ♦

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"

તો પેલા શેઠે હસીને કહ્યું,
"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."

★ સારાંશ :-

કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ  શુદ્ધ હશેને, તો  ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.

♦ बुराई और इश्वर ♦


एक दिन कॉलेज में प्रोफेसर ने विद्यर्थियों से पूछा कि इस  संसार में जो कुछ भी है उसे भगवान  ने ही बनाया है ना ?

सभी ने कहा, “हां  भगवान  ने ही बनाया है।“

प्रोफेसर ने कहा कि इसका मतलब ये हुआ कि बुराई भी भगवान की बनाई चीज़ ही है ।

प्रोफेसर ने इतना कहा तो एक विद्यार्थी  उठ खड़ा हुआ और उसने कहा कि इतनी जल्दी इस निष्कर्ष पर मत पहुंचिए सर ।

प्रोफेसर ने कहा, क्यों? अभी तो सबने कहा है कि सबकुछ  भगवान का ही बनाया हुआ है फिर तुम ऐसा क्यों कह रहे हो?

विद्यार्थी ने कहा कि सर, मैं आपसे  छोटे-छोटे दो सवाल पूछूंगा ।

फिर उसके बाद आपकी बात भी  मान लूंगा ।

विद्यार्थी ने पूछा , "सर क्या दुनिया में  ठंड  का कोई  वजूद है?"

प्रोफेसर ने कहा, बिल्कुल है।

सौ फीसदी है।

हम ठंड को महसूस करते हैं ।

विद्यार्थी ने कहा, "नहीं सर, ठंड कुछ है ही नहीं ।

ये असल में  गर्मी की अनुपस्थिति  का  अहसास भर है ।

जहां  गर्मी नहीं होती, वहां हम ठंड को महसूस करते हैं ।"

प्रोफेसर चुप रहे ।

विद्यार्थी ने फिर पूछा, "सर क्या अंधेरे का कोई अस्तित्व है?"

प्रोफेसर ने कहा, "बिल्कुल है । रात को अंधेरा होता है।"

विद्यार्थी ने कहा, "नहीं सर, अंधेरा कुछ होता ही नहीं ।

ये तो जहां रोशनी नहीं होती वहां अंधेरा होता है ।

प्रोफेसर ने कहा, "तुम अपनी बात आगे बढ़ाओ।"

विद्यार्थी ने फिर कहा, "सर आप हमें सिर्फ लाइट एंड  हीट (प्रकाश और ताप) ही पढ़ाते हैं ।

आप हमें कभी  डार्क  एंड  कोल्ड (अंधेरा और ठंड) नहीं पढ़ाते। फिजिक्स में ऐसा कोई विषय ही नहीं ।

सर, ठीक इसी तरह  ईश्वर ने सिर्फ अच्छा-अच्छा बनाया है।

अब जहां  अच्छा नहीं होता, वहां हमें  बुराई नज़र आती है।

पर  बुराई को  ईश्वर ने नहीं बनाया।

ये सिर्फ  अच्छाई की अनुपस्थिति भर है।"

दरअसल दुनिया में कहीं बुराई  है ही नहीं ।

ये सिर्फ प्यार, विश्वास और  ईश्वर  में हमारी आस्था  की कमी का नाम है ।

जीवन में  जब और जहां मौका मिले अच्छाई बांटिए और  अच्छे  कर्म करते रहे ।

अच्छाई  बढ़ेगी तो  बुराई  का अंत निश्चित होगा वैसे ही जैसे  रोशनी  के आते ही  अंधकार का  नाश होता है ।

♦ सच्चे हीरे की पहचान ♦

एक दिन राजा का दरबार लगा हुआ था। पूरी आम सभा सुबह की धूप मे बैठी थीl राजा के परिवार के सदस्य भी बैठे थे। उसी समय एक व्यक्ति आया और राजा से दरबार में मिलने की आज्ञा मांगी।

प्रवेश मिल गया तो उसने कहा, '' मेरे पास दो वस्तुएँ हैं, बिल्कुल एक जैसी लेकिन एक नकली है और एक असली l मै हर राज्य के राजा के पास जाता हूँ और उन्हें परखने का आग्रह करता हूँ, लेकिन कोई परख नही पाता, सब हार जाते है और मैं विजेता बनकर घूम रहा हूँ । अब आपके नगर मे आया हूँ।

राजा ने उसे दोनों वस्तुओं को पेश करने का आदेश दिया। तो उसने दोनों वस्तुयें टेबल पर रख दीं। बिल्कुल समान आकार समान रुप रंग, समान प्रकाश, सब कुछ नख शिख समान।

राजा ने कहा, '' ये दोनों वस्तुएँ एक हैं ? '' तो उस व्यक्ति ने कहा, '' हाँ दिखाई तो एक जैसी देती है लेकिन हैं अलग। इनमें से एक बेशकीमती हीरा है और एक काँच का टुकडा है, लेकिन रूप दोनों का एक है। कोई आज तक परख नहीं पाया कि कौन सा हीरा है और कौन सा काँच? कोई परख कर बताये अगर परख खरी निकली तो मैं हार जाऊँगा और यह कीमती हीरा मै आपके राज्य की तिजोरी में जमा करवा दूँगा l यदि कोई न पहचान पाया तो इस हीरे की जो कीमत है उतनी धनराशि आपको मुझे देनी होगी। इसी प्रकार मैं कई राज्यों से जीतता आया हूँ। ''

राजा ने कई बार उन दोनों वस्तुओं को गौर से देखकर परखने की कोशिश की और अंत में हार मानते हुए कहा,  '' मैं तो नहीं परख सकूंगा। ''

दीवान बोले '' हम भी हिम्मत नही कर सकते, क्योंकि दोनो बिल्कुल समान है। ''

कोई व्यक्ति पहचान नही पाया। आखिरकार पीछे थोड़ी हलचल हुई। एक अंधा आदमी हाथ मे लाठी लेकर उठा। उसने कहा, '' मुझे महाराज के पास ले चलो, मैंने सब बाते सुनी हैं और यह भी सुना कि कोई परख नहीं पा रहा है। मुझे भी एक अवसर दो। ''

एक आदमी के सहारे वह राजा के पास पहुंचा उसने राजा से प्रार्थना की, '' मैं तो जन्म से अंधा हूँ फिर भी मुझे एक अवसर दिया जाये जिससे मैं भी एक बार अपनी बुद्धि को परखूँ और हो सकता है कि सफल भी हो जाऊँ। ''

राजा को लगा कि इसे अवसर देने मे कोई हर्ज नहीं है और राजा ने उसे अनुमति दे दी।

उस अंधे आदमी को दोनों वस्तुएं उसके हाथ में दी गयी और पूछा गया कि इनमे कौन सा हीरा है और कौन सा काँच?

उस आदमी ने एक मिनट मे ही कह दिया कि यह हीरा है और यह काँच। जो आदमी इतने राज्यों को जीतकर आया था वह नतमस्तक हो गया। आपने पहचान लिया! आप धन्य हैं। अपने वचन के मुताबिक यह हीरा मैं आपके राज्य की तिजोरी मे दे रहा हूँ। सब बहुत खुश हो गये।

राजा और अन्य सभी लोगो ने उस अंधे व्यक्ति से एक ही जिज्ञासा जताई कि, तुमने यह कैसे पहचाना कि यह हीरा है और वह काँच?

उस अंधे ने कहा,  '' सीधी सी बात है राजन, धूप में हम सब बैठे हैं, मैंने दोनो को छुआ। जो ठंडा रहा वह हीरा, जो गरम हो गया वह काँच। ''

यही बात हमारे जीवन में भी लागू होती है, जो व्यक्ति बात बात में अपना आपा खो देता है, गरम हो जाता है और छोटी से छोटी समस्याओं में उलझ जाता है वह काँच जैसा है और जो विपरीत परिस्थितियों में भी सुदृढ़ रहता है और बुद्धि से काम लेता है वो ही सच्चा हीरा है।

♦ પરસ્પરનો આધાર - પાંદડું અને ઢેફું ♦

♠ સમય ♠

👉🏻 દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ.સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો.

ચિંતનની પળે :
- કૃષ્ણકાંત ઉનડકટ

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે,
આંખ સામે છત દીવાલો ચાલતી મેં જોઈ છે,
લાગણીને પગ નથી તો એ જવાની બ્હાર ક્યાં?
તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે.
-મનીષ પાઠક, ‘શ્વેત.’

👉🏻 એક યુવાન સાધુ પાસે ગયો. યુવાને સાધુને સવાલ કર્યો. આ દુનિયામાં કોનો ભરોસો ન કરવો જોઈએ?
સાધુએ બહુ સલુકાઈથી જવાબ આપ્યો, ભરોસો એકનો જ ક્યારેય ન કરવો, સમયનો!

સમય બિલકુલ ભરોસાપાત્ર નથી. એ ખૂબ જ છેતરામણો છે. સમયને રંગ નથી હોતો, પણ એ ક્યારે રંગ બદલે તેનો ભરોસો નહીં. સમય તરંગી મિજાજનો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એનો મિજાજ બદલી જાય છે. સમયમાં આપણાં સપનાં સાકાર કરવાની ત્રેવડ છે અને એટલી જ તાકાત આપણાં સપનાંને ચકનાચૂર કરવાની છે. સમય આપણી મુરાદો ઉપર પાણી ફેરવી દે છે. ક્યારેક આપણને સમજાતું નથી કે, આ શું થઈ ગયું? સમય સારા સરપ્રાઇઝીસ પણ આપે છે અને ક્યારેક એ એવું રૂપ લઈને આવે છે કે આપણે ડઘાઈ જઈએ. સમય મજાને માતમમાં,આનંદને આક્રંદમાં અને પ્રેમને પીડામાં ફેરવી નાખે છે. સારું થાય ત્યારે આપણે તેને સદ્નસીબ, સારાં કર્મો કે મહેનતનું નામ આપી સ્વીકારી લઈએ છીએ, પણ ન ગમતું કંઈ થાય ત્યારે સહન કરવું અઘરું પડે છે. 👈

સમયને આપણે બદલી ન શકીએ. એ તો જે રૂપ લઈને આવે એ રૂપમાં આપણે એનો સ્વીકાર જ કરવો પડે. આપણે માત્ર એટલું ધ્યાન રાખીએ કે એની કારી જેટલી બને એટલી ઓછી ફાવે. સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો. જો સમય ઉપર છોડીએ તો એ છેતરી જાય ને! જે કરવું હોય એ કરી લો. કાલ ઉપર કંઈ જ નહીં રાખવાનું. પ્રેમ કરવો છે તો કરી લો, કોઈની માફી માગવી છે તો માગી લો, કોઈને મદદ કરવી છે તો કરી લો, કોઈનાં વખાણ કરવા છે તો રાહ ન જુઓ. સમય કદાચ એ મોકો ન આપે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે સમય આવશે એટલે બધું આપોઆપ થાળે પડી જશે. દરેક વખતે સમય આવતો નથી, ક્યારેક સમય લાવવો પડતો હોય છે. સમય ઉપર એ જ વાત છોડવી જોઈએ જે આપણા હાથમાં ન હોય. ઘણું બધું આપણા હાથમાં હોય છે, જે થાય એમ હોય એ કરી લેવું.

મુલતવી રાખનાર માણસ મૂંઝાતો રહે છે. મેં કહી દીધું હોત તો? હું વ્યક્ત થઈ ગયો હોત તો? દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ. આપણી જિંદગીમાં એવા અનેક બનાવો બન્યા હોય છે જેની આપણે કોઈ દિવસ કલ્પના કરી ન હોય. કોઈ અચાનક આપણી જિંદગીમાં આવી જાય છે. કોઈ અણધાર્યું કાયમ માટે ચાલ્યું જાય છે. આવું થાય પછી આપણી પાસે આશ્વાસનો શોધવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જો આમ થયું હોતને તો આમ ન થાત, મેં એને જવા દીધો ન હોતને તો એ મારી સાથે હોત, મેં આવું શા માટે કર્યું? એવા કેટલાયે વિચારો આવ્યે રાખે છે. એવા વિચારોનો કોઈ જ અર્થ નથી હોતો. આપણે મન મનાવતા હોઈએ છીએ. મન મનાવવું ન હોય તો મન જે કહે એ કરી નાખો.

અમુક વખતે તો માણસ છેલ્લી ઘડીની રાહ જોતો હોય છે. હમણાં નહીં, સમય પાકે ત્યારે કહીશ કે ત્યારે કરીશ. અમુક વખતે બહુ મોડું સમજાય છે. દરેક સમજ પણ ક્યાં સમયસર આવતી હોય છે? સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે.

એક વૃદ્ધની આ વાત છે. એને બે દીકરા. બંને દીકરા પોતાનો ધંધો સંભાળે એવી પિતાને ઇચ્છા. છોકરા મોટા થયા પછી બંનેને કહ્યું કે,હવે મારો બિઝનેસ તમે સંભાળી લો. એક દીકરો આર્ટિસ્ટ હતો. તેણે કહ્યું, આપણી પાસે સાત પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે. મારે કમાવવું નથી. મને તો મારી આર્ટમાં જ રસ છે. હું ધંધો સંભાળવાનો નથી.

પિતાથી આ વાત સહન ન થઈ. કલાકાર દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. એ દીકરો કોઈ જાતની માથાકૂટ કર્યા વગર ચાલ્યો પણ ગયો. વર્ષો વીતી ગયા. પિતા મરણપથારીએ હતા. જે દીકરો સાથે રહેતો હતો એની એક દીકરી હતી. દાદાની બહુ લાડકી. દાદાને અનેક વાર કહ્યું કે, દાદા તમે કાકાને બોલાવી લો. દાદો એક જ વાતનું રટણ કરે કે મારે એનું મોઢું નથી જોવું, એણે મારી ઇચ્છાઓનું ખૂન કર્યું છે, મેં ધાર્યું હતું એવું એણે ન કર્યું.

મોત નજીક આવતું હતું. ખુદ દાદાને સમજાઈ ગયું હતું કે હવે તેની પાસે વધુ સમય નથી. દીકરીને બોલાવીને કહ્યું કે, તું હવે તારા કાકાને બોલાવી લે.

દીકરીએ પૂછ્યું કે કેમ હવે એમને બોલાવવાનું કહો છો? દાદાએ કહ્યું કે, મારે કોઈ અફસોસ સાથે મરવું નથી!

દીકરીથી આખરે ન રહેવાયું, તેણે કહ્યું કે દાદા અફસોસ સાથે મરવું નથી, પણ અફસોસ સાથે જીવવામાં તમને વાંધો નહોતો! તમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે મારે કોઈ અફસોસ સાથે જીવવું નથી? અફસોસ સાથે મરવું ન હોય તો તરત જ કોઈ અફસોસ ન રહે એવું કરવું જોઈએ. અફસોસ વગર જીવવામાં જે મજા છે એ જ સાચી મજા છે. જે સમયે જે થવું જોઈએ એ જ થાય એ વાજબી છે. તરસ લાગે ત્યારે પાણી આપવાનું હોય, એ વખતે સોનું આપો તો એનો કોઈ અર્થ નથી. હૂંફ અને હમદર્દી પણ સમયસર આપવાં જોઈએ. આપણને અનુકૂળતા હોય ત્યારે કદાચ એની કોઈને જરૂર ન પણ હોય.

એક ખેડૂતની આ વાત છે. તેને ગામના એક માણસ સાથે અણબનાવ થયો. એક વખત ખેતરમાં કામ કરતો હતો ત્યારે એના દીકરાએ કહ્યું કે, આપણા પેલા પડોશીને તમારું માઠું લાગ્યું છે. ખેડૂતે દીકરાને તરત જ કહ્યું કે, જા તો એને બોલાવી લાવ. હમણાં જ તેની સાથે પ્રેમથી વાત કરી તેની નારાજગી દૂર કરી દઉં.

દીકરાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, બાપા કેમ અત્યારે જ? પિતાએ કહ્યું, દીકરા આપણે ખેડૂત છીએ. ખેતીનો એક નિયમ જિંદગીમાં અપનાવવા જેવો છે. વરસાદ આવેને એ પહેલાં ખેતર ખેડી લેવાનું હોય છે. વરસાદ ક્યારે આવે એનો ભરોસો નહીં, આપણું ખેતર ખેડાયેલું હોવું જોઈએ. જિંદગીમાં પણ એ વાત યાદ રાખવાની હોય છે કે જે સમયે જે થવું જોઈએ એ થઈ જવું જોઈએ. છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વ્હાલનું પણ એવું જ હોય છે.

અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય.

બે મિત્રોની આ વાત છે. એક પાર્ટી હતી. એક મિત્ર બહારગામથી આવ્યો હતો. પાર્ટી દરમિયાન મજાક-મસ્તીમાં એ બંને મિત્રો વચ્ચે જૂની એક બાબતે બોલાચાલી થઈ. રીતસરનો ઝઘડો થયો. પાર્ટી પૂરી થઈ. એક મિત્ર એના ઘરે ગયો. બીજો મિત્ર કાર લઈને એના શહેર તરફ જવા નીકળ્યો. જે મિત્ર ઘરે હતો તેને થયું કે મારે ઝઘડો કરવાની જરૂર ન હતી. તેણે મિત્રને તરત ફોન કર્યો. તેણે સોરી કહ્યું. દોસ્ત, આટલા વખતે મળ્યા અને આપણા વચ્ચે ઝઘડો થઈ ગયો. મને માફ કરજે. કારમાં જતાં મિત્રએ કહ્યું,તું પણ જબરો છે. આટલી ઝડપે તને માફી માગી લેવાનું મન થઈ ગયું. મિત્રએ કહ્યું, હા દોસ્ત, કાલનો કંઈ ભરોસો નથી. કદાચ કાલે મને કંઈ થઈ જાય અને હું મરી જાઉં તો?સમયનો કંઈ ભરોસો થોડો છે?

બંનેએ હસીને વાત પૂરી કરી. મિત્ર આરામથી સૂતો. તેને થયું કે હવે સવારે કદાચ ન ઊઠું તો પણ વાંધો નહીં, એમ તો નહીં થાય કે કંઈ મનમાં રહી ગયું. એ રિલેક્સ થઈ સૂઈ ગયો. સવાર તો પડી જ. સવારના પહોરમાં ફોન આવ્યો કે, તેનો ફ્રેન્ડ કાર લઈને જતો હતો ત્યારે એનો એક્સિડન્ટ થઈ ગયો અને એ મરી ગયો છે! એને આઘાત લાગ્યો. તેણે કહ્યું, થેંક ગોડ,હવે મારે કોઈ અફસોસ સાથે તો જીવવું નહીં પડે!

તમારા મનમાં આવું કંઈ છે? કોઈની સાથે વાત કરવાનું મન થાય છે? કોઈને કંઈ કહેવું છે? તો રાહ ન જુઓ, સમય પલટી મારે એ પહેલાં બધું સુલટાવી લો.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

એક સાધુને પૂછવામાં આવ્યું કે તમારા ચહેરા ઉપર જે સુકૂન દેખાય છે એનું કારણ શું છે?

સાધુએ કહ્યું કે, હું રોજ રાતે સૂવા જાઉં એ પહેલાં એટલો જ વિચાર કરું છું કે અફસોસ થાય એવું આજે કંઈ થયું નથીને? થયું હોય તો હું સૂતાં પહેલાં જ એ વાત પૂરી કરી દઉં છું. રોજ સવારે દિવસ નવો હોય છે એમ માણસ પણ નવો અને હળવો હોવો જોઈએ.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

આપણે સવારે ઊઠીએ ત્યારે હળવા હોઈએ છીએ ખરા? રાતે સૂતી વખતે કેટલો બેગેજ આપણી સાથે હોય છે? ક્યારેક તો એ વજન આપણને ઊંઘવા નથી દેતું. પડખાં ફર્યા રાખીએ તો પણ નીંદર નથી આવતી. દરેક વખતે મોતનો વિચાર કરીને જ બધું કરવાની જરૂર હોતી નથી. મોતનો તો ક્યારેય વિચાર જ ન કરવો જોઈએ, જે કંઈ કરવું હોય એ જિંદગીનો વિચાર કરીને જ કરવું જોઈએ. જિંદગી આપણી છે. આપણે નક્કી કરવાનું હોય છે કે એને કેવી રીતે જીવવી છે.

માણસના સ્ટ્રેસનું કારણ મોટાભાગે એ પોતે હોય છે. આપણે તો નારાજ, ઉદાસ કે ગુસ્સે હોઈએ તો પણ એનો દોષ બીજા પર નાખતા હોઈએ છીએ. એના કારણે આવું થયું, તેણે એવું કર્યું એટલે મારો મૂડ ઓફ થઈ ગયો. આપણે જેવા છીએ એના માટે માત્ર અને માત્ર આપણે જ જવાબદાર હોઈએ છીએ. આપણે હળવા થઈ જઈએ તો જિંદગી હળવી જ છે. સરળતા અને સહજતા જ સુખ આપી શકે અને આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે!

★ છેલ્લો સીન :

સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે. -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.16 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com