♠ સાચું દાન ♠


છેક નાની વયથી વ્યાપાર ખેડનારો વેપારી હવે વૃદ્ધ બની ગયો હતો. આખી જિંદગી એણે કમાણી કરવા પાછળ ગાળી હતી. દ્રવ્યઉપાર્જન સિવાય એનું બીજું કોઈ લક્ષ્ય નહોતું. હવે બૂઢાપો દેખાવા લાગ્યો ત્યારે એ વિચાર કરવા લાગ્યો કે આજ સુધી સતત સંપત્તિ એકઠી કરી રહ્યો છું, પણ ક્યારેય એનો સરવાળો કરવાનો સમય મળ્યો નથી. લાવ, જરા ગણતરી કરી લઉં. વેપારી પોતાની સંપત્તિની ગણતરી કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે એની પાસે તો કરોડો રૃપિયા એકઠા થયા છે.

એને થયું કે હવે દાન-પુણ્ય કરવાનો અવસર આવી ગયો છે. ગણતરીબાજ વેપારી વિચારવા લાગ્યો કે કોઈ એવી જગાએ દાન કરું, કે જેથી ધનનો સદુપયોગ થાય અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય. લાંબા સમય પછી એણે વિચાર્યું કે એક વિરાટ મંદિર બાંધું કે જેથી લોકોને પુણ્ય કરવાનું સ્થાન મળે. વળી એમ પણ વિચાર્યું કે કે કશાય કામધંધા વિનાના લોકોને આર્થિક સહાય આપું. ત્રીજો એવો પણ વિચાર આવ્યો કે કોઈ સદાવ્રત શરૃ કરું કે જેથી ભૂખ્યાને અન્ન મળે.

શુભકાર્યનો પ્રારંભ કરવા માટે શુભમુહૂર્ત કઢાવવા એ વેપારી સંત પાસે ગયો અને સંતને પોતાની મંદિર, બેકારોને સહાય અને સદાવ્રતની યોજનાની વાત કરી.

એની આ યોજનાઓ સાંભળીને સંત નિરાશ થઈ ગયા. વેપારીને તો એમ હતું કે સંત એને શાબાશી આપશે, એને બદલે સંત ગંભીર બનીને ઊંડા વિચારમાં ડૂબી ગયા.

થોડા સમય પછી એમણે વેપારીને કહ્યું, ''ભાઈ, તારી પાસે જેટલી સંપત્તિ છે એટલા તો આ દેશમાં સદાવ્રત પર નભનારા લોકો છે. કશોય કામધંધો ન કરતા કેટલા પ્રમાદીઓને તું સહાય કરીશ ? વળી આ બધા મહેનત કરવાને બદલે મફતનું ખાવા લાગશે અને થોડાક સમયમાં તારી સઘળી સંપત્તિ ખર્ચાઈ જતાં તને કોઈ પુણ્યલાભ પ્રાપ્ત થશે નહીં.''

સંતની વાત સાંભળીને વેપારી દ્વિધામાં પડી ગયો. એણે હાથ જોડીને સંતને કહ્યું, ''મહારાજ, આપ જ કોઈ માર્ગ સૂઝાડો. મારે શું કરવું જોઈએ ?''

સંતે કહ્યું, ''તમારી ભાવનાનું પરિવર્તન કરવું જોઈએ, તો જરૃર તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકશો.''
''એ કઈ રીતે થઈ શકે ?''

સંતે કહ્યું, ''વિરાટ મંદિર, કામ વિનાના માણસોને સહાય કે સદાવ્રતને બદલે વિદ્યાલય, ઉદ્યોગશાળા અને ચિકિત્સાલયોની સ્થાપના કરો. જેથી લોકો સ્વસ્થ બનશે. શિક્ષિત થશે અને ખરેખર ઉદ્યમી બની રહેશે. જો તેઓ ઉદ્યમ કરે તો એમને ભિક્ષાવૃત્તિ કરવાનું, સદાવ્રત પર નભવાનું કે ચોરી કરવાનું મન નહીં થાય. આવી રીતે દયા-દાન કરવાથી લોકો વધુ ઉદ્યમી અને મહેનતું બનશે. એ જ સાચું દાન છે કે જે દાન વ્યક્તિને લાચાર કે યાચક બનાવે નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવન જીવતાં શીખવે.''

♠ कर्मयोग ♠


एक लड़का सुबह सुबह दौड़ने को जाया करता था | आते जाते वो एक बूढी महिला को देखता था | वो बूढी महिला तालाब के किनारे छोटे छोटे कछुवों की पीठ को साफ़ किया करती थी | एक दिन उसने इसके पीछे का कारण जानने की सोची |

वो लड़का महिला के पास गया और उनका अभिवादन कर बोला ” नमस्ते आंटी ! मैं आपको हमेशा इन कछुवों की पीठ को साफ़ करते हुए देखता हूँ आप ऐसा किस वजह से करते हो ?”

महिला ने उस मासूम से लड़के को देखा और इस पर लड़के को जवाब दिया ” मैं हर रविवार यहाँ आती हूँ और इन छोटे छोटे कछुवों की पीठ साफ़ करते हुए सुख शांति का अनुभव लेती हूँ |”

क्योंकि इनकी पीठ पर जो कवच होता है उस पर कचरा जमा हो जाने की वजह से इनकी गर्मी पैदा करने की क्षमता कम हो जाती है इसलिए ये कछुवे तैरने में मुश्किल का सामना करते है | कुछ समय बाद तक अगर ऐसा ही रहे तो ये कवच भी कमजोर हो जाते है इसलिए कवच को साफ़ करती हूँ |

यह सुनकर लड़का बड़ा हैरान था | उसने फिर एक जाना पहचाना सा सवाल किया और बोला “बेशक आप बहुत अच्छा काम कर रहे है लेकिन फिर भी आंटी एक बात सोचिये कि इन जैसे कितने कछुवे है जो इनसे भी बुरी हालत में है जबकि आप सभी के लिए ये नहीं कर सकते तो उनका क्या क्योंकि आपके अकेले के बदलने से तो कोई बड़ा बदलाव नहीं आयेगा न |

महिला ने बड़ा ही संक्षिप्त लेकिन असरदार जवाब दिया कि भले ही मेरे इस कर्म से दुनिया में कोई बड़ा बदलाव नहीं आयेगा....

लेकिन इस एक कछुवे की जिन्दगी में बदलाव जरूर आएगा, और अगर कुदरत ये सब देख रही होगी ना तो मेरे जैसे हज़ारों लाखों ऐसे और आएंगे...

जिन्हें मेरी ही तरह किसी की मदद करके शांति का एहसास होगा और उस दिन किसी भी कछुए का कवच "कमज़ोर" नहीं होगा.!!!

दोस्तो, ये कभी मत सोचना कि एक अकेला क्या कर सकता है l सूरज हर सवेरे अकेला ही तो निकलता है l हम कई बार एसा सोचते है कि '' चलो जाने दो ना l मे एक नियम का पालन नहीं करूंगा तो उनमे कौन सा पहाड टूट पडेगा l '' लेकिन आप ये नहि जानते होंगे कि आप नियम का पालन नहीं करेंगे तो आप के पीछे कई लोग होंगे जो उस नियम का पालन नहीं करेंगे l

इतिहास गवाह है कि कई बार किसी एक की गलती या किसी एक की जान बूझकर की गई भूल का खामियाजा कई लोगो को भुगतना पडा हो l

आखिरमे एक पंक्ति आप सब के लिये....

कर्म करो तो फल मिलता है ,
आज नहीं तो कल मिलता है।
जितना गहरा अधिक हो कुँआ,
उतना मीठा जल मिलता है ।
जीवन के हर कठिन प्रश्न का ,
जीवन से ही हल मिलता है।

♠ સંબંધોની શ્રીમંતાઇ ♠


આજે આપણે એક સાચી બનેલી ઘટનાની વાત કરીએ કે જે જાપાનમાં બનેલ એક સાચી કહાણી છે. ત્યાં ઘરનું સમારકામ ચાલી રહ્યું હતું અને એ વખતે એક દીવાલને તોડવામાં આવી. જાપાનના ઘરોમાં લાકડાની દીવાલો વચ્ચે પોલાણ હોય છે. જેને અંગ્રેજીમાં ર્લ્લનર્નુ જીૅચબી કહેવામાં આવે છે. આ દીવાલ તોડતી વખતે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની. ત્યાં દીવાલ પર એક ગરોળી ચીટકેલી હતી. કારણ કે તેના પગમાં એક ખીલી ઠોકાઈ ગઈ હતી. ઘરના માલિકને આ જોઈને દયા આવી. બારીકાઈથી જોતાં ઘર માલિકને જણાયું કે આ ખીલી દસ વર્ષ પહેલાં જ્યારે આ ઘર બંધાવ્યું ત્યારની હતી. આ જોઈને તેને ખૂબ નવાઈ લાગી. આ દસ દસ વર્ષ સુધી આ ગરોળી જીવતી શી રીતે રહી શકી? દીવાલના પોલાણમાં આ ગરોળી દસ વર્ષ સુધી જીવતી રહી એ એક માન્યામાં ન આવે અને મનને ચકરાવે ચડાવે તેવી જ વાત હતી. ગરોળી એક ડગલું પણ ભરી શકે તેવી ન હોવા છતાં શી રીતે ટકી શકી?

મકાન માલિકે પોતાનું કામ અટકાવી દીધું. એને આ ગરોળી કઈ રીતે જીવી રહી એ નિરીક્ષણ કરવામાં રસ હતો. ગરોળી શી રીતે ખોરાક મેળવતી હશે? તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને જે જોયું અજાયબીમાં ગરકાવ તો થયો જ પરંતુ લાગણીવશ થઈ ગયો. ગરોળી જે ખીલી વાગવાથી ત્યાં જડાઈ ગઈ હતી તેની પાસે બીજી ગરોળી આવી અને તેણે પેલી ગરોળીને ખાવા ખોરાક આપ્યો. આમ દશ વર્ષના લાંબા અને કપરા કાળ દરમ્યાન થાક્યા વિના પોતાના જીવનસાથીની જીવવાની આશા છોડયા વિના તે અવિરત કામ કરતી રહી. કોઈ પણ અપેક્ષા વિના નિઃસ્વાર્થપણે કામ થતું રહ્યું.

એ વિચારો કે ગરોળી જેવું પ્રાણી પણ કેવી બુધ્ધિમત્તા અને લાગણી ધરાવે છે. ગરોળી જેવું પ્રાણી જે કરી શકે છે તે આપણે કેમ ન કરી શકીએ?

બાળમિત્રો, તમારા પ્રિયજનોને કદી તરછોડશો નહી. જ્યારે તેમને તમારી ખરી જરૃર હોય ત્યારે ''મારી પાસે સમય નથી'' એમ કહી તેમની તરફ બેદરકાર બનશો નહીં. તમારી પાસે ભલે સમગ્ર દુનિયાનું સુખ હોય, સમૃધ્ધિ હોય પણ તેમને માટે તો તમે જ તેમની દુનિયા  છો, તમેજ સર્વસ્વ છો. અનેક કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જેમણે તમને ચાહ્યા છે, જેમણે તમને લાગણીથી નવરાવ્યા છે. તેમનું હૃદય ઉપેક્ષાથી ભાંગીને ભુક્કો થઈ જશે. કાંઈ પણ કહેતા પહેલાં યાદ રાખજો કે સંબંધો એક પળમાં ધરાશયી થઈ શકે છે પણ સંબંધોને બંધાતા વર્ષો લાગે છે.

- સૌજન્ય '' ગુજરાત સમાચાર ''

‪‎♠ अपना काम खुद करें l ♠

एक बार एक किसान के गेंहू के खेत में एक चिड़िया ने घोंसला बना रखा था। उस घोंसले में उसने अंडे दिये। कुछ समय बाद अंडो में से बच्चे निकले। चिड़िया दाना चुगने के लिए दूर जंगल में जाती थी और अपने बच्चों के लिये दाना लेकर लौटती थी। इस दौरान उसके बच्चे घोंसले में अकेले रहते थे। जब चिड़िया दाना लेकर लौटकर आती तो बच्चे बहुत खुश होते और उसके द्वारा लाए गए दानों को खाते।

एक दिन चिड़िया जब दाना लेकर लौटी तो उसने देखा कि उसके बच्चे बहुत डरे हुए हैं। उसने बच्चों से पूछा क्या बात है बच्चो ? तुम सब इतने डरे हुए क्यों हो?
बच्चों ने बताया कि “आज किसान आया था और वह कह रहा था कि फसल अब पक चुकी है, मैं कल अपने बेटों से फसल काटने के लिये कहूँगा। अगर उसने फसल काटी तो हमारा घोसला टूट जायेगा, फिर हम कहाँ रहेंगे?”

चिड़िया बोली “ फिकर मत करो बच्चों, अभी खेत की फसल नही कटेगी।”

सच में अगले दिन कोई फसल काटने नहीं आया और चिड़िया के बच्चे बेफिक्र हो गए। लेकिन कुछ दिनों बाद चिड़िया को बच्चे फिर से डरे हुए मिले। चिड़िया के पूछने पर बच्चों ने बताया “किसान आज भी आया था और कह रहा था कि बेटे नहीं आये तो क्या हुआ? कल फसल काटने के लिए मजदूरों को भेजूंगा।”

इस बार भी चिड़िया ने बच्चों से कहा “डरने की जरुरत नहीं हैं, फसल कल भी नहीं कटेगी।”

ऐसे ही कुछ दिन और बीत गए। कोई फसल काटने के लिए नहीं आया।

कुछ दिन बाद एक दिन बच्चे फिर से डरे हुए थे। और उन्होंने चिड़िया को बताया कि “आज किसान फिर से आया था और कह रहा था कि दूसरों के भरोसे रहकर मैंने फसल काटने में बहुत देर कर दी है। मैं कल खुद ही फसल को काटने आऊँगा।

यह सुनकर चिड़िया बच्चों से बोली “अब हमें यह जगह छोड़कर कोई सुरक्षित जगह चले जाना चाहिए। क्योंकि कल खेत की फसल जरुर कटेगी।”

वह तुरंत बच्चों को लेकर एक दूसरे घोसले में आ गई। जिसे उसने कई दिनों से कड़ी मेहनत कर के बनाया था।
अगले दिन चिड़िया और उसके बच्चो ने देखा कि किसान ने फसल काटनी शुरू कर दी है।

बच्चों ने बड़ी हैरानी से चिड़िया से पूछा “माँ, तुमने कैसे जाना कि कल खेत की फसल कट ही जाएगी?”

चिड़िया ने बच्चो को बताया कि “जब तक इंसान किसी कार्य के लिए दूसरों पर निर्भर रहता है, वह कार्य पूरा नहीं होता है। लेकिन जब इंसान उस कार्य को खुद करने की ठान लेता है तो वो कार्य जरुर पूरा होता है। किसान जब तक दूसरों पर निर्भर था तब तक उसकी फसल नहीं कटी। लेकिन जब उसने खुद फसल काटने का फैसला किया तो उसकी फसल कट गयी।

•≈≈ ‪‎शिक्षा‬ ≈≈•

जब तक हम किसी भी काम के लिए दूसरों पर निर्भर रहते हैं तो उस काम के होने की सम्भावना बहुत कम होती हैं और अगर वो काम हो भी गया तो उस तरह से नहीं हो पाता जैसे हम चाहते थे। लेकिन अगर वही काम हम खुद करें तो वो काम समय पर हो भी जायेगा और जैसा हम चाहते हैं वैसा ही होता है।

♠ સાચો દાનવીર ♠

ઘણાં સમય પહેલાંની વાત છે.એક મોટો દાનેશ્વરી રાજા હતો.એક બીજા રાજાએ યુદ્ધ કરી તેનું રાજ્ય પચાવી પાડ્યું એટલે રાજા પોતાની પત્ની સાથે ભાગી છૂટ્યો અને નજીક આવેલા મોટા જંગલમાં સંતાઇ રહેવા લાગ્યો.

રાજાના જ્યારે સારા દિવસો હતા ત્યારે તેની પાસેથી કોઇપણ મદદ લેવા આવનાર ખાલી હાથે પાછું ગયું નહોતું.ખૂબ જ દિલથી છૂટા હાથે દરેકને મદદ કરતો હતો.રાજા અને તેની પત્નીએ વિચાર્યું કે ભગવાન એમના સંકટ સમયે તેમની ઉદારતા,પુણ્યના ફળરૂપે જરૂર મદદ કરશે.કોઇની પાસેથી મદદ અપાવશે.પરંતુ એવું ન થયું.રાજા અને તેની પત્નીની હાલત દિવસેે દિવસે વધુને વધુ ખરાબ થવા લાગી.ત્યા સુધી કે એમને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નહોતું એટલે તેઓ બંને  ભૂખે મરવા લાગ્યાં.

એક દિવસ છૂપા વેશે રાજા બાજુમાં આવેલા એક મોટા ગામમાં મજૂરી કરવા ગયો.જે પૈસા મળ્યા તેમાંથી ખાવા માટે સામગ્રી ખરીદી અને પોતાની પત્ની પાસે આવ્યો.

બંને ખૂબ જ પ્રસન્ન હતા અને વિચારવા લાગ્યા.''હાશ!હવે આજે ઘણા દિવસો પછી પેટ ભરીને ભોજન કરવા મળશે''

ભોજન તૈયાર થયા પછી બન્ને જમવા બેઠા.બરાબર એજ સમયે એક સાધુ એમના દરવાજે આવ્યો.દયાળુ રાજા અને તેની પત્નીએ પોત-પોતાના ભાગમાંથી એક એક રોટલી સાધુને આપી દીધી.

એ દિવસે રાજા મજૂરી કરવા ગયો ત્યારે તેણે એક એવા શેઠ વિશે વાત સાંભળી હતી કે જે પુણ્યના બદલે પૈસા આપતો હતો.રાજાએ આ વાત પોતાની પત્નીને કહી.

બન્ને જણાએ નક્કી કર્યું કે ચાલો આપણે પણ આપણું પુણ્ય વેચી એ શેઠ પાસેથી પૈસા લઇ આવીએ.

બીજા દિવસે બંને પતિ - પત્ની એ શેઠ પાસે ગયાં.શેઠના હાથમાં પોતાના કરેલા પુણ્યની યાદી મૂકી.જ્યારે શેઠે વજન કરવા માટે આવી પડેલા ત્રાજવામાં એ યાદી મૂકી તો પણ બન્ને પલ્લાં સરખાં જ રહ્યાં.

આ જોઇને શેઠે રાજાને કહ્યું : ''ભાઇ! મને લાગે છે કે તમે કરેલા પુણ્યમાં તમારી મહેનત અને ત્યાગ નહોતા માટે કોઇ એવી વસ્તુને યાદ કરો કે જેની તમને જરૂર હોવા છતાં તમે તેનું દાન કર્યુ હોય.''

આ સાંભળી રાજાને પેલા સાધુને આપેલી રોટલી યાદ આવી.તરત જ તેણે યાદીમાં એ પુણ્ય ઉમેરી દીધું.

એની સાથે જ પુણ્યનું પલ્લું એકદમ નમી ગયું.બરાબર પલ્લાં કરવા માટે શેઠે સામેના પલ્લામાં વધુ માત્રામાં સોનાના સિક્કા મૂક્યા ત્યારે જ બન્ને સરખા થયાં.

આ ચમત્કાર જોઇને રાજાને સમજાઇ ગયું કે નિસ્વાર્થ ભાવે કરેલું દાન જીવનભર વગર મહેનતે પૈસા વડે કરેલાં દાન કરતાં વધું મોટું છે.

જેની પાસે અઢળક સંપત્તિ હોય એ તો સહુ કોઇ દાન કરે પરંતુ જેની પાસે કંઇ જ ના હોય છતા દાન કરે તે જ સાચો દાનવીર.એટલે જ તો જ્યારે ઇતિહાસમાં થઇ ગયેલાં દાનવીરોની વાત આવે ત્યારે દાનવીર કર્ણ અચૂક યાદ આવે છે.

દીન-દુઃખી, આતુર અને અનાથને આપેલું દાન ઉત્તમ દાન છે. કોઈના સંકટની વેળાએ તેને આપેલું દાન ઘણું જ લાભકારક બને છે. ધરતીકંપ, પાણીનું પૂર કે દુષ્કાળ વગેરે સમયે આપત્તિમાં આવી પડેલા પ્રાણીને એક મુઠી ચણા આપવા એ પણ ઘણું ઉત્તમ છે. વિધિપૂર્વક સુવર્ણ, અલંકારોનું દાન તથા પોતાના વજન જેટલા ધનનું દાન (તુલાદાન) આપવામાં આવે છે તેનાથી એટલો લાભ થતો નથી જેટલો લાભ આપત્તિવેળાએ આપેલા થોડા-સરખા દાનથી થાય છે. તેથી દરેક મનુષ્યે આપત્તિગ્રસ્ત, અનાથ, લૂલાંલંગડાં, દુઃખી, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન કરવું એ તામસી દાન છે. માન-મોટાઈ-પ્રતિષ્ઠા માટે કરેલું દાન રાજસી દાન છે, કારણ કે માન-મોટાઈ-પ્રતિષ્ઠા પણ પતન કરનારા છે.