♠ વાણી - અમૃતની સરવાણી ♠


      શાસ્ત્રો માં કહ્યું છે કે સત્ય વચન પણ મીઠાશ     પુર્વક બોલવું જોઈએ,અપ્રિય લાગે તેવુ સત્ય વચન પણ ન બોલવું જોઈએ. વાણી ની મધુરતા અન્ય વ્યક્તિમાં આનંદ અને ઉત્સાહ ઉત્પન્ન કરે છે, જ્યારે કટાક્ષપુર્વક બોલાયેલી વાણી ક્યારેક મુશ્કેલી પણ ઉભી કરે છે ,

ગામમાં છાશ બનાવવાના વારા હોય છે એટલે રોજ જુદા જુદા ઘરે છાશ બને ને બધા ત્યાં થી લઈ જતા. એક છોકરો ટીખળી હતો તેથી તે શબ્દો ના પ્રાશ ગોઠવી ને જે ઘરે છાશ નો વારો હતો ત્યા જઈને બોલ્યો , '' અરે બાઈ બાડી છાશ દેજે જાડી ''

પેલી બાડી બાઈ પણ હોશિયાર હતી ને શબ્દો ની ભાષા જાણતી હતી ને એણે વળતો જવાબ આપ્યો. ઈંટ નો જવાબ પથ્થર થી એ નીતિ મુજબ એ બાઈ એ છાશ માં બે લોટા પાણી ના ઉમેરી ને પેલા છોકરા ને છાશ આપી ને કહ્યું , કે ''જેવી તારી વાણી એવું નાંખ્યું પાણી'' એમ કહી પેલા છોકરા ને સણસણતો જવાબ આપી ને પેલી પાણીવાળી છાશ પધરાવી દીધી .

મિત્રો જોયું , આપણી વાણીને વિચારીને ના બોલીયે તો ક્યારેક  હસવાનું ખસવું પણ થઈ જાય.

♥ THNX FOR TYPING ♥
♠ ARPIT SUTHAR ♠