♠ નમ્રતાનું મહત્વ ♠


www.sahityasafar.blogspot.com

→       90 વષૅની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવતા સંત કન્ફ્યુશિયસને એકવાર એક યુવાને સવાલ કયોઁ કે, આપની આ વયે પણ સુંદર સ્વસ્થતાનુ રહસ્ય અમને પણ બતાવો ને!

→     સંતે તેને પાસે બોલાવીને કહ્યુ કે," તમે જોઇ શકો છો કે મારા મોઢા માં એક પણ દાંત નથી જ્યારે જીભ તો એવી ને એવી જ છે.  એનો અથૅ સમજીએ તો મારી તંદુરસ્તીનુ રહસ્ય પણ સમજાય જશે.દાંત કઠણ હોય છે અને તેના સંપકૅ માં આવનારને તોડવાની જ કોશીશ કરે છે અને જે બીજાને તોડવાની કોશીશ કરે છે તે પોતે જ તુટી જાય છે, જેવી રીતે દાંત મોડા આવ્યા છતા વહેલા જતા રહ્યા જ્યારે જીભ સલામત જ છે કેમકે તે નરમ રહે છે અને ઝુકવાનુ પણ જાણે છે અને અક્કડતા છોડી શકે છે અને જીવન પણ લાંબુ જીવી શકે છે.

♥ આપણે પણ જીવન માં નમ્રતા રાખવી જોઇએ. અમુક પ્રકારનો ત્યાગ કરવાથી પણ પ્રશ્ર્નો સ્વયં હલ થઇ જાય છે....

♦HEARTILY  THNX FOR TYPING ♦
♠ MAYURSINH SODHA ♠

www.sahityasafar.blogspot.com