♠ વિવેકાનંદનો વિવેક ♠

→ વિવેકાનંદના જીવનનો  એક તદ્દન અજાણ્યો પ્રસંગ રજુ કરુ છું.અંત સુધી વાંચજો.

www.sahityasafar.blogspot.com.

→ સ્વામી વિવેકાનંદ અમેરિકા જવાના હતાં.જતાં પહેલાં તે પોતાની માતા શારદાદેવી પાસે આશીર્વાદ લેવા માટે ગયાં.જઇને કહ્યું કે, '' હું અમેરિકા જઇ રહ્યો છું.મને આશીર્વાદ આપો.'' માતાના ચરણોમાં મસ્તક નમાવ્યું,પરંતું માતાએ આશીર્વાદ ન આપ્યાં અને ચૂપચાપ ઊભા રહ્યાં.સ્વામીજીએ ફરીથી આશીર્વાદ માગ્યાં,છતાં તેઓ મૌન રહ્યાં.ઘણાં સમય પછી માતાએ સ્વામીજીને રૂમમાં રાખેલી છરી લાવવાનું કહ્યું.સ્વામીજીએ છરી લાવી આપી પણ આશીર્વાદ સાથે તેનો શો સંબંધ છે તેના વિશે તેમને ખ્યાલ આવ્યો નહિં.જો કે છરી મળતાંની સાથે જ માતાએ આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો.

સ્વામીજીએ ચકિત થઇને તેના વિશે પૂછ્યું તો માતાએ તેના વિશે જણાવ્યું. '' બેટા મે જ્યારે છરી માંગી તો તે તેની ટોચ તારા હાથમાં પકડીને તેની બીજી બાજુ મારા હાથમાં આપી.તેનાથી હું સમજી ગઇ કે તું તમામ ખોટી બાબતો પોતાની પાસે રાખીને લોકોનું ભલું જ કરીશ.પોતે ભલે ઝેર ગ્રહણ કરવું પડે પણ લોકોને તો અમૃત જ વહેંચીશ.તેથી હું તને આત્માથી આશીર્વાદ આપું છું.''

આ સાંભળીને સ્વામીજીએ કહ્યું,''પણ હું આવું નથી વિચારતો.મે તો એ વિચારીને છરીની ટોચ મારી તરફ રાખી કે તમને ઇજા ન થાય.''

ત્યારે માતા વધારે પ્રસન્ન થઇને બોલી, '' તે તો વધારે સારી વાત છે.તારા સ્વભાવમાં જ ભલાઇ છે.તું ક્યારેય કોઇનું ખોટું કરીશ નહિં.જા મારા આશીર્વાદ સતત તારી સાથે છે.''

તે સર્વવિદિત છે તે સ્વામી વિવેકાનંદજીનું સમગ્રજીવન બીજાની ભલાઇમાં જ પસાર થયું.

www.sahityasafar.blogspot.com.