♠ ઇશ્વરની રોટલી ♠

www.sahityasafar.blogspot.com

એક દિવસ ડૅા.સર્વપલ્લી રાધાકૃષ્ણ એક પ્રસંગે ડિનર માટે ગયાં.આ પ્રસંગે એક બ્રિટિશ નાગરિક પણ ત્યાં હાજર હતો.

પોતાના ગોરા વાન પર ગર્વ કરનારા આ બ્રિટિશરે કહ્યું કે '' અમે ઇશ્વરના ખૂબ વહાલાં છીએ એટલે ઇશ્વરે અમને ગોરો વાન બક્ષ્યો છે.''

રાધાકૃષ્ણે તેમનાં આ નિવેદન પર હસતાં હસતાં ખૂબ જ વ્યંગ્યપૂર્ણ જવાબ આપ્યો.તેમણે કહ્યું,''મિત્રો એક દિવસ ઇશ્વર રોટલી બનાવી રહ્યો હતો,જે પહેલી રોટલી બની તે થોડી કાચી રહી ગઇ,જેમાંથી અંગ્રેજોનો જન્મ થયો.બીજી રોટલી વધુ શેકાઇ જવાથી બળી ગઇ,જેમાંથી નિગ્રોનો જન્મ થયો.ઇશ્વરે ત્રીજી રોટલી બનાવી તે સંપૂર્ણપણે બરોબર શેકાઇ અને તેમાંથી ભારતીયોનો જન્મ થયો.''

www.sahityasafar.blogspot.com