એક દિવસ રવિશંકર મહારાજને થયું કે મારે મુસાફરીનો યોગ ઘણો છે. યજમાનો બહુ ભાવુક હોય છે. ત્રણ વાગ્યે દીવો કરવાથી એમને ખલેલ પડે છે. આનો ઉપાય એ જ કે હું આખી 'ગીતા' કંઠસ્થ કરું.દ્રઢ સંકલ્પ સાથે તેમણે આખી ગીતા કંઠસ્થ કરી લીધી. પ્રાણશંકર મહેતાના ઘરે ઈ. સ.1958માં વિસનગર આવ્યા ત્યારે રવિશંકર મહારાજે કહ્યું , "સવારે દીવાની જરૂર નહીં પડે."
'' કેમ દાદા, હવે ગીતાપાઠ નથી કરતા? '' પ્રાણશંકર મહેતાએ પૂછ્યું.
'' કરું જ છું પરંતુ હવે 'ગીતા' કંઠસ્થ કરી લીધી છે. દીવાની કે પુસ્તકની જરૂર પડતી નથી." રવિશંકર મહારાજે કહ્યું.
પ્રાણશંકર તો ચમકી ગયા આટલી મોટી ઉંમરે સમગ્ર ભગવદ્ ગીતા કંઠસ્થ કરી લીધી.??
♦ બોધ ♦
આપણાથી બીજાને તકલીફ ન પડે એની સતત કાળજી રાખવી એ બહુ ઊંચી વાત છે. દ્રઢ સંકલ્પ સાથે સાતત્યપૂર્વક કરેલ સાધના સિદ્ધિને વરે છે.