એક ગોવાળ દરરોજ એક કિલો માખણ દુકાનદારને વેચતો. એક દિવસ પેલા દુકાનદારને વિચાર આવ્યો કે હું હંમેશા આ ગોવાળ પર વિશ્વાસ કરી વજન કર્યા વગર જ માખણ ખરીદી લઉં છું. માટે એક વખત માખણ તોલી ખરાઈ કરી લેવી જોઈએ . દુકાનદારે માખણનું વજન કર્યું તો કિલોમાં સહેજ ઓછું નીકળ્યું.
દુકાનદાર ગુસ્સે થયો અને સમગ્ર મામલો રાજદરબારમાં પહોંચ્યો.
રાજાએ ગોવાળને પૂછ્યું , “ તું માખણનું વજન કરવા માટે કયા તોલનો ઉપયોગ કરે છે? "
ત્યારે ગોવાળે જવાબ આપ્યો , “મહારાજ મારી પાસે તો વજન કરવા માટે તોલ જ નથી. એ તો હું દુકાનદાર પાસેથી એક કિલો માખણના બદલામાં દરરોજ એક કિલો કોઈની કોઈ વસ્તુ ખરીદી લઉં છું અને તેનું વજન કરી તેના વજનનું જ માખણ દુકાનદારને આપું છું.”
ગોવાળનો જવાબ સાંભળી પેલો દુકાનદાર ભોંઠો પડી ગયો .
દુકાનદારની જેમ આપણે પણ આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે જ સામે મેળવીએ છીએ. માટે આપણે વિચારવું જોઈએ કે આપણે બીજાને શું આપીએ છીએ.દુઃખ કે સુખ,પ્રામાણિકતા કે કપટ,જૂઠ કે વફાદારી.