www.sahityasafar.blogspot.com
સુભાષચંદ્ર બોઝ આઇ.એ.એસ.ની પરીક્ષા આપી રહ્યા હતા.મૌખિક પરીક્ષામાં તેઓ બધા પ્રશ્નોના સહેલાઇથી ઉત્તર આપી રહ્યા હતા.પરિક્ષકને થયુ કે આ તો બધા જવાબ આપી દેશે તો પરીક્ષા બરાબર નહિ ગણાય.
આથી તેમણે એક વીંટી મૂકી અને કહ્યું '' મિસ્ટર બોઝ,આ વીંટીમાંથી પસાર થઇ જાવ.'' બોઝ ક્યાં પાછા પડે તેવા હતાં.તેમણે એક કાગળનો ટુકડો લઇ ઉપર પોતાનું નામ લખ્યું પછી તે કાગળને વાળીને વીંટીમાંથી પસાર કરી દીધો.
મૌખિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં પછી લેખિત પરીક્ષા આપવાની હતી.તેમને પ્રશ્નપત્ર આપવામાં આવ્યું.લખતાં લખતાં એક વાક્ય આગળ તેઓ અટક્યા અને કહ્યું કે આ ખોટું વાક્ય છે તેને રદ કરો તો જ હું પરીક્ષા આપીશ.
પરીક્ષકે કહ્યું, '' વાક્ય સાચું છે કે ખોટુ તે તમારે જોવાનું નથી તમારે તો માત્ર ભાષાંતર કરવાનું છે.''
આથી બોઝે કહ્યું કે, '' આ વાક્ય રદ કરો નહિંતર હું પરિક્ષા નહિ આપું.''
તેમ કરવાની સ્પષ્ટ ના સાંભળી સુભાષચંદ્ર બોઝે કહ્યુ, '' આવી પરિક્ષા આપીને મારે પાસ થવું નથી.''
એમ કહી તેઓએ પ્રશ્નપત્ર અને જવાબપત્રને ફાડી નાખ્યા અને ત્યાથી નીકળી ગયાં.
→ તેમને જે વાક્યનું ભાષાંતર કરવા આપ્યું હતુ તેનો અર્થ એવો હતો કે ભારતીય સૈનિકો મોટાભાગે અપ્રમાણિક હોય છે.દેશનું આવું અપમાન સુભાષબાબુ કેવી રીતે સહન કરી શકે? રાષ્ટ્રભક્તિ અને દેશદાઝ ધરાવતા આવા યુવાનો જ રાષ્ટ્રની સાચી સંપત્તિ ગણાય છે.
www.sahityasafar.blogspot.com