♦ હકારાત્મક બનો ♦

એક જંગલ હતું.તેંમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા તેણે ત્યાં જઈને બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. 

www.sahityasafar.blogspot.com

તેજ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. 

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાની તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી તે દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. 

www.sahityasafar.blogspot.com

આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે ? કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. 

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી દાવાનળ માં બળી જઈને બધું ભસ્મીભૂત થઈ જશે ? 

www.sahityasafar.blogspot.com

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેની તરફ બાણનું નિશાન તાકી ઊભો હતો. 

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના , ત્યા સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ઘસમસતી નદી તેને તાણી જઈ શકે એમ હતી. 

શું હરણી પાછળ જઈ શકે એમ હતી ? ના ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી શકે તેમ હતો. 

👉🏼 જવાબ :- આ ઘટના " સ્ટોકેઈસ્ટીક પ્રોબેબિલીટી થિયરી " નું એક ઉદાહરણ છે. 

www.sahityasafar.blogspot.com

એ હરણી કંઈ જ કરતી નથી.  તે માત્ર પોતાના બચ્ચાને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત બીજી ક્ષણમાં જ આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે. એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઇ જાય છે. 

www.sahityasafar.blogspot.com

તીર સિંહના શરીરમાં ઘુસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વરસાદ વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. 

એ જ ક્ષણે હરણી એક સુંદર અને તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે. 

www.sahityasafar.blogspot.com

👉🏼 આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે. 

www.sahityasafar.blogspot.com

👉🏼 આ ઘટનાનો સાર માત્ર એટલો જ છે કે જ્યારે આપણને ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય અને હકારાત્મક અભિગમ રાખીએ તો સફળતા અવશ્ય મળે જ છે.