♠ શ્રીકૃષ્ણનો અનંત મહિમા ♠

'' શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણનો રંગ કેમ નીલો છે ? '' વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે સંન્યાસીએ પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં.કોઇને જવાબ સૂઝતો નહોતો.ત્યારે એક વિદ્યાર્થી ઊભો થઇને બોલ્યો , સ્વામીજી , શ્રીકૃષ્ણનો નીલો રંગ અનંતતાનું પ્રતિક છે.''

સંન્યાસીએ પૂછ્યું , ''તમે આ કેવી રીતે કહી શકો છો ? ''

વિદ્યાર્થીએ પોતાના કથનને સુંદર રીતે સમજાવ્યું , ''જે રીતે નીલું આકાશ અને નીલો સમુદ્ર અનંત છે. તે પ્રકારે શ્રીકૃષ્ણનો મહિમા પણ અનંત છે.તેથી તેનો રંગ પણ નીલો છે.''

વિદ્વાન સંન્યાસી જ નહિ , ઉપસ્થિત બધા લોકો જવાબ સાંભળીને આનંદથી ગદગદિત થઇ ઉઠ્યા.વિદ્વાન સંન્યાસી  સ્વામી વિવેકાનંદ હતા અને જવાબ આપનાર બાળક - ચક્રવર્તી રાજગોપાલાચાર્ય હતાં.જે રાજનીતિ અને હિંદુ ધર્મના વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થયાં.