♥ માથું ઝૂકે,પાઘડી નહિ ♥

તમે ચારણ જાતિના થઇને સભાની રીતિ - નીતિ નથી જાણતા.મને તો એ જાણકારી હતી કે રાજપૂતાના ચારણ ખૂબ જ વિદ્વાન તથા કવિ પણ હોય છે.

''તમે અહીં આવીને દરબારના નિયમ અનુસાર અભિવાદન ન કરીને શિષ્ટાચારનું પાલન નથી કર્યું.એવું માલૂમ થાય છે કે તમે એક અભણ,અશિષ્ટ વ્યક્તિ છો,જે મારા દરબારમાં ઉપસ્થિત થયાં છો.'' અકબરે આ શબ્દો શીતલ નામના ચારણને કહ્યાં.

શીતલે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો,''જહાંપનાહ,ધૃષ્ટતા માટે ક્ષમા કરો.મારી શું હેસિયત છે કે હું આપને સલામ ન કરું ! વાત એ છે હજૂર કે મારા માથા પર જે પાઘડી બાંધેલી છે તે મહારાણા પ્રતાપથી મને ભેટમાં મળેલી મળેલી છે અને રાણા પ્રતાપ આજ દિન સુધી દુશ્મનની સામે ઝૂક્યાં નથી.આપ જ બતાવો સરકાર,શું મને રાણાની પાઘડીને આ પ્રકારે ઝૂકાવવાનો અધિકાર છે? મેં એટલા માટે આપનું અભિવાદન નથી કર્યું.''

આમ કહીને તેણે પાઘડી પોતાના હાથમાં લઇ લીધી અને માથું ઝૂકાવી દીધું.રાજસ્થાનની પાઘડી ઝૂકતી નથી.શીતલનું માથું તો ઝૂક્યું,પરંતુ મન નહિં.

→ વાઘની ગુફામાં જઇને તેને પડકારવો સરળ કામ નથી.શીતલે એ જ કામ કર્યું જે એક દેશભક્તે કરવું જોઇએ.

♥ અસીમ ધૈર્ય ♥

ગ્રીષ્મની બળબળતી બપોરનો સૂર્ય આકાશમાંથી અગનગોળા વરસાવતો હતો. ભગવાન બુદ્ધ એમના શિષ્ય ભિખ્ખું આનંદ સાથે વિહાર કરતા હતા. કાળઝાળ ગરમી અને દીર્ઘ વિહારને કારણે ભગવાન બુદ્ધને તૃષા લાગી.

એમણે પ્રિય શિષ્ય આનંદને કહ્યું, ''આપણે વિહાર કરતા હતા, ત્યારે માર્ગમાં કલકલનાદે વહેતું નાનકડું ઝરણું જોયું હતું. એ ઝરણું જોઇને મારા ચિત્તે અપાર પ્રસન્નતા અનુભવી હતી. તો આનંદ,
એ ઝરણા પાસે જઇને પાણી લઇ આવ, અતિ તૃષા લાગી છે.''

ભિખ્ખુ આનંદ એ ઝરણા પાસે ગયા. આસપાસની પ્રકૃતિ અને વહેતા ઝરણાંનો મધુર તાલબદ્ધ ધ્વનિ આનંદના અંતરને પુલકિત કરી રહ્યા. એમણે ઝરણામાંથી પાણી લેવા માટે પાત્ર નીચું વાળ્યું, પણ પાણી લેતા થંભી ગયા. બન્યું હતું એવું કે આ
ઝરણાના માર્ગમાં કેટલાક રથો પસાર થયા હતા. એ રથને કારણે આ ઝરણાનું જળ મલિન બની ગયું હતું. આવું ધૂળવાળું કાદવ- કીચડવાળું જળ કઇ રીતે લઇ જાય ? આથી ભિખ્ખું આનંદ પાછાં ફર્યા.

એમણે આવીને ગૌતમ બુદ્ધને કહ્યું, ''ઝરણાંનું
પાણી અત્યંત મલિન હતું. આ નાના ઝરણાં વચ્ચેથી કોઇ રથ પસાર થયા હોવાથી એનું પાણી ધૂળથી મેલું થઇ ગયું અને કાદવ- કીચડ ઉપર આવી ગયા, આથી હું પણ લાવ્યો નથી. જો તમે
આજ્ઞાા આપો તો થોડે દૂર આવેલી નદીમાંથી પાણી લઇ આવું.''

ગૌતમ બુદ્ધે કહ્યું, ''ના, એટલે લાંબે અંતરે જવાની જરૂર નથી. થોડીવાર પછી પુનઃ જઇને ઝરણાનું પાણી લઇ આવું.''

થોડીવાર થઇ. બુદ્ધના આદેશ પ્રમાણે ભિખ્ખુ આનંદ પુનઃ ઝરણાં પાસે ગયા, પરંતુ મલિન જળ જોઇને પાછા આવ્યા.

ફરી ભગવાન બુદ્ધને કહ્યું, 'હજી ઝરણાનું પાણી અશુદ્ધ જ છે. આપ કહો તો નદી પરથી પાણી લઇ આવું.'

ભગવાન બુદ્ધે કહ્યું, ''આનંદ, થોડીવાર પછી પુનઃ ઝરણા પાસે જજે, ત્યાંથી શુદ્ધ પાણી મળી રહેશે.''

ભિખ્ખુ આનંદ ત્રીજી વાર એ ઝરણા પાસે પહોંચ્યા. એમણે જોયું તો પહેલા પાણીમાં જે કાદવ-કીચડ હતાં, તે તળિયે બેસી ગયા હતા. મલીન પાણી વહી ગયું હતું. જલપાત્રમાં નિર્મળ જળ લઇને આનંદ પાછા આવ્યા. તે બુદ્ધના ચરણોમાં નમ્યા અને બોલ્યા.

''ઓહ, આજે આપે મને કેવો મહાન ઉપદેશ
સમજાવ્યો. આનાથી મને ખ્યાલ કે જીવનમાં કશું જ સ્થાયી નથી. માત્ર ધૈર્ય જોઇએ.''

♥ બોધ ♥

હકીકતમાં માનવી દુઃખ આવતા માની લે છે કે આ દુઃખ હંમેશા રહેવાનું છે અને સુખ આવતા એમ સમજવા લાગે છે કે હવે જીવનમાં સુખ સિવાય બીજું કશું નથી. દુઃખની વેળાએ એ ધૈર્ય ગુમાવે છે અને સુખને સમયે એ સમજ ખોઇ બેસે છે.પરિણામ
એ પરિસ્થિતિની કે જીવનની અનિત્યતાને જોઇ
શકતો નથી અને સઘળું નિત્ય માનીને જીવે છે. જે જીવનની પરિસ્થિતિની અનિત્યતાને જુએ છે તે જીવનના નિત્ય આનંદને માણી શકે છે. આને માટે ભિખ્ખું આનંદ સમજ્યો તેમ ધૈર્ય જોઇએ. આ ધૈર્ય જ માણસને બધી સ્થિતિમાં આનંદિત અને
પ્રફુલ્લિત રાખે છે.

★ ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ ★

♠ रामकृष्ण परमहंस - विवेकानंद संवाद ♠

स्वामी विवेकानंद     :  मैं समय नहीं निकाल पाता. जीवन आप-धापी से भर गया है.

रामकृष्ण परमहंस   :  गतिविधियां तुम्हें घेरे रखती हैं. लेकिन उत्पादकता आजाद करती है.

स्वामी विवेकानंद     :  आज जीवन इतना जटिल क्यों हो गया है?   
     
रामकृष्ण परमहंस   :  जीवन का विश्लेषण करना बंद कर दो. यह इसे जटिल बना देता है. जीवन को सिर्फ जिओ.

स्वामी विवेकानंद     :  फिर हम हमेशा दुखी क्यों रहते हैं?   
   
रामकृष्ण परमहंस   :  परेशान होना तुम्हारी आदत बन गयी है. इसी वजह से तुम खुश नहीं रह पाते.

स्वामी विवेकानंद     :  अच्छे लोग हमेशा दुःख क्यों पाते हैं?

रामकृष्ण परमहंस   :  हीरा रगड़े जाने पर ही चमकता है. सोने को शुद्ध होने के लिए आग में तपना पड़ता है. अच्छे लोग दुःख नहीं पाते बल्कि परीक्षाओं से गुजरते हैं. इस अनुभव से उनका जीवन बेहतर होता है, बेकार नहीं होता.

स्वामी विवेकानंद     :  आपका मतलब है कि ऐसा अनुभव उपयोगी होता है?

रामकृष्ण परमहंस   :  हां. हर लिहाज से अनुभव एक कठोर शिक्षक की तरह है. पहले वह परीक्षा लेता है और फिर सीख देता है.

स्वामी विवेकानंद     :  समस्याओं से घिरे रहने के कारण, हम जान ही नहीं पाते कि किधर जा रहे हैं...

रामकृष्ण परमहंस   :  अगर तुम अपने बाहर झांकोगे तो जान नहीं पाओगे कि कहां जा रहे हो. अपने भीतर झांको. आखें दृष्टि देती हैं. हृदय राह दिखाता है.

स्वामी विवेकानंद     :  क्या असफलता सही राह पर चलने से ज्यादा कष्टकारी है?

रामकृष्ण परमहंस   :  सफलता वह पैमाना है जो दूसरे लोग तय करते हैं. संतुष्टि का पैमाना तुम खुद तय करते हो.

स्वामी विवेकानंद     :  कठिन समय में कोई अपना उत्साह कैसे बनाए रख सकता है?

रामकृष्ण परमहंस   :  हमेशा इस बात पर ध्यान दो कि तुम अब तक कितना चल पाए, बजाय इसके कि अभी और कितना चलना बाकी है. जो कुछ पाया है, हमेशा उसे गिनो; जो हासिल न हो सका उसे नहीं.

स्वामी विवेकानंद     :  लोगों की कौन सी बात आपको हैरान करती है?

रामकृष्ण परमहंस   :  जब भी वे कष्ट में होते हैं तो पूछते हैं, "मैं ही क्यों?" जब वे खुशियों में डूबे रहते हैं तो कभी नहीं सोचते, "मैं ही क्यों?"

स्वामी विवेकानंद     :  मैं अपने जीवन से सर्वोत्तम कैसे हासिल कर सकता हूँ?

रामकृष्ण परमहंस   :  बिना किसी अफ़सोस के अपने अतीत का सामना करो. पूरे आत्मविश्वास के साथ अपने वर्तमान को संभालो. निडर होकर अपने भविष्य की तैयारी करो.

स्वामी विवेकानंद     :  एक आखिरी सवाल. कभी-कभी मुझे  लगता है कि मेरी प्रार्थनाएं बेकार जा रही हैं.

रामकृष्ण परमहंस   :  कोई भी प्रार्थना बेकार नहीं जाती. अपनी आस्था बनाए रखो और डर को परे रखो. जीवन एक रहस्य है जिसे तुम्हें खोजना है. यह कोई समस्या नहीं जिसे तुम्हें सुलझाना है. मेरा विश्वास करो- अगर तुम यह जान जाओ कि जीना कैसे है तो जीवन सचमुच बेहद आश्चर्यजनक है.

♠ સંતનું સંતત્વ ♠

આજથી ૧૮૪ વર્ષ પહેલાંની આ વાત છે.એ વખતે આપણાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું.મુંબઇ ઇલાકાના ગવર્નર સર જ્હોન માલ્કમ ભારતિય સંસ્કૃતિથી પ્રભાવિત હતાં.એ વખતે સહજાનંદ સ્વામીનો ગુજરાત - સૌરાષ્ટ્રમાં ભારે પ્રભાવ હતો.
સર જ્હોન માલ્કમે સ્વામીજીને રાજકોટ પધારવા આમંત્રણ આપ્યું અને ભગવાન રાજકોટ પધાર્યાં.ફેબ્રુઆરી મહીનાની 26 મી તારીખે 1830માં રાજકોટમાં મુલાકાત થઇ.ગવર્નર ખૂૂબ ખુશ થયાં અને ભાવપૂર્વક વંદન કર્યાં.

સ્વામીજીએ રાજકોટમાં હરિભક્તોની સભા કરી.ત્યાં બોરડીનું ઝાડ હતું.બોરડીની છાયામાંજ સ્વામીજીનું આસન હતું.આ સમયે યોગીરાજ મહાન તપસ્વી સંત ગોપાળાનંદજી તે બોરડી નીચેથી પસાર થયાં અને બોરડીના કાંટા તેમણે માથે પહેરેલી પાઘડીમાં ભરાયાં.અચાનક જ ગોપાળાનંદ સ્વામી બોલી ઉઠ્યાં, '' હે બોરડી ! પૂર્ણ પુરૂષોત્તમ સ્વામી સહજાનંદનો સાક્ષાત સંબંધ થયો છતાં તારો સ્વભાવ છોડ્યો નહિ? ''

આ બોલતાં જ બોરડીનાં તમામ કાંટા ખરી પડ્યાં અને આ બોરડી જે ''બદરીવૃક્ષ'' તરીકે ઓળખાય છે તે કાંટા વગરની થઇ ગઇ.સંતના શબ્દોનો આ તે કેવો ચમત્કાર !

રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પરનાં શ્રીજી મહારાજનાં સંસર્ગવાળી પ્રસાદીભૂત આ બોરડી આજે પણ આ સ્થળે ત્યાં ભવ્ય નિર્માણ પામેલ સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં અડીખમ ઊભી છે.હરિભક્તો અને ભાવિકો તેની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે.આશરે ૨૦૦ વર્ષ પૂરાણી આ બોરડીને ગુજરાતના હેરીટેજ વૃક્ષોમાંના એક વૃક્ષ તરીકે સ્થાન મળ્યું છે.

સંત સમાગમથી એક નિર્જીવ વૃક્ષના સ્વભાવમાં પરિવર્તન થતું હોય તો માનવ સ્વભાવમાં પરિવર્તન થાય તેમાં શી નવાઇ?

♠ ઉત્તરાધિકારી કોણ? ♠

www.sahityasafar.blogspot.com

ઘણાં સમય પહેલાંની વાત છે.એક રાજા વૃદ્ધ થઇ ગયો ત્યારે તેને પોતાના ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી.આથી એક દિવસ તેણે રાજ્યના નવયુવકોને મહેલમાં બોલાવ્યા અને એક એક બી આપીને કહ્યું કે ''હું ઇચ્છું છું કે આ બધાં નવયુવકો તેને વાવે અને એક વર્ષ પછી આ બીમાંથી ઊગેલાં છોડ લઇને આવશે ત્યારે તે પોતાનાં ઉત્તરાધિકારીની ઘોષણા કરશે.''

બધાંજ યુવકો બી લઇને ઘરે આવી ગયાં અને પૂરી મહેનતથી તેની સારસંભાળ કરવાં લાગ્યાં.એમાં કલિંગ નામનો એક નવયુવક પણ હતો.તે પણ હોંશે-હોંશે બીને ખાતર-પાણી આપતો.આમને આમ 3 અઠવાડિયાં પસાર થઇ ગયાં.બધાંજ યુવકો પોતાનાં નાના-નાના છોડને જોઇને ખુશ થઇ રહ્યાં હતાં.પણ કલિંગના બીમાંથી અંકુર ફૂટ્યું નહોતું.3 અઠવાડિયાં, 4 અઠવાડિયાં.....આવી જ રીતે 6 અઠવાડિયાં પસાર થઇ ગયાં.કલિંગ નિરાશ થઇ ગયો.છેવટે એ દિવસ આવી ગયો જ્યારે બધાએ રાજાની સામે હાજર થવાનું હતું.બધાંના કૂંડામાં રંગબેરંગી ફૂલો લહેરાઇ રહ્યાં હતાં,પણ કલિંગનું કૂંડૂ ખાલી હતું.તેને ડર લાગ્યો કે તેણે બી બરબાદ કરી દીધું છે અને હવે રાજા તેને મોતની સજા સંભળાવશે.પરંતુ બન્યુ ઊલટું.રાજએ કલિંગને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

રાજાએ કહ્યું કે એક વર્ષ પહેલાં તેણે બધાંને ઉકાળેલાં બી આપ્યાં હતાં એટલે કે તેમાંથી છોડ ઊગી શકે તેમજ નહોતો.

♥ બોધ ♥
ઇમાનદારી સામે ચાલાકી પણ હારી જાય છે.

www.sahityasafar.blogspot.com

♥ YOU CAN VISIT MY ''GK BLOG'' ♥

www.aashishbaleja.blogspot.com

♠ ચતુર ડ્રાઇવર ♠

www.sahityasafar.blogspot.com

એક સામાન્ય માણસની પણ કોઠાસૂઝ ઘણીવાર કોઇ અદભુત કામ કરી જાય છે તેની સાબિતી આપતો આ પ્રસંગ જરૂર વાંચજો અને શેર કરવાનું ભૂલતાં નહિ....

એક પ્રસિદ્ધ વક્તા હતો.એક દિવસ વક્તાની તબિયત ખરાબ થતાં ડ્રાઇવરે તેની જગ્યાએ ભાષણ આપવાની ઇચ્છા જાહેર કરી.અગાઉના ભાષણો તેના ડ્રાઇવરે સાંભળ્યાં હતાં.જે જગ્યાએ ભાષણ આપવાનું હતું ત્યાં વક્તાને કોઇ ચહેરાથી ઓળખતું નહોતું એટલે બીજો તો કોઇ વાંધો આવે તેમ નહોતો,છતાં કંઇ ગરબડ ન થાય તે માટે વક્તા પોતે ડ્રાઇવરના વેશમાં તેની સાથે ગયો.અસલી ડ્રાઇવરે પૂરા આત્મવિશ્વાસ સાથે બહેતરીન ભાષણ આપ્યું.ત્યાં સુધી કે તેની બોડી લેંગ્વેજ અને હાવભાવ પણ એકદમ વક્તા જેવા હતાં.લોકો 'વક્તા'પર આફરીન થઇ ગયાં અને જોરદાર તાડીઓ વગાડીને તેનું અભિવાદન કર્યું. ત્યાર પછી શરૂ થયા સવાલ - જવાબ.એક શ્રોતાએ ખૂબ જ અઘરો સવાલ કર્યો.ડ્રાઇવર સમજી ગયો કે તે આ સવાલનો જવાબ નહી આપી શકે.એ તરત હસી પડ્યો : 'ઓહ! આ સવાલ તો એટલો સહેલો છે કે એનો જવાબ મારો ડ્રાઇવર પણ આપી શકે એમ છે.'

♥ બોધ ♥
વિદ્વાનની અસલી નિશાની કોઠાસૂઝ હોય છે.

www.sahityasafar.blogspot.com

♠ बुद्धि का बल ♠

विश्व के महानतम दार्शनिकों में से एक सुकरात एक बार अपने शिष्यों के साथ बैठे कुछ चर्चा कर रहे थे। तभी वहां अजीबो-गरीब वस्त्र पहने एक ज्योतिषी आ पहुंचा।

वह सबका ध्यान अपनी ओर आकर्षित करते हुए बोला ,” मैं ज्ञानी हूँ ,मैं किसी का चेहरा देखकर उसका चरित्र बता सकता हूँ। बताओ तुममें से कौन मेरी इस विद्या को परखना चाहेगा?”

शिष्य सुकरात की तरफ देखने लगे।

सुकरात ने उस ज्योतिषी से अपने बारे में बताने के लिए कहा।

अब वह ज्योतिषी उन्हें ध्यान से देखने लगा।

सुकरात बहुत बड़े ज्ञानी तो थे लेकिन देखने में बड़े सामान्य थे , बल्कि उन्हें कुरूप कहना कोई अतिश्योक्ति न होगी।

ज्योतिषी उन्हें कुछ देर निहारने के बाद बोला, ” तुम्हारे चेहरे की बनावट बताती है कि तुम सत्ता के विरोधी हो , तुम्हारे अंदर द्रोह करने की भावना प्रबल है। तुम्हारी आँखों के बीच पड़ी सिकुड़न तुम्हारे अत्यंत क्रोधी होने का प्रमाण देती है ….”

ज्योतिषी ने अभी इतना ही कहा था कि वहां बैठे शिष्य अपने गुरु के बारे में ये बातें सुनकर गुस्से में आ गए और उस ज्योतिषी को तुरंत वहां से जाने के लिए कहा।

पर सुकरात ने उन्हें शांत करते हुए ज्योतिषी को अपनी बात पूर्ण करने के लिए कहा।

ज्योतिषी बोला , ” तुम्हारा बेडौल सिर और माथे से पता चलता है कि तुम एक लालची ज्योतिषी हो , और तुम्हारी ठुड्डी की बनावट तुम्हारे सनकी होने के तरफ इशारा करती है।”

इतना सुनकर शिष्य और भी क्रोधित हो गए पर इसके उलट सुकरात प्रसन्न हो गए और ज्योतिषी को इनाम देकर विदा किया। शिष्य सुकरात के इस व्यवहार से आश्चर्य में पड़ गए और उनसे पूछा , ” गुरूजी , आपने उस ज्योतिषी को इनाम क्यों दिया, जबकि उसने जो कुछ भी कहाँ वो सब गलत है ?”

” नहीं पुत्रों, ज्योतिषी ने जो कुछ भी कहा वो सब सच है , उसके बताये सारे दोष मुझमें हैं, मुझे लालच है , क्रोध है , और उसने जो कुछ भी कहा वो सब है , पर वह एक बहुत ज़रूरी बात बताना भूल गया , उसने सिर्फ बाहरी चीजें देखीं पर मेरे अंदर के विवेक को नही आंक पाया, जिसके बल पर मैं इन सारी बुराइयों को अपने वष में किये रहता हूँ , बस वह यहीं चूक गया, वह मेरे बुद्धि के बल को नहीं समझ पाया !” , सुकरात ने अपनी बात पूर्ण की।

मित्रों , यह प्रेरक प्रसंग बताता है कि बड़े से बड़े इंसान में भी कमियां हो सकती हैं, पर यदि हम अपनी बुद्धि का प्रयोग करें तो सुकरात की तरह ही उन कमियों से पार पा सकते हैं।

♠ બિરબલનું બુદ્ધિચાતુર્ય ♠

એક સવારે અકબર અને બિરબલ બગીચામાં ફરવા માટે નિકળ્યા.ફરતાં ફરતાં બંને વચ્ચે અનેક વિષયો પર ચર્ચા થતી હતી.

અચાનક અકબરે બિરબલને પૂછ્યું,''બિરબલ,સ્વર્ગનો રાજા ઇન્દ્ર કેવો હશે? એ મારાથી મોટો રાજા હશે કે નાનો?''

બિરબલે પહેલાં તો સ્મિત આપીને ટાળ્યું,પણ અકબરે ફરીથી સવાલ કર્યો.બિરબલ ગુંચવાઇ ગયા કે,જો ઇન્દ્રને મોટા કહીશ તો બાદશાહ નારાજ થશે અને જો તેમને મોટા કહીશ તો એ પૂરાવો માંગશે.આ પૂરાવો ક્યાંથી લાવીશ?

અકબરના આગ્રહથી બિરબલે કહ્યું કે,જહાપનાહ તમે ઇન્દ્રથી મોટા છો.

પછી બિરબલે કારણ સમજાવ્યું કે,''બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે બે પૂતળા બનાવ્યા અને ત્રાજવામાં મૂક્યાં.તમે વજનદાર હતા એટલે તમારું પલડું નમી ગયું.તમને પૃથ્વીનું રાજ્ય આપ્યું અને ઇન્દ્ર હલકા હતા એટલે તેને સ્વર્ગનું રાજ્ય આપ્યું.આ રીતે બ્રહ્માજીએ એજ સમયે પ્રમાણિત કરી દીધું કે તમે ઇન્દ્રથી મોટા છો.''

બિરબલનું બુદ્ધિચાતુર્ય જોઇને અકબર ખુશ થઇ ગયો.

♠ અદભુત  સહનશક્તિ ♠

શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હતી.વહેલી સવારે પથારી છોડીને બહાર નિકળવાનું ગમે જ નહિ એવો ઠંડીનો પ્રભાવ હતો.

ગંગા નદીના કિનારે પેન્ટ-સૂટ-બૂટ અને હેટ પહેરીને કેટલાક અંગ્રેજો ''મોર્નિગ વોક'' કરવા માટે નિકળ્યા હતાં.તેઓ ઘાટ પાસે આવ્યા અને તેમને એક  દ્રશ્ય જોઇને અચરજ થયું.આટલી તીવ્ર ઠંડીમાં એક વ્યક્તિ માત્ર લંગોટી લગાવીને ધ્યાન અવસ્થામાં બેઠો હતો.

એક અંગ્રેજથી રહેવાયું નહી એટલે તેણે બેઠેલી વ્યક્તિને પૂછ્યું '' એ મિસ્ટર તમને ઠંડી લાગતી નથી? આમ ખુલ્લા શરીરે કેમ બેઠા છો? ''

'' બિલકુલ ઠંડી લાગતી નથી.'' તે વ્યક્તિએ કહ્યું.

'' એવું કેવી રીતે બની શકે ? તે અંગ્રેજે સામો પ્રશ્ન પૂછ્યો.

'' જૂઓ તમને સમજાવું, તમે આટલા બધા કપડાં પહેર્યા છે અને માથું, હાથ વગેરે ઢાંકી દીધું છે પરંતું નાક કેમ ખુલ્લું રાખ્યું છે.નાકે ઠંડી લાગતી નથી ? ''

અંગ્રેજે જવાબ આપ્યો, ''નાક તો ખુલ્લું રાખવું જ પડે ને ! નહીં તો શ્વાસ કેવી રીતે લઇએ.નાક તો રોજ ખુલ્લું રહે એટલે ટેવ પડી ગઇ છે.તેટલા ભાગમાં ઠંડી લાગતી નથી ? ''

''તમે ખાલી નાક ખુલ્લું રાખવાની ટેવ પાડી છે.હું આખા શરીરે ઠંડી સહન કરી શકું છું.ટેવ પડે તો કંઇ અઘરું નથી.'' સ્વામી દયાનંદ સરસ્વતીએ મસ્તીથી જવાબ આપ્યો.

♠ સાચા સંત ♠

www.sahityasafar.blogspot.com

સમર્થ ગુરુ રામદાસ આકરું તપ કરતા હતાં.તેઓ માત્ર ત્રણ ઘરે જ ભિક્ષા માંગતા હતાં અને તેટલા ભોજનથી ચલાવી લેતાં હતાં.એકાદ ઘરેથી ખાલી હાથ જવું પડે તો પણ ચલાવી લેતાં.એકવાર સવારમાં એક ઘર આગળ ભિક્ષા માટે ઊભા રહ્યાં.
ભિક્ષા માંગી તે ઘરની સ્ત્રી કારણવશ ગુસ્સામાં હતી.સાધુની બૂમ સાંભળી તેનો ગુસ્સો વધારે ભભક્યો,  તે પોતું કરી રહી હતી તે કપડું સમર્થના મો ઉપર ફેંક્યું.

સમર્થ કોને કહેવાય.તેઓ સહેજ પણ ગુસ્સે થયાં નહી અને પોતું કરવાનું કપડું લઇ ચાલવા માંડ્યું.નદીએ ગયાં.પોતે સ્નાન કર્યું અને કપડાને પણ સારી રીતે સાફ કરી ધોઇ નાંખ્યું.સાંજે એ કપડામાંથી દીવા માટેની વાટો બનાવી ભગવાનને પ્રાર્થના કરી કે, '' હે ભગવાન જેવી રીતે આ દીવો પ્રકાશ આપી રહ્યો છે,તેવી રીતે જે માતાએ દીવા માટે આ કાપડ આપ્યું છે તેના હ્રદયમાં પણ જ્ઞાનનો પ્રકાશ પાથરજો.''

સાચા સંત એને કહેવાય જે પોતાના પ્રત્યે દુર્વ્યવહાર કરનાર પ્રત્યે પણ મનમાં નફરતનો ભાવ લાવ્યા વગર સહેજ પણ વિચલિત થયા સિવાય પરોપકારમાં જોડાયેલા રહે.આ સંતે પણ આવો રાહ અપનાવ્યો અને કેટલાય લોકોને હકારાત્મક ચિંતન કરાવ્યું.

www.sahityasafar.blogspot.com

♠ શહીદોનું લોહી ♠

www.sahityasafar.blogspot.com

→ ભગતસિંહના બાળપણનો એક તદ્દન અજાણ્યો પ્રસંગ રજુ કરું છું.આપે કદાચ એ ક્યાંય વાંચ્યો નહિ હોય.

આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો.વર્ષ ૧૯૧૯ માં પંજાબના જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે હજારો નિર્દોષ ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી.ત્યાંનું દ્રશ્ય અત્યંત હ્રદયદ્રાવક હતું. જલિયાવાલા બાગમાં ચારે તરફ લાશો પડેલી હતી અને સમગ્ર ધરતી લોહીથી ખરડાયેલી હતી.આખો દેશ આ ઘટનાથી હચમચી ગયો હતો અને ઠેરઠેર અંગ્રેજો પ્રત્યે ફિટકાર અને આક્રોશ વરસી રહ્યો હતો.

આ ઘટના બની ત્યારે ભગતસિંહ માત્ર ૧૨ વર્ષના હતાં.

ઘટનાના બીજા દિવસે ભગતસિંહ ઘરેથી શાળાએ જવા નિકળ્યાં,પરંતુ તે જલિયાવાલા બાગમાં પહોંચી ગયાં.ત્યાંની ધરતી લાલ હતી.ભગતસિંહ ત્યાં બેસી ગયા અને એક લોહીથી ખરડાયેલી માટી ભરવા લાગ્યાં.માટી ભરીને તેમણે શીશી ખિસ્સામાં મુકી દીધી અને ત્યાંજ બેસીને આ ઘટના પર શોક કરવાં લાગ્યાં.જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે સાંજ પડી ગઇ હતી.શાળા તો ક્યારનીયે છૂટી ગઇ હતી.તે જ્યારે ઘરે પહોંચ્યાં તો તેમને ઘરે મોડા આવવાનું કારણ પૂછવામાં આવ્યું.જવાબમાં તેમણે શીશી બતાવીને કહ્યું કે જલિયાવાલાં બાગ ગયો હતો.

તેમની બહેને પૂછ્યું કે ''આમાં શું છે? ''

ભગતસિંહ બોલ્યાં ''શહીદોનું લોહી.''

બહેન ફરીથી બોલી ''તેનાથી શું થશે? ''

ભગતસિંહ બોલ્યાં ''મને પ્રેરણા મળશે.''

ઇતિહાસ સાક્ષી છે કે આ પ્રેરણાને કારણે જ ભગતસિંહનું જીવન અને તેમની શહીદી અનુકરણીય થઇ ગઇ.

→ મિત્રો, આટલી નાની ઉંમરે પણ આવા ક્રાંતિકારી વિચારો ધરાવતા ભગતસિંહ વિશે બીજું તો શું કહું? પરંતું ક્રાંતિકારીઓમાં જેના પરિવારે સૌથી વધુ દુ:ખોનો સામનો કર્યો એ ભગતસિંહનો પરિવાર હતો.

→ લક્ષ્ય એવું નક્કી કરો કે જેનું પરિણામ આખા સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય.

www.sahityasafar.blogspot.com

♥ માનસિક બિમારી ♥

માણસની મોટા ભાગની બીમારી 'માની લીધેલી'
અને માનસિક હોય છે.દુનિયામાં એવા પણ પ્રસંગો બનેલા છે કે ઘરમાં આગ લાગી હોય તો પક્ષાઘાતનો રોગી જાતે જ ચાલીને બહાર આવી ગયો હોય અને કોઈ આશ્ચર્ય સાથે એને પેલા પક્ષાઘાતની યાદ અપાવે તો પાછો એ ધબ દઇને પડી જતો હોય છે.

★ બર્નાર્ડ શોના જીવનનો આ એક રસપ્રદ પ્રસંગ છે. એમણે પોતે જ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એકવાર અચાનક એમને છાતીમાં દુખાવો શરૃ થયો. મધ્યરાત્રિનો સમય હતો. ફેમિલી ડોક્ટરને એમણે ફોન કર્યો કે મને હૃદયમાં દુખાવો શરૃ થયો છે. 'એટેક' જેવું તો કંઇ નહીં હોય ને ?

ડોક્ટર બર્નાર્ડ શૉના કુટુંબ સાથે વર્ષોથી સંબંધિત હતા. વૃધ્ધ થઇ ગયેલા છતાં આવી કોઈપણ જરૃરત ઊભી થાય તો બર્નાર્ડ શો એમને જ
બોલાવતા. મધરાત પછીનો સમય એટલે માંડ માંડ ઊંઘમાંથી ઊઠી ડોક્ટર મિ. શૉને ત્યાં વિઝિટમાં ગયા. બર્નાર્ડ શો ત્યારે ત્રીજા માળે રહેલા એટલે આ બુઢ્ઢા ડોક્ટર માંડ માંડ સીડીઓ ચઢી મિ.
શૉના ઘરમાં ગયા. શ્વાસ ચઢી ગયેલો. છાતી ધમણની જેમ ચાલતી હતી. ઘરમાં દાખલ થતાં જ ડોક્ટર ત્યાં પડેલી ખુરશીમાં ફસડાઈ પડયા.

બર્નાર્ડશોને નવાઈ લાગી. એ પોતે જ હૃદયની બીમારીના કારણે પથારીવશ હતા. એમાં આવતાની સાથે જ ડોક્ટર પણ બેભાન જેવા થઇ ગયા. એટલે મિસ્ટર શૉ ચિંતામાં પડી ગયા. પથારી છોડી એ પોતે ઊભા થયા. ડોક્ટરની પાસે બેઠા. એમને પાણી આપ્યું. પંખો નાખ્યો. પીઠ પંપાળી અને પૂરા અડધા કલાક સુધી એમની સેવાચાકરી કરી અને પોતે એ ભૂલી જ ગયા કે ખુદને આવેલા હાર્ટ એટેકના અનુસંધાનમાં જ આ ડોક્ટર એમની સારવાર માટે આવ્યા છે.

બન્યું એવું કે મિ. શૉએ જ સામેથી આ ડોક્ટરની સારવાર કરવી પડી. પંદર વીસ મિનિટ પછી ડોક્ટરે આંખ ખોલી અને કહ્યું કે હવે મને થોડી રાહત જેવું લાગે છે. એ પછી પંદરેક મિનિટ બન્નેની વાતો ચાલ્યા કરી. ઊઠતી વખતે ડોક્ટરે મિ. શો પાસે
વિઝિટના પૈસા માગ્યા. એટલે બર્નાર્ડ શોએ કહ્યું - 'ફી શેની ? ઊલટાની મારે જ તમારી સેવાચાકરી કરવી પડી છે ! મારો તો કોઈ ઇલાજ તમે કર્યો નથી.'

ડૉક્ટરે પૂછ્યું - 'તમને હવે કેવું લાગે છે ?'

બર્નાર્ડ શો એ કહ્યું - 'હું તો બરાબર છું. મને અત્યારે ખાસ કોઈ તકલીફ નથી.'

ડોક્ટરે કહ્યું - 'તમને ભલે ખ્યાલ ન હોય. પણ
મેં તમારો ઇલાજ કર્યો છે. અચાનક આ રીતે તમારી સામે છેલ્લા શ્વાસ ખેંચતો હોઉં એવું 'નાટક' કરીને મેં તમારી ટ્રીટમેન્ટ કરી છે. હું તમને વર્ષોથી જાણું છું અને મને એ ખ્યાલ છે કે નાની સમસ્યા સામે કોઈ મોટી સમસ્યા ઊભી કરવામાં આવે તો આપોઆપ પહેલી સમસ્યા ગૌણ બની જાય છે. કહો, તમારા ઘરમાં કોઈ માણસની જાન જતી હોય તો તમને માથાનો દુખાવો કે સાંધાની તકલીફ
યાદ આવે ખરી ? અનેક કિસ્સામાં એવું બનતું
હોય છે કે પત્ની ઘરમાં બીમાર પડી હોય, ઊઠીને ઊભા થવાની પણ તાકાત ન હોય. રસોઈ પાણી કે બીજું ઘરકામ તો બાજુ પર રહ્યું, ઊલટાની પત્નીની જ સેવા ચાકરી કરવી પડે એવી પરિસ્થિતિ હોય. એવામાં અચાનક ફોન આવે કે ક્યાંકથી સંદેશો મળે કે પત્નીના પિતાજી સખત બીમાર છે અને
એમને હાર્ટએટેક આવ્યો છે. કેસ સિરિયસ થતો જાય છે તો શું પત્ની અચાનક ઊભી થઇને સખત ઉતાવળ સાથે પિતાને મળવા નહીં જાય ? એ વખતે એની બધી જ તકલીફ ચાલી જશે. પિતા જો સિરિયસ હશે તો પૂરા જોમ સાથે એમની સેવા ચાકરી ને અન્ય દોડાદોડી પણ કરશે. એ વખતે એને યાદ પણ નહીં આવે કે પોતાને કશીક તકલીફ છે !'

→ માણસની મોટા ભાગની બીમારી 'માની લીધેલી' અને માનસિક હોય છે. દુનિયામાં એવા પણ પ્રસંગો બનેલા છે કે ઘરમાં આગ લાગી હોય
તો પક્ષાઘાતનો રોગી જાતે જ ચાલીને બહાર આવી ગયો હોય અને કોઈ આશ્ચર્ય સાથે એને પેલા પક્ષાઘાતની યાદ અપાવે તો પાછો એ ધબ દઇને પડી જતો હોય છે. ચિકિત્સક જો દરદીના મનમાં દ્રઢ થયેલી ગ્રંથિને પૂરા આત્મવિશ્વાસ સાથે તોડી શકે તો મોટા ભાગના કેસમાં સફળ થવાની શક્યતા વધી જાય છે. ભારતીય પરંપરા પ્રમાણે ચિકિત્સા એ માત્ર વ્યવસાય નહીં પણ એક કલા છે. જે ચિકિત્સક આ કળાને સમજી એમાં નિપુણ
થઇ શકે તે ભલભલા રોગ સામે ઝીંક ઝીલી,
દરદીને એમાંથી બહાર લાવી શકે છે.

★ ક્રાન્તિબીજ ★

→ જે દિવસથી તમારી નજીકની વ્યક્તિ તમારા પર ગુસ્સો કરવાનું છોડી દે, ત્યારે તમારે સમજી લેવું કે તમે એ વ્યક્તિને ગુમાવી દીધી છે.

♥ સ્પાર્ક - વત્સલ વસાણી ♥