♦ સુંદરતા ♦

સુંદરતા શું છે? જે આકર્ષક, આનંદદાયક છે તે? કાં તો તેથી કઈક વધું? જયારે પ્રથમ છાપની વાત આવે ત્યારે, નિ:શંકપણે જ તરત બાહ્ય દેખાવ તેની અસર બતાવે છે. જયારે તમે સુંદર યુવતી કે સોહામણો યુવાન જુઓ છો તો તેને તમે કુદરતી રીતે જ સુંદર ગણો છો. જો મારે કહેવાનું હોય તો, તમે પરણિત હોવ કે અપરણિત, તમારું સામાજિક કે ધાર્મિક સ્તર ગમે તે હોય પરંતુ તમે તેમની બાહ્ય સુંદરતાને નકારી નથી શકતાં. તમારે એમ અનુભવવું જ પડતું હોય છે. એટલું કહ્યાં બાદ, બાહ્ય સુંદરતા જો એટલી લોભામણી જ હોય તો પછી જે મોટા મોટા સ્ટાર, પ્રતિષ્ઠિત કે સુસંપન્ન લોકો છે તેમનાં સંબંધ-વિચ્છેદ શા માટે થતાં હોય છે? ચાલો હું તમને સુંદરતાની ધારણાને, વ્યાખ્યાને, અને ખ્યાલને સમજવામાં મદદ કરું. મેં એક વાર્તા વાંચી હતી જે શબ્દશ: હું અહી રજુ કરીશ:

એક મોટી ઉમરની સ્ત્રી અને તેનો નાનો પૌત્ર કે જેનાં ચહેરા ઉપર ચમકતા ડાઘા પડેલાં હતા, બન્ને એક દિવસ પ્રાણીસંગ્રહાલયમાં ગયાં. ત્યાં ઘણાં બાળકો પોતાનાં ગાલ પર વાઘનો પંજો દોરાવવા માટે સ્થાનિક કલાકાર પાસે એક કતારમાં ઉભા હતાં.

“અરે, તારા ચહેરા ઉપર તો કેટલાં બધા ડાઘા છે, તેનાં ઉપર ચિત્ર દોરવાની કોઈ જગ્યા જ નથી!” કતારમાં ઉભેલી એક છોકરીએ પેલાં છોકરાને કહ્યું.
શરમાયેલા અને કદાચ આ વાતથી દુભાઈ ગયો હોય તેમ પેલાં છોકરાએ પોતાનું માથું નીચે કરી નાખ્યું.
તેની દાદીમાંએ થોડી ઝૂકીને તેનાં ગાલ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, “ મને તો તારા ડાઘા ખુબ ગમે છે. જયારે હું નાની છોકરી હતી ત્યારે હંમેશા ઈચ્છતી હતી કે તારા જેવા ડાઘા મને પણ હોય”
“આ ડાઘા તો ખુબ જ સરસ છે.”
બાળકે ઉપર જોઇને કહ્યું, “શું સાચ્ચે જ?”
“ખરેખર,” દાદીમાંએ કહ્યું. “કેમ, ડાઘ કરતાં પણ સુંદર હોય તેવી એક વસ્તુનું નામ મને આપ”
નાના છોકરાએ થોડીવાર માટે વિચાર્યુ, દાદીમાંના ચહેરા સામે એકદમ તાકી રહ્યો અને ગણગણ્યો: “કરચલીઓ.”

ઓહ..કેટલું સરસ, નહિ? પરંતુ શું તમે આવી કરચલીઓ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરશો કે પછી આ કરચલીઓ વાળા દાદીમાની સારસંભાળ રાખશો? કદાચ નહિ. શું તમે નાના બાળકે જે સુંદરતા તેમની કરચલીઓમાં જોઈ તે જોઈ શકશો? જો તમે તે બાળક હોય તો કદાચ જોઈ શકશો. પરંતુ વાત તે નથી. સુંદરતાને કોઈ શબ્દોની શ્રુંખલામાં કે વ્યાખ્યાથી બાંધી નથી શકાતી. કારણ કે જે કઈ સુંદર છે તે એનાં પોતાનાં માટે નથી પરંતુ તમારા માટે હોય છે. સુંદરતા એ કોઈ સુનિશ્ચિત બાબત નથી, તે એક સાપેક્ષ બાબત છે, તમારી મન:સ્થિતિને સાપેક્ષ, તમારા પોતાનાં ખ્યાલની સાપેક્ષમાં હોય છે. તમે જેની પણ સાથે બંધાયેલાં હશો તે તમને સુંદર જ લાગશે! જે કોઈ વ્યક્તિની સાથે તમે સંપૂર્ણ અને સુરક્ષિત મહેસુસ કરતાં હશો તે તમને સુંદર જ લાગવાની. અને એટલાં માટે જ પેલાં નાના બાળક માટે કરચલીઓ એ સાચ્ચે જ સૌથી સુંદર વસ્તુ છે કારણ કે તે પોતાની દાદીમાં સાથે લાગણીથી બંધાયેલો છે.

જુવાન મુલ્લા નસરુદ્દીન પોતે એક ગરીબ ઘરની સુંદર યુવતીને પરણવા માટે કટિબદ્ધ હોય છે. પણ તેનાં અબ્બા તેને કોઈ અમીર છોકરી સાથે પરણાવવા માંગતા હતાં. “તને થયું છે શું?” તેમને કહ્યું, “જે સુંદરતાએ તને આંધળો કરી નાંખ્યો છે તે ફક્ત ઉપરની ચામડીની જ છે.”
“મારા માટે તે પુરતી છે,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું. “હું કઈ માનવભક્ષી નથી.”

મને આ ટુચકો મનોરંજક લાગ્યો પરંતુ તે એક સચોટ નિર્દેશ પણ કરે છે: તમારા માટે જેનાંથી ફર્ક પડે છે તે તમારા માટે સુંદર છે. એ તમારું પોતાનું પરાવર્તન છે. જેમ જેમ જીવનમાં તમે બૌદ્ધિક અને ભાવનાત્મક પ્રગતિ કરો છો તેમ તેમ તમારી પ્રાથમિકતાઓ બદલાતી જતી હોય છે. જે તમને પંદર વર્ષની ઉંમરે સુંદર લાગતું હતું તે ત્રીસીએ પહોંચતા અડધું સુંદર ય નથી લાગતું. જેમ જેમ તમે તમારી જાતને વધુ સમજવા લાગો છો તેમ તેમ ફક્ત બાહ્ય સુંદરતાને જ અસલી સુંદરતા માનવાનું તમે નકારવા લાગો છો. એનો અર્થ એ નથી કે કોઈ સુંદર વસ્તુ કે સુંદર વ્યક્તિનાં દેખાવનું મહત્વ તમે ઘટાડો છો. એનો અર્થ છે કે તમે હવે બીજા ગુણોની કિંમત વધુ આંકો છો. જો ખલીલ જિબ્રાનના શબ્દોમાં કહેવું હોય તો: “સુંદરતા એક એવી સાશ્વતતા છે કે જે અરીસામાં પોતાની સામે જ તાકી રહી હોય છે.”

સ્વામી વિવેકાનંદ, જે એક ખુબ જ અદ્દભુત અને તેજસ્વી સન્યાસી હતાં, તે એક દિવસ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઇ શિકાગોમાં લટાર મારી રહ્યા હતાં. વર્ષ હતું ૧૮૯૩નું. તેમનાં વસ્ત્રો કઈક વિચિત્ર લાગતા હતાં. ઔપચારિક વસ્ત્રો પહેરલ એક સ્થાનિક યુગલ સ્વામીની પાછળ જ ચાલી રહ્યાં હતાં, સ્ત્રીએ પોતાનાં પતિને કહ્યું, “મને નથી લાગતું કે આ માણસ કોઈ સદ્દગૃહસ્થ હોય.” તેનું આ વાક્ય સ્વામીના કાને પડ્યું. તેઓ તે યુગલ પાસે ગયા અને કહ્યું, “માફ કરશો પણ મેં તમારી ટીકા તમારી જાણ બહાર સાંભળી લીધી છે. તમારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ બનાવવાનું કામ કદાચ એક દરજી કરે છે, જયારે મારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ તેનું પોતાનું ચારિત્ર્ય બનાવે છે.” આ પછી શું બન્યું તેની મને ખબર નથી અને અહિં તે વાત અપ્રસ્તુત છે. પણ શું તે સ્ત્રી તેનાં વિચારોથી સાચી હતી? અને સ્વામી શું તેમની પ્રતિક્રિયામાં સાચા હતાં? ખરેખર તો તે બાબત અહિં મહત્વની નથી. પેલી સ્ત્રીને જે લાગ્યું તે તેને વ્યક્ત કર્યુ તે પણ તેને સીધેસીધું વિવેકાનંદને નથી કહ્યું, પોતાનાં પતિને કહ્યું હતું. જો તમને તમારી જાતને તમને ગમે તે રીતે પ્રસ્તુત કરવાનો હક હોય તો પછી બીજા લોકોને પણ તેમનો મત બાંધવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રચાર માધ્યમો, સમાજ, જાહેરાતો, ધર્મ આ બધાં જ દેખીતી રીતે કે છુપી રીતે તેમનાં મતોનો મારો તમારા ઉપર ચલાવે છે. તમે બીજા લોકોનાં મતને જેટલું વધું મહત્વ આપો તેટલાં જ તમે તમારા સુખના મૂળ સ્રોત કે જે તમારી અંદર રહેલું છે, તેનાંથી દુર જાઓ છો.

“તને શા માટે ડિવોર્સ જોઈએ છે?” ન્યાયાધીશે યુવાન માણસને પૂછ્યું.
“યોર ઓનર,” તેને કહ્યું, “ હું જયારે હું સામાન્ય હોવ છું ત્યારે હું તેને નથી સમજી શકતો અને જયારે હું પીધેલો હોવ છું ત્યારે તે મને નથી સમજી શકતી.”


જયારે કોઈ તમને સુંદર કે સારું ન ગણતું હોય ત્યારે મહેરબાની કરીને સમજજો કે તે સામે વાળી વ્યક્તિ વિશે હોય છે તમારા માટે નહિ. (આશા રાખું કે તમે આ વાક્યને ઉપરોક્ત જોકનાં સાર તરીકે નહિ ગણો.) જો કે તમે તમારામાં થોડો બદલાવ લાવીને બીજી વ્યક્તિને શું પસંદ છે કે નાપસંદ તે જાણી શકો છો, પણ તેનાંથી વધુ તમારાથી બીજું કશું નથી થઇ શકતું. જો તમે સામેની વ્યક્તિની સંમતિ જીતવા ઇચ્છતાં હોવ, અને જો તે બાબત તમારા માટે આગળ વધવા માટે જરૂરી હોય, તો પછી તમે સામેની વ્યક્તિ જેવી રીતનું ઈચ્છતી હોય તેવી રીતનાં જ કપડાં પહેરો, તેની ઈચ્છા મુજબ જ વર્તો, કે પછી તે તમને જેવાં ઈચ્છતી હોય તેવાં તમે બની જાવ. જો તમારે દુનિયાને ખુશ રાખવી હોય તો તમારે તેનાં અયોગ્ય અને બેડોળ હાથની કટપુતળી બનીને જ રહેવું પડશે. તમારે એ કપડાંની કિંમત તો ચૂકવવી જ પડશે પરંતુ તેની સાથે ચોટેલી દોરીઓ તો મફત જ આવશે. જો કે એક ક્ષણ માટે પણ, તમે આ બાહ્ય નિવેદનોને સમીકરણમાંથી દુર કરી શકો, જો તમે બીજા લોકોનાં તમારા, તમારા પોતાનાં વર્તન, તમારા પોતાનાં કર્મો વિશેનાં ખ્યાલોની સ્વીકૃતિને જ જો તમે દુર કરી દઈ શકો તો? મારા મત મુજબ તો તમારે તમારી જાત પ્રત્યે આ રીતે જ જોવું જોઈએ. તમારા માટે જયારે તમે અરીસો જોતા હોવ ત્યારે તમે તમને સુંદર લાગવા એ કોઈ બીજી વ્યક્તિને તમે તમારા ફોટામાં સુંદર દેખાવ તેનાં કરતાં અનેક ગણું મહત્વનું છે. કોઈ તમને ખુલ્લી આંખે નથી જોતું; તમે કોણ છો અને તે શું જુવે છે તે બેની વચ્ચે કોઈ બંધબેસતું હોતું નથી. તેમની દ્રષ્ટી પર તેમની માન્યતાઓ, ખ્યાલો, અને ઈચ્છાઓનાં ચશ્માં ચડેલાં હોય છે – અને અહિં જ સુંદરતા તેની સ્વતંત્રતા ગુમાવી દે છે. તસ્દી નહિ આપવાનું શીખો. એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારી જાત સાથે પ્રામાણિક છો અને તમે સૌથી ઉત્તમોત્તમ પ્રયત્નો કરી રહ્યાં છો ત્યાં સુધી તમે બિલકુલ બરાબર છો. બહુ લાંબી પોસ્ટ થઇ ગયી. અરે! સુંદરતા પણ ક્યારેક ખેંચાઈ જતી હોય છે.


જો તમે તમારી જાત માટે પુરક હોવ તો તમે સંપૂર્ણ બની શકો છો. જયારે તમે પૂર્ણતા અનુભવતાં હોવ, જયારે તમારો કપ ભરલો હોય ત્યારે બધું જ સુંદર લાગતું હોય છે. તમે જેની પણ સાથે જોડાઈ જતા હોવ છો, જે તમારા માટે મહત્વનું હોય છે તે તમને સુંદર લાગતું હોય છે. તમે સુંદર છો.


જાવ! બીજાને જઈને કહો કે તે કેટલાં અદ્દભુત છે અને તેમને તમારી જિંદગી કેટલી સુંદર બનાવી છે! એક વાર એમ થઇ જાય, પછી એ જ વાતને અરીસામાં જોઈને પુનરાવર્તન કરો. મને કહેતાં નહિ કે હજી સુધી તમે તમારા પ્રેમમાં પડ્યાં જ નથી.


- શાંતિ સ્વામી


♦ સૌથી ભયંકર પ્રાણી ♦

એક વાર એથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે 'જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી ક્યું ?' તત્ત્વચિતંક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા.

આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા- દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું, ' આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણકે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શક્તું નથી.'

બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું,' સિંહ ભયંકર ખરો, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યકિત મૃત્યુ પામે.'

'તમારી વાત સહેજે બરાબર નથી' એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે 'અનેક માણસોને રહેંસી નાખનાર જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.'

બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા. ચર્ચાસભામાં અત્યાર સુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછ્યું, અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે ?

ડાયોજિનિસે ગંભીર અવાજે કહ્યું, 'જુઓ મિત્રો માઠું ન લગાડશો. આજ સુધી હું જંગલી પ્રાણીના ગુણવાળા નિંદાખોર માણસને અને સુધરેલા પ્રાણીના ગુણવાળા ખુશામતખોરને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનતો હતો, પણ આજ મારો મત બદલાઈ ગયો છે. 

હવે હું તત્ત્વનો પૂરો પાર પામ્યા વગરનું, અર્ધજ્ઞાની અને અર્ધઅજ્ઞાની એવા મતાગ્રહી 'વિદ્વાન નામના પ્રાણી'ને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનું છું. એ પ્રાણી પોતાના મતને સત્ય ઠરાવવા હઠાગ્રહી બને અને મમતે ચડે ત્યારે સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને માટે જેટલું હાનિકારક અને ભયાવહ બને છે તેટલું ભયંકર દુનિયામાં અન્ય કોઈ પ્રાણી હોઈ શકે નહીં.

♦ હિંમતબાજ એડીસન ♦

એક  હજાર જેટલી  વૈજ્ઞાનિક શોધ  કરનાર થોમસ  આલ્વા એડિસનનું (૧૮૪૭ થી ૧૯૩૧) બાળપણ  અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયું.  પિતાના ચાર સંતાનોમાં સહુથી નાના એવા એડિસનને સાત  વર્ષની ઉંમરે નિશાળમાં મૂકવામાં આવ્યા. ત્રણેક  મહિના સુધી  અભ્યાસ કર્યો,  ત્યાં તો  શાળાના શિક્ષકે  થોમસ આલ્વા એડિસનને  મંદબુદ્ધિનો બાળક કહીને  નિશાળમાંથી કાઢી મૂક્યો. 

એ પછી ત્રણ વર્ષ  સુધી ઘેર રહીને માતા પાસે  શિક્ષણ લીધું. દસમા વર્ષે એને  ભૌતિકશાસ્ત્રમાં  ઊંડો  રસ  જાગ્યો.  ઘરમાં પ્રયોગશાળા બનાવીને જાત-જાતના પ્રયોગો કરવા લાગ્યા.  નબળી આર્થિક સ્થિતિને કારણે એડિસને બાર વર્ષની ઉંમરે રેલવેમાં અખબારો  અને ખાટીમીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું.

અમેરિકાના ડેટ્રોઇટ અને પોર્ટ હ્યૂરન સ્ટેશન વચ્ચે એ અખબાર વેચતો હતો. અખબારના વેચાણ સમયે વચ્ચે મળતા સમયનો સદુપયોગ કરવા માટે રેલવે અધિકારીની મંજૂરી પ્રાપ્ત કરીને રેલવેના એક ડબ્બામાં નાનીકડી પ્રયોગશાળા ઊભી કરી. સમય મળે એડિસન આ ડબ્બામાં બેસીને એકચિત્તે પ્રયોગો કરતો હતો. 

એક દિવસ ટ્રેનના ડબ્બામાં ધક્કો લાગતા એના હાથમાંથી થોડો ફોસ્ફરસ નીચે પડયો અને આગ લાગી. આથી ક્રોધે ભરાયેલા રેલવે ગાર્ડ બાળક એડિસન પાસે આવ્યા અને એટલા જોરથી તમાચો માર્યો કે એ દિવસથી એ સદાને માટે બહેરો બની ગયો. આમ છતાં બાળક એડિસન નિરાશ થયો નહીં. એણે વિચાર્યું કે આ બહેરાશ પણ આશીર્વાદરૂપ છે. બીજી બાબતો તરફ ધ્યાન જશે નહીં અને વિજ્ઞાનના પ્રયોગો કરવા માટે વધુ સમય મળશે. આમ હાનિને લાભ માનીને આ વિજ્ઞાની પોતાના સંશોધન કાર્યમાં પાછો ડૂબી ગયો.

♦ सच्ची माता ♦

एक सौदागर राजा के महल में दो गायों को लेकर आया।दोनों ही स्वस्थ, सुंदर व दिखने में लगभग एक जैसी थीं।सौदागर ने राजा से कहा "महाराज - ये गायें माँ - बेटी हैं परन्तु मुझे यह नहीं पता कि माँ कौन है व बेटी कौन - क्योंकि दोनों में खास अंतर नहीं है।
.
.
मैंने अनेक जगह पर लोगों से यह पूछा किंतु कोई भी इन दोनों में माँ - बेटी की पहचान नहीं कर पाया - बाद में मुझे किसी ने यह कहा कि आपका बुजुर्ग मंत्री बेहद कुशाग्रबुद्धि का है और यहाँ पर मुझे अवश्य मेरे प्रश्न का उत्तर मिल जाएगा इसलिए मैं यहाँ पर चला आया -कृपया मेरी समस्या का समाधान किया जाए।"
.
.
यह सुनकर सभी दरबारी मंत्री की ओर देखने लगे -मंत्री अपने स्थान से उठकर गायों की तरफ गया। उसने दोनों का बारीकी से निरीक्षण किया किंतु वह भी नहीं पहचान पाया कि वास्तव में कौन मां है और कौन बेटी ... ?
.
.
अब मंत्री बड़ी दुविधा में फंस गया, उसने सौदागर से एक दिन की मोहलत मांगी। घर आने पर वह बेहद परेशान रहा - उसकी पत्नी इस बात को समझ गई।उसने जब मंत्री से परेशानी का कारण पूछा तो उसने सौदागर की बात बता दी।यह सुनकर पत्नी मुस्कराते हुए बोली 'अरे ! बस इतनी सी बात है - यह तो मैं भी बता सकती हूँ ।'
.
अगले दिन मंत्री अपनी पत्नी को वहाँ ले गया जहाँ गायें बंधी थीं।मंत्री की पत्नी ने दोनों गायों के आगे अच्छा भोजन रखा - कुछ ही देर बाद उसने माँ व बेटी में अंतर बता दिया - लोग चकित रह गए।
.
मंत्री की पत्नी बोली "पहली गाय जल्दी -जल्दी खाने के बाद दूसरी गाय के भोजन में मुंह मारने लगी और दूसरी वाली ने पहली वाली के लिए अपना भोजन छोड़ दिया, ऐसा केवल एक मां ही कर सकती है - यानि दूसरी वाली माँ है। माँ ही बच्चे के लिए भूखी रह सकती है - माँ में ही त्याग, करुणा,वात्सल्य,ममत्व के गुण विद्यमान होते है। बोलो राधे राधे।

*** जय श्री राधे ***

♦ बीरबल की चतुराई ♦

एक बार बीरबल बादशाह अकबर के दरबार में देरी से पहुंचे तो क्या उसने देखा कि बादशाह समेत सभी दरबारी उन पर हंस रहे है।

उन्होंने  बादशाह से पूछा कि ” बादशाह सलामत आप सभी हंस क्यों रहे है ?”

इस पर बादशाह को मसखरी सूझी और वो बीरबल से कहने लगे बीरबल असल में हम सभी लोग रंगों के बारे में बात कर रहे थे जैसे कि सभी दरबारी गोरे हैं मैं स्वयं भी गोरा हूं जबकि हम सब में केवल तुम हो जो काले हो इसलिए जब तुम आये तो हम सभी लोगो की हंसी छूट गयी।

बीरबल ने हमेशा की तरह तपाक से जवाब दिया कि बादशाह सलामत आप मेरे रंग का राज नहीं जानते इसलिए ये बात कह रहे है। बादशाह अकबर ने उत्सुकता से पूछा कैसा राज बीरबल?

तो बीरबल ने बादशाह को जवाब दिया कि हजूर माफ़ करें। जब भगवान ने संसार को बनाया तो वो पेड़-पौधे और पशु-पक्षी बनाकर संतुष्ट नहीं हुए। फिर उन्होंने मानव बनाया। वे उसे देखकर बहुत प्रसन्न हुए कि उन्होंने एक बहुत अच्छी कृति बनाई है तो उन्होंने सभी मनुष्यों को पांच मिनट का समय देते हुए उनसे कहा कि वो बुद्धि बल और धन में से कुछ भी ले सकते है।

इस पर मैंने अपनी रूचि से सारा समय बुद्धि लेने में लगा दिया और बाकि चीजों को लेने का समय ही नहीं बचा था। आप सभी ने रूप और धन इक्कठा करने में अपना सारा समय लगा दिया। अब बाकि के लिए मैं क्या कहूं आप खुद ही समझ लीजिये।

बीरबल की बात सुनकर हंस रहे दरबारी सन्न रह गये और उनके चेहरे से हंसी गायब हो गयी सब नीचे देखने लगे। इस पर बादशाह बीरबल की हाजिरजवाबी देखकर कर खिलखिलाकर हंस पड़े।

♦ પક્ષીની ઉદ્દાત ભાવના ♦

વિશાળ ખેતરમાં ઊગેલા પાકને જોઈને ખેડૂતની આંખો આનંદથી નાચી ઊઠી; પરંતુ એને પરેશાની એ વાતની હતી કે પક્ષીઓ આવીને એના ઊગેલા પાકના ડૂંડામાંથી અનાજના દાણા ચણી જતા હતા. વિશાળ ખેતરની ચારેબાજુ  માચડા બાંધીને એણે પક્ષીઓ ઉડાડવા માટે વ્યવસ્થા કરી હતી. રાત-દિવસ ચોકી કરવા માટે ચોકીદારો રાખ્યા, તો પણ પક્ષીઓ આવીને ઉગાડેલું અનાજ ખાઈ જતા હતા.અતિ પરેશાન ખેડૂતે એક જાળ બિછાવી.

સંજોગવસાત્ એમાં એક સુંદર પક્ષી ફસાઈ ગયું. નોકરોએ એ પક્ષીને પકડયું અને ખેડૂતની પાસે લાવીને કહ્યું ,'' માલિક, આ પક્ષી રોજ આપણા ખેતરમાં આવે છે. ભરપેટ ધાન ખાય છે અને હજી ઓછું હોય તેમ એની ડૂંડાવાળી ડાળીઓ મોંમા દબાવીને ઊડી જાય છે. આજે ઘણી મુશ્કેલીથી એ પકડાયું છે. હવે તમે કહો તેવી સજા એને કરીએ.''

ખેડૂતે કહ્યું, ''સાચી વાત છે. એને બરાબર પાઠ ભણાવવો પડશે.''

ખેડૂતની વાત સાંભળીને પક્ષી બોલી ઊઠયું કે તમે મને જે કંઈ સજા કરવા ઇચ્છતા હો; તે જરૂર કરજો, પણ તે પહેલાં તમે મારી વાત સાંભળો.

ખેડૂતે કહ્યું, ''તારી વાત શું સાંભળે? એક તો તું ખેતરમાંથી ભરપેટ દાણા ખાય છે અને વળી બીજા ડૂંડા મોંમા દબાવીને લઈ જાય છે. આ તો કેટલો મોટો બગાડ કહેવાય?''

પક્ષીએ કહ્યું, '' હું દાણા ખાઈ લીધા પછી માત્ર દાણાના છ જ ડૂંડા ચાંચમાં પકડીને મારી સાથે લઈ જાઉં છું.જાણો છો શા માટે? ''

બે ઋણ ચૂકવવા માટે, બે કર્તવ્ય બજાવવા કાજે અને બે પરમાર્થ અર્થે. ખેડૂત આશ્ચર્ય પામ્યો. પક્ષીનું ગણિત એ સમજી શક્યો નહીં એટલે એણે ગુસ્સામાં કહ્યું, ''પણ આ બધું મારા જ ખેતરમાંથી કેમ લઈ જાય છે?''

પક્ષીએ કહ્યું, ''આપના આ વિશાળ ખેતરમાંથી થોડાં ડૂંડા લઈ જાઉં, તેનાથી આપને કોઈ વિશેષ નુકસાન થવાનું નથી.

→ હવે રહી વાત છ ડૂંડાઓની. એમાંથી બે દાણાના ડૂંડા મારા વૃદ્ધ માતા-પિતાને આપું છું. એમને આંખે અંધાપો છે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ હતા, ત્યાં સુધી એમણે મને ક્યારેય ભૂખ્યો રાખ્યો નથી. આજે એ અસ્વસ્થ અને વૃદ્ધ થયા છે, ત્યારે મારું કર્તવ્ય છે કે હું પણ એમને ભૂખ્યા રાખું નહીં અને એ રીતે મારું ઋણ ચૂકવું છું.

→ બે ડાળી મારા નાનાં બાળકોને આપું છું જે પિતા તરીકે મારું કર્તવ્ય છે અને બીજા બે ડૂંડા મારા બિમાર પડોશીઓને આપી આવું છું. આ મારું પરમાર્થનું કામ છે. જીવનમાં જો આટલો ય પરમાર્થ ન કરીએ, તો જીવનનો શો અર્થ?''

ખેડૂત પક્ષીની ભાવનાથી પ્રસન્ન થયો અને એને મુક્ત કરી દીધું.

🌹 સૌજન્ય 🌹

🌻 કુમારપાળ દેસાઈ  🌻

♦ કોનું સન્માન કરીએ? ♦

એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે".

બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે".

ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે".

ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી.

રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા.

રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા, આ અમારા શિક્ષિકાબેન છે. અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ તે આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું, "મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે. માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

→ મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડવાનું કામ કરે છે*

♦ આશીર્વાદ કે અપમાન? ♦

વનમાં વિહાર કરતાં મસ્ત યોગીના દર્શનાર્થે રાજા એની સેના સાથે આવી પહોંચ્યો.એણે યોગીને પ્રણામ કર્યા અને શુભાશીર્વાદ આપવા કહ્યું.

યોગીએ કહ્યું, ''રાજન્! તમે સિપાઈ બની જાવ.''

યોગીની વિચિત્ર વાત રાજાને અપમાનજનક લાગી. એની પાસે સૈનિકોની વિરાટ સેના હતી અને છતાં એને સૈનિક બનવાનું કહે તે કેવું? રાજા તે કાંઈ સૈનિક બને ખરો ?

રાજાએ વિચાર્યું કે આ યોગી અતિ વિચિત્ર લાગે છે, આથી એની પરીક્ષા માટે એણે રાજ્યના સૌથી પ્રખર વિદ્વાનને મોકલ્યા અને એમને યોગી પાસે આશીર્વાદ માગવા કહ્યું. જ્ઞાનના સાગર સમા આ વિદ્વાન યોગીરાજ પાસે ગયા, ત્યારે સંતે તેમને આશીર્વાદ આપતા કહ્યું, ''તમે અજ્ઞાની બનો.''એ જ રીતે નગરશેઠ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યા, ત્યારે યોગીએ કહ્યું, ''નગરના શેઠ છો, હવે સેવક બની જાવ.''

નગરશેઠના મનમાં ક્રોધ જાગ્યો. ધૂંવાપૂંવા થતાં પાછા આવ્યા. એ પછી રાજદરબારમાં આ સંતના આશીર્વાદ વિશે ચર્ચા ચાલી. કોઈએ કહ્યું કે આ તો સંત નથી, પણ ધૂર્ત છે. કશું જાણ્યા, જોયા કે સમજ્યા વિના આશીર્વાદ આપે છે. કેટલાકને તો શંકા ગઈ કે આ યોગીએ જરૃર માનસિક સંતુલન ગુમાવી દીધું લાગે છે.

આથી એક દિવસ રાજા પુન: એમની પાસે ગયા અને ગર્વભેર બોલ્યા,''તમે આશીર્વાદ આપો છો કે લોકોનું અપમાન કરો છો? આવું અપમાન સહન કરવા માટે હું તૈયાર નથી.''

આ સાંભળીને યોગી ખડખડાટ હસી પડયા અને બોલ્યા, ''રાજન્! આશીર્વાદ યોગ્યતા પામવા માટે અપાય છે અને મેં કહ્યું હતું કે તમે સિપાઈ બનો, કારણ કે સિપાઈ રાજ્યની રક્ષા કરે છે અને એ રીતે રાજાનું કામ રાજ્યની સુરક્ષા કરવાનું છે.

વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું, એનું તાત્પર્ય જ એ કે જ્ઞાન સાથે ઘમંડ આવે તો જ્ઞાન અવગુણ બની જાય છે. માટે મેં વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું અને શેઠને સેવક બનવાના આશીર્વાદ એ માટે આપ્યા કે નગરશેઠનું કર્તવ્ય તો પોતાના ધનથી નગરજનોની સેવા કરવાનું છે.''

સંતની વાત સાંભળીને રાજાને પોતાની જાત માટે ક્ષોભ થયો.

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

♦ આર્થર એશની અદભુત વાકછટા ♦

જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર ૧૯૮૩માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઈડ્સ નો રોગ લાગુ પડ્યો.

એની અંતિમ અવસ્થામાં કોઈકે પૂછ્યું, ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી ?’

આર્થર એશનો જવાબ કોઈ મહાત્માને શોભે તેવો હતો.

એણે કહ્યું, ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી બે જણ ફાઈનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું, ‘આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?’

♦ શુદ્ધ ભાવનાનું ફળ ♦

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"

તો પેલા શેઠે હસીને કહ્યું,
"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."

★ સારાંશ :-

કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ  શુદ્ધ હશેને, તો  ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.