♦ શુદ્ધ ભાવનાનું ફળ ♦

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"

તો પેલા શેઠે હસીને કહ્યું,
"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."

★ સારાંશ :-

કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ  શુદ્ધ હશેને, તો  ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.

♦ बुराई और इश्वर ♦


एक दिन कॉलेज में प्रोफेसर ने विद्यर्थियों से पूछा कि इस  संसार में जो कुछ भी है उसे भगवान  ने ही बनाया है ना ?

सभी ने कहा, “हां  भगवान  ने ही बनाया है।“

प्रोफेसर ने कहा कि इसका मतलब ये हुआ कि बुराई भी भगवान की बनाई चीज़ ही है ।

प्रोफेसर ने इतना कहा तो एक विद्यार्थी  उठ खड़ा हुआ और उसने कहा कि इतनी जल्दी इस निष्कर्ष पर मत पहुंचिए सर ।

प्रोफेसर ने कहा, क्यों? अभी तो सबने कहा है कि सबकुछ  भगवान का ही बनाया हुआ है फिर तुम ऐसा क्यों कह रहे हो?

विद्यार्थी ने कहा कि सर, मैं आपसे  छोटे-छोटे दो सवाल पूछूंगा ।

फिर उसके बाद आपकी बात भी  मान लूंगा ।

विद्यार्थी ने पूछा , "सर क्या दुनिया में  ठंड  का कोई  वजूद है?"

प्रोफेसर ने कहा, बिल्कुल है।

सौ फीसदी है।

हम ठंड को महसूस करते हैं ।

विद्यार्थी ने कहा, "नहीं सर, ठंड कुछ है ही नहीं ।

ये असल में  गर्मी की अनुपस्थिति  का  अहसास भर है ।

जहां  गर्मी नहीं होती, वहां हम ठंड को महसूस करते हैं ।"

प्रोफेसर चुप रहे ।

विद्यार्थी ने फिर पूछा, "सर क्या अंधेरे का कोई अस्तित्व है?"

प्रोफेसर ने कहा, "बिल्कुल है । रात को अंधेरा होता है।"

विद्यार्थी ने कहा, "नहीं सर, अंधेरा कुछ होता ही नहीं ।

ये तो जहां रोशनी नहीं होती वहां अंधेरा होता है ।

प्रोफेसर ने कहा, "तुम अपनी बात आगे बढ़ाओ।"

विद्यार्थी ने फिर कहा, "सर आप हमें सिर्फ लाइट एंड  हीट (प्रकाश और ताप) ही पढ़ाते हैं ।

आप हमें कभी  डार्क  एंड  कोल्ड (अंधेरा और ठंड) नहीं पढ़ाते। फिजिक्स में ऐसा कोई विषय ही नहीं ।

सर, ठीक इसी तरह  ईश्वर ने सिर्फ अच्छा-अच्छा बनाया है।

अब जहां  अच्छा नहीं होता, वहां हमें  बुराई नज़र आती है।

पर  बुराई को  ईश्वर ने नहीं बनाया।

ये सिर्फ  अच्छाई की अनुपस्थिति भर है।"

दरअसल दुनिया में कहीं बुराई  है ही नहीं ।

ये सिर्फ प्यार, विश्वास और  ईश्वर  में हमारी आस्था  की कमी का नाम है ।

जीवन में  जब और जहां मौका मिले अच्छाई बांटिए और  अच्छे  कर्म करते रहे ।

अच्छाई  बढ़ेगी तो  बुराई  का अंत निश्चित होगा वैसे ही जैसे  रोशनी  के आते ही  अंधकार का  नाश होता है ।

♦ सच्चे हीरे की पहचान ♦

एक दिन राजा का दरबार लगा हुआ था। पूरी आम सभा सुबह की धूप मे बैठी थीl राजा के परिवार के सदस्य भी बैठे थे। उसी समय एक व्यक्ति आया और राजा से दरबार में मिलने की आज्ञा मांगी।

प्रवेश मिल गया तो उसने कहा, '' मेरे पास दो वस्तुएँ हैं, बिल्कुल एक जैसी लेकिन एक नकली है और एक असली l मै हर राज्य के राजा के पास जाता हूँ और उन्हें परखने का आग्रह करता हूँ, लेकिन कोई परख नही पाता, सब हार जाते है और मैं विजेता बनकर घूम रहा हूँ । अब आपके नगर मे आया हूँ।

राजा ने उसे दोनों वस्तुओं को पेश करने का आदेश दिया। तो उसने दोनों वस्तुयें टेबल पर रख दीं। बिल्कुल समान आकार समान रुप रंग, समान प्रकाश, सब कुछ नख शिख समान।

राजा ने कहा, '' ये दोनों वस्तुएँ एक हैं ? '' तो उस व्यक्ति ने कहा, '' हाँ दिखाई तो एक जैसी देती है लेकिन हैं अलग। इनमें से एक बेशकीमती हीरा है और एक काँच का टुकडा है, लेकिन रूप दोनों का एक है। कोई आज तक परख नहीं पाया कि कौन सा हीरा है और कौन सा काँच? कोई परख कर बताये अगर परख खरी निकली तो मैं हार जाऊँगा और यह कीमती हीरा मै आपके राज्य की तिजोरी में जमा करवा दूँगा l यदि कोई न पहचान पाया तो इस हीरे की जो कीमत है उतनी धनराशि आपको मुझे देनी होगी। इसी प्रकार मैं कई राज्यों से जीतता आया हूँ। ''

राजा ने कई बार उन दोनों वस्तुओं को गौर से देखकर परखने की कोशिश की और अंत में हार मानते हुए कहा,  '' मैं तो नहीं परख सकूंगा। ''

दीवान बोले '' हम भी हिम्मत नही कर सकते, क्योंकि दोनो बिल्कुल समान है। ''

कोई व्यक्ति पहचान नही पाया। आखिरकार पीछे थोड़ी हलचल हुई। एक अंधा आदमी हाथ मे लाठी लेकर उठा। उसने कहा, '' मुझे महाराज के पास ले चलो, मैंने सब बाते सुनी हैं और यह भी सुना कि कोई परख नहीं पा रहा है। मुझे भी एक अवसर दो। ''

एक आदमी के सहारे वह राजा के पास पहुंचा उसने राजा से प्रार्थना की, '' मैं तो जन्म से अंधा हूँ फिर भी मुझे एक अवसर दिया जाये जिससे मैं भी एक बार अपनी बुद्धि को परखूँ और हो सकता है कि सफल भी हो जाऊँ। ''

राजा को लगा कि इसे अवसर देने मे कोई हर्ज नहीं है और राजा ने उसे अनुमति दे दी।

उस अंधे आदमी को दोनों वस्तुएं उसके हाथ में दी गयी और पूछा गया कि इनमे कौन सा हीरा है और कौन सा काँच?

उस आदमी ने एक मिनट मे ही कह दिया कि यह हीरा है और यह काँच। जो आदमी इतने राज्यों को जीतकर आया था वह नतमस्तक हो गया। आपने पहचान लिया! आप धन्य हैं। अपने वचन के मुताबिक यह हीरा मैं आपके राज्य की तिजोरी मे दे रहा हूँ। सब बहुत खुश हो गये।

राजा और अन्य सभी लोगो ने उस अंधे व्यक्ति से एक ही जिज्ञासा जताई कि, तुमने यह कैसे पहचाना कि यह हीरा है और वह काँच?

उस अंधे ने कहा,  '' सीधी सी बात है राजन, धूप में हम सब बैठे हैं, मैंने दोनो को छुआ। जो ठंडा रहा वह हीरा, जो गरम हो गया वह काँच। ''

यही बात हमारे जीवन में भी लागू होती है, जो व्यक्ति बात बात में अपना आपा खो देता है, गरम हो जाता है और छोटी से छोटी समस्याओं में उलझ जाता है वह काँच जैसा है और जो विपरीत परिस्थितियों में भी सुदृढ़ रहता है और बुद्धि से काम लेता है वो ही सच्चा हीरा है।

♦ પરસ્પરનો આધાર - પાંદડું અને ઢેફું ♦

♠ સમય ♠

👉🏻 દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ.સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો.

ચિંતનની પળે :
- કૃષ્ણકાંત ઉનડકટ

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે,
આંખ સામે છત દીવાલો ચાલતી મેં જોઈ છે,
લાગણીને પગ નથી તો એ જવાની બ્હાર ક્યાં?
તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે.
-મનીષ પાઠક, ‘શ્વેત.’

👉🏻 એક યુવાન સાધુ પાસે ગયો. યુવાને સાધુને સવાલ કર્યો. આ દુનિયામાં કોનો ભરોસો ન કરવો જોઈએ?
સાધુએ બહુ સલુકાઈથી જવાબ આપ્યો, ભરોસો એકનો જ ક્યારેય ન કરવો, સમયનો!

સમય બિલકુલ ભરોસાપાત્ર નથી. એ ખૂબ જ છેતરામણો છે. સમયને રંગ નથી હોતો, પણ એ ક્યારે રંગ બદલે તેનો ભરોસો નહીં. સમય તરંગી મિજાજનો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એનો મિજાજ બદલી જાય છે. સમયમાં આપણાં સપનાં સાકાર કરવાની ત્રેવડ છે અને એટલી જ તાકાત આપણાં સપનાંને ચકનાચૂર કરવાની છે. સમય આપણી મુરાદો ઉપર પાણી ફેરવી દે છે. ક્યારેક આપણને સમજાતું નથી કે, આ શું થઈ ગયું? સમય સારા સરપ્રાઇઝીસ પણ આપે છે અને ક્યારેક એ એવું રૂપ લઈને આવે છે કે આપણે ડઘાઈ જઈએ. સમય મજાને માતમમાં,આનંદને આક્રંદમાં અને પ્રેમને પીડામાં ફેરવી નાખે છે. સારું થાય ત્યારે આપણે તેને સદ્નસીબ, સારાં કર્મો કે મહેનતનું નામ આપી સ્વીકારી લઈએ છીએ, પણ ન ગમતું કંઈ થાય ત્યારે સહન કરવું અઘરું પડે છે. 👈

સમયને આપણે બદલી ન શકીએ. એ તો જે રૂપ લઈને આવે એ રૂપમાં આપણે એનો સ્વીકાર જ કરવો પડે. આપણે માત્ર એટલું ધ્યાન રાખીએ કે એની કારી જેટલી બને એટલી ઓછી ફાવે. સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો. જો સમય ઉપર છોડીએ તો એ છેતરી જાય ને! જે કરવું હોય એ કરી લો. કાલ ઉપર કંઈ જ નહીં રાખવાનું. પ્રેમ કરવો છે તો કરી લો, કોઈની માફી માગવી છે તો માગી લો, કોઈને મદદ કરવી છે તો કરી લો, કોઈનાં વખાણ કરવા છે તો રાહ ન જુઓ. સમય કદાચ એ મોકો ન આપે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે સમય આવશે એટલે બધું આપોઆપ થાળે પડી જશે. દરેક વખતે સમય આવતો નથી, ક્યારેક સમય લાવવો પડતો હોય છે. સમય ઉપર એ જ વાત છોડવી જોઈએ જે આપણા હાથમાં ન હોય. ઘણું બધું આપણા હાથમાં હોય છે, જે થાય એમ હોય એ કરી લેવું.

મુલતવી રાખનાર માણસ મૂંઝાતો રહે છે. મેં કહી દીધું હોત તો? હું વ્યક્ત થઈ ગયો હોત તો? દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ. આપણી જિંદગીમાં એવા અનેક બનાવો બન્યા હોય છે જેની આપણે કોઈ દિવસ કલ્પના કરી ન હોય. કોઈ અચાનક આપણી જિંદગીમાં આવી જાય છે. કોઈ અણધાર્યું કાયમ માટે ચાલ્યું જાય છે. આવું થાય પછી આપણી પાસે આશ્વાસનો શોધવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જો આમ થયું હોતને તો આમ ન થાત, મેં એને જવા દીધો ન હોતને તો એ મારી સાથે હોત, મેં આવું શા માટે કર્યું? એવા કેટલાયે વિચારો આવ્યે રાખે છે. એવા વિચારોનો કોઈ જ અર્થ નથી હોતો. આપણે મન મનાવતા હોઈએ છીએ. મન મનાવવું ન હોય તો મન જે કહે એ કરી નાખો.

અમુક વખતે તો માણસ છેલ્લી ઘડીની રાહ જોતો હોય છે. હમણાં નહીં, સમય પાકે ત્યારે કહીશ કે ત્યારે કરીશ. અમુક વખતે બહુ મોડું સમજાય છે. દરેક સમજ પણ ક્યાં સમયસર આવતી હોય છે? સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે.

એક વૃદ્ધની આ વાત છે. એને બે દીકરા. બંને દીકરા પોતાનો ધંધો સંભાળે એવી પિતાને ઇચ્છા. છોકરા મોટા થયા પછી બંનેને કહ્યું કે,હવે મારો બિઝનેસ તમે સંભાળી લો. એક દીકરો આર્ટિસ્ટ હતો. તેણે કહ્યું, આપણી પાસે સાત પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે. મારે કમાવવું નથી. મને તો મારી આર્ટમાં જ રસ છે. હું ધંધો સંભાળવાનો નથી.

પિતાથી આ વાત સહન ન થઈ. કલાકાર દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. એ દીકરો કોઈ જાતની માથાકૂટ કર્યા વગર ચાલ્યો પણ ગયો. વર્ષો વીતી ગયા. પિતા મરણપથારીએ હતા. જે દીકરો સાથે રહેતો હતો એની એક દીકરી હતી. દાદાની બહુ લાડકી. દાદાને અનેક વાર કહ્યું કે, દાદા તમે કાકાને બોલાવી લો. દાદો એક જ વાતનું રટણ કરે કે મારે એનું મોઢું નથી જોવું, એણે મારી ઇચ્છાઓનું ખૂન કર્યું છે, મેં ધાર્યું હતું એવું એણે ન કર્યું.

મોત નજીક આવતું હતું. ખુદ દાદાને સમજાઈ ગયું હતું કે હવે તેની પાસે વધુ સમય નથી. દીકરીને બોલાવીને કહ્યું કે, તું હવે તારા કાકાને બોલાવી લે.

દીકરીએ પૂછ્યું કે કેમ હવે એમને બોલાવવાનું કહો છો? દાદાએ કહ્યું કે, મારે કોઈ અફસોસ સાથે મરવું નથી!

દીકરીથી આખરે ન રહેવાયું, તેણે કહ્યું કે દાદા અફસોસ સાથે મરવું નથી, પણ અફસોસ સાથે જીવવામાં તમને વાંધો નહોતો! તમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે મારે કોઈ અફસોસ સાથે જીવવું નથી? અફસોસ સાથે મરવું ન હોય તો તરત જ કોઈ અફસોસ ન રહે એવું કરવું જોઈએ. અફસોસ વગર જીવવામાં જે મજા છે એ જ સાચી મજા છે. જે સમયે જે થવું જોઈએ એ જ થાય એ વાજબી છે. તરસ લાગે ત્યારે પાણી આપવાનું હોય, એ વખતે સોનું આપો તો એનો કોઈ અર્થ નથી. હૂંફ અને હમદર્દી પણ સમયસર આપવાં જોઈએ. આપણને અનુકૂળતા હોય ત્યારે કદાચ એની કોઈને જરૂર ન પણ હોય.

એક ખેડૂતની આ વાત છે. તેને ગામના એક માણસ સાથે અણબનાવ થયો. એક વખત ખેતરમાં કામ કરતો હતો ત્યારે એના દીકરાએ કહ્યું કે, આપણા પેલા પડોશીને તમારું માઠું લાગ્યું છે. ખેડૂતે દીકરાને તરત જ કહ્યું કે, જા તો એને બોલાવી લાવ. હમણાં જ તેની સાથે પ્રેમથી વાત કરી તેની નારાજગી દૂર કરી દઉં.

દીકરાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, બાપા કેમ અત્યારે જ? પિતાએ કહ્યું, દીકરા આપણે ખેડૂત છીએ. ખેતીનો એક નિયમ જિંદગીમાં અપનાવવા જેવો છે. વરસાદ આવેને એ પહેલાં ખેતર ખેડી લેવાનું હોય છે. વરસાદ ક્યારે આવે એનો ભરોસો નહીં, આપણું ખેતર ખેડાયેલું હોવું જોઈએ. જિંદગીમાં પણ એ વાત યાદ રાખવાની હોય છે કે જે સમયે જે થવું જોઈએ એ થઈ જવું જોઈએ. છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વ્હાલનું પણ એવું જ હોય છે.

અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય.

બે મિત્રોની આ વાત છે. એક પાર્ટી હતી. એક મિત્ર બહારગામથી આવ્યો હતો. પાર્ટી દરમિયાન મજાક-મસ્તીમાં એ બંને મિત્રો વચ્ચે જૂની એક બાબતે બોલાચાલી થઈ. રીતસરનો ઝઘડો થયો. પાર્ટી પૂરી થઈ. એક મિત્ર એના ઘરે ગયો. બીજો મિત્ર કાર લઈને એના શહેર તરફ જવા નીકળ્યો. જે મિત્ર ઘરે હતો તેને થયું કે મારે ઝઘડો કરવાની જરૂર ન હતી. તેણે મિત્રને તરત ફોન કર્યો. તેણે સોરી કહ્યું. દોસ્ત, આટલા વખતે મળ્યા અને આપણા વચ્ચે ઝઘડો થઈ ગયો. મને માફ કરજે. કારમાં જતાં મિત્રએ કહ્યું,તું પણ જબરો છે. આટલી ઝડપે તને માફી માગી લેવાનું મન થઈ ગયું. મિત્રએ કહ્યું, હા દોસ્ત, કાલનો કંઈ ભરોસો નથી. કદાચ કાલે મને કંઈ થઈ જાય અને હું મરી જાઉં તો?સમયનો કંઈ ભરોસો થોડો છે?

બંનેએ હસીને વાત પૂરી કરી. મિત્ર આરામથી સૂતો. તેને થયું કે હવે સવારે કદાચ ન ઊઠું તો પણ વાંધો નહીં, એમ તો નહીં થાય કે કંઈ મનમાં રહી ગયું. એ રિલેક્સ થઈ સૂઈ ગયો. સવાર તો પડી જ. સવારના પહોરમાં ફોન આવ્યો કે, તેનો ફ્રેન્ડ કાર લઈને જતો હતો ત્યારે એનો એક્સિડન્ટ થઈ ગયો અને એ મરી ગયો છે! એને આઘાત લાગ્યો. તેણે કહ્યું, થેંક ગોડ,હવે મારે કોઈ અફસોસ સાથે તો જીવવું નહીં પડે!

તમારા મનમાં આવું કંઈ છે? કોઈની સાથે વાત કરવાનું મન થાય છે? કોઈને કંઈ કહેવું છે? તો રાહ ન જુઓ, સમય પલટી મારે એ પહેલાં બધું સુલટાવી લો.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

એક સાધુને પૂછવામાં આવ્યું કે તમારા ચહેરા ઉપર જે સુકૂન દેખાય છે એનું કારણ શું છે?

સાધુએ કહ્યું કે, હું રોજ રાતે સૂવા જાઉં એ પહેલાં એટલો જ વિચાર કરું છું કે અફસોસ થાય એવું આજે કંઈ થયું નથીને? થયું હોય તો હું સૂતાં પહેલાં જ એ વાત પૂરી કરી દઉં છું. રોજ સવારે દિવસ નવો હોય છે એમ માણસ પણ નવો અને હળવો હોવો જોઈએ.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

આપણે સવારે ઊઠીએ ત્યારે હળવા હોઈએ છીએ ખરા? રાતે સૂતી વખતે કેટલો બેગેજ આપણી સાથે હોય છે? ક્યારેક તો એ વજન આપણને ઊંઘવા નથી દેતું. પડખાં ફર્યા રાખીએ તો પણ નીંદર નથી આવતી. દરેક વખતે મોતનો વિચાર કરીને જ બધું કરવાની જરૂર હોતી નથી. મોતનો તો ક્યારેય વિચાર જ ન કરવો જોઈએ, જે કંઈ કરવું હોય એ જિંદગીનો વિચાર કરીને જ કરવું જોઈએ. જિંદગી આપણી છે. આપણે નક્કી કરવાનું હોય છે કે એને કેવી રીતે જીવવી છે.

માણસના સ્ટ્રેસનું કારણ મોટાભાગે એ પોતે હોય છે. આપણે તો નારાજ, ઉદાસ કે ગુસ્સે હોઈએ તો પણ એનો દોષ બીજા પર નાખતા હોઈએ છીએ. એના કારણે આવું થયું, તેણે એવું કર્યું એટલે મારો મૂડ ઓફ થઈ ગયો. આપણે જેવા છીએ એના માટે માત્ર અને માત્ર આપણે જ જવાબદાર હોઈએ છીએ. આપણે હળવા થઈ જઈએ તો જિંદગી હળવી જ છે. સરળતા અને સહજતા જ સુખ આપી શકે અને આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે!

★ છેલ્લો સીન :

સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે. -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.16 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

♠ કર્મનું ફળ ♠

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન  ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું.એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો .થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.

રસોઇ ઝેરીલી થઈ ગઈ...રસોઇ બનાવનારને આ ખબર ના હતી...રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધાજ ભૂદેવોના મૃત્યું થયા.રાજા ખુબજ વ્યથિત થયો..અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્મહત્યાનું પાપ તેને લાગશે..બીજી બાજુ યમરાજ માટે કોયડો ઉભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉધારવું ?

(૧)  રાજા જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે ?

(૨)  રસોઇયા- કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે ?

(૩)  સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નિકળી ?

(૪)  સાપ જેને પોતાના આત્મ રક્ષણ માટે  ઝહેર ઓક્યું ?

ઘણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો.

થોડા સમય પછી બહારગામથી ભૂદેવો રાજાની મુલાકાતે આવે છે,રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પુછે છે.મહિલા રસ્તો તો બતાવે છે પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભુદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખે છે એટલે જમતા નહીં. 

બસ આજ વખતે યમરાજાને પાપકર્મનું ફળ કોને ખાતે ઉધારવું તે સુજી ગયું.તરતજ તેને ફેસલો આપ્યો કે બ્રાહ્મણોના મૃત્યુંનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે..

યમદૂતોએ પુછયું કે મહિલાને શા માટે તેની તો આ બનાવમાં કોઇ ભૂમિકાજ નથી.ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે જયારે કોઇ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે..

આ કિસ્સામાં ના તો રાજાને કે સમડીને,સાપને કે રસોઇયાને આનંદ મળ્યો પરંતુ આ બનાવના વખાણ કરીને બીજાની બુરાઇ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો અને એટલા માટે પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે. 

બીજાએ કરેલા પાપની નિંદા એ પાપના વખાણ કરવા થકી કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે.

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઇ દિવસ કોઇ પાપ કર્યું નથી તો પછી મને શાની સજા થાય છે? આ સજા જાણે અજાણ્યે કોઇની કરેલી કુથલી ,નિંદા અને બુરાઇ કરવાને કારણે આપણા ખાતામાં  જમા થઈ હોય છે તેનું પાપકર્મ ભોગવવાનું બને છે.

બોધ—કોઇની કુથલી, નિંદા કે બુરાઇ જાણે અજાણે કરવી નહીં.

♠ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો માતૃપ્રેમ ♠

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના મહાન વિદ્વાન થઈ ગયા. તેમને લગતી આ વાત છે. ઈ.સ. ૧૮૫૧માં કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં માસિક રૂપિયા ત્રણસોના પગારે તેઓ પ્રોફેસર હતા. તે જમાનામાં એ મોટું પગારદાર પદ ગણાતું. સાહેબ તરીકેની ઘણી સગવડો તેમને મળતી હતી. લોકો તેમને આદરથી પ્રણામ કરતાં. બહુ જ થોડા ભારતવાસીઓને આવો વૈભવ મળતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેવા એક ભાગ્યશાળી અધિકારી હતા.

તેમનાં માતાએ અંગ પરનાં ઘરેણાં વેચીને ભણાવેલા. બહુ જ ગરીબાઈમાંથી તેઓ ઊંચા પદે પહોંચ્યા હતા.

એક દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઉપર તેમનાં માતુશ્રીનો કાગળ આવ્યો. એમના નાના ભાઈનાં લગ્ન હતાં. ઈશ્વરચંદ્ર મોટા હતા. બધો પ્રસંગ પાર પાડવાનો હતો. ઈશ્વરચંદ્રની હાજરી ઘણી જ જરૃરી હતી. કારણ કે માતુશ્રી એકલે હાથે પહોંચી વળે તેમ ન હતાં. એટલે આગ્રહ સાથે હાજર રહેવા કહ્યું હતું. લગ્નની તારીખ પણ નક્કી હતી. તેઓ ગોરા સાહેબ પાસે રજા લેવા ગયા.

ગોરા સાહેબે અરજી વાંચી અને કહ્યું,
''રજા મંજૂર થઈ શકશે નહીં.'' પત્ર ટેબલ પર
પાછો મૂક્યો.

ઈશ્વરચંદ્રે કહ્યું કે, ધોરણસર તેમની પાસે રજાઓ સિલકે હતી તો મંજૂર કરવી જોઈએ.

ગોરા સાહેબે પરીક્ષાનું કારણ બતાવ્યું. અને ના પાડી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિનંતી કરી કે, મારી માતાની આશા છે કે મારે લગ્ન પ્રસંગે હાજર રહી પ્રસંગ ઉજાળવો. મોટો હોવાથી મારે ત્યાં જઈને બધું કામ પાર પાડવાનું છે.

ગોરા સાહેબે હિન્દીઓને નોકરી કરતાં આવડતી નથી તેવા શબ્દો ઉચ્ચાર્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ગોરાનું અઘટિત વર્તન ગમ્યું નહિ. ઈશ્વરચંદ્ર ઘેર ગયા. શું કરવું તેની ચિંતા થવા લાગી. માતાજીની આજ્ઞાા કદી એમણે ઉથાપી નહોતી. મોડો જઈશ તો માતાજી બહુ દુઃખી થશે. મનોમંથન ચાલ્યું. ઊંઘ ના આવી. બહુ જ વિચારને અંતે તેમને માતાની આજ્ઞા મહાન લાગી. પણ તે નોકરી છોડયા સિવાય શક્ય ન હતું. નોકરીના રાજીનામાનો આખરી નિર્ણય તેમણે વિચારી લીધો. રાજીનામું ધરી દીધું. ગોરો પ્રિન્સિપાલ આ વાંચી આશ્ચર્યમાં પડી ગયો. માના પ્રેમ ખાતર આ માણસ સારી પગારદાર નોકરીને ઠોકર મારી રહ્યો હતો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ગોરાને કહ્યું કે, ''સાહેબ, જાણું છું કે મારી મોટા પગારવાળી નોકરી જશે. પણ મારી માની આશા અને પ્રેમ આગળ આવી અનેક નોકરીઓ તુચ્છ છે. માતા મહાન છે. કોઈપણ સંજોગોમાં લગ્નમાં પહોંચવું એ જ મારી મોટી ફરજ છે.''

આ સાંભળી ગોરો હાકેમ સ્તબ્ધ બની ગયો.હિન્દીઓની માતાના પ્રેમની લાગણી આગળ ઝૂકી ગયો અને મનોમન નમન કર્યા. તે બોલ્યો, ''ઈશ્વરચંદ્ર, તમે ખુશીથી લગ્નમાં જાઓ. તમારી રજા મંજૂર કરું છું.'' આમ કહી તેમણે
રાજીનામાનો કાગળ લઈ તેના ચુરેચુરા કરી દીધા અને ફેંકી દીધા.

જનની પ્રેમનો આ અનુભવ હતો. આવા હતા શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેમને સ્મરીને આપણી છાતી ગૌરવથી ફૂલે છે.

♠ શ્રીકૃષ્ણનો અનંત મહિમા ♠

'' શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણનો રંગ કેમ નીલો છે ? '' વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે સંન્યાસીએ પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં.કોઇને જવાબ સૂઝતો નહોતો.ત્યારે એક વિદ્યાર્થી ઊભો થઇને બોલ્યો , સ્વામીજી , શ્રીકૃષ્ણનો નીલો રંગ અનંતતાનું પ્રતિક છે.''

સંન્યાસીએ પૂછ્યું , ''તમે આ કેવી રીતે કહી શકો છો ? ''

વિદ્યાર્થીએ પોતાના કથનને સુંદર રીતે સમજાવ્યું , ''જે રીતે નીલું આકાશ અને નીલો સમુદ્ર અનંત છે. તે પ્રકારે શ્રીકૃષ્ણનો મહિમા પણ અનંત છે.તેથી તેનો રંગ પણ નીલો છે.''

વિદ્વાન સંન્યાસી જ નહિ , ઉપસ્થિત બધા લોકો જવાબ સાંભળીને આનંદથી ગદગદિત થઇ ઉઠ્યા.વિદ્વાન સંન્યાસી  સ્વામી વિવેકાનંદ હતા અને જવાબ આપનાર બાળક - ચક્રવર્તી રાજગોપાલાચાર્ય હતાં.જે રાજનીતિ અને હિંદુ ધર્મના વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થયાં.