♠ રોગનું સાચું નિદાન ♠

ગામના નગરશેઠને સઘળી વાતે સુખ હતું.ધનનો અખૂટ ભંડાર હતો. સુશીલ પત્ની અને આજ્ઞાાંકિત પુત્રો હતા. સતત સંભાળ રાખનારો સેવકવર્ગ હતો. આ સઘળું હોવા
છતાં નગરશેઠને સતત બેચેની અને અજંપો રહ્યા કરતા. આખી રાત પડખા ઘસવા પડતાં. રાત્રે ઊંઘ આવતી નહી તેથી દિવસે ક્યાંય મન લાગતું નહોતું. આંખો થાકેલી
અને માથુ ભમતું રહેતું. ક્યારેક રાત્રે સહેજ ઊંઘ આવે, ત્યાં તો ભયાનક સ્વપ્નાંઓની હારમાળા શરુ થઈ જતી હતી. જીવનમાં સઘળું સુખ હોવા છતાં ઊંઘના સવાલે
નગરશેઠની ઊંઘ હરામ કરી નાખી.

એવામાં નગરમાં એક સંત પુરુષ આવ્યા. એ સહુ કોઈના દુઃખદર્દ સાંભળતા હતા અને એને સાચો રસ્તો સુઝાડતા હતા. નગરશેઠને એની જાણ થતાં તેઓ દોડીને એમની પાસે ગયા અને કાકલુદીભર્યા અવાજે કહ્યું,

'મહારાજ, જીવનમાં કોઈ વાતે કશી મણા નથી. માત્ર એક જ દુઃખ છે અને એને કારણે સઘળા સુખ વેરાન બની ગયા છે.'

'એવું તે કયું દુઃખ છે તમને ?'

નગરશેઠે કહ્યું, 'મહારાજ, મારે અને ઊંઘને આડવેર છે. રાત્રે દુનિયા આખી ઘસઘસાટ સૂતી હોય ત્યારે હું સુંવાળી સેજમાં ઊંઘ વિના આળોટતો હોઉ છું. કોઈ પણ ઉપાયે
મારી આ અનિદ્રાનું નિવારણ કરો.'

સંતે કહ્યું, 'ઓહ, એમાં શું ? તમારા રોગનું કારણ હું જાણું છું. તમે અપંગ હોવાથી રોગથી ઘેરાઈ ગયા છો.'

સંતના શબ્દો સાંભળતા જ નગરશેેેઠે આશ્ચર્યથી પૂછ્યું, 'હું અપંગ કઈ રીતે ? જુઓ,આ કેવી સુંદર આંખો છે, બાવડામાં બળ છે,પગમાં જોર છે, પછી હું અપંગ કઈ રીતે ?'

સંત ખડખડાટ હસી પડયા, 'શેઠ ! અપંગ કોને કહેવાય તેની તમને ખબર નથી અપંગ એ નથી કે જેની પાસે હાથ કે પગ ન હોય, પણ વાસ્તવમાં અપંગ તો એ છે કે જે હાથપગ હોવા છતાં એનો ઉપયોગ કરે નહીં. તમે જ
કહો તમારા શરીર પાસેથી તમે કેટલું કામ લો છો ?'

'અરે, બધા મારી એટલી બધી સંભાળ રાખે છે કે હું તો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલેની જિંદગી જીવું છું.'

'આને કારણે જ ઉંઘ સાથે તમારે આડવેર બંધાયું છે. નાના મોટા કામ માટે બીજાઓ પર નિર્ભર રહો છો. જો તમે
સ્વચ્છ ઊંઘ ઇચ્છતા હો તો આ અપંગપણુ દૂર કરીને હાથ- પગથી ખૂબ મહેનત કરો, તો એકાદ દિવસમાં જ તમારી બિમારી દૂર થઈ જશે.'

નગરશેઠ સંતની સલાહનો સ્વીકાર કર્યો અને પછીને દિવસે એવી ગાઢ નિંદ્રા આવી કે નગરશેઠ ખુદ આશ્ચર્યચક્તિ થઈ ગયા.

♠ જાઓ' અને 'ચાલો ♠

વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા ખેડૂતે પોતાના બે દીકરાઓને સરખે ભાગે જમીન વહેંચવાનું નક્કી કર્યું. બંનેને સરખાં ખેતરો આપ્યાં અને એ ખેતરોમાં કામ કરતાં મજૂરો પણ સરખે સરખા વહેંચી આપ્યાં. વૃદ્ધ
ખેડૂતનો મોટો પુત્ર આળસુ અને કામચોર હતો. એને જાતે કામ કરવું સહેજે પસંદ નહીં, આથી એ મજૂરોને ખેતરમાં જઇને કામ કરવાનો હુકમ કરતો. પોતે નિરાંતે આરામ કરતો, પણ ખેતરનું કામ બીજાના ભરોસે
હોવાથી ધીરે ધીરે એની ખેતી બગડવા માંડી. અનાજની ઉપજ ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો મોટા દીકરાની આર્થિક દશા બગડી ગઇ. એ સાવ ગરીબ થઇ
ગયો.

નાનો દીકરો અત્યંત પરિશ્રમી હતો. એ પોતાના મજૂરોની સાથે ખભે હળ નાખીને ખેતી કરવા જતો. સહુની સાથે મળીને વાવણી કરે. એના મજૂરો પણ માલિકને મહેનત કરતા જોઇને કામે લાગી જતા. એના ખેતરમાં ઉપજ વધવા લાગી. ઘણું અનાજ પેદા થતાં સારી એવી આવક થઇ અને સમય જતાં એ અતિ ધનિક બની ગયો.

વૃદ્ધ ખેડૂત બંને દિકરાઓની હાલચાલ જોતો હતો. એક દિવસ બંને દીકરાઓને બોલાવીને એમના ખબર પૂછ્યા, ત્યારે મોટા દીકરાએ કહ્યું, 'પિતાજી, મારી અવળી દશાની તો કોઇ વાત પૂછશો નહીં. તમે ખેતર આપ્યું, મજૂરો આપ્યા, છતાં નસીબ એવું વાંકુ કે આજે તો સાવ
ચીંથરેહાલ ગરીબ થઇ ગયો છું.'

વૃદ્ધ ખેડૂતે એના નાના દીકરાને પૂછ્યું,
'તારી શી હાલત છે?'

ત્યારે એણે કહ્યું,'પિતાજી, તમારી કૃપાને કારણે મારી
આવક સતત વધતી રહી છે. આજે બધી વાતે સુખી છું.'

વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'જુઓ, મેં તમને બંને દીકરાઓને સરખો ભાગ વહેંચી આપ્યો હતો. તમારો એ ભાગ જ તમારું ભાગ્ય હતું. તમારા બંનેનું ભાગ્ય સરખું હતું, પરંતુ બંને
વચ્ચે 'જાઓ' અને 'ચાલો' એટલો ભેદ હતો.'

'એટલે શું? પિતાજી, તમારી વાત સમજાઇ નહીં.'

વૃદ્ધ ખેડૂતે કહ્યું, 'તેં હંમેશા તારા માણસોને કહ્યું કે, 'જાવ કામ કરો.' 'ખેતર ખેડી આવો, અનાજ લઇ આવો' અને તારા નાનાભાઇએ મજૂરોને કહ્યું કે 'ચાલો, ખેતરે જઇએ, ચાલો હળ ચલાવીએ અને ચાલો, વાવણી કરીએ.' આ 'જાઓ' અને 'ચાલો'નું પરિણામ છે, સમજ્યો?'

♥ કુમારપાળ દેસાઇ ♥

♠ ભારતીયતા ♠

ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી ઝાકિરહુસેન ઊંડી ધાર્મિક વૃત્તિવાળા હતા પણ તેઓ
ધર્મના બાહ્યાચારને વિશેષ મહત્ત્વ આપતા નહીં.
અર્થશાસ્ત્રના વિદ્વાન તરીકે અને શિક્ષણ સંસ્થાઓના માર્ગદર્શક તરીકે એમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૯૬૩માં 'ભારત રત્ન'ના ખિતાબથી સન્માનિત ઝાકિરહુસેનના એક દૂરના સગાનો એક પત્ર આવ્યો અને એમણે એમના કોઈ સંબંધીની સિફારિશ કરવાનો એમને
આગ્રહ કર્યો. ડૉ. ઝાકિરહુસેને કશું કર્યું નહીં એટલે તેઓ સીધેસીધા એમને મળવા આવી પહોંચ્યા.

પોતાના આ સગાનો અત્યંત વિનમ્રતાથી આદરસત્કાર કર્યો અને પાસે બેસાડયા. થોડી ગપસપ પછી એમના આ
સંબંધી મૂળ વાત પર આવ્યા, પરંતુ ઝાકીરહુસેન એ બાબતમાં કોઈ સ્પષ્ટ ઉત્તર આપતા નહોતા. આથી એ સગા અકળાઈને બોલ્યા, 'આપ તો મુસલમાન છો એ મુસલમાન તરીકે તમારી ફરજ છે કે તમારે આ કામ કરવું
જોઇએ. તમારી પાસે અમે આટલી તો આશા રાખી શકીએ ને ?'

ઝાકિરહુસેને એમના સંબંધીને કહ્યું, 'જુઓ, મુસલમાન હોવાની દુહાઈ આપશો નહીં, આપણા બધાનો ધર્મ એક છે અને તે ભારતીયતા. આપણે બધા પહેલાં ભારતીય છીએ.'

સંબંધીએ કહ્યું, 'એ તો ઠીક. આપણે બધાય ભારતીય છીએ. પણ આપણે સગા છીએ, તેનું શું ? લોહીની સગાઈ તો બધી સગાઈથી ઊંચી છે.'

આમ સંબંધી સંબંધના દાવે આગ્રહ કરતા જ રહ્યા, ત્યારે ડૉ. ઝાકિરહુસેને એમના અંગત સચિવને બોલાવીને કહ્યું,
'જુઓ, ઘણા ઉપાય કર્યા, પણ મારા આ સંબંધીને વાત સમજાતી નથી. તમે એમને કહો કે હું દેશસેવા કરવા માટે આ પદ પર નિયુક્ત થયો છું. મારા સંબંધીઓની સેવા
કરવા માટે નહીં. જો મારા આ સંબંધી યોગ્ય લાયકાત ધરાવતા હોય, તો પછી એમને મારી સિફારિશની જરૃર શી ?'

આ સાંભળીને એમના સંબંધી ચૂપચાપ ત્યાંથી રવાના થઇ ગયા.

♥ કુમારપાળ દેસાઇ

♠ સાચો સંન્યાસી ♠

ભારતભ્રમણ કરી રહેલા સ્વામી વિવેકાનંદની પાસે શરત્ચંદ્ર નામનો એકયુવાન આવ્યો. સ્વામી વિવેકાનંદનાં ભાષણો સાંભળીને એ અત્યંત પ્રભાવિત થયો હતો. એમનાં વિચારોએ આ યુવકના મનનું પરિવર્તન કર્યું હતું.

યુવકે મનોમન વિચાર્યું કે આ સંસાર છોડીને સ્વામીજીના શરણે જાઉં અને સંન્યસ્ત ગ્રહણ કરું. સ્વામીજી સાથેના મેળાપ સમયે શરતચંદ્રએ કહ્યું.
'આપ કૃપા કરીને મને સંન્યાસની દીક્ષા આપો. મારે આપની સાથે રહેવું છે અને કામ કરવું છે. આ મારો દ્રઢ નિરધાર છે.'

સ્વામી વિવેકાનંદે શરત્ચંદ્રના ખભે હાથ મૂકીને પ્રેમથી પૂછ્યું, 'પણ સંન્યાસી થવું એટલે શું,એની તમને જાણ છે ખરી ?'

શરત્ચંદ્રે સ્વાભાવિકતાથી કહ્યું, 'સ્વામીજી, સંન્યાસનો અર્થ શું છે એની તો મને ખબર નથી, પરંતુ હું તો સંન્યાસી બનીને સાધના અને ભક્તિ કરવા માગું છું.''સાધના અને ભક્તિ કરીને તમે શું કરશો ?'

'એનાથી મારા જીવનનું કલ્યાણ કરીશ. મુક્તિ પામવા માટે અથાગ પ્રયત્ન કરીશ.'

આ સાંભળી સ્વામી વિવેકાનંદે કહ્યું, 'અરે ! સાચો સંન્યાસી ક્યારેય આટલો સંકીર્ણ કે સ્વાર્થી હોય નહીં, એ માત્ર પોતાની મુક્તિ કે કલ્યાણનો જ વિચાર કરે નહીં.એ તો પોતાની સઘળી શક્તિ અને સઘળા અનુભવોનો ઉપયોગ જનસેવામાં અને
રાષ્ટ્રના વિકાસમાં કરે. જો તું સંન્યાસીની મારી આ પરિભાષા સાથે સંમત હોય, તો તું જરૃર મારા પથનો પથિક બની શકે, નહીં તો નહીં.'

શરત્ચંદ્રને યથાર્થરૃપે સ્વામીજીની ભાવના સમજાઈ અને બોલ્યા, 'સ્વામીજી, તમે તો મારી આંખો ખોલી દીધી. હું તમારી આ પરિભાષા સાથે સહમત છું.'

સ્વામી વિવેકાનંદે શરત્ચંદ્રને સંન્યાસી તરીકે સામેલ કર્યા અને એમને નામ આપ્યું સ્વામી સદાનંદ, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને ગરીબો માટે અર્પણ કર્યું.

★ કુમારપાળ દેસાઇ

♠ સત્કર્મોનો યશ ♠

આ વાત તે સમયની છે જ્યારે સિકંદર યુનાનનો બાદશાહ હતો. સિકંદર કોઇપણ વિદ્યામાં પારંગત કલાકારોની કદર કરતો હતો.તે પોતાના દરબારમાં આવતા દરેક કલાકારનું સ્વાગત અને સન્માન કરતો હતો.એક દિવસ સિકંદરને વિચાર આવ્યો કે રાજધાનીના કોઇ મોટા બગીચામાં સ્વર્ગીય અને વર્તમાન તમામ મહાપુરૂષોની મૂર્તિઓ બનાવીને રાખવામાં આવે જેથી આવતાં જતા દરેક લોકોને તેમના વિશે જાણકારી મળે અને તેમની ખ્યાતિ પ્રસરે.પોતાના વિચારને કાર્યાન્વિત કરાવવા માટે તેમણે તાત્કાલિક કારીગરોને બોલાવ્યા અને કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો.કારીગરોએ ખૂબજ મહેનતથી મૂર્તિઓ બનાવી અને બગીચામાં રાખી દીધી.એક દિવસ પડોશી રાજ્યનો મહામંત્રી રાજકીય મહેમાન તરીકે ત્યાં આવ્યો.સિકંદર તેમને મૂર્તિઓવાળો બગીચો બતાવવા લઇ ગયો. સિકંદરે મહેમાનને દરેક મૂર્તિ બતાવીને તેનો પરિચય આપ્યો.

અંતે મહામંત્રીએ પૂછ્યું કે મહારાજ,તમારી મૂર્તિ ક્યાય દેખાતી નથી ? તે પણ અહીયા હોવી જોઇએ ?

સિકંદરે પૂછ્યું કે મારી મૂર્તિ અહીંયા લગાવું અને આવનારી પેઢી પૂછે કે આ કોની મૂર્તિ છે તેના કરતાં મારી મૂર્તિ અહીંયા ન હોય અને તેઓ પૂછે કે સિકંદરની મૂર્તિ અહીંયા કેમ નથી ?

→ આ પ્રસંગનો સાર એટલોજ છે મિત્રો કે યશ પોતાના સત્કર્મોથી મળે છે.તેથી હંમેશા સત્કર્મો કરવાં જોઇએ.

♠ હમદર્દ હ્રદય ♠

♥ એક ખૂબ જ ચિંતનાત્મક બોધકથા છે.અંત સુધી વાંચજો અને શેર જરૂર કરજો ♥

રશિયાના પ્રમુખ લેનિન એકવાર બિમાર પડ્યા.ડોક્ટરોએ તેમના રોગનું નિદાન કર્યું અને જાહેર કર્યું કે લેનિન સારી અને મોંઘી દવા લે તોજ તે આ બિમારીમાંથી ઊભા થઇ શકશે. પણ લેનિને તો સારી અને મોંઘી દવાઓ લેવાનો સાફ ઇન્કાર કર્યો અને કહ્યું : ''મારા કરોડો દેશબાંધવોને જે મોંઘીદાટ કિંમતની દવાઓ લેવાનું પોષાતું નથી તે દવાઓ મારાથી લઇ શકાય નહિ.''

તેમણે મોંઘીદાટ કિંમતની દવાઓ ન જ લીધી.આથી તેમની પત્ની કૃપ્સકાયાએ લેનિનને ખબર ન પડે એ રીતે દવાઓ બિસ્કીટમાં ભેળવીને આ સાથે આપવા માંડી! તેથીજ લેનિન માંદગીમાંથી બેઠા થયાં.

થોડાં દિવસ બાદ તેમની પત્ની કૃપ્સકાયાએ આ વાત લેનિનને વાતવાતમાં કહી દીધી.

લેનિન રોષે ભરાયાં.તેમણે કહ્યું : ''તે મને મોંઘીદાટ કિંમતની દવાઓ આપીને મારા દેશબાંધવોથી એકલો અટુલો બનાવી દીધો છે.આ તારો એક દેશ માટે મોટો દેશદ્રોહ જ ગણાય.તને એ બદલ સજા મળવી જ જોઇએ.''

અને બીજે દિવસે લેનિન અદાલતમાં ગયા અને પોતાની પત્ની કૃપ્સકાયા સામે કેસ માંડ્યો.

અદાલતમાં પોતાની પત્ની વિરુદ્ધ કેસ ચાલ્યો. કૃપ્સકાયાને ગુનેગાર ઠેરવવામાં આવી અને તેને ત્રણ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી.

પણ ફેંસલામાં અદાલતે જણાવ્યું : '' ખરી રીતે કૃપ્સકાયા ગુનેગાર જરૂર છે છતાં તેણે જે કંઇ કર્યુ તે રશિયાના એક તારણહારની અમૂલ્ય જિંદગી બચાવવાં માટે જ કર્યું છે.ખરેખર તો તેણે મહાન લેનિનનું જીવન બચાવીને સમગ્ર રશિયા પર મોટો ઉપકાર કર્યો છે.રાષ્ટ્રની મોટી સંપત્તિરૂપ લેનિનનો જીવ બચાવીને તેણે આખા રશિયા માટે એક કલ્યાણકારી કાર્ય કર્યું છે.''

લાખો રશિયનો આ કાર્ય માટે કૃપ્સકાયાને જ્યારે આશીર્વાદ આપે છે.ત્યારે તે લોકલાગણીને ધ્યાનમાં લઇને આ નામદાર કોર્ટ કૃપ્સકાયાને ફરમાવેલી સજા માફ કરે છે.

લેનિન અને કૃપ્સકાયા આનંદવિભોર થઇ ઘેર પાછા ફર્યાં.

♠ वक्त पर फैसला ♠

||||  उबलते पानी मे मेंढक  ||||

अगर मेंढक को गर्मा गर्म उबलते पानी में डाल दें तो वो छलांग लगा कर बाहर आ जाएगा और उसी मेंढक को अगर सामान्य तापमान पर पानी से भरे बर्तन में रख दें और पानी धीरे धीरे गरम करने लगें तो क्या होगा ?

मेंढक फौरन मर जाएगा ?
जी नहीं....

ऐसा बहुत देर के बाद होगा...
दरअसल होता ये है कि जैसे जैसे पानी का तापमान बढता है, मेढक उस तापमान के हिसाब से अपने शरीर को Adjust करने लगता है।

       पानी का तापमान, खौलने लायक पहुंचने तक, वो ऐसा ही करता रहता है।अपनी पूरी उर्जा वो पानी के तापमान से तालमेल बनाने में खर्च करता रहता है।लेकिन जब पानी खौलने को होता है और वो अपने Boiling Point तक पहुंच जाता है, तब मेढक अपने शरीर को उसके अनुसार समायोजित नहीं कर पाता है, और अब वो पानी से बाहर आने के लिए, छलांग लगाने की कोशिश करता है।

       लेकिन अब ये मुमकिन नहीं है। क्योंकि अपनी छलाँग लगाने की क्षमता के बावजूद , मेंढक ने अपनी सारी ऊर्जा वातावरण के साथ खुद को Adjust करने में खर्च कर दी है।

       अब पानी से बाहर आने के लिए छलांग लगाने की शक्ति, उस में बची ही नहीं I वो पानी से बाहर नहीं आ पायेगा, और मारा जायेगा I

          मेढक क्यों मर जाएगा ?

          कौन मारता है उसको ?

          पानी का तापमान ?

          गरमी ?

          या उसके स्वभाव से ?

      मेढक को मार देती है, उसकी असमर्थता सही वक्त पर ही फैसला न लेने की अयोग्यता । यह तय करने की उसकी अक्षमता कि कब पानी से बाहर आने के लिये छलांग लगा देनी है।

      इसी तरह हम भी अपने वातावरण और लोगो के साथ सामंजस्य बनाए रखने की तब तक कोशिश करते हैं, जब तक की छलांग लगा सकने कि हमारी सारी ताकत खत्म नहीं हो जाती ।

     ये तय हमे ही करना होता है कि हम जल मे मरें या सही वक्त पर कूद निकलें।

(विचार करें, गलत-गलत होता है, सही-सही, गलत सहने की सामंजस्यता हमारी मौलिकता को ख़त्म कर देती है)

     अन्याय करने से ज्यादा अन्याय सहने वाला दोषी होता है, उदाहरण भीष्म पितामह ।
                            - श्री कृष्ण

आप स्वयं विचार करें.......

सुप्रभात एवं सुव्यवस्थित जीवन की कामना । । ।

♠ राजा की तीन सीख ♠

बहुत समय पहले की बात है , सुदूर दक्षिण में किसी प्रतापी राजा का राज्य था . राजा के तीन पुत्र थे, एक दिन राजा के मन में आया कि पुत्रों को को कुछ ऐसी शिक्षा दी जाये कि समय आने पर वो राज-काज सम्भाल सकें.

इसी विचार के साथ राजा ने सभी पुत्रों को दरबार में बुलाया और बोला , “ पुत्रों , हमारे राज्य में नाशपाती का कोई वृक्ष नहीं है , मैं चाहता हूँ तुम सब चार-चार महीने के अंतराल पर इस वृक्ष की तलाश में जाओ और पता लगाओ कि वो कैसा होता है ?” राजा की आज्ञा पा कर तीनो पुत्र बारी-बारी से गए और वापस लौट आये .

सभी पुत्रों के लौट आने पर राजा ने पुनः सभी को दरबार में बुलाया और उस पेड़ के बारे में बताने को कहा।
पहला पुत्र बोला , “ पिताजी वह पेड़ तो बिलकुल टेढ़ा – मेढ़ा , और सूखा हुआ था .”

“ नहीं -नहीं वो तो बिलकुल हरा –भरा था , लेकिन शायद उसमे कुछ कमी थी क्योंकि उसपर एक भी फल नहीं लगा था .”, दुसरे पुत्र ने पहले को बीच में ही रोकते हुए कहा .
फिर तीसरा पुत्र बोला , “ भैया , लगता है आप भी कोई गलत पेड़ देख आये क्योंकि मैंने सचमुच नाशपाती का पेड़ देखा , वो बहुत ही शानदार था और फलों से लदा पड़ा था .”

और तीनो पुत्र अपनी -अपनी बात को लेकर आपस में विवाद करने लगे कि तभी राजा अपने सिंघासन से उठे और बोले , “ पुत्रों , तुम्हे आपस में बहस करने की कोई आवश्यकता नहीं है , दरअसल तुम तीनो ही वृक्ष का सही वर्णन कर रहे हो . मैंने जानबूझ कर तुम्हे अलग- अलग मौसम में वृक्ष खोजने भेजा था और तुमने जो देखा वो उस मौसम के अनुसार था.
मैं चाहता हूँ कि इस अनुभव के आधार पर तुम तीन बातों को गाँठ बाँध लो :

पहली , किसी चीज के बारे में सही और पूर्ण जानकारी चाहिए तो तुम्हे उसे लम्बे समय तक देखना-परखना चाहिए . फिर चाहे वो कोई विषय हो ,वस्तु हो या फिर कोई व्यक्ति ही क्यों न हो ।

दूसरी , हर मौसम एक सा नहीं होता , जिस प्रकार वृक्ष मौसम के अनुसार सूखता, हरा-भरा या फलों से लदा रहता है उसी प्रकार मनुषय के जीवन में भी उतार चढाव आते रहते हैं , अतः अगर तुम कभी भी बुरे दौर से गुजर रहे हो तो अपनी हिम्मत और धैर्य बनाये रखो , समय अवश्य बदलता है।

और तीसरी बात , अपनी बात को ही सही मान कर उस पर अड़े मत रहो, अपना दिमाग खोलो , और दूसरों के विचारों को भी जानो। यह संसार ज्ञान से भरा पड़ा है , चाह कर भी तुम अकेले सारा ज्ञान अर्जित नहीं कर सकते , इसलिए भ्रम की स्थिति में किसी ज्ञानी व्यक्ति से सलाह लेने में संकोच मत करो। “

♠ नि:स्वार्थ कर्म ♠

एक दिन राजा भोज गहरी निद्रा में सोये हुए थे। उन्हें उनके स्वप्न में एक अत्यंत तेजस्वी वृद्ध पुरुष के दर्शन हुए।

राजन ने उनसे पुछा- “महात्मन! आप कौन हैं?”

वृद्ध ने कहा- “राजन मैं सत्य हूँ और तुझे तेरे कार्यों का वास्तविक रूप दिखाने आया हूँ। मेरे पीछे-पीछे चल आ और अपने कार्यों की वास्तविकता को देख!”

राजा भोज उस वृद्ध के पीछे-पीछे चल दिए। राजा भोज बहुत दान, पुण्य, यज्ञ, व्रत, तीर्थ, कथा-कीर्तन करते थे, उन्होंने अनेक तालाब, मंदिर, कुँए, बगीचे आदि भी बनवाए थे। राजा के मन में इन कार्यों के कारण अभिमान आ गया था। वृद्ध पुरुष के रूप में आये सत्य ने राजा भोज को अपने साथ उनकी कृतियों के पास ले गए। वहाँ जैसे ही सत्य ने पेड़ों को छुआ, सब एक-एक करके सूख गए, बागीचे बंज़र भूमि में बदल गए । राजा इतना देखते ही आश्चर्यचकित रह गया।। फिर सत्य राजा को मंदिर ले गया। सत्य ने जैसे ही मंदिर को छुआ, वह खँडहर में बदल गया। वृद्ध पुरुष ने राजा के यज्ञ, तीर्थ, कथा, पूजन, दान आदि के लिए बने स्थानों, व्यक्तियों, आदि चीजों को ज्यों ही छुआ, वे सब राख हो गए।।राजा यह सब देखकर विक्षिप्त-सा हो गया।

सत्य ने कहा-“ राजन! यश की इच्छा के लिए जो कार्य किये जाते हैं, उनसे केवल अहंकार की पुष्टि होती है, धर्म का निर्वहन नहीं।। सच्ची सदभावना से निस्वार्थ होकर कर्तव्यभाव से जो कार्य किये जाते हैं, उन्हीं का फल पुण्य के रूप मिलता है और यह पुण्य फल का रहस्य है।”

इतना कहकर सत्य अंतर्धान हो गए। राजा ने निद्रा टूटने पर गहरा विचार किया और सच्ची भावना से कर्म करना प्रारंभ किया ,जिसके बल पर उन्हें ना सिर्फ यश-कीर्ति की प्राप्ति हुए बल्कि उन्होंने बहुत पुण्य भी कमाया।

मित्रों , सच ही तो है , सिर्फ प्रसिद्धि और आदर पाने के नज़रिये से किया गया काम पुण्य नहीं देता। हमने देखा है कई बार लोग सिर्फ अखबारों और न्यूज़ चैनल्स पर आने के लिए झाड़ू उठा लेते हैं या किसी गरीब बस्ती का दौरा कर लेते हैं , ऐसा करना पुण्य नहीं दे सकता, असली पुण्य तो हृदय से की गयी सेवा से ही उपजता है , फिर वो चाहे हज़ारों लोगों की की गयी हो या बस किसी एक व्यक्ति की।

♠ संसार - एक शीशमहल ♠

एक दिन एक शिष्य ने गुरु से पूछा,
'गुरुदेव,आपकी दृष्टि में यह संसार क्या है?

इस पर गुरु ने एक कथा सुनाई।

'एक नगर में एक शीशमहल था। महल की हरेक दीवार पर सैकड़ों शीशे जडे़ हुए थे। एक दिन एक गुस्सैल कुत्ता महल में घुस गया। महल के भीतर उसे सैकड़ों कुत्ते दिखे, जो नाराज और दुखी लग रहे थे। उन्हें देखकर वह उन पर भौंकने लगा। उसे सैकड़ों कुत्ते अपने ऊपर भौंकते दिखने लगे। वह डरकर वहां से भाग गया कुछ दूर जाकर उसने मन ही मन सोचा कि इससे बुरी कोई जगह नहीं हो सकती।

कुछ दिनों बाद
एक अन्य कुत्ता शीशमहल पहुंचा। वह खुशमिजाज और जिंदादिल था। महल में घुसते ही उसे वहां सैकड़ों कुत्ते दुम हिलाकर स्वागत करते दिखे। उसका आत्मविश्वास बढ़ा और उसने खुश होकर सामने देखा तो उसे सैकड़ों कुत्ते
खुशी जताते हुए नजर आए।
उसकी खुशी का ठिकाना न रहा। जब वह महल से बाहर आया तो उसने महल को दुनिया का सर्वश्रेष्ठ स्थान और वहां के अनुभव को अपने जीवन का सबसे बढ़िया अनुभव माना।
वहां फिर से आने के संकल्प के साथ वह वहां से रवाना हुआ।'

कथा समाप्त कर गुरु ने शिष्य से कहा..

'संसार भी ऐसा ही शीशमहल है जिसमें व्यक्ति अपने विचारों के अनुरूप ही प्रतिक्रिया पाता है। जो लोग संसार को आनंद का बाजार मानते हैं, वे यहां से हर प्रकार के सुख और आनंद के अनुभव लेकर जाते हैं।
जो लोग इसे दुखों का कारागार समझते हैं उनकी झोली में दुख और कटुता के सिवाय कुछ नहीं बचता.....।'

♠ સાચી ભિક્ષા ♠

www.sahityasafar.blogspot.com

એક સાધુ ભિક્ષા માંગતા એક ગૃહસ્થના ઘરે ગયાં.તેમણે ભિક્ષા માટે બૂમ પાડી,પરંતું ગૃહસ્થ ઘરમાં હાજર નહોતા.તેની સ્ત્રી અન્ય કાર્યમાં હોવાથી કોઇ
ભિક્ષા ન આપી શક્યાં.થોડીવાર પછી સાધુ ત્યાંથી આગળ ચાલ્યાં.દૂરથી તે ગૃહસ્થે સાધુને પોતાના ઘર પાસેથી પસાર થતાં જોઇને પૂછ્યું કે, આપ મારા ઘરેથી ભિક્ષા લઇને આવ્યાં? સાધુએ હા પાડી.ઘરે ગયા પછી ગૃહસ્થને ખબર પડી કે સાધુનેે ભિક્ષા અપાઇ નહોતી.બીજા દિવસે તે સમયે ગૃહસ્થ હાજર રહ્યા અને સાધુ આવ્યા એટલે પૂછ્યું કેે ગઇકાલે તમે ખોટી હા કેમ પાડી હતી કે  ભિક્ષા મળી ગઇ? સાધુએ કહ્યુું,ભાઇ મોટું કામ ભિક્ષા માટે ફરવાનું છે.કોઇ લોટ આપે,કોઇ તિરસ્કાર આપે,હું તો નિર્લેેપભાવે જે મળે તેે સ્વીકારુ  છુું.લોટ મળે તો શરીર માટે કામ લાગે છે,તે સિવાય મનની ભિક્ષા મળે છે.ગમે તેવા સંજોગોમાં પણ મનને ગુસ્સે ન થવા  દેવું તે શિખવા મળે છે.આથી જ મે તનેે કહ્યુુ હતું કે મને ભિક્ષા મળી ગઇ.

અપમાન,ક્રોધ,વગેરે સામે મનને શાંત રાખવાની ભિક્ષા મળે છે તે બદલ પણ હુું તો બધાનો આભાર જ માનું  છું.સાધુની વાત સાંભળી ગૃહસ્થને પણ સારો બોધપાઠ મળ્યો.

www.sahityasafar.blogspot.com

♠ સમયપાલન ♠

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન સમયના ખૂબ જ પાબંદ હતાં.દરેક કામને સમયસર કરવું એ તેમનો સ્વભાવ હતો.તેઓ દરેક કાર્યક્રમમાં પણ સમયસર પહોંચી જતા હતાં.એક દિવસ તેમણે પોતાના મિત્રોને ભોજન માટે નિમંત્ર્યાં હતાં.તેમણે દિવસના ત્રણ વાગ્યાનો સમય રાખ્યો હતો. વોશિંગ્ટનના મિત્રો ત્રણ વાગ્યે પહોંચી શક્યા નહિ તો તેમણે જમવાનું શરૂ કરી દીધું.મિત્રો આવ્યા તો તેમને આ જોઇને ખોટું લાગ્યું. વોશિંગ્ટને કહ્યું,'' તમે મને માફ કરજો.જમવાનું ટેબલ પર પીરસતાં પહેલાં મારો રસોઇયો એમ પૂછતો નથી કે મહેમાન આવ્યા કે નહિ એ તો માત્ર એટલું જ પૂછે છે કે સમય થયો છે કે નહિ ? ''

વોશિંગ્ટનની વાતનો સંકેત સમજીને તેમના મિત્રો શરમથી પાણી પાણી થઇ ગયાં.સમયપાલન આજનાં ઝડપી યુગની પ્રાથમિક જરૂરિયાત છે.

પોતાના સમયને પોતાના કાર્યો પર યોગ્ય રીતે આયોજિત કરવાથી આત્મવિશ્વાસની સાથે સાથે રાષ્ટ્રનો પણ વિકાસ ગતિ મેળવે છે.