♠ પરનિંદા ♠

♦ અંત સુધી વાંચજો.એક અત્યંત ચિંતનાત્મક વાર્તા છે. ♦

www.sahityasafar.blogspot.com

શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે નિંદક જેની નિંદા કરે છે, તેના ખાતામાં નિંદકનું જે કંઇ પુણ્ય હોય છે, તેમાંથી તેટલું જમા થઇ જાય છે.એટલે કંઇપણ પુણ્યકાર્ય કર્યા વગર ફક્ત નિંદા સહન કરી લેવાથી નિંદા કરનારનું પુણ્ય મળી જાય છે અથવા તો જેની નિંદા કરે છે, તેના ખાતામાં જો પાપકર્મ જમા થયેલા હોય તો તે નિંદકના ખાતામાં જતાં રહે છે.

એક રાજાના મનમાં જન્મમરણના ફેરામાંથી કેવી રીતે મુક્તિ મળે, એ પ્રશ્ન ઉઠ્યો.તેણે ઘણાંને આ પ્રશ્ન પૂછ્યો  પણ કોઇએ સંતોષકારક જવાબ આપ્યો નહિં.

એક દિવસ તેને એક સાધું મળ્યાં.તેમને પૂછતાં તેમણે કહ્યું કે, ''હાં,મારી પાસે એનો જવાબ છે.એક તો આપ આપનાં પાપકર્મોમાંથી મુક્ત થાઓ.સારા કાર્યો કરો,પ્રાયશ્ચિત કરો.અને બીજો માર્ગ છે કે કોઇ આપનાં પાપકર્મોનું ફળ પોતાનાં ખાતામાં લઇ લે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે તે આપની નિંદા કરે.''

ત્યારે રાજાએ સાધુને પૂછ્યું કે ''એ તો કહો કે મારા પાપકર્મોનું ફળ કેટલુંક છે?''

સાધુએ રાજાને કહ્યું ''આંખો બંધ કરી ઊંચુ જુઓ અને કહો શું દેખાય છે?''

''અરે,આ તો છાણનો મોટો ડુંગર દેખાય છે!'' રાજાએ કહ્યું.

''હાં,તો એ જ છે આપનાં પાપકર્મોનું ફળ.'' સાધુએ કહ્યું.

આંખ ખોલીને રાજા ઉદાસ થઇ ગયાં અને તેમને થયું કે આટલાં બધાં પાપકર્મોમાંથી મુક્તિ મેળવવી તો લગભગ અશક્ય છે.પણ પછી થયું કે મહાત્માજીએ કહ્યું છે તો લોકો મારી નિંદા કરે એ રસ્તો અજમાવી જોઉં.પણ રાજા તો અત્યંત લોકપ્રિય હતો.પ્રજાવત્સલ હતો.પ્રજા રાજાની ક્યારેય ટીકા કરતી નહી.પણ હવે રાજાએ એક બ્રાહ્મણ કન્યાનું અપહરણ કરાવ્યું.અલબત્ત,તેને મહેલમાં રાણીની પાસે પોતાની પુત્રીની જેમ રાખી પણ આ વાત અત્યંત ગુપ્ત હતી.બ્રાહ્મણ કન્યાના અપહરણને લઇને હવે લોકો રાજાની ફાવે તેવી વાતો કરવા લાગ્યા.રાજાની ખૂબ નિંદા થવા લાગી.થોડા સમય પછી સાધુ પાછા આવ્યા ત્યારે રાજાએ કહ્યુ,''હવે તો મારા પાપકર્મો ધોવાઇ ગયા ને?''

ત્યારે ફરી સાધુએ રાજાને હવે કેટલા પાપકર્મો છે, તે બતાવ્યાં.રાજાએ જોયું તો છાણનો ડુંગર ગાયબ થઇ ગયો હતો !  પણ હજી એક નાનકડી ઢગલી બાકી રહી ગઇ હતી !

''આમ કેમ? હજું આટલું પાપકર્મ કેમ બાકી રહી ગયું ? '' રાજાએ સાધુને પૂછ્યું.ધ્યાનમાં સાધુએ જોયું.પછી કહ્યું, '' રાજન,આપના રાજ્યમાં એક કુંભાર છે,તેણે આપની નિંદા નથી કરી.જો તે આપની નિંદા કરે તો આપનું આ પાપ એના ખાતામાં ચાલ્યું જતા આપ તુરત જ મુક્ત થઇ જશો.''

રાજા વેશપલટો કરીને કુંભારના ઘરે ગયાં.વાતચીત કરતાં કહ્યું,''તમારો રાજા તે કેવો પાપી કહેવાય?''પુત્રી જેવી કન્યાનું અપહરણ કર્યું ! '' તેઓ કંઇ આગળ બોલવાં જતાં હતાં ત્યાજ ધીમું હસીને કુંભારે કહ્યું,'' મહારાજ,મને માફ કરો.આપે કરેલું આપે જ ભોગવવું પડશે.આપની નિંદા કરીને હું એ પાપકર્મફળને મારા ખાતામાં ઉમેરવા માંગતો નથી અને એટલે જ હું નિંદાથી દૂર રહ્યો છું !

આત્મજ્ઞાની કુંભારના ચરણોમાં પડ્યાં અને કહ્યું,''તમે જ્ઞાની છો.મારી આંખો ખોલી છે.હવે હું પોતે તો નિંદા નહીં કરું પણ કોઇનેય નિંદા કરવા પ્રેરીશ પણ નહીં.હું મારા પાપકર્મફળને હવે ભોગવીને મુક્ત થઇ જાઉં એવા આશીર્વાદ આપો.''

www.sahityasafar.blogspot.com

♥ ભલે આ વાર્તા છે, પણ એ દ્વારા એ પ્રતિપાદીત થાય છે કે નુકસાન તો નિંદા કરનારને બે રીતે છે.એક તો એનું પુણ્યકર્મ જેની નિંદા કરે છે,તેને મળે છે,અને બીજું જેની નિંદા કરે છે,તેનું પાપકર્મફળ પણ તેને મળે છે,આથી નિંદા કરનાર પ્રત્યે તો મનુષ્યે વધારે કૃતજ્ઞ રહેવું જોઇએ.

★ પુસ્તક ''આધુનિક માનવ શાંતિની શોધમાં''થી સાભાર ★

♠ વિવેકાનંદનો વિવેક ♠

→ વિવેકાનંદના જીવનનો  એક તદ્દન અજાણ્યો પ્રસંગ રજુ કરુ છું.અંત સુધી વાંચજો.

www.sahityasafar.blogspot.com.

→ સ્વામી વિવેકાનંદ અમેરિકા જવાના હતાં.જતાં પહેલાં તે પોતાની માતા શારદાદેવી પાસે આશીર્વાદ લેવા માટે ગયાં.જઇને કહ્યું કે, '' હું અમેરિકા જઇ રહ્યો છું.મને આશીર્વાદ આપો.'' માતાના ચરણોમાં મસ્તક નમાવ્યું,પરંતું માતાએ આશીર્વાદ ન આપ્યાં અને ચૂપચાપ ઊભા રહ્યાં.સ્વામીજીએ ફરીથી આશીર્વાદ માગ્યાં,છતાં તેઓ મૌન રહ્યાં.ઘણાં સમય પછી માતાએ સ્વામીજીને રૂમમાં રાખેલી છરી લાવવાનું કહ્યું.સ્વામીજીએ છરી લાવી આપી પણ આશીર્વાદ સાથે તેનો શો સંબંધ છે તેના વિશે તેમને ખ્યાલ આવ્યો નહિં.જો કે છરી મળતાંની સાથે જ માતાએ આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો.

સ્વામીજીએ ચકિત થઇને તેના વિશે પૂછ્યું તો માતાએ તેના વિશે જણાવ્યું. '' બેટા મે જ્યારે છરી માંગી તો તે તેની ટોચ તારા હાથમાં પકડીને તેની બીજી બાજુ મારા હાથમાં આપી.તેનાથી હું સમજી ગઇ કે તું તમામ ખોટી બાબતો પોતાની પાસે રાખીને લોકોનું ભલું જ કરીશ.પોતે ભલે ઝેર ગ્રહણ કરવું પડે પણ લોકોને તો અમૃત જ વહેંચીશ.તેથી હું તને આત્માથી આશીર્વાદ આપું છું.''

આ સાંભળીને સ્વામીજીએ કહ્યું,''પણ હું આવું નથી વિચારતો.મે તો એ વિચારીને છરીની ટોચ મારી તરફ રાખી કે તમને ઇજા ન થાય.''

ત્યારે માતા વધારે પ્રસન્ન થઇને બોલી, '' તે તો વધારે સારી વાત છે.તારા સ્વભાવમાં જ ભલાઇ છે.તું ક્યારેય કોઇનું ખોટું કરીશ નહિં.જા મારા આશીર્વાદ સતત તારી સાથે છે.''

તે સર્વવિદિત છે તે સ્વામી વિવેકાનંદજીનું સમગ્રજીવન બીજાની ભલાઇમાં જ પસાર થયું.

www.sahityasafar.blogspot.com.

♠ झील बन जाओ ! ♠

एक बार एक नवयुवक किसी जेन साधू के पास पहुंचा. “बोला, मैं अपनी ज़िन्दगी से बहुत परेशान हूँ, कृपया इस परेशानी से निकलने का उपाय बताएं !”, 
साधु बोले, “पानी के ग्लास में एक मुट्ठी नमक डालो और उसे पीयो.” युवक ने ऐसा ही किया. “इसका स्वाद कैसा लगा ?”, झेन साधु ने पुछा ।

“बहुत ही खराब….. एकदम खारा.” – युवक थूकते हुए बोला. वो मुस्कुराते हुए बोले, 

“एक बार फिर अपने हाथ में एक मुट्ठी नमक ले लो और मेरे पीछे पीछे आओ.“

दोनों धीरे-धीरे आगे बढ़ने लगे और थोड़ी दूर जाकर स्वच्छ पानी से बनी एक झील के सामने रुक गए. “चलो, अब इस नमक को पानी में डाल दो.”, उन्होने निर्देश दिया । युवक ने ऐसा ही किया.

“अब इस झील का पानी पियो.”, मास्टर बोले. युवक पानी पीने लगा…,

एक बार फिर साधु ने पूछा,: “बताओ इसका स्वाद कैसा है, क्या अभी भी तुम्हे ये खरा लग रहा है ?” “नहीं, ये तो मीठा है, बहुत अच्छा है”, युवक बोला.

वो युवक के बगल में बैठ गए और उसका हाथ थामते हुए बोले,

→ “जीवन के दुःख बिलकुल नमक की तरह हैं ; न इससे कम ना ज्यादा. जीवन में दुःख की मात्रा वही रहती है, बिलकुल वही. लेकिन हम कितने दुःख का स्वाद लेते हैं ये इस पर निर्भर करता है कि हम उसे किस पात्र में डाल रहे हैं . 

इसलिए जब तुम दुखी हो तो सिर्फ इतना कर सकते हो कि खुद को बड़ा कर लो… 

ग़्लास मत बने रहो झील बन जाओ.”

♠ चतुर खरगोश ♠

एक था शेर l उसकी दोस्ती थी एक लोमडी से ! शेर शिकार करता,खुद खाता और लोमडी को भी खिलाता! लेकिन अब शेर बूढा हो चला था ! शिकार करना कठिन हो रहा था !

कई दिनो से लोमडी और शेर भूखे थे ! तभी उन्हे दूर से एक खरगोश आता दिखाई दिया ! लोमडी ने कहा  - शेर साहब,झट मरने का बहाना कीजिए !

शेर लेट गया ! लोमडी ने झट उसे सूखे पत्तो से ढकना शुरू किया !  अब शेर की केवल पूंछ बाहर दिख रही थी ! फिर लोमडी लगी रोने,जोर - जोर से !

'' अरे, क्या हुआ ! '' खरगोश ने पूछा ! उवां...उवां.. - देखते नही,मर गए शेर साहब, उवां...उवां...! आओ,आओ ! ढकवा दो शेर साहब को, पत्तो से ढकवा दो उवां...उवां... !

खरगोश रूका !  उसने थोडा सोचा, फिर कहा  - अरे मौसी,मरने के बाद तो शेर की पूंछ हिलती है ! शेर साहब की पूंछ तो हिल ही नही रही !

खरगोश की बात सुनते ही शेर पूंछ हिलाने लगा !

पूंछ का हिलना था कि खरगोश पलभर मे भाग गया !

♠ घमंडी कौवा ♠

हंसों का एक झुण्ड समुद्र तट के ऊपर से गुज़र रहा था , उसी जगह एक कौवा भी मौज मस्ती कर रहा था . उसने हंसों को उपेक्षा भरी नज़रों से देखा और काहा “तुम लोग कितनी अच्छी उड़ान भर लेते हो !” फिर कौवा मज़ाक के लहजे में बोला, “तुम लोग और कर ही क्या सकते हो बस अपना पंख फड़फड़ा कर उड़ान भर सकते हो !!!  क्या तुम मेरी तरह फूर्ती से उड़ सकते हो ??? मेरी तरह हवा में कलाबाजियां दिखा सकते हो ???…नहीं , तुम तो ठीक से जानते भी नहीं कि उड़ना किसे कहते हैं !”

कौवे की बात सुनकर एक वृद्ध हंस बोला ,” ये अच्छी बात है कि  तुम ये सब कर लेते हो , लेकिन तुम्हे इस बात पर घमंड नहीं करना चाहिए .”

” मैं घमंड – वमंड नहीं जानता , अगर तुम में से कोई भी मेरा मुकाबला कर सकता है तो सामने आये और मुझे हरा कर दिखाए .”

एक युवा नर हंस ने कौवे की चुनौती स्वीकार कर ली . यह तय हुआ कि प्रतियोगिता दो चरणों में होगी , पहले चरण में कौवा अपने करतब दिखायेगा और हंस को भी वही करके दिखाना होगा और दूसरे चरण में कौवे को हंस के करतब दोहराने होंगे .

प्रतियोगिता शुरू हुई , पहले चरण की शुरुआत  कौवे ने की और एक से बढ़कर एक कलाबजिया दिखाने लगा ,  वह कभी गोल-गोल चक्कर खाता तो कभी ज़मीन छूते  हुए ऊपर उड़ जाता . वहीँ हंस उसके मुकाबले कुछ ख़ास नहीं कर पाया . कौवा अब और भी बढ़-चढ़ कर बोलने लगा ,” मैं तो पहले ही कह रहा था कि तुम लोगों को और कुछ भी नहीं आता …ही ही ही …”

फिर दूसरा चरण शुरू हुआ , हंस ने उड़ान भरी और समुद्र की तरफ उड़ने लगा . कौवा भी उसके पीछे हो लिया ,” ये कौन सा कमाल दिखा रहे हो , भला सीधे -सीधे उड़ना भी कोई चुनौती है ??? सच में तुम मूर्ख हो !”, कौवा बोला .

पर हंस ने कोई ज़वाब नही दिया और चुप-चाप उड़ता रहा, धीरे-धीरे  वे ज़मीन से बहुत दूर होते  गए और कौवे का बडबडाना भी कम होता गया , और कुछ देर में बिलकुल ही बंद हो गया . कौवा अब बुरी तरह थक चुका था , इतना कि  अब उसके लिए खुद को हवा में रखना भी मुश्किल हो रहा था और वो बार -बार पानी के करीब पहुच जा रहा था . हंस कौवे की स्थिति समझ रहा था , पर उसने अनजान बनते हुए कहा ,” तुम बार-बार पानी क्यों छू रहे हो , क्या ये भी तुम्हारा कोई करतब है ?””नहीं ” कौवा बोला ,” मुझे माफ़ कर दो , मैं अब बिलकुल थक चूका हूँ और यदि तुमने मेरी मदद नहीं की तो मैं यहीं दम तोड़ दूंगा ….मुझे बचा लो मैं कभी घमंड नहीं दिखाऊंगा …”

हंस को कौवे पर दया आ गयी, उसने सोचा कि चलो कौवा सबक तो सीख ही चुका है , अब उसकी जान बचाना ही ठीक होगा ,और वह कौवे को अपने पीठ पर बैठा कर वापस तट  की और उड़ चला .

दोस्तों,हमे इस बात को समझना चाहिए कि भले हमें पता ना हो पर हर  किसी में कुछ न कुछ अच्छाई होती है जो उसे विशेष बनाती है. और भले ही हमारे अन्दर हज़ारों अच्छाईयां हों , पर यदि हम उसपे घमंड करते हैं तो देर-सबेर हमें भी कौवे की तरह शर्मिंदा होना पड़ता है। एक पुरानी कहावत भी है ,”घमंडी का सर हमेशा नीचा होता है।” , इसलिए ध्यान रखिये कि कहीं जाने -अनजाने आप भी कौवे वाली गलती तो नहीं कर रहे ?

♥ માથું ઝૂકે,પાઘડી નહિ ♥

તમે ચારણ જાતિના થઇને સભાની રીતિ - નીતિ નથી જાણતા.મને તો એ જાણકારી હતી કે રાજપૂતાના ચારણ ખૂબ જ વિદ્વાન તથા કવિ પણ હોય છે.

''તમે અહીં આવીને દરબારના નિયમ અનુસાર અભિવાદન ન કરીને શિષ્ટાચારનું પાલન નથી કર્યું.એવું માલૂમ થાય છે કે તમે એક અભણ,અશિષ્ટ વ્યક્તિ છો,જે મારા દરબારમાં ઉપસ્થિત થયાં છો.'' અકબરે આ શબ્દો શીતલ નામના ચારણને કહ્યાં.

શીતલે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો,''જહાંપનાહ,ધૃષ્ટતા માટે ક્ષમા કરો.મારી શું હેસિયત છે કે હું આપને સલામ ન કરું ! વાત એ છે હજૂર કે મારા માથા પર જે પાઘડી બાંધેલી છે તે મહારાણા પ્રતાપથી મને ભેટમાં મળેલી મળેલી છે અને રાણા પ્રતાપ આજ દિન સુધી દુશ્મનની સામે ઝૂક્યાં નથી.આપ જ બતાવો સરકાર,શું મને રાણાની પાઘડીને આ પ્રકારે ઝૂકાવવાનો અધિકાર છે? મેં એટલા માટે આપનું અભિવાદન નથી કર્યું.''

આમ કહીને તેણે પાઘડી પોતાના હાથમાં લઇ લીધી અને માથું ઝૂકાવી દીધું.રાજસ્થાનની પાઘડી ઝૂકતી નથી.શીતલનું માથું તો ઝૂક્યું,પરંતુ મન નહિં.

→ વાઘની ગુફામાં જઇને તેને પડકારવો સરળ કામ નથી.શીતલે એ જ કામ કર્યું જે એક દેશભક્તે કરવું જોઇએ.

♥ અસીમ ધૈર્ય ♥

ગ્રીષ્મની બળબળતી બપોરનો સૂર્ય આકાશમાંથી અગનગોળા વરસાવતો હતો. ભગવાન બુદ્ધ એમના શિષ્ય ભિખ્ખું આનંદ સાથે વિહાર કરતા હતા. કાળઝાળ ગરમી અને દીર્ઘ વિહારને કારણે ભગવાન બુદ્ધને તૃષા લાગી.

એમણે પ્રિય શિષ્ય આનંદને કહ્યું, ''આપણે વિહાર કરતા હતા, ત્યારે માર્ગમાં કલકલનાદે વહેતું નાનકડું ઝરણું જોયું હતું. એ ઝરણું જોઇને મારા ચિત્તે અપાર પ્રસન્નતા અનુભવી હતી. તો આનંદ,
એ ઝરણા પાસે જઇને પાણી લઇ આવ, અતિ તૃષા લાગી છે.''

ભિખ્ખુ આનંદ એ ઝરણા પાસે ગયા. આસપાસની પ્રકૃતિ અને વહેતા ઝરણાંનો મધુર તાલબદ્ધ ધ્વનિ આનંદના અંતરને પુલકિત કરી રહ્યા. એમણે ઝરણામાંથી પાણી લેવા માટે પાત્ર નીચું વાળ્યું, પણ પાણી લેતા થંભી ગયા. બન્યું હતું એવું કે આ
ઝરણાના માર્ગમાં કેટલાક રથો પસાર થયા હતા. એ રથને કારણે આ ઝરણાનું જળ મલિન બની ગયું હતું. આવું ધૂળવાળું કાદવ- કીચડવાળું જળ કઇ રીતે લઇ જાય ? આથી ભિખ્ખું આનંદ પાછાં ફર્યા.

એમણે આવીને ગૌતમ બુદ્ધને કહ્યું, ''ઝરણાંનું
પાણી અત્યંત મલિન હતું. આ નાના ઝરણાં વચ્ચેથી કોઇ રથ પસાર થયા હોવાથી એનું પાણી ધૂળથી મેલું થઇ ગયું અને કાદવ- કીચડ ઉપર આવી ગયા, આથી હું પણ લાવ્યો નથી. જો તમે
આજ્ઞાા આપો તો થોડે દૂર આવેલી નદીમાંથી પાણી લઇ આવું.''

ગૌતમ બુદ્ધે કહ્યું, ''ના, એટલે લાંબે અંતરે જવાની જરૂર નથી. થોડીવાર પછી પુનઃ જઇને ઝરણાનું પાણી લઇ આવું.''

થોડીવાર થઇ. બુદ્ધના આદેશ પ્રમાણે ભિખ્ખુ આનંદ પુનઃ ઝરણાં પાસે ગયા, પરંતુ મલિન જળ જોઇને પાછા આવ્યા.

ફરી ભગવાન બુદ્ધને કહ્યું, 'હજી ઝરણાનું પાણી અશુદ્ધ જ છે. આપ કહો તો નદી પરથી પાણી લઇ આવું.'

ભગવાન બુદ્ધે કહ્યું, ''આનંદ, થોડીવાર પછી પુનઃ ઝરણા પાસે જજે, ત્યાંથી શુદ્ધ પાણી મળી રહેશે.''

ભિખ્ખુ આનંદ ત્રીજી વાર એ ઝરણા પાસે પહોંચ્યા. એમણે જોયું તો પહેલા પાણીમાં જે કાદવ-કીચડ હતાં, તે તળિયે બેસી ગયા હતા. મલીન પાણી વહી ગયું હતું. જલપાત્રમાં નિર્મળ જળ લઇને આનંદ પાછા આવ્યા. તે બુદ્ધના ચરણોમાં નમ્યા અને બોલ્યા.

''ઓહ, આજે આપે મને કેવો મહાન ઉપદેશ
સમજાવ્યો. આનાથી મને ખ્યાલ કે જીવનમાં કશું જ સ્થાયી નથી. માત્ર ધૈર્ય જોઇએ.''

♥ બોધ ♥

હકીકતમાં માનવી દુઃખ આવતા માની લે છે કે આ દુઃખ હંમેશા રહેવાનું છે અને સુખ આવતા એમ સમજવા લાગે છે કે હવે જીવનમાં સુખ સિવાય બીજું કશું નથી. દુઃખની વેળાએ એ ધૈર્ય ગુમાવે છે અને સુખને સમયે એ સમજ ખોઇ બેસે છે.પરિણામ
એ પરિસ્થિતિની કે જીવનની અનિત્યતાને જોઇ
શકતો નથી અને સઘળું નિત્ય માનીને જીવે છે. જે જીવનની પરિસ્થિતિની અનિત્યતાને જુએ છે તે જીવનના નિત્ય આનંદને માણી શકે છે. આને માટે ભિખ્ખું આનંદ સમજ્યો તેમ ધૈર્ય જોઇએ. આ ધૈર્ય જ માણસને બધી સ્થિતિમાં આનંદિત અને
પ્રફુલ્લિત રાખે છે.

★ ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ ★

♠ रामकृष्ण परमहंस - विवेकानंद संवाद ♠

स्वामी विवेकानंद     :  मैं समय नहीं निकाल पाता. जीवन आप-धापी से भर गया है.

रामकृष्ण परमहंस   :  गतिविधियां तुम्हें घेरे रखती हैं. लेकिन उत्पादकता आजाद करती है.

स्वामी विवेकानंद     :  आज जीवन इतना जटिल क्यों हो गया है?   
     
रामकृष्ण परमहंस   :  जीवन का विश्लेषण करना बंद कर दो. यह इसे जटिल बना देता है. जीवन को सिर्फ जिओ.

स्वामी विवेकानंद     :  फिर हम हमेशा दुखी क्यों रहते हैं?   
   
रामकृष्ण परमहंस   :  परेशान होना तुम्हारी आदत बन गयी है. इसी वजह से तुम खुश नहीं रह पाते.

स्वामी विवेकानंद     :  अच्छे लोग हमेशा दुःख क्यों पाते हैं?

रामकृष्ण परमहंस   :  हीरा रगड़े जाने पर ही चमकता है. सोने को शुद्ध होने के लिए आग में तपना पड़ता है. अच्छे लोग दुःख नहीं पाते बल्कि परीक्षाओं से गुजरते हैं. इस अनुभव से उनका जीवन बेहतर होता है, बेकार नहीं होता.

स्वामी विवेकानंद     :  आपका मतलब है कि ऐसा अनुभव उपयोगी होता है?

रामकृष्ण परमहंस   :  हां. हर लिहाज से अनुभव एक कठोर शिक्षक की तरह है. पहले वह परीक्षा लेता है और फिर सीख देता है.

स्वामी विवेकानंद     :  समस्याओं से घिरे रहने के कारण, हम जान ही नहीं पाते कि किधर जा रहे हैं...

रामकृष्ण परमहंस   :  अगर तुम अपने बाहर झांकोगे तो जान नहीं पाओगे कि कहां जा रहे हो. अपने भीतर झांको. आखें दृष्टि देती हैं. हृदय राह दिखाता है.

स्वामी विवेकानंद     :  क्या असफलता सही राह पर चलने से ज्यादा कष्टकारी है?

रामकृष्ण परमहंस   :  सफलता वह पैमाना है जो दूसरे लोग तय करते हैं. संतुष्टि का पैमाना तुम खुद तय करते हो.

स्वामी विवेकानंद     :  कठिन समय में कोई अपना उत्साह कैसे बनाए रख सकता है?

रामकृष्ण परमहंस   :  हमेशा इस बात पर ध्यान दो कि तुम अब तक कितना चल पाए, बजाय इसके कि अभी और कितना चलना बाकी है. जो कुछ पाया है, हमेशा उसे गिनो; जो हासिल न हो सका उसे नहीं.

स्वामी विवेकानंद     :  लोगों की कौन सी बात आपको हैरान करती है?

रामकृष्ण परमहंस   :  जब भी वे कष्ट में होते हैं तो पूछते हैं, "मैं ही क्यों?" जब वे खुशियों में डूबे रहते हैं तो कभी नहीं सोचते, "मैं ही क्यों?"

स्वामी विवेकानंद     :  मैं अपने जीवन से सर्वोत्तम कैसे हासिल कर सकता हूँ?

रामकृष्ण परमहंस   :  बिना किसी अफ़सोस के अपने अतीत का सामना करो. पूरे आत्मविश्वास के साथ अपने वर्तमान को संभालो. निडर होकर अपने भविष्य की तैयारी करो.

स्वामी विवेकानंद     :  एक आखिरी सवाल. कभी-कभी मुझे  लगता है कि मेरी प्रार्थनाएं बेकार जा रही हैं.

रामकृष्ण परमहंस   :  कोई भी प्रार्थना बेकार नहीं जाती. अपनी आस्था बनाए रखो और डर को परे रखो. जीवन एक रहस्य है जिसे तुम्हें खोजना है. यह कोई समस्या नहीं जिसे तुम्हें सुलझाना है. मेरा विश्वास करो- अगर तुम यह जान जाओ कि जीना कैसे है तो जीवन सचमुच बेहद आश्चर्यजनक है.

♠ સંતનું સંતત્વ ♠

આજથી ૧૮૪ વર્ષ પહેલાંની આ વાત છે.એ વખતે આપણાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું.મુંબઇ ઇલાકાના ગવર્નર સર જ્હોન માલ્કમ ભારતિય સંસ્કૃતિથી પ્રભાવિત હતાં.એ વખતે સહજાનંદ સ્વામીનો ગુજરાત - સૌરાષ્ટ્રમાં ભારે પ્રભાવ હતો.
સર જ્હોન માલ્કમે સ્વામીજીને રાજકોટ પધારવા આમંત્રણ આપ્યું અને ભગવાન રાજકોટ પધાર્યાં.ફેબ્રુઆરી મહીનાની 26 મી તારીખે 1830માં રાજકોટમાં મુલાકાત થઇ.ગવર્નર ખૂૂબ ખુશ થયાં અને ભાવપૂર્વક વંદન કર્યાં.

સ્વામીજીએ રાજકોટમાં હરિભક્તોની સભા કરી.ત્યાં બોરડીનું ઝાડ હતું.બોરડીની છાયામાંજ સ્વામીજીનું આસન હતું.આ સમયે યોગીરાજ મહાન તપસ્વી સંત ગોપાળાનંદજી તે બોરડી નીચેથી પસાર થયાં અને બોરડીના કાંટા તેમણે માથે પહેરેલી પાઘડીમાં ભરાયાં.અચાનક જ ગોપાળાનંદ સ્વામી બોલી ઉઠ્યાં, '' હે બોરડી ! પૂર્ણ પુરૂષોત્તમ સ્વામી સહજાનંદનો સાક્ષાત સંબંધ થયો છતાં તારો સ્વભાવ છોડ્યો નહિ? ''

આ બોલતાં જ બોરડીનાં તમામ કાંટા ખરી પડ્યાં અને આ બોરડી જે ''બદરીવૃક્ષ'' તરીકે ઓળખાય છે તે કાંટા વગરની થઇ ગઇ.સંતના શબ્દોનો આ તે કેવો ચમત્કાર !

રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પરનાં શ્રીજી મહારાજનાં સંસર્ગવાળી પ્રસાદીભૂત આ બોરડી આજે પણ આ સ્થળે ત્યાં ભવ્ય નિર્માણ પામેલ સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં અડીખમ ઊભી છે.હરિભક્તો અને ભાવિકો તેની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે.આશરે ૨૦૦ વર્ષ પૂરાણી આ બોરડીને ગુજરાતના હેરીટેજ વૃક્ષોમાંના એક વૃક્ષ તરીકે સ્થાન મળ્યું છે.

સંત સમાગમથી એક નિર્જીવ વૃક્ષના સ્વભાવમાં પરિવર્તન થતું હોય તો માનવ સ્વભાવમાં પરિવર્તન થાય તેમાં શી નવાઇ?

♠ ઉત્તરાધિકારી કોણ? ♠

www.sahityasafar.blogspot.com

ઘણાં સમય પહેલાંની વાત છે.એક રાજા વૃદ્ધ થઇ ગયો ત્યારે તેને પોતાના ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી.આથી એક દિવસ તેણે રાજ્યના નવયુવકોને મહેલમાં બોલાવ્યા અને એક એક બી આપીને કહ્યું કે ''હું ઇચ્છું છું કે આ બધાં નવયુવકો તેને વાવે અને એક વર્ષ પછી આ બીમાંથી ઊગેલાં છોડ લઇને આવશે ત્યારે તે પોતાનાં ઉત્તરાધિકારીની ઘોષણા કરશે.''

બધાંજ યુવકો બી લઇને ઘરે આવી ગયાં અને પૂરી મહેનતથી તેની સારસંભાળ કરવાં લાગ્યાં.એમાં કલિંગ નામનો એક નવયુવક પણ હતો.તે પણ હોંશે-હોંશે બીને ખાતર-પાણી આપતો.આમને આમ 3 અઠવાડિયાં પસાર થઇ ગયાં.બધાંજ યુવકો પોતાનાં નાના-નાના છોડને જોઇને ખુશ થઇ રહ્યાં હતાં.પણ કલિંગના બીમાંથી અંકુર ફૂટ્યું નહોતું.3 અઠવાડિયાં, 4 અઠવાડિયાં.....આવી જ રીતે 6 અઠવાડિયાં પસાર થઇ ગયાં.કલિંગ નિરાશ થઇ ગયો.છેવટે એ દિવસ આવી ગયો જ્યારે બધાએ રાજાની સામે હાજર થવાનું હતું.બધાંના કૂંડામાં રંગબેરંગી ફૂલો લહેરાઇ રહ્યાં હતાં,પણ કલિંગનું કૂંડૂ ખાલી હતું.તેને ડર લાગ્યો કે તેણે બી બરબાદ કરી દીધું છે અને હવે રાજા તેને મોતની સજા સંભળાવશે.પરંતુ બન્યુ ઊલટું.રાજએ કલિંગને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

રાજાએ કહ્યું કે એક વર્ષ પહેલાં તેણે બધાંને ઉકાળેલાં બી આપ્યાં હતાં એટલે કે તેમાંથી છોડ ઊગી શકે તેમજ નહોતો.

♥ બોધ ♥
ઇમાનદારી સામે ચાલાકી પણ હારી જાય છે.

www.sahityasafar.blogspot.com

♥ YOU CAN VISIT MY ''GK BLOG'' ♥

www.aashishbaleja.blogspot.com

♠ ચતુર ડ્રાઇવર ♠

www.sahityasafar.blogspot.com

એક સામાન્ય માણસની પણ કોઠાસૂઝ ઘણીવાર કોઇ અદભુત કામ કરી જાય છે તેની સાબિતી આપતો આ પ્રસંગ જરૂર વાંચજો અને શેર કરવાનું ભૂલતાં નહિ....

એક પ્રસિદ્ધ વક્તા હતો.એક દિવસ વક્તાની તબિયત ખરાબ થતાં ડ્રાઇવરે તેની જગ્યાએ ભાષણ આપવાની ઇચ્છા જાહેર કરી.અગાઉના ભાષણો તેના ડ્રાઇવરે સાંભળ્યાં હતાં.જે જગ્યાએ ભાષણ આપવાનું હતું ત્યાં વક્તાને કોઇ ચહેરાથી ઓળખતું નહોતું એટલે બીજો તો કોઇ વાંધો આવે તેમ નહોતો,છતાં કંઇ ગરબડ ન થાય તે માટે વક્તા પોતે ડ્રાઇવરના વેશમાં તેની સાથે ગયો.અસલી ડ્રાઇવરે પૂરા આત્મવિશ્વાસ સાથે બહેતરીન ભાષણ આપ્યું.ત્યાં સુધી કે તેની બોડી લેંગ્વેજ અને હાવભાવ પણ એકદમ વક્તા જેવા હતાં.લોકો 'વક્તા'પર આફરીન થઇ ગયાં અને જોરદાર તાડીઓ વગાડીને તેનું અભિવાદન કર્યું. ત્યાર પછી શરૂ થયા સવાલ - જવાબ.એક શ્રોતાએ ખૂબ જ અઘરો સવાલ કર્યો.ડ્રાઇવર સમજી ગયો કે તે આ સવાલનો જવાબ નહી આપી શકે.એ તરત હસી પડ્યો : 'ઓહ! આ સવાલ તો એટલો સહેલો છે કે એનો જવાબ મારો ડ્રાઇવર પણ આપી શકે એમ છે.'

♥ બોધ ♥
વિદ્વાનની અસલી નિશાની કોઠાસૂઝ હોય છે.

www.sahityasafar.blogspot.com