♠ ગુરૂનું ગુરૂત્વ ♠

એક ગુરૂ અને શિષ્ય તિર્થાાટન માટે જતાં હતાં.ચાલતાં ચાલતાં સાંજ થઇ ગઇ અને બંને એક વૃક્ષ નીચે આરામ કરવા માટે રોકાઇ ગયાં.ગુરૂજી રાત્રે માત્ર ત્રણ-ચાર કલાક ઉંઘતા હતાં અને તેથી તેમની ઉંઘ પણ ઝડપથી પુરી થઇ જતી.તે શિષ્યને જગાડ્યા વગર દૈનિક ક્રિયાઓ પતાવીને પૂજા પાઠમાં વ્યસ્ત થઇ ગયાં.તે દરમિયાન તેમણે એક ઝેરી સાપને પોતાના શિષ્ય તરફ જતો જોયો.ગુરૂજીને પશુ- પક્ષીઓની ભાષા આવડતી હતી તેથી તેમણે સર્પને પ્રશ્ન કર્યો કે, 'ઊંઘી રહેલા મારા શિષ્યને કરડવાની ઇચ્છા છે કે શું?. 'સર્પે તરત જ જવાબ આપ્યો કે, ''મહાત્મા તમારા આ શિષ્યએ પૂર્વજન્મમાં મારી હત્યા કરી હતી.મારે તેનો બદલો લેવો છે.અકાળ મૃત્યુના કારણે મને સર્પયોનિમાં જન્મ મળ્યો.હું તમારા શિષ્યને ડંખ મારીને અકાળ મૃત્યુ પામીશ.''

થોડીવાર વિચાર કરીને ગુરૂજી બોલ્યા,''મારો શિષ્ય અત્યંત સદાચારી અને બુદ્ધિમાન હોવાની સાથે એક સારો સાધક પણ છે.જો તું  તેને મારીને દુનિયાને તેની ક્ષમતા અને પ્રતિભાથી દૂર રાખીશ તો તને આ યોનિમાંથી પણ મુક્તિ મળશે નહિ.''

જો કે સાપ કોઇ પણ રીતે માન્યો નહિ ત્યારે ગુરૂજીએ તેની સામે એક નવો પ્રસ્તાવ રજુ કર્યો.''મારા શિષ્યની સાધના અધૂરી છે.તેણે હજુ આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે,જ્યારે મારા કામ પૂરા થઇ ગયા છે.મારા મત્યુથી કોઇને નુકસાન નહિ થાય.જેથી તેની જગ્યાએ મને ડંખ માર.''

ગુરૂનો આસ્નેહ જોઇને સાપનું હ્રદય પરિવર્તન થઇ ગયું અને તે તેમને પ્રણામ કરીને જતો રહ્યો.

હકીકતમાં ગુરૂની ગુરૂતા શિષ્યને જ્ઞાન આપવામાં નહિ પણ પૂર્ણ પરિપક્વ થાય ત્યા સુધી તેનુ રક્ષણ કરવામાં છે.

www.sahityasafar.blogspot.com

♥ જીવનામૃત ♥

www.sahityasafar.blogspot.com

દિપક નો પ્રકાશ ઓરડા માં રોશની ફેલાવી રહ્યો હતો. પરંતુ હવે કોડિયામાં તેલ ખુટચા લાગ્યુ હતુ,અને છેવટે એવો સમય આવી ગયો કે બધુ જ તેલ ખલાસ થઈ ગયુ અને વાટ જાતે જ સંકોરાવા લાગી.દિપક નો અંતીમ સમય આવી ગયો તે જાણી કોડિયા ને ખુબ દુ:ખ થયુ અને તેણે સવાલ કયોઁ કે, "ભાઇ દિપક આજીવન પ્રકાશ આપીને તે અનેક લોકોને માગૅ બતાવ્યો છે અને જીવનભર લોકોને પ્રકાશ આપી ભલાઇ નુ કામ કયુઁ છે, છતા તારો આ પ્રકારે અંત જોઈને મને ખુબ દુ:ખ થાય છે. બુઝાઇ રહેલા દિપકે અંતીમ ક્ષણોમાં પોતાના પ્રકાશ ને એકદમ તેજ બનાવી દેતા કહ્યુ, "ભાઈ, આ દુનિયા માં જે આવે છે તેનો અંત નિશ્ચિત છે. આથી ગમે તેટલા પ્રયાસો છતસ બચી શકતુ નથી પરંતુ આપણે એટલુ અવશ્ય કરી શકીએ કે જીવન ની મુલ્યવાન ક્ષણો ને વ્યથૅ નષ્ટ ન થવા દઇએ અને સતત કોઇ ઉપયોગી કાયૅમાં સમય વીતાવી તો અંતીમ સમયે કોઇ દુ:ખ નો અનુભવ થશે નહિ.

www.sahityasafar.blogspot.com

★ लाजवाब शायरियाँ ★

-----------------------------------
हम दुश्मनों को भी पाक सजा देते हैं. हाथ नहीं उठाते, बस नज़रों से गिरा देते हैं.
-----------------------------------
मेरी यादों की कश्ती उस समुन्दर में तैरती है,
जहाँ पानी सिर्फ और सिर्फ मेरी पलकों का होता है..!!
-----------------------------------
"प्यार है हमको आपसे इस कद्र,
जागते है इंतज़ार में अब तो हर पहर, आपके दीदार से होती है हर सहर, और आपके खुमार में उठती है प्यार की लहर"
-----------------------------------
खुदको बिखरने मत देना कभी किसी हाल में ,
लोग गिरे हुए मकान की इंटे तक ले जाते है.....!!!
-----------------------------------
नही है मेरे पास दौलत का ढ़ेर मगर...
पूरी दुनियाँ को प्यार से खरीदने की ओकात रखता हु..!!
-----------------------------------
हमे ना सिखा ज़िंदगी.. हम तुझे भी नाच नचाना जानते है..
दो अठ्ठ्नियाँ जोड़कर.. पाँच बनाना जानते है...
-----------------------------------
कुछ लोग इतने गरीब होते हैं...के
उनके पास सिर्फ पैसा होता हैं...!
-----------------------------------
जिन्हें जीना हो जीने का, बहाना ढूँढ लेते है,
मुताबिक अपने रहने का जमाना ढूँढ लेते है,
नहीं फँसते शिकंजे में लकीरों के, जिगर वाले,
भले प्रतिकूल हो लहरें, किनारा ढूंढ लेते है।
-----------------------------------
तेरे ना होने से बस इतनी कमी रहती है
मैं लाख मुस्कुराऊ, आँखों में नमी रहती है
-----------------------------------
भूल गये हो चाहने वालो..??
या..
यादे भी महंगी कर दी सरकारने !!!
-----------------------------------
काबिल नज़रो के लिए हम जान भी देदे पर......
कोइ गुरुर से देखे वह हमे मंजूर नही!!
-----------------------------------
दुश्मन बनाने के लिए
किसी का बुरा करने कि ज़रूरत नहीं
ख़ुद तरक़्क़ी कर लो तो
दुश्मनों का क़ाफ़िला खड़ा हो जाएगा !!...
-----------------------------------
'भाई' बोलने का हक मेने सिर्फ 'दोस्तो' को दिया है क्योंकि
'दुश्मन' आज भी हमे 'बाप' के नाम से पहचानते है...
-----------------------------------
Dil ke kehne pe dil ki DUNIYA chhod aaye..
Sabhi RISHTO se muh mod aaye..
Humne na manga hisab WAFA ka yaaro…
Unki CHAHAT mein na jane kitno ke dil TOD aaye..
-----------------------------------
मेरी मशविरों की दुकान थी, मनचलों के शहर में,
दूरियां मिटा रहा था, फासलों के शहर में
एक शख्स ने कहा तो था, तूं भूख से मर जायेगा,
तूं किस को इश्क बेचता है, यहाँ दिलजलों के शहर में
-----------------------------------
इस कदर हमारी चाहत का इम्तिहान मत लीजिये;
क्यों हो खफा ये बयां तो कीजिये;
कर दीजिये माफ़ अगर हो गयी है कोई खता;
यूँ याद न आकर सज़ा तो न दीजिये।.
-----------------------------------
Khuda ek bar use ye ehsas dela de,
kitna intjar hai zara use bata de,
har pal dehkte hai rasta usi ka,
na intjar karna pade
mujhe aisi neend sula de.
-----------------------------------
Jis ke liye sab kuch luta diya humne,
wo kehte hai unko bhula diya humne,
gaye the hum unke aansu pochne,
ilzam de diya ki unko rula diya humne..!!
-----------------------------------
Usne kaha ke mujhe bhool ja maine tumhe dil se nikal diya hai

bas

Sukoon sa mil gaya ye sunkar kar kabhi to us ke dil mein the hum?
-----------------------------------
Badi hseen thi zindgi..
Jab na kisise muhabbt na kisi se nafrat thi!
Zindgi mein ek mod aisa aaya muhabbat usse hui
Aur
Nafrat sari dunia se ho gayi.
-----------------------------------
लोग कह्ते है की बीना महेनत कुछ पा नहि सकते
ना जाने ये गम पाने के लिये कौन सी महेनत करली मैने ?
-----------------------------------
वो भूल गये की उन्हे हँसाया किसने था
जब वो रुठते थे तो मनाया किसने था

आज वो कहते है कि मैं बहुत खूबसूरत हूँ,
शायद वो भूल गये की उन्हे ये बताया किसने
था.
-----------------------------------
अब कहा जरुरत है हाथों मे पत्थर उठाने की, तोडने वाले तो जुबान से ही दिल तोड देते हैं.....
-----------------------------------
लाख समझाया के शक करती हे दुनिया मगर
ना गयी आदत उसकी मुस्कुरा के गुजरने की. .
-----------------------------------
मुझे रिश्तो की,
लम्बी कतारों से मतलब नहीं...
कोई दिल से हो मेरा ,
तो एक शख्स ही काफी है ....!!
-----------------------------------
दुआओ को भी
अजीब इश्क़ है मुझसे .....
वो क़बूल तक नहीं होती
मुझसे जुदा होने के डर से...
-----------------------------------
टूट कर बिखर जाते है वो लोग
मिट्टी की दीवारो कि तरह,
जो खुद से भी ज्यादा किसी और से
मुहब्बत किया करते है..
-----------------------------------
वो बचपन भी कितना हसीन था, जब सरेआम रोया करते थे....
अब एक भी आँसू गिरे तो लोग हज़ारों सवाल पूछते हैं....!!
-----------------------------------
लत " तुम्हारी " लगी थी...
इलज़ाम " शराब" पर आया....
-----------------------------------
महसूस जब हो कि सारा शहर, आपसे जलने लगा है,
समझ लेना आपका नाम भी , चलने लगा
-----------------------------------
मिली थी जिन्दगी, किसी के काम आने के
लिए...
पर वक्त बित रहा है ,
कागज के टुकड़े कमाने के लिए !
-----------------------------------
मेरे दोस्त इतने मशरूफ है
अपने कामो मे..
के अब लगता है,
उनका वक्त भी खरीदना पडेगा
यही कही दुकानो मे....
-----------------------------------
फर्क थोडा सा है मेरे और तेरे इश्क मे,
तू माशूक की खातिर रातभर जागता है और मुझे मुल्क के हालात सोने नही देते!
-----------------------------------
फट गयी है कमीज रिश्ते की..ग़लतफ़हमियों की कील में फंस के,

सोचता हूँ माफ़ी के धागे से सी दूंगा कभी...
-----------------------------------
Duniya Hai Patthar Ki Jazbaat
Nahi Samajhti,
Dil Mein Jo Chhupi Hai Who Baat
Nahi Samajhti!
Chand Tanha Hai Taaro Ki Baraat
Mein,
Dard Magar Chand Ke Zalim Raat
Nahi Samajhti…
-----------------------------------
नीलाम कुछ इस कदर हुए,
बाज़ार-ए-वफ़ा में हम आज,,
बोली लगाने वाले भी वो ही थे,
जो कभी झोली फैला कर माँगा करते थे l
-----------------------------------
यूँ ही वो दे रहे हैं, क़त्ल की धमकियाँ ...
हम कौन से जिंदा हैं, जो मर जायेंगे .
-----------------------------------
आसमान में उड़ने वाले जरा ये खबर भी रख,
जन्नत पहुँचने का रास्ता मिट्टी से ही गुजरता है।।।
-----------------------------------
"हुकुम का एक्का कितना भी बड़ा हो ,
रानी हमेशा बादशाह की होती है.,,,,
-----------------------------------
Ek Bar Rone sE Tu Mil Jati To Aaj;
Is Dharti Par Tsunami La Dete !!
-----------------------------------
Hai pyaar unko hum se itna to yakeen hai hame,
Wo inkar bhi kerti hai to Aankhe sath nahi deti.
-----------------------------------
नर्म लफ्जों से भी लग जाती हैं चोटें अक्सर !!
रिश्ते निभाना बड़ा नाज़ुक सा हुनर है !!!
-----------------------------------
Afsos to hai tere badal jane ka magar,
Teri kuch baato ne mujhe jeena sikha diya
-----------------------------------
प्यार के दो बोल बोलकर खरीद लो मुझे ...
गर दौलत दिखाई तो सारे जहाँ की कम पड़ेगी |।।
-----------------------------------
ऐ मोहब्बत, तुझे पाने की कोई राह नहीं;
तू तो उसे ही मिलेगी, जिसे तेरी परवाह नहीं।
-----------------------------------
"ये वहम है मेरा कि मुझे बेहोश करती है शराब.....!
होश था ही कब मुझे तुझसे इश्क़ होने के बाद......!!"
-----------------------------------
ए नसीब ज़रा एक बात तो बता,
तू सबको आज़माता है या मुझसे ही दुश्मनी है
-----------------------------------
रूखी रोटी को भी
बाँट के खाते हुए देखा मैने...
सड़क किनारे का वो भिखारी...
शहंशाहों से भी अम़ीर निकला |।।
-----------------------------------
हम से भुलाया ही नहीं जाता एक मुखलिस का प्यार,
लोग जिगर वाले हैं जो रोज नया महबूब बना लेते हैं.
-----------------------------------
"एक छुपी हुई पहचान रखता हूँ,
बाहर शांत हूँ, अंदर तूफान रखता हूँ,
रख के तराजू में अपने दोस्त की खुशियाँ,
दूसरे पलड़े में मैं अपनी जान रखता हूं।..
-----------------------------------
राह में खतरे भी हैं , लेकिन ठहरता कौन है ,
मौत कल आती है , आज आ जाये , डरता कौन है
तेरे लश्कर के मुक़ाबिल , मैं अकेला हूँ मगर ,
फैसला मैदान में होगा , के मरता कौन ह
-----------------------------------
रूठना मत कभी हमें मनाना नहीं आता;
दूर नहीं जाना हमें बुलाना नहीं आता;
तुम भूल जाओ हमें यह तुम्हारी मर्ज़ी है;
हम क्या करें हमें भुलाना नहीं आता।
-----------------------------------
एक दिन हम तुम से दूर हो जायेंगे;
अंधेरी गलियों में यूं ही खो जायेंगे;
आज हमारी फिक्र नहीं है आपको;
कल से हम भी बेफिक्र हो जायेंगे।.
-----------------------------------
कोई ताबीज ऐसा दो की मैं चालाक हो जाऊं,
बहुत नुकसान देती है मुझे ये सादगी मेरी ।
-----------------------------------
वो फिर आ मिले हमसे अपने फायदे के लिए..
और हम नादान समझे
कि हमारी मनन्तो का असर है!!
-----------------------------------
बाजार के रंगों से रंगने की मुझे जरुरत नहीं ...
किसी की याद आते ही ये चेहरा गुलाबी हो जाता है
-----------------------------------
क्या अजीब सबूत माँगा है उसने मेरी मोहब्बत का..
मुझे भूल जाओ तो मानू की तुम्हे मुझसे मोहब्बत
है........!
-----------------------------------
जिँदगी से आज तक हमनें कुछ उधारनही लिया...
कफन भी लेंगे तो 'जिँदगी' देकर...
-----------------------------------
खवाहिश नही मुझे मशहुर होने की,
आप मुझे पहचानते हो बस इतना ही काफी है..
-----------------------------------
हीरे की काबिलियत रखते हो तो, अँधेरे में चमका करो...!
रौशनी में तो कांच भी चमका करते है ....!!!
-----------------------------------
जब चलना नहीं आता तो गिरने नहीं देते थे लोग
जब से संभाला खुद को कदम कदम गिराने की सोचते है लोग...
-----------------------------------
Ek tamanna si hai iss maayoos dil ki kash...
Aaj aansoo ke sath har khwaab bhi beh jaye...
-----------------------------------
Khamoshiyan takra kar vanha se chupchap chali aati he,
Vahan pe hamne kabhi ek chikh dafanaiii thi...
-----------------------------------
भले थे तो किसी ने हाल तक नहीं पूछा,
बुरे बनते ही देखा हर तरफ अपने ही चर्चे है.!!
-----------------------------------
क्या हुआ अगर जिंदगी में"हम"तन्हा है ???
लेकिन इतनी अहमियत तोदोस्तो में बना ही ली है कि...
"मेला लग जायेगा उस दिन शमशान में,
जिस दिन"मैँ"चला जाँऊगा आसमान में"!
-----------------------------------
हमारी शक्सियत का अंदाज़ा तुम क्या लगाओगे गालिब,
के हम तो कब्रीस्तान सेभी गुज़रते हैतो
मुर्दे उठ कर कहते है"भाई सलाम"...
-----------------------------------
हमने कभी नहीं चाहा कि हमें इश्क हो ,
पर उनकी एक नज़र ने हमें नीलाम कर दिया  l
-----------------------------------
कभी मोहब्बत कर्ज़ में ली थी तुझसे,
नींदों की ज़मानत अभी तक जप्त है.
-----------------------------------
तलब करे तो,मैं अपनी आँखें भी उन्हें दे दूँ..मगर ये लोग, मेरी आँखों के ख्वाब मांगते हैं
-----------------------------------

♥ માનવતા ♥

www.sahityasafar.blogspot.com

વારંવાર બેલ વગાડવા છતાં સાહેબ ની ઓફિસ માં જો પટાવાળો હાજર ન થાય તો સાહેબ ની પ્રતિક્રિયા કેવી હસે તે આપ સૌ જાણો છો પરંતુ જર્મની ના સમ્રાટ ફ્રેડરિક નો પ્રસંગ ઘણું બધુ કહી જાય છે.

એક વાર સમ્રાટ ફ્રેડરિકે ચપરાસી ને બોલાવવા ઘણી બધી વાર ઘંટડી વગાડી પણ કોઈ આવતું નહોતુ આથી છેવટે રાજાએ જાતે ઊભા થઈ ને બહાર નજર કરી તો બહાર ચપરાસી બેઠા બેઠા ત્યાં સુઈ ગયો હતો અને તેના હાથ માં એક પત્ર હતો સમ્રાટે તે પત્ર જોયો. નોકર ની વિધવા માતા નો પત્ર હતો જે પત્ર માં તેની માતા એ તેની કથળી ગયેલી હાલત નું વર્ણન કર્યુ હતું. અને પોતાને પડતી મુશ્કેલીઓ જણાવી મદદ કરવા કહ્યું હતું.
પરંતુ ચપરાસી નિસહાય હતો અને ખુબ થાકેલો હોવાથી પોતે ભુલી ગયો કે પોતે હાલ ડ્યુટી પર છે.
વૃદ્ધ માતા નો પત્ર વાંચી ને સમ્રાટ ની આંખ મા પણ આંસુ આવી ગ્યા. તેમણે ધીમે રહી નોકરના ખિસ્સા માં જરૂરી પૈસા મુકી દીધા. જેથી તેની માતાને મોકલાવી શકે અને ધીરે રહીને પોતાના રૂમમાં જતા રહ્યા જાણે કઈ બન્યું જ નથી .
સમ્રાટપણુ બતાવાની આવી પણ રીત હોઈ શકે.

♥ બોધ :-

→ માનવતા જ વ્યક્તિ ને મહાન બનાવે છે. જરૂરિયાત વ્યક્તિની મદદ કરવી એ દરેક મનુષ્યની ફરજ બની રહે છે.

★ THNX FOR TYPING ★

♥ ARPIT SUTHAR ♥

www.sahityasafar.blogspot.com

♠ વાણી - અમૃતની સરવાણી ♠


      શાસ્ત્રો માં કહ્યું છે કે સત્ય વચન પણ મીઠાશ     પુર્વક બોલવું જોઈએ,અપ્રિય લાગે તેવુ સત્ય વચન પણ ન બોલવું જોઈએ. વાણી ની મધુરતા અન્ય વ્યક્તિમાં આનંદ અને ઉત્સાહ ઉત્પન્ન કરે છે, જ્યારે કટાક્ષપુર્વક બોલાયેલી વાણી ક્યારેક મુશ્કેલી પણ ઉભી કરે છે ,

ગામમાં છાશ બનાવવાના વારા હોય છે એટલે રોજ જુદા જુદા ઘરે છાશ બને ને બધા ત્યાં થી લઈ જતા. એક છોકરો ટીખળી હતો તેથી તે શબ્દો ના પ્રાશ ગોઠવી ને જે ઘરે છાશ નો વારો હતો ત્યા જઈને બોલ્યો , '' અરે બાઈ બાડી છાશ દેજે જાડી ''

પેલી બાડી બાઈ પણ હોશિયાર હતી ને શબ્દો ની ભાષા જાણતી હતી ને એણે વળતો જવાબ આપ્યો. ઈંટ નો જવાબ પથ્થર થી એ નીતિ મુજબ એ બાઈ એ છાશ માં બે લોટા પાણી ના ઉમેરી ને પેલા છોકરા ને છાશ આપી ને કહ્યું , કે ''જેવી તારી વાણી એવું નાંખ્યું પાણી'' એમ કહી પેલા છોકરા ને સણસણતો જવાબ આપી ને પેલી પાણીવાળી છાશ પધરાવી દીધી .

મિત્રો જોયું , આપણી વાણીને વિચારીને ના બોલીયે તો ક્યારેક  હસવાનું ખસવું પણ થઈ જાય.

♥ THNX FOR TYPING ♥
♠ ARPIT SUTHAR ♠

♠ દુહા- સાખીઓ ♠

www.sahityasafar.blogspot.com

♥ જ્ઞાન કથીને ગાડાં ભરે, પણ અંતરનો મટે
નહિ વિખવાદ
કહે કબીર કડછા કંદોઈના, કોઈ દી’ ન પામે
સ્વાદ.

♥ રામ જપે અનુરાગસે, સબ દુખ ડાલે ધોઈ
વિશ્વાસે તો હરી મિલે, લોહા ભી કંચન હોય.

♥ દયા ગરીબી બંદગી, સમતા શીલ સુજાણ
ઐસે લક્ષણ સાધુકે કહે કબીર તું જાણ.

♥ કાયા તું બડો ધણી, અને તુજસે બડો નહીં કોઈ,
તુ જેના શિર હસ્ત દે, સો જુગમેં બડો હોઈ.

♥ રામ નામ રટતે રહો અને ધરી રાખો મનમાં ધીર
કોઈ દિન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવીર.

♥ સગા હમારા રામજી, અને સહોદર પુનિ રામ,
ઔર સગા સબ સગમગા, કોઈ ન આવે કામ.

♥ કામ ક્રોધ મદ લોભકી, જહાં તક મનમેં ખાન,
કહાં પંડિત મૂરખ કહાં, દોઉ એક સમાન.

♥ રન બન વ્યાધિ વિપત્તિમેં, રહિમન મર્યો ન રોય,
જો રક્ષક જનની જઠર, સો હરિ ગયે નહીં સોય.

♥ નામ લીયા ઉસને જાન લીયા, સકલ શાસ્ત્રકા ભેદ,
બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારોં વેદ.

♥ કબીર કહે કમાલકુ, દો બાતાં શીખ લે,
કર સાહેબકી બંદગી ભૂખે કુ કુછ દે.

♥ હાડ જલે જ્યું લાકડી, કેશ જલે જ્યું ઘાસ,
સબ જગ જલતા દેખ કે, કબીરા ભયો ઉદાસ.

♥ માલા તિલક બનાય કે ધર્મ વિચારા નાહિ,
માલા બિચારી ક્યા કરે, મૈલ રહા મન માંહિ.

♥ રાત ગવાંઈ સોય કર, દિવસ ગવાયો ખાય
હીરા જનમ અનમોલ થા, કૌડી બદલે જાય.

♥ કાલ કરે સો આજ કર, સબહિ સાજ તુજ સાથ,
કાલ કાલ તું ક્યા કરે, કાલ કાલ કે હાથ.

♥ સાધુ ભયા તો ક્યા હુવા, માલા પહિરી ચાર,
બાહર ભેષ બનાઈઆ, ભીતર ભરી ભંગાર.

♥ પ્રેમ છિપાયા ના છિપે, જ્યા ઘટ પરગટ હોય,
જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.

♥ જબ મેં થા તબ હરિ નહીં, અબ હરી હૈં હમ નાહીં,
પ્રેમ ગલિ અતિ સાંકરી, તમેં દો ન સમાહિ.

♥ તુલસી મીઠે વચન સે સુખ ઉપજે ચહુ ઓર,
વશીકરન યહ મંત્ર હૈ, તજહું વચન કઠોર.

♥ ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર,
ફિકરકી ફાકી કરે, ઉનકા નામ ફકીર.

♥ ગ્રંથ પંથ સબ જગતકે, બાત બતાવત તીન,
રામ હ્રદય, મનમેં દયા, તન સેવામેં લીન.

→ સુંદર બોધ આપતા આવા દુહાઓ – સાખીઓ આપને પસંદ આવશે એ આશા સાથે
આ થોડામાં ઘણુ.

www.sahityasafar.blogspot.com

♠સાચી શૂરવીરતા ♠

અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક વૉલ્ટર રેલે (ઈ.સ. ૧૫૫૪થી ઈ.સ. ૧૬૧૮)ને ઇંગ્લેન્ડની રાણીએ અમેરિકામાં વસાહત
સ્થાપવાનો અધિકાર આપ્યો હતો.

'સર'નો પ્રતિષ્ઠિત ઈલકાબ પામેલા વૉલ્ટર રેલેએ
અમેરિકાના ઘણા અજાણ્યા પ્રદેશો શોધ્યા.
દક્ષિણ અમેરિકામાં ગિયાના તરફ સોનાની ભૂમિ તરીકે જાણીતા અલ ડોરાડોની શોધ માટેના પ્રવાસની એમણે આગેવાની લીધી, જોકે એમાં એમને સફળતા મળી નહોતી. આવા સર વૉલ્ટર રેલે તલવારબાજીમાં અતિ નિપુણ હતા અને એ
સમયે યુરોપમાં વિશાળ મેદાન પર પ્રેક્ષકોના મનોરંજન માટે તલવારબાજી ખેલાતી હતી અને
લાખો લોકો એને નિહાળવા માટે આવતા હતા.

એક યુવકે સર વૉલ્ટર રેલેને પડકાર ફેંકતા કહ્યું, 'તમારી તલવારબાજી અતિ પ્રસિદ્ધ છે, પરંતુ મારો સામનો કરો તો ખરા!'

યુવકની જોશીલી જબાન સાંભળીને સર વૉલ્ટર રેલેએ કહ્યું, 'માત્ર મનોરંજન માટે યુદ્ધ કરવું એ સમજદારી નથી. યુદ્ધને બદલે શાંતિ વધુ સારી છે, તેથી વ્યક્તિએ શાંતિપૂર્વક જીવન જીવવામાં વિશેષ વિશ્વાસ રાખવો જોઇએ.'

સર વૉલ્ટર રેલેના પ્રત્યુત્તરને યુવાન એમની નિર્બળતા સમજ્યો અને એથી એણે અહંકાર પ્રગટ કરતાં કહ્યું કે, 'તમારામાં મારી સામે તલવારબાજી ખેલવાની તાકાત જ કયાં છે?' આમ કહીને એ સર વૉલ્ટર રેલેના મુખ પર થૂંક્યો. આ ઘટનાથી ચોમેર
ઘણી ધમાલ મચી ગઇ અને લોકો એ યુવકનો પીછો કરીને પકડી લાવ્યા. મહાન યોદ્ધા અને સર્વત્ર આદરપાત્ર એવા સર વૉલ્ટર રેલેએ સહજતાથી રૂમાલ કાઢીને થૂંક લૂછતાં કહ્યું,
'જેટલી સરળતાથી આ થૂંક લૂછી રહ્યો છું,
એટલી જ સરળતાથી જો હું મનોરંજન માટે
માનવહત્યાનું પાપ રોકી શકવાની તાકાત ધરાવતો હોત, તો તારી સાથે તલવારબાજી ખેલવામાં એક પળનો પણ વિલંબ કરત નહીં.'

વૉલ્ટર રેલેનાં માર્મિક વચનો સાંભળીને
યુવકના પગ તળેથી જમીન ખસવા લાગી.
એણે વૉલ્ટર રેલેની ક્ષમા માગતાં કહ્યું,
'સર, આપ સાચે જ મહાન છો.
તમારી સહનશીલતા, કરુણા અને
દયા દ્રષ્ટાંતરૃપ છે.'

♠ શિક્ષા - આત્મસમૃદ્ધિનો માર્ગ ♠

ગ્રીક-રોમન કાળનાં પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી યૂક્લિડે (ઇ.સ.પૂર્વે ૩૨૩ થી ઇ.સ. પૂર્વે ૨૮૩) ભૂમિતિ અંગેના 'એલિમેન્ટ્સ' ગ્રંથની રચના કરી.

'એલિમેન્ટ્સ'નું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું અને એની અનેક આવૃત્તિઓ પ્રગટ થઇ. બાઇબલ
પછી સૌથી વધારે વંચાતા ગ્રંથ તરીકે 'એલિમેન્ટ્સ' સ્થાન પામે છે. આવા પ્રખર ગણિતજ્ઞ યુક્લિડને પોતાના અગાધ જ્ઞાાનનો લેશમાત્ર ગર્વ નહોતો.
કોઇપણ જિજ્ઞાાસુ એમની પાસે આવીને અભ્યાસ કરી શકતો અને એને પરિણામે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમની પાસે ભૂમિતિ શીખવા આવતા. ઘણીવાર પોતાનું અંગત કામ છોડીને પણ વિદ્યાર્થીઓને શીખવવામાં મશગૂલ રહેતા.

એક દિવસ એક યુવકે આવીને યૂક્લિડ પાસે
ભૂમિતિનો અભ્યાસ કરવાની જિજ્ઞાાસા પ્રગટ કરી અને યૂક્લિડે એની વાતનો સહજ સ્વીકાર કર્યો. આ પ્રતિભાશાળી યુવક ખૂબ ઝડપથી અભ્યાસમાં આગળ વધવા લાગ્યો અને યૂક્લિડ પણ એના પર પ્રસન્ન થયા હતા.

એકવાર યૂક્લિડ એને પ્રમેય ભણાવી રહ્યા હતા અને એ યુવકે એકાએક પ્રશ્ન કર્યો.

'આ પ્રમેય ભણવાથી મને શું લાભ થશે ?'

આ પ્રશ્નથી નારાજ થયેલા યૂક્લિડે એના નોકરને કહ્યું, 'આને એક ઓબેલ (ગ્રીસનો સિક્કો) આપી દો. એને વિદ્યા પ્રાપ્ત કરવા કરતાં ય ધન કમાવામાં વધુ રુચિ છે. આથી એને માટે સઘળો અભ્યાસ નિરર્થક છે.'

ગણિતજ્ઞાની આ વાત સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા. એ યુવાને યૂક્લિડની ક્ષમા માગી.

યૂક્લિડે કહ્યું, 'શિક્ષા આત્મસમૃદ્ધિનો માર્ગ છે.
એને ક્યારેય ભૌતિક લાભના ત્રાજવે તોળવાની ન હોય. એ તો જ્યાંથી જેટલી મળે, એને આત્મીયતાથી ગ્રહણ કરવાની હોય.'

♠ આપણી સંજીવની - પંચતંત્ર ♠


રાજચિકિત્સક બુઝોઇ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ
કરતા હતા. એકવાર ઇરાનના બાદશાહ ખુસરોના આ રાજચિકિત્સક બુઝોઇએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઇ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઇને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૃ કરી. કેટલાય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં.

એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને
બુઝોઇને જોઇને પૂછ્યું, 'આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?'

બુઝોઈએ કહ્યું, 'હું ઇરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.'

આ સાંભળીને પંડિતજીએ હસતા- હસતા કહ્યું, 'અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા, આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૃર મળે. અમારે ત્યાં અમૃત સમાન 'પંચતંત્ર' નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃધ્ધ રહે છે.'

બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન 'પંચતંત્ર'ની એક પ્રત લઇને સ્વદેશ પાછા ફર્યા.

♠ અનોખા આઇન્સ્ટાઇન ♠


આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઓફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે
નોકરી મળી. અહીં એણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી.
ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાાનિક
સંશોધનોના પરિણામોના પાયામાં રહેલા તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ.

એ પેટન્ટ ઓફિસમાં નોકરી કરતો હતો, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક 'અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પાંચ લેખોએ દુનિયાનું એની તરફ ધ્યાન ખેંચ્યું
અને સમય જતાં પેટન્ટ ઓફિસ છોડીને એ
યુનિવર્સિટી શિક્ષણમાં જોડાયો.

પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને
પછી બર્લિનની વિલ્હેમ કૈઝર ઈન્સ્ટિટયૂટમાં એણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

પોતાનો મોભો વધતા આઈન્સ્ટાઈનને પોષાક બદલવો પડે તેમ હતો. તે હંમેશાં કરચલીવાળો શૂટ પહેરતો અને એના વાળ એના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે? પરંતુ સંશોધનમાં ડૂબેલા આઈન્સ્ટાઈનને માટે
પોષાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનો ન હતો. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એને સહેજે મંજૂર નહોતું.

આઈન્સ્ટાઈને એની સહાધ્યાયિની મિલેવા મેરીક સાથે લગ્ન કર્યા હતા. અને મિલેવા મેરિકે એને
કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો,
આથી તમારે જૂના સૂટને તિલાંજલિ આપીને
નવો સૂટ સીવડાવવો જોઈએ.

મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે
આઈન્સ્ટાઈન એક જ ઉત્તર આપતો,

''અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ભૂલ કહેવાય ને! મારી કામગીરીને
મારો પોશાક કોઈ રીતે બહેતર બનાવશે નહીં.''