♠ તમાકુના લાભ ♠

♠ બોધકથા♠
www.sahityasafar.blogspot.com

એક ગામમાં તમાકુ ના વ્યસનીઓની સંખ્યા ઘણી મોટી હતી. ગામના એક વડીલ સજ્જને વીચાયુઁ,જો આમ ને આમ વ્યસનોમાં યુવા વર્ગ ફસાતો જશે તો ગામમાં જુવાનીયાઓનો દુકાળ પડશે.પરંતુ તેઓએ સીધે સીધા ઉપદેશ.આપવા જવાને બદલે એક યુક્તિ વાપરી.

એક દિવસ તેઓએ ગામના ચોરે જઈને કહયુ કે,"આવતીકાલે તમાકુ ના ત્રણ ફાયદા વિશે જાહેર માં વ્યાખ્યાન રાખ્યુ છે બધા આવજો".

બીજા દિવસે સમય પ્રમાણે વ્યાખ્યાન શરુ કરવામાં આવ્યુ.

વડીલે કહયુ,"મારા વરસો ના અનુભવ પછી તમાકુ ના ત્રણ મહત્વના લાભ ધ્યાન માં આવ્યા છે, તમારી ઈચ્છા હોય તો આગળ વાત ચલાવીએ.

બધાએ હા પાડી.  તેમણે કહયુ, પહેલો લાભ એ કે " તમાકુ ખાનારને કદી કૂતરા કરડતા નથી. બીજો લાભ એ કે તેને કદી ઘડપણ આવતુ નથી અને ત્રીજો લાભ એ કે તેના ઘરે ચોર કદી ચોરી કરતા નથી.

  બધા એ વડીલ ને પુછ્યુ કે આ કઈ રીતે બને? તો તેમણે સમજાવતા કહયુ કે " જુઓ તમાકુ નાની વય થી સેવન કરવાથી પગ નબળા થઈ જાય છે એટલે સાથે લાકડી નો ટેકો રાખવો પડે છે એટલે કૂતરા નજીક આવતા નથી.

બીજુ એ કે ટીબી કે કેન્સર જેવા રોગ લાગુ પડે એટલે 5૦ થી 6૦ વષૅ જ જીવન સંકેલાય જાય તેથી ઘડપણ આવતુ જ નથી અને ત્રીજી વાત એ કે તમાકુ માં તથા તેની સારવાર પાછળ થતા ખચાઁઓ થી ઘરમાં નાણા ની તંગી વતાઁય તેથી ઘર માં ચોર ચોરી કરવા આવે જ નહી.

♥ HEARTILY THNX FOR TYPING - MAYURSINH SODHA ♥

♠ મોત - (એક ગઝલ)

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગેછે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતાય કેટલી વાર લાગે છે.
– અજ્ઞાત

♠ ઘવાયેલું બાળમન ♠


www.sahityasafar.blogspot.com

→ અંત સુધી જરૂરથી વાંચજો મિત્રો...

‘ધારો કે ભગવાન તમારા ઉપર
પ્રસન્ન થાય. માગ, માગ, માગ તે આપું!
તો તમે તેની પાસે શું માગો?’
શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક
માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ
ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર?’
‘હા, રિવોલ્વર - ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે?’
‘ઘરમાંનાં ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ
ભૂતો જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે,
પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે.
આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ
લાડ લડાવતાં હશે.’

‘લાડ? એટલે શું? મારા બાપ તો સવારે હું
ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય
અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ
ગયો હોઉં.’

‘અને મા?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે
આવે ત્યારે ઢગલો નોટબુક સાથે
લાવી હોય તે તેણે તપાસવાની હોય,
રસોઈ કરવાની હોય, એટલે મારા માટે
તો તેની પાસે સમય જ ન હોય.’

‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે
જ ને!’
‘મારા માટે?’

‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને
પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને! એમને
બીજું કોણ છે? તું એમનો એકનો એક
દીકરો.’

રાજુ હસ્યો : ‘પૈસો! પૈસાને શું કરું?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે,
રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-
પીવાતો હશે! આજે તો હું પ્રેમ માટે તલસું
છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે?
માબાપે જ તને પ્રેમથી ઉછેરીને
આવડો કર્યો ને!’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર
નથી. મારી માએ મને
કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે
કદી મારા માથે વહાલથી હાથ
ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે
મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી.
મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને
રમકડાં આપી દીધાં હોય.
થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ
અને મને સંભાળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ
આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને
મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ
જતી. એના રુક્ષ વહેવારથી હું
ત્રાસી ગયેલો.

એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ
નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે
જ લેવાની આવી.’
‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને!’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે
મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે
લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું
નિશાળેથી વહેલો છૂટી જાઉં અને ત્યારે હું
મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું
હોય. હું ઓટલે ઝોકાં ખાતો ભૂખ્યો-
તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને
વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો?
ત્યાં બેસીને લેસન કરતો હોય તો! અને ઘરે
આવીનેય એ તો રોજ
એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ
કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને
ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ
કરતો નહીં.’

‘ઠીક, પણ રવિવારે તો બંને
ઘરમાં રહેતાં હશે ને?’

‘હોય કાંઈ? રવિવાર તો મારા માટે
જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર
સુધી દવાખાનું ચાલે અને ખાઈને
થોડો આરામ કરી ક્લબમાં ચાલ્યા જાય.

મા પણ ક્લબમાં જાય કે
એનાં મંડળોમાં જાય અને છાસવારે બહાર
પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ
મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને
થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’

‘તારા કોઈ દોસ્તાર નથી?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ
નહીં. અમારી પાસે ઝૂંપડપટ્ટીમાં હતા,
પણ એમની સાથે રમવાની કે હળવા-
ભળવાની મને સખત મનાઈ. કહે, એ
લોકો સાથે મળવાથી ખોટા સંસ્કાર પડે!’

‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે
રિવોલ્વર જોઈએ છે? તારું ધ્યાન ન
રાખનારને ખતમ કરવા છે?’

‘હા, રિવોલ્વર - ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ
ત્રીજી ગોળી કોના માટે? તારા માટે કે
મારા માટે?’

રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર
નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે
આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક
શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો :

‘ત્રીજી ગોળી એ
અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે
મારાં આજનાં કહેવાતાં માબાપ્ને મને
દત્તક લેવાની પરવાનગી આપી.’
- હરિશ્ર્ચંદ્ર (શ્રી પી.
રાજાની અંગ્રેજી વાર્તાને આધારે -
‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી)

www.sahityasafar.blogspot.com

♠ ભગવાન કરે તે સારા માટે ♠


એક રાજા હતો. તેના રાજ્યમાં ખૂબ જ સુખ
શાંતિ હતી. રાજાને એક મંત્રી હતો. તેને
ભગવાન પર ખૂબ જ વિશ્વાસ હતો.
ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે
તેમ તે હંમેશાં માનતો. પ્રજા સુખી હોય
તો પણ તે કહે કે ભગવાન કરે તે સારા માટે.
દેશમાં દુષ્કાળ પડે તો પણ કહે કે ભગવાન કરે
તે સારા માટે.
કોઈના ઘરે મૃત્યુનો પ્રસંગ હોય તો પણ કહે
કે ભગવાન કરે તે સારા માટે અને પોતાનું
આપ્તજન ગુજરી ગયું હોય કે તેને પોતાને
ઘરમાં કાંઈ નુકસાન થયું હોય તો પણ કહેશે
ભગવાન કરે તે સારા માટે. એક વખત
રાજા અને તેનો મંત્રી બન્ને
જંગલમાં શિકાર કરવા માટે ગયા. ત્યારે
ત્યાં સિંહ ઉપર પ્રહાર કરતી વખતે
રાજાની આંગળી કપાઈ ગઈ. આ જોઈને
મંત્રીએ રાજાને કહ્યું કે ભગવાન કરે તે
સારા માટે.
આથી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો. અને
તેણે પોતાના મંત્રીને કહ્યું, 'અરે દુષ્ટ!
મારી આંગળી કપાઈ ગઈ અને તું કહે છે કે
ભગવાન કરે તે સારા માટે? તું મારી નજર
સામેથી ચાલ્યો જા. હું તારું મોઢું
જોવા માંગતો નથી. મારે તારી જરૃર
નથી.'
રાજાનો મંત્રી ભગવાન કરે તે સારા માટે
આમ કહીને જંગલમાંથી પોતાને ઘેર ગયો.
રાજા એકલો જંગલમાં ચાલ્યો જાય છે.
ત્યાં જંગલના જંગલી લોકોએ તેને
પકડયો અને રાજાને કહ્યું, 'અમારા મુકામે
દેવીનો હવન ચાલે છે અને તેમાં અમારે નર
બલિ ચઢાવવાનો છે તેથી તું
અમારી સાથે ચાલ અને
તારો બલિ ચઢાવીને અમે દેવીને પ્રસન્ન
કરશું.'
આમ કહી તેઓ તેને તેમના દેવી પાસે
બલિ ચઢાવવા માટે લઈ ગયા.
જંગલી લોકોએ રાજાનો દેવીને
બલિ ચઢાવતા પહેલાં જોયું તો તેમને
રાજાના એક
હાથની આંગળી કપાયેલી દેખાઈ.
કપાયેલા અથવા ખંડિત
અંગવાળા મનુષ્યનો બલિ દેવી ન
સ્વીકારે એમ સમજી રાજાને
છોડી દીધો.
રાજા રાજી થતો થતો પોતાના ઘરે
મહેલમાં આવ્યો. રાજાને
પોતાના મંત્રીની વાત યાદ આવી. તેણે
મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે,
'મારી આંગળી કપાઈ ગઈ હતી તેથી હું
મરતા મરતા બચી ગયો. તમે કહ્યું હતું કે
ભગવાન કરે તે સારા માટે તે સત્ય સાબિત
થયું. પરંતુ મેં તને કાઢી મૂક્યો છતાં તે કહ્યું કે
ભગવાન કરે તે સારા માટે એનું શું?'
મંત્રી કહે, 'હે રાજાજી!
જંગલમાં જંગલી લોકો દેવીને
બલિ ચઢાવવા માટે તમારી સાથે મને પણ
સાથે લઈ ગયા હોત. તમે
તો આંગળી કપાયેલી હોવાથી બચી જાત
અને બલિનો બકરો હું બની જાત.
મારો બલિ ચઢી જાત. પરંતુ તમે મને
જંગલમાંથી કાઢી મૂક્યો અને મેં કહ્યું કે,
ભગવાન કરે તે સારા માટે અને તેના ફળ
સ્વરૃપે જ હું બચી ગયો.'
જીવનની કોઈ પણ
પરિસ્થિતિમાં નિરાશ, હતાશ કે
નાસીપાસ ન થવું અને એટલું હંમેશા યાદ
રાખવું કે, 'ભગવાન કરે તે સારા માટે.'

♠ બાળ નેપોલિયનની મહાનતા ♠


નેપોલિયનના બાળપણનો એક કિસ્સો છે.
એક દિવસ પોતાની નાની બહેન સાથે
રમતાં રમતાં એ બહુ દૂર નીકળી ગયો.
રસ્તામાં એક ખેડૂતની છોકરી માથે
ફળનો ટોપલો લઇને જતી હતી.
નેપોલિયનની બહેનનો તેને
ધક્કો લાગ્યો અને ટોપલો નીચે
પડી ગયો. ફળ બધાં બગડી ગયાં,
ફૂટી ગયા, નકામાં થઇ ગયા.
ખેડૂતની છોકરી રડવા લાગી, 'હાય,
મારી મા મને મારશે. હવે અમે ખાઇશું શું ?'
નેપોલિયનની બહેન તો કહેવા લાગી કે
'ચાલ, આપણે બે ભાગી જઇએ !' પણ
નેપોલિયન બોલ્યો, 'ના એવું ન કરાય. એ
તો બહુ ખોટું. આપણાથી આનું નુકસાન થયું
છે તો એ નુકસાન આપણે ભરપાઇ કરી આપવું
જોઇએ.'
બહેન કહે, 'મા આ જાણશે તો આપણને વઢશે.'
પરંતુ નેપોલિયને
તો પોતાના ખિસ્સામાં થોડા પૈસા હતા તે
ખેડૂતની છોકરીને આપી દીધા અને તેને
આશ્વાસન આપ્યા પછી કહ્યું કે, 'ચાલ
અમારી સાથે. ઘરે જઇને તારું બધું નુકસાન
અમે ભરપાઇ કરી આપીશું.'
નેપોલિયન તેને લઇને ઘેર આવ્યો.
મા પહેલાં તો આ બધું જાણીને બહુ ગુસ્સે
થઇ અને છોકરાંવને વઢી. પણ નેપોલિયને
કહ્યું કે 'મા, ભૂલ અમારી છે. મને તું જે
ખિસ્સાખર્ચ આપે છે, તે આ છોકરીને
આપી દે.'
મા બોલી, 'ઠીક છે. હવે તને દોઢ
મહિના સુધી એક પાઇ નહીં મળે !'
'ભલે મા !'
પેલી ખેડૂતની છોકરી પૈસા મળતાં ઘણી ખુશખુશ
થઇ પોતાને ઘેર ગઇ. તે જોઇને નેપોલિયનને
બહુ આનંદ થયો. પોતે કંઇક ખોટું કામ કર્યું
હોય,
તો તેનાં પરિણામો ભોગવવા જોઇએ અને
ભાગી જવું જોઇએ નહીં, એ વાત
નેપોલિયનના હૃદયમાં બરાબર બેસી ગઇ
હતી.

♠ ફ્લર્ટ - Flirt ♠


→ અંગ્રેજીમાં જ એક શબ્દ છે ફ્લેટર્ડ, જેનો અર્થ
થાય છે કોઈને ખુશ કરવા કે કોઈની વાતથી ખુશ થવું.
www.sahityasafar.blogspot.com

♠ આ ફ્લેટર્ડ શબ્દ પરથી જ ફ્લર્ટ શબ્દ
આવ્યો છે, જેનો અર્થ કરવામાં આવે છે ખોટી રીતે વહાલા થવાની કોશિશ કરવી. આ અર્થ
આપણી ડિક્શનરીનો છે, પણ ઓક્સફર્ડ
યુનિર્વિસટીનું કહેવું છે કે ફ્લર્ટનો ભાવાર્થ
એવો થાય છે કે તમને ખબર પણ હોય કે તમે
ખોટેખોટી રીતે કોઈને ખુશ કરવાના પ્રયાસ કરી રહ્યા છો અને એ સામેની વ્યક્તિને ખબર પણ છે અને એ પછી પણ તમે એ પ્રયાસને છોડતા નથી.
તમારા આ પ્રયાસમાં સામેની વ્યક્તિ માટે તારીફ
હોય છે, વખાણ હોય છે, એપ્રિસિયેશન્સ
હોય છે અને એનો અતિરેક પણ હોય છે, પણ
તમારો હેતુ માત્ર એ હોય છે કે
સામેની વ્યક્તિ, તમને ગમતી વ્યક્તિ ખુશ
થાય. જોકે, આ બધી વાત એકમાત્ર 'ફ્લર્ટ'
શબ્દ સાથે જોડાઈ જાય તો સામાન્ય
રીતે લાકોની આંખમાં ગંદકી અંજાઈ જાય
છે.

www.sahityasafar.blogspot.com

♦ ટીમ વિન્ટોન નામના ઓસ્ટ્રેલિયાના એક રાઇટરે તો એ લેવલ પર કહ્યું છે કે સ્વસ્થ મનથી અને સાચી રીતે ફ્લર્ટનો ભાવાર્થ સમજીને
ફ્લર્ટ કરવામાં આવે તો એ મા સાથે પણ
થઈ શકે, કારણ કે એ કરવાનો હેતુ માત્ર
ખુશી આપવાનો છે. ભગવાન સાથે પણ
ફ્લર્ટ થઈ શકે અને ગર્લફ્રેન્ડ સાથે પણ ફ્લર્ટ
થઈ શકે. અફસોસ એ વાતનો છે કે
આટલા સરસ શબ્દને આપણે ખુશ કરવાને બદલે
પટાવવાની માનસિકતા સાથે
જોડી દીધો છે.

♠ પિતાનો પુત્રને પત્ર ♠

=========================
"એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર :
=========================

પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..

૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાની શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .

૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.

૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે

૪) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર નો કરે તો મન માં નો લાવીસ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રેહવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારા વ્યવાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર નો માની લેવા.

૫) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નો શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રેહતા શીખ જે .

૬) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેદ્ફીસ તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.

૭) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નો થવું.

૮) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીયા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.

૯) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે.

૧૦) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળ શે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નો રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે.

૧૧) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ.

૧૨) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપડે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપડે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.

મિત્રો જો આ વાક્યો તમને પસંદ પડ્યા હોય તો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરજો...

♠ માંની મમતા ♠

એક બાળકની માતા મૃત્યુ પામી. જે
સમયે બાળકને
પોતાની માતાના સ્નેહની સૌથી વધુ
જરુર હતી ત્યારે જ માતાએ આ
જગતમાંથી વિદાય લીધી.
બાળકની ઉંમર
ઘણી નાની હતી આથી બાળકનું ધ્યાન
રહે તે માટે
પરિવારના આગ્રહથી બાળકના પિતાએ
બીજા લગ્ન કર્યા.

ઘરમાં નવી મા આવી.
શરુઆતમાં તો નવી મા બાળકનું ધ્યાન
રાખતી પણ થોડા જ સમયમાં એણે
બાળકને ત્રાસ આપવાનો શરુ કર્યો.
ક્યારેય ક્યારેક બાળકને મારે પણ ખરી.
એને એમ હતુ એ એના આ ત્રાસની બાળક
મુરઝાઇ જાશે પણ ઉલટાનો બાળક
તો દિવસે અને દિવસે
તાજો માજો થતો જતો હતો.

સાવકી મા વિચારમાં પડી. હું
આટલો બધો ત્રાસ આપુ છુ. પુરતુ
ખાવા પણ નથી દેતી તો પછી આ
છોકરો આવો તાજો માજો કેમ રહે છે ?
છોકરાનો બાપ રોજ સવારે કામ પર
જતા પહેલા છોકરાને એક રુમમાં લઇ
જતો. રૂમ બંધ કરીને 4-5 મીનીટ બાપ-
દિકરો એકાંતમાં ગાળતા અને
પછી બહાર નીકળતા.

પેલી સ્ત્રીને વિચાર આવ્યો કે હું
પરણીને આવ્યા પછી મને આ
રૂમમાં ક્યારેય આવવા દીધી નથી. મને
લાગે છે કે છોકરાનો બાપ રોજ એને કંઇક
સારુ સારુ ખવડાવતો હશે એટલે જ એ
આવો તાજોમાજો છે. બીજા દિવસે
જ્યારે બાપ-દિકરો રૂમમાં ગયા એટલે
સાવકી મા બારણાની તિરાડમાંથી જોવા લાગી.
રૂમમાં જઇને પિતાએ ડીપફ્રીજ ખોલ્યુ.
તેમા રાખેલો એક માણસનો હાથ બહાર
કાઢયો. બાળકને એક ખુરશી પર
બેસાડીને એના માથા પર
પ્રેમથી પેલો હાથ થોડીવાર
ફેરવ્યા રાખ્યો.હાથ
ફેરવતા ફેરવતા પિતાએ કહ્યુ , " બેટા, આ
તારી મા નો હાથ છે જે એના મૃત્યુ
પછી એના શરીરથી જુદો કરીને
સાચવીને રાખ્યો છે જેથી રોજ
તારી મા નો હેતાળ હાથ તારા પર
ફરતો રહે. "

મિત્રો , મરેલી માનો નિર્જીવ હાથ
પણ દિકરાને તમામ વિપરિત
પરિસ્થિતીઓની સામે
તાજોમાજો રાખી શક્તુ હોય
તો જીવતી માનો હાથ માથા પર ફરે
એનું શું પરિણામ આવે ?
તરોતાજા રહેવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે
અજમાવી જુઓ."

ગૃહલક્ષ્મી

♥ BY. RASHMIKANT SHAH ♥

એક છોકરા ની સગાઇ થઇ .બંને ખુબ ખુશ
હતા બે જણા ફરવા ગયા તો છોકરા ની કાર
નો અકસ્માત થતા રહી ગયો ..
થોડા ટાઇમ પછી ફરી એ
લોકો ફરવા ગયા ફરી છોકરા ની કાર
નો અકસ્માત થયો છોકરી ને કઈ ના થયું
પણ છોકરા બહુ ગંભીર ઈજા થઇ..
ઘણા મહિના પછી છોકરો સાજો થયો ..
પણ છોકરા ના ઘર વાળા ને અને
છોકરા ને શંકા જવા લાગી કે જ્યાર
થી આ છોકરી એના જીવન માં આવી છે
ત્યાર થી એમને કૈક ના કૈક ખરાબ
થવા લાગ્યું છે . એવું માની ને એમને
છોકરી સાથે સગાઇ તોડી નાખી ..
છોકરી આઘાત સહન ના કરી શકી અને એ
ને આત્મહત્યા કરી દીધી .. સમય
વીતતો ગયો પણ છોકરા નું ક્યાય
નક્કી નતું થતું ... પછી એક દિવસ
છોકરો જ્યોતિષ ને બતાવ ગયો ...
જ્યોતિષે કુંડળી જોઈ ને કીધું કે તમે
તો થોડા સમય પેહલા જ
મરી ગયા હોવા જોઈએ નક્કી તમને
કોઈક ના નસીબ
થી બચી ગયા હશો ..આ
સંભાળતા છોકરા ને એહસાસ થયો કે જે
છોકરી ને મેં છોડી દીધી એના નસીબ
થી જ હું બચી ગયો હતો . .. બસ આ જ
આઘાત માં ને આઘાત
માં ગાડી ચલાવતા એનો અકસ્માત
થયો અને એ પણ મારી ગયો ....

♥ નોધ : કોઈ પણ આવનારી લક્ષ્મી પર
દોષ દેતા પેહલા પોતાના નસીબ વિશે
વિચારી લેવું જોઈએ .
લક્ષ્મી હમેશા ઘર માં ખુશી જ લાવે છે
એ ભલે ને પછી વહુ હોય કે દીકરી

જન્મદિવસની પ્રાર્થના

♥  કુન્દનિકા કાપડીયા ♥

આમ તો દરેક દિવસ એ, ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ
નવી શરૂઆત બની શકે
પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ,
વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દિવસે, ભગવાન ! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય
નથી માંગતો
પણ આ બધુ મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે
કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દિવસે ભગવાન ! હું એમ
નથી માંગતો કે
મારો રસ્તો સરળ બને,
મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને
નમ્ર બનાવે એ હું માંગુ છું.

લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય
આપે છે પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં મારો માર્ગ તમારાથી દૂર ન
નીકળી જાય એ હું માંગુ છું.

જીવનને સાચી અને સારી રીતે
જીવવા માટેની સમજણ માગું છું.
અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ
સંપતિ મેળવવાનો
જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને
આગળ નીકળી જવાનો અવસર છે:
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે
કરીશું
અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી -
એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું
કારણ કે, પ્રાર્થના કરવી
તમારી નીકટ આવવું
એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ
તો હૃદયનો સવાલ છે.

જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.
એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ,
આભવીંઝતી પાંખો
અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.
પણ એ બધું અસ્ત પામે ત્યારે
એવી અદકી સુંદર બાબતો-
પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા,
બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને
તમારા માટે ચાહી શકે.

આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને
બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-
સૃષ્ટિને ચાહું.

હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું
દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું
રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં
રહેલા તમને વ્યક્ત કરું દુનિયાને મારા થકી
થોડી વધુ સુંદર બનાવું.

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ
બન્યું છે એમ કહી શકું - એ હું માગું છું.

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ
જીવનમાં ઉમેરાય છે.
એ મને યાદ આપે છે કે સમય
કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે
તેની ખબર નથી.

આવતીકાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે
જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ
માનું અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઊજળી રાખીને
તમને ધરી દેવા તત્પર રહું
આજે, જન્મદિવસે ભગવાન !
એ હું તમારી પાસે માંગુ છું
(‘ પરમ સમીપે ’ માંથી.. સાભાર)

આલ્ફ્રેડ નોબેલની મજબુરી

જેના નામે નોબેલ પારિતોષિક
આપવામાં આવે છે એ આલ્ફ્રેડ નોબેલના બાળપણની વાત જાણવા જેવી છે.
તેનું બાળપણ દુઃખથી ભરેલું હતું.

તે અશક્ત અને ચીડિયા સ્વભાવનો હતો.
તે દવા પર જીવી રહ્યો હતો. તેની નાજુક
તબિયતને કારણે ઘરના લોકો તેને
બીજા છોકરાઓ જોડે હળવામળવા દેતા નહોતા, તેથી તે એકલપંડો થઈ ગયો હતો.
મનમાં મૂંઝાયા કરતો હતો અને
પોતાની લાગણી તથા ભાવના બીજા સાથે
પ્રગટ કરવામાં તેને ડર લાગતો હતો,
તેથી તે બીજા સાથે બોલવાનું ટાળતો.
તેનું વર્તન સ્વયંલક્ષ્મી રહેતું. બધી વસ્તુ
પોતાની જાતે જ કરતો.
બધા લોકો સાથે બોલવાનું તેને પસંદ
નહોતું. તેને ચિત્રો બનાવવાનું ફાવતું
નહોતું.

તેથી બાળપણની સ્મૃતિની વહેંચણી અન્ય
સાથે કરી શકતો નહોતો. તેણે
પોતાની લાગણી રજૂ કરવા માટે
યુવાનીમાં ખંડકાવ્ય લખ્યું હતું.
તેમાં ઈશ્વરનું અસ્તિત્વ, પ્રેમનો પ્રભાવ,
સૃષ્ટિની જિજ્ઞાાસા વગેરે
વિષયની વાત વણી લીધી હતી. તેને
સંશોધનમાં પણ સુખ મળ્યું નહોતું અને
લેખનમાં પણ સંતોષ નહોતો. ધંધામાં પણ
તેને આત્મશાંતિ મળી નહોતી. અંતે તેણે
ચાળીસ લીટીનો મૃત્યુપત્ર
લખ્યો હતો અને તેની અપાર
સંપત્તિમાંથી નોબેલ પારિતોષિક
આપવાની પ્રથા શરૃ થઈ હતી. જોકે, આ
બધું તેના મૃત્યુ પછી શરૃ થયું હતું.